- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગ્રીસ પ્રવાસ બાદ શનિવારે બેંગલુરુ પહોંચ્યા અને ISROના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગ્રીસ પ્રવાસ બાદ શનિવારે બેંગલુરુ પહોંચ્યા અને ISROના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ ત્યાં હાજર વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા અને ચંદ્રયાન-૩ના સફળ મિશન માટે અભિનંદન આપ્યા.
આ પછી જ્યારે પીએમ મોદી દિલ્હી પહોંચ્યા તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદી જ્યારે પાલમ એરપોર્ટ પર સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ બેભાન થઈને પડી ગયો હતો. જેને પીએમની ડોક્ટર ટીમે સારવાર આપી હતી.
હકીકતમાં, જ્યારે વડાપ્રધાન મોદી લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં એક વ્યક્તિ બેભાન થઈ ગયો. પીએમ મોદીની નજર આ વ્યક્તિ પર પડતાં જ તેમણે કહ્યું, ‘મારી સાથે જે ડોક્ટરોની ટીમ છે, જરા તેમને ત્યાં મોકલી દો. ડોક્ટર જરા જોઈએ લો તેમને. તેમને હાથ પકડીને ક્યાંક લઈ જાઓ, તેમને બેસાડો અને તેમના જૂતા વગેરે ઉતારી નાખો.’
https://twitter.com/ANI/status/1695336532255907901?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1695336532255907901%7Ctwgr%5Ed207f3bb5de61daf5de6a6f56432842760244f3c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gujarattak.in%2Fnational-news%2Fpm-modi-sends-his-doctor-team-for-a-man-fainted-in-his-rally-in-delhi%2F
એરપોર્ટ પર લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘મારું સૌભાગ્ય છે કે તમે બધા અહીં આટલા મોટા પ્રમાણમાં આવ્યા અને ચંદ્રયાનની સફળતાની ઉજવણી કરી અને મને પણ ઉજવણીનો ભાગ બનવાનું સૌભાગ્ય મળ્યું. આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.
આ પણ વાંચો :-