ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખીમાં વિસ્ફોટથી ૧૧ પર્વતખેડુના મોત

Share this story

ઈન્ડોનેશિયાના પશ્ચિમી સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં ૧૧ પર્વતખેડુના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ ૧૧ પર્વતખેડુના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, જ્વાળામુખી નજીકથી ત્રણ પર્વતખેડુના જીવીત મળી આવ્યા છે અને કેટલાય પર્વતારોહકો હજુ પણ લાપતા છે. આ લાપતા પર્વતારોહકોની તલાશ કરવામાં આવી રહી છે.

શનિવારે ઘટનાના દિવસે કુલ ૭૫ પર્વતારોહકો માઉન્ટ મેરાપી પર હતા. જ્વાળામુખી ફાટ્યા બાદ સફેદ અને રાખોડી રાખ ફેલાઈ ગઈ છે. જેના કારણે પર્વતખેડુતો ગાયબ થઈ ગયા છે અને આસપાસના ગામો જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયા છે. પર્વત પર ચઢવાના બે રસ્તા જ્વાળામુખી વિસ્ફોટ વાળા સ્થાનથી નજીક છે જેને હવે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ જ્વાળામુખીના મુખથી ૩ કિલોમીટર દૂર ઢોળાવ પર આવેલા ગામોને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી લાવા નીકળવાની આશંકા છે.

જ્વાળામુખી ફાટ્યા બાદ જ્વાળામુખીની રાખ ૩૦૦૦ મીટર દૂર સુધી ફેલાઈ ગઈ છે. વહીવટીતંત્રએ લોકોને સાવચેતીના ભાગરૂપે ગોગલ્સ પહેરવાની સલાહ આપી છે જેથી તેમની આંખો જ્વાળામુખીની રાખથી સુરક્ષિત રહી શકે. માઉન્ટ મેરાપી જ્વાળામુખી જાન્યુઆરીથી સક્રિય છે.

આ પણ વાંચો :-