- Asia Cup 2023 : ટીમ ઈન્ડિયાના બેટસમેન કેએલ રાહુલ એશિયા કપ 2023ની પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
એશિયા કપ ૨૦૨૩ ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે. જે ૨ સપ્ટેમ્બરે રમાશે. આ પહેલા ભારતીય કોચ રાહુલ દ્રવિડે એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. દ્રવિડે જણાવ્યું કે કેએલ રાહુલ એશિયા કપ ૨૦૨૩ની પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે X (Twitter) પર આ અંગે એક પોસ્ટ પણ શેર કરી છે.
બીસીસીઆઈએ કેએલ રાહુલને લઈને X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં રાહુલ દ્રવિડનું નિવેદન શેર કરવામાં આવ્યું છે. દ્રવિડે કેએલ રાહુલ વિશે કહ્યું, “કેએલ રાહુલની પ્રગતિ ઘણી સારી છે. પરંતુ તે પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. રાહુલ એશિયા કપ ૨૦૨૩માં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાનારી મેચનો ભાગ નહીં હોય.
https://twitter.com/BCCI/status/1696430518894788761?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1696430518894788761%7Ctwgr%5E5ac2d0a196493275c5be958555bbfb6bbfa9c487%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujarati.abplive.com%2Fsports%2Fcricket%2Frahul-dravid-confirms-kl-rahul-won-t-be-available-for-first-2-games-asia-cup-2023-855460
કેએલ રાહુલ ઈજામાંથી સાજા થઈને મેદાનમાં પરત ફર્યો છે. તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. પરંતુ તેમ છતાં એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી. કોચ દ્રવિડ સહિત મેનેજમેન્ટનું સંપૂર્ણ ધ્યાન રાહુલની ફિટનેસ પર છે. આ કારણોસર, તે પ્રથમ બે મેચનો ભાગ નહીં હોય. બીજી બાજુ શ્રેયસ અય્યર છે. અય્યર પણ ઈજામાંથી સાજો થઈને મેદાનમાં પરત ફરી રહ્યો છે. અય્યર સંપૂર્ણ રીતે ફિટ છે અને તે ફિટનેસના તમામ માપદંડોને પૂર્ણ કરે છે.
ટીમ ઈન્ડિયા ૨ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાનાર મેચની પ્લેઈંગ ઈલેવનમાં શ્રેયસ અય્યરને જગ્યા આપી શકે છે. તે ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. શુભમન ગિલ આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકે છે.
આ પણ વાંચો :-