HomeNationalવરુણ ગાંધી નહીં લડે લોકસભાની ચૂંટણી, માતા મેનકા ગાંધી માટે કરશે પ્રચાર

વરુણ ગાંધી નહીં લડે લોકસભાની ચૂંટણી, માતા મેનકા ગાંધી માટે કરશે પ્રચાર

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

લોકસભાની ચૂંટણી અત્યારે નજીક આવી રહીં છે. ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા બેઠકના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ ગાંધીને આવખે ભાજપે ટિકિટ નથી આપી. ઉલ્લેખનીય છે કે, તેમને ટિકિટ ના મળતી તેઓ અપક્ષમાં રહીને ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહીં હતી. બીજી બાજુ મેનકા ગાંધીને ટિકિટ આપવામાં આવી હતી. હવે વરુણ ગાંધીએ સ્પષ્ટતા કરી દીધી છે કે હું ફક્ત મારી માતાના ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપીશ અને ચૂંટણી નહીં લડું.

કૉંગ્રેસમાં વરુણ ગાંધીનું સ્વાગત કરાશે?ઉત્તર પ્રદેશના ભાજપના અધ્યક્ષ ચૌધરી ભૂપેન્દ્ર સિંહે વરુણ ગાંધીની ટિકિટ રદ્દ થવા પર કહ્યું હતું કે આ વખતે પાર્ટીએ તેમને ચૂંટણી લડવાનું વચન આપ્યું નથી, પરંતુ તેઓ અમારી સાથે છે. પાર્ટી નેતૃત્વએ તેમના વિશે કંઈક સારું વિચાર્યું હશે. ઉલ્લેખનીય છે કે ટિકિટ કપાતા અધીર રંજન ચૌધરીએ વરુણને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.

પીલીભીત લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ બ્રાહ્મણ, સપાએ કુર્મી અને બસપાએ મુસલમાન ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે, આ બેઠક પર ગાંધી પરિવાર સિવાય કુર્મી ઉમેદાવારે ૭ વખત જીત મેળવી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો બીજેપીએ જિતિન પ્રસાદને આ બેઠક પરથી ટિકિટ આપી છે.

મેનકા ગાંધીએ ૧૯૮૯માં પહેલી વાર આ બેઠક પરથી જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડી હતીં. તેમણે પોતાની પહેલી ચૂંટણીમાં જીત પણ મેળવી હતી.ત્યાર બાદ ૧૯૯૧માં ભાજપના પરશુરામ ગંગવાર અહીંથી સાંસદ બન્યા હતાં. પરંતુ ફરી ૧૯૯૬માં મેનકા ગાંધીએ જનતા દળથી ચૂંટણી લડીને જીત મેળવી હતી. તેણીએ ૧૯૯૮ અને ૧૯૯૯માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને જીત મેળવી હતી. આ પછી તે ભાજપમાં જોડાઈ ગઈ. ૨૦૦૯ની ચૂંટણીમાં મેનકાએ વરુણ માટે આ સીટ છોડી દીધી હતી. ભાજપે પીલીભીતથી કોંગ્રેસના નેતા જિતિન પ્રસાદને ટિકિટ આપી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img