Saturday, Sep 13, 2025

વંદે ભારત ટ્રેનમાં મુસાફરને આપેલ ભોજનમાં કઈ બીજું જ નીકળ્યું ? જાણો તે બાદ શું થઈ કાર્યવાહી

2 Min Read
  • સુબોધની ફરિયાદ બાદ IRCTC એ એક્શન લીધું અને ટવીટના જવાબમાં તેની જાણકારી આપી. IRCTC એ જવાબમાં લખ્યું કે સર આ અપ્રિય અનુભવ બદલ અમે માફી માંગીએ છીએ. આ મામલાને ગંભીરતાથી લેવાયો છે. સંબંધિત સર્વિસ પ્રોવાઈડરને ખાવાનું બનાવતી વખતે યોગ્ય સાવધાની વર્તવાની કડક ચેતવણી અપાઈ છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરને જે ભોજન પીરસવામાં આવ્યું તેમાંથી વંદી નીકળવાની ફરિયાદ મળી હતી ત્યારબાદ IRCTC એ તાબડતોબ પગલું  ભર્યું અને સર્વિસ પ્રોવાઈડર પર ભારે ભરખમ  દંડ ફટકારવામાં આવ્યો. અત્રે જણાવવાનું કે વંદે ભારતમાં ખાવાનામાંથી વંદો નીકળ્યાની ફરિયાદ બાદ મુસાફરે IRCTCને ટવિટર પર ટેગ કરતા ફરિયાદ કરી હતી.

ત્યારબાદ IRCTCએ આ મામલાને ગંભીરતાથી લીધો અને સર્વિસ પ્રોવાઈડર પર કાર્યવાહી કરી. આ સાથે જ IRCTCએ એવું આશ્વાસન પણ આપ્યું કે આ પ્રકારની ઘટનાઓ આગળ ન ઘટે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે.

અત્રે જણાવવાનું કે ખાવાનામાંથી વંદો મળ્યા સંબંધિત ફરિયાદ કરતા સુબોધે ટવીટ કરી કે IRCTC વંદે ભારત ટ્રેનમાં મારા ફૂડમાં એક વંદો મળ્યો છે.

સુબોધની ફરિયાદ બાદ IRCTCએ એક્શન લીધું અને ટવીટના જવાબમાં તેની જાણકારી આપી. IRCTC એ જવાબમાં લખ્યું કે સર, આ અપ્રિય અનુભવ બદલ અમે માફી માંગીએ છીએ. આ મામલાને ગંભીરતાથી લેવાયો છે. સંબંધિત સર્વિસ પ્રોવાઈડરને ખાવાનું બનાવતી વખતે યોગ્ય સાવધાની વર્તવાની કડક ચેતવણી અપાઈ છે. આ સાથે જ સર્વિસ પ્રોવાઈડર પર ભારે ભરખમ દંડ ફટકારવામાં આવ્યો છે. તથા રસોઈ પર નિગરાણીને વધુ મજબૂત કરાઈ છે.

આ પણ વાંચો :-

Share This Article