કોંગોમાં સેનાની ભરતી દરમિયાન નાસભાગમાં ૩૭ લોકોના મોત

Share this story

રિપબ્લિક ઓફ કોંગોમાં સેનાની ભરતી અભિયાન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક સ્ટેડિયમમાં સેનામાં ભરતી માટે યુવાનોની મોટી ભીડ એકત્ર થયા બાદ નાસભાગ મચી ગઈ હતી જેમાં ૩૭ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની બ્રાઝાવિલેના લશ્કરી સ્ટેડિયમમાં સેનાની ભરતી અભિયાન દરમિયાન ભીડ બેકાબૂ બની ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી જેમાં ૩૭ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયાથી દરરોજ ભરતી કેન્દ્રોની બહાર લાંબી લાઇનો લાગી હતી. યુવાનો મોટી સંખ્યામાં સેનામાં જોડાવા માંગતા હતા. દરરોજ લગભગ ૭૦૦ લોકોનું રજિસ્ટ્રેશન થતુ હતું જયારે માત્ર ૧૫૦૦ જ જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચો :-