HomeNationalલોકસભા ચૂંટણીના પરિણામો બાદ યોગી સરકાર દબાણ હેઠળ! આ કર્મચારીઓને થશે લાભ

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ યોગી સરકાર દબાણ હેઠળ! આ કર્મચારીઓને થશે લાભ

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...
spot_img

મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ૨૦૨૪-૨૫ માટેની નવી ટ્રાન્સફર પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં કુલ ૪૨ દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી ૪૧ને મંજૂરી આપવામાં આવી છે.

નવી ટ્રાન્સફર પોલિસી હેઠળ ગ્રુપ A અને B ના જે અધિકારીઓએ જિલ્લામાં 3 વર્ષ અને ડિવિઝનમાં ૭ વર્ષ પૂરા કર્યા છે તેમની બદલી થઈ શકશે. જ્યારે ગ્રુપ C અને Dમાં સૌથી જૂના અધિકારીઓની બદલી કરવામાં આવશે. ગ્રુપ A અને B અધિકારીઓ માટે મહત્તમ ૨૦ ટકાની મર્યાદા રાખવામાં આવી છે, જ્યારે ગ્રુપ C અને D માટે, મહત્તમ મર્યાદા ૧૦ ટકા રાખવામાં આવી છે. આ ટ્રાન્સફર પોલિસી હેઠળ તમામ ટ્રાન્સફર ૩૦ જૂન સુધીમાં કરવાની રહેશે. બેઠકમાં બુંદેલખંડ ક્ષેત્રની ૫૦માંથી ૨૬ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. જેની કુલ કિંમત ૪૦૮૫૮ કરોડ રૂપિયા છે. તેમાં ૧૩૯૪ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

કેબિનેટે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. આ મુજબ હવે ૩૦મી જૂન અને ૩૧મી ડિસેમ્બરે નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓને 1લી જુલાઈ અને 1લી જાન્યુઆરીથી પ્રસ્તાવિત પગાર વધારાનો લાભ મળી શકશે. નાણામંત્રી સુરેશ ખન્નાએ કહ્યું કે અત્યાર સુધી જે સિસ્ટમ હતી તે મુજબ ૩૦ જૂન અને ૩૧ ડિસેમ્બરના રોજ નિવૃત્ત થનારા કર્મચારીઓને ૧ જુલાઈ અથવા ૧ જાન્યુઆરીએ પ્રસ્તાવિત પગાર વધારાનો લાભ મળી શક્યો ન હતો.

આજે મળેલી આ બેઠકમાં યુપી સરકારે રસરા, બલિયામાં ટ્રાન્સમિશન સબસ્ટેશનની કિંમત વધારીને ૫૩૭ કરોડ રૂપિયા કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. નોઈડામાં જેવર એરપોર્ટ બનાવવા માટે ખેડૂતોને તેમની જમીન માટે વળતર આપવા માટે ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે યુપીના લખીમપુર જિલ્લામાં એરપોર્ટ બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.

હવે IIT કાનપુરમાં મેડિકલ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. આ સાથે ૫૦૦ બેડની સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. કાનપુર સહિત અનેક જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોની વ્યવસ્થા સુધારવા પર પણ સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img