હિમાચલ પ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા અપક્ષના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોમાં નાલાગઢથી કૃષ્ણલાલ ઠાકુર, દેહરાથી હોશિયાર સિંહ અને હમીરપુરથી આશિષ શર્માનો સમાવેશ થાય છે. ત્રણેય અપક્ષ ધારાસભ્યો હિમાચલ પ્રદેશ વિધાનસભા સચિવાલય પહોંચ્યા અને સચિવ યશપાલ શર્માને તેમના રાજીનામા સુપરત કર્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ત્રણેય કેસરિયો ખેસ ધારણ કરશે.
આ ત્રણ અપક્ષ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર થયા બાદ વધુ ત્રણ નવી બેઠકો ખાલી થશે. હિમાચલ પ્રદેશની છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી જાહેર થઈ ચૂકી છે. હવે ટૂંક સમયમાં જ ત્રણ વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. દેહરાના વિધાનસભ્ય હોશિયાર સિંહે કહ્યું કે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહેલા તમામ આરોપો બિલકુલ ખોટા છે. આવી નફરતની રાજનીતિને મંજૂરી આપવી એ તેમને જરા પણ શોભે નથી. આથી કંટાળીને તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
હમીરપુરના અપક્ષ વિધાનસભ્ય આશિષ શર્માએ કહ્યું કે તેઓ છેલ્લા ૧૪ મહિનાથી મુખ્યમંત્રીને તેમના વિધાનસભા મતવિસ્તારમાં વિકાસ કાર્ય હાથ ધરવા વિનંતી કરી રહ્યા છે. પરંતુ તેમના વિધાનસભા મતવિસ્તારમાં એક પણ વિકાસનું કામ થયું નથી. ચલણી નોટો પર મતદાનનો મામલો નોંધવા પર આશિષ શર્માએ કહ્યું કે તેમના વિધાનસભા ક્ષેત્રના લોકો સારી રીતે જાણે છે કે તેઓ આ રીતે પૈસા લઈને કામ કરવામાં માનતા નથી. જનતાએ તેમને જનાદેશ આપીને વિજયી બનાવ્યા છે અને તેઓ તેમના વિસ્તારના લોકોનો વિશ્વાસ ક્યારેય તોડશે નહીં.
આ પણ વાંચો :-