અપચો અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓમાંથી આ ઘરગથ્થુ ઉપચાર અપાવશે છુટકારો, જાણો સૌથી સરળ રીત

Share this story

This home remedy will get rid of problems

  • ખરાબ જીવનશૈલીની સીધી અસર તમારા પાચનતંત્ર પર પડે છે. અહીં અમે કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું, જેને અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

ખરાબ જીવનશૈલીની (Bad lifestyle) સીધી અસર તમારા પાચન તંત્ર પર પડે છે. ઘણી વખત તળેલી મસાલાવાળી વસ્તુઓ વધુ ખાવાથી, ઓછું પાણી પીવાથી અને સ્ટ્રેસને કારણે પણ પાચનક્રિયાને (Digestion) લગતી સમસ્યાઓ શરૂ થાય છે. સાથે જ ઘણા લોકોમાં એવી સમસ્યા હોય છે કે ખાધા પછી કેટલાંક કલાકો સુધી ખોરાક બરાબર પચતો નથી.

જેના કારણે ક્યારેક તમારે તમારૂ મીલ પણ છોડવું પડે છે. આવી સ્થિતિમાં તમારે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો અમે તમને અહીં કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ જેને અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ ઉપાયો અપનાવો :

પૂરતું પાણી પીઓ :

પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે. જો તમે ઓછું પાણી પીઓ છો તો તમારે કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી તમારે દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેની સાથે તમે કાકડી, ટામેટાં, તરબૂચ અને આ સિવાય દ્રાક્ષ જેવા ફળોનું પણ સેવન કરી શકો છો.

દહીં  :

ઘણા લોકો જમ્યા પછી કે સાથે દહીં ખાવાનું પસંદ કરે છે. પરંતુ જે લોકો દહીં નથી ખાતા તેમને તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. દહીંને તમારા આહારનો ભાગ બનાવવાથી પાચનમાં મદદ મળે છે. આનું સેવન કરવાથી પેટ ઠંડુ રહે છે. આ સિવાય છાશનું સેવન મસાલેદાર ખોરાકથી થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.

ખોરાકને સારી રીતે ચાવીને ખાઓ  :

તમે સાંભળ્યું જ હશે કે ખોરાક 32 વાર ચાવવો જોઈએ. આમ કરવાથી ખોરાક સરળતાથી નાના ટુકડાઓમાં વહેંચાઈ અને લાળમાં ભળી જાય છે અને પાચનક્રિયાને સરળ બનાવે છે. આ સાથે જ થોડું-થોડું ખાઓ, આમ કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે.

આ પણ વાંચો :-