સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટના ૧૪માં માળેથી નીચે પટકાયેલા બે શ્રમિકોના કરુણ મોત નિપજતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાનુસાર, બંને શ્રમિકો ૧૪માં માળે સ્લેબનું કામ કરી રહ્યા હતા. તે સમયે સેફટી નેટ તોડી બંને નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ અન્ય શ્રમિકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણકારી મળતા ડીંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સ્લેબની કામગીરી કરતી વખતે આ ઘટના બની હતી. બિલ્ડર દ્વારા સેફટી નેટ લગાડવામાં આવી હતી. છતાં સેફટી નેટ તોડી બંને નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. હાલ જરૂરી પુરાવાઓ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પુરાવાના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મહત્ત્વનું છે કે બિલ્ડર અને કોન્ટ્રાકટર દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે બાબત તપાસનો વિષય બની રહે છે. પોલીસ આ ઘટનામાં કઈ દિશામાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી મૃતકોના પરિવારને ન્યાય અપાવે છે તે જોવાનું રહેશે.
મહત્વનું છે કે, બિલ્ડર અને કોન્ટ્રાકટર દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે બાબત તપાસનો વિષય બની રહે છે. જ્યાં પોલીસ આ ઘટનામાં કઈ દિશામાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી મૃતકોના પરિવારને ન્યાય અપાવે છે તે જોવું રહ્યું.