HomeGujaratવર્લ્ડ કપની મેચમાં સ્ટેડિયમમાં ફેન્સે મોહમ્મદ રિઝવાન સામે લગાવ્યા 'જય શ્રી રામ'ના...

વર્લ્ડ કપની મેચમાં સ્ટેડિયમમાં ફેન્સે મોહમ્મદ રિઝવાન સામે લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા

Date:

Related stories

સુરતમાં ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે આટલા લાખનો ‘ખેલ’!

સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના...

મહારાષ્ટ્રમાં ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 8 લોકોનાં મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આજે વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં...

Video : કુલદીપ યાદવે નાખી ‘બોલ ઓફ ધ સેન્ચુરી’! પિચ પર પડતાની સાથે જ એક ફૂટ ટર્ન, બેટ્સમેન ક્લીન બોલ્ડ

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે...

આજનું રાશિફળ: નવી તકથી લઈને અટકેલા પૈસા સુધી, કોના પક્ષમાં રહેશે દિવસ?

🌟જાણો ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ નું રાશિફળ: ♈ મેષ: આજે કામકાજમાં...
spot_img

વર્લ્ડ કપની મેચમાં પોતાના કટ્ટર દુશ્મન પાકિસ્તાનને હરાવીને ભારતે કરોડો ભારતીયોનું સપનું સાકાર કર્યું છે. ૧૪ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને ૭ વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો. ટીમ ઈન્ડીયાને પાકિસ્તાન તરફથી સાવ ઈઝી ૧૯૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે ૩ વિકેટ ગુમાવીને ૩૦.૩ ઓવરમાં પૂરો કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું, પરંતુ આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ભારતીય પ્રશંસકોએ પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને ખૂબ ચીડવ્યો. સ્ટેડિયમમાં ફેન્સે મોહમ્મદ રિઝવાન સામે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

જ્યારે મોહમ્મદ રિઝવાન બેટિંગ કરીને પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે ડ્રેસિંગ રૂમ તરફ જતી વખતે સ્ટેડિયમમાં ભારતીય ફેન્સે તેની વિરુદ્ધ નારા લગાવ્યા હતા. સ્ટેડિમમાં ફેન્સે મોહમ્મદ રિઝવાન વિરુદ્ધ જય શ્રી રામ…જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે રિઝવાને શ્રીલંકા સામેની મેચમાં સદી ફટકારી હતી અને ટીમને જીત અપાવી હતી ત્યારે તેણે એક વિવાદસ્પદ ટ્વિટ કર્યું હતું. આ કારણે ફેન્સે તેને આડે હાથ લીધો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img