અમદાવાદની મેચ માટે પાર્કિંગ ક્યાં કરશો

Share this story

અમદાબાદમાં કેટલાંક રૂટ ડાયવર્ડ કરવા અંગે કહ્યું કે, ટ્રાફિકની સ્થિતિને જોતાં રૂટ ડાયવર્ડ કરવામાં આવ્યા છે. જેમાં જનપથથી સ્ટેડિયમ જતો માર્ગ બંધ રહેશે. જેના સામે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે સ્ટેડિયમના પાર્કિંગની વાત કરવામાં આવે તો ૧૫ જેટલા પાર્કિંગ પ્લેટની વ્યવસ્થા કરવામાં આવે છે.તેમજ ૪પ્લેટ ટુ વ્હીલર માટે,૧૧ફોર વ્હીલર માટે છે. એટલું જ નહી એપ્લિકેશન થી સ્લોટ બુક થઈ શકશે એવું પણ જણાવ્યુ છે.

જ્યારે બીજી તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ટ્રાફિક DCP એ જણાવ્યું કે, BRTS, AMTSની બસો વધારે છે. તો મેચ પૂરી થયા બાદ મેટ્રોની દર ૭મિનિટ એક ટ્રેન જશે. જ્યારે રસ્તા પર ટ્રાફિકની મુશ્કેલીનું નિવારણ લાવવા માટે ૪ ક્રેન અને ઇન્ટરસેપ્ટર વાહનો રહશે. તો રસ્તા પર મૂકેલા વાહન ટોચન કરવામાં  આવશે .

જયારે મેચ દરમિયાન મેચ જોવા જનારા પ્રેક્ષકો સાથે મોબાઈલ ફોન અને પર્સ સિવાય બીજુ કશું લઈ જઈ શકશે નહી જ્યારે મહિલાઓ સાથે નાનું પર્સ લઈ જઈ શકશે પરંતુ સ્ટેડિયમમાં પાણીની બોટલ ખાવા-પીવાની ચીજ વસ્તુ સાથે લઈ જઈ શકાશે નહી. જેના સાથે જ પ્રેક્ષકોને મેચના ૨ થી ૩ ક્લાક પહેલાં પ્રવેશ આપવામાં આવશે .

અમદાબાદના ટ્રાફિક DCP નિતા દેસાઇએ જણાયું કે, અમદાબાદ કુલ પાંચ મેચ રમાવવાની છે. જેના માટે પોલિસ વિભાગ દ્વારા સુરક્ષાની તમામ તકેદારી રાખવામા આવી રહી છે.  સુરક્ષા માટે ૭-ડીસીપી, ૧૧એસપી,૨૫-પીઆઇ, ૬૮-પીએસઆઇ, બંદોબસ્તમાં રેહશે અને તેની સાથે જ ૧૬૩૧ પોલિસ કર્મચારીઓ હાજર રહશે |