HomeSurat Cityગુજરાતમાં પાકિસ્તાની મહોલ્લાનું બદલાયું નામ, જાણો- હવે ક્યા નામથી ઓળખાશે?

ગુજરાતમાં પાકિસ્તાની મહોલ્લાનું બદલાયું નામ, જાણો- હવે ક્યા નામથી ઓળખાશે?

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

આઝાદી મળ્યા 78 વર્ષ વીતી ચૂક્યા છે, પરંતુ ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરના પાકિસ્તાની મહોલ્લામાં રહેતા સેકડો સિંધિ પરિવારોને હવે જઈને પોતાની સાચી ઓળખ મળી છે. હવે આ વિસ્તારને સત્તાવાર રીતે “હિંદુસ્તાની મહોલ્લા” નામથી ઓળખવામાં આવશે.

સુરત પશ્ચિમના વિધાયક અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ના અખૂટ પ્રયત્નોથી આ ઐતિહાસિક ફેરફાર શક્ય બન્યો છે. આ અવસરે હિંદુસ્તાની મહોલ્લા નામના નવા બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું, જેને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ખુશી અને ગર્વની લાગણી છવાઈ ગઈ.

આ અમારાં માટે ગર્વનો ક્ષણ છે” – પૂર્ણેશ મોદી

પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારનું નામ બદલવા માટે પ્રયત્નો ચાલી રહ્યા હતા. વર્ષ 2018માં નામ પરિવર્તનનો પ્રસ્તાવ મંજૂર થઈ ગયો હતો, પરંતુ હવે જઈને તે અમલમાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ અમારાં માટે ગર્વનો ક્ષણ છે.

તેમણે જણાવ્યું કે હવે આ મહોલ્લાના રહેવાસીઓ ગર્વથી કહી શકશે કે તેઓ હિંદુસ્તાની મહોલ્લામાં રહે છે. આવનારા દિવસોમાં રહેવાસીઓના દસ્તાવેજોમાંથી જૂનું નામ કાઢીને હિંદુસ્તાની મહોલ્લા દાખલ કરવા માટે ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવશે.

સ્થાનિક લોકોમાં ઉત્સાહ

સ્થાનિક રહેવાસીઓમાં આ ફેરફારને લઈને ભારે ઉત્સાહ છે. સુદામા લાલ ભોલાણીએ કહ્યું, “પહેલાં અમને અમારા પતાનું ઉલ્લેખ કરતાં સંકોચ અનુભવાતો હતો, પરંતુ હવે અમે ગર્વથી કહી શકીએ છીએ કે અમે હિંદુસ્તાની મહોલ્લાના રહેવાસી છીએ.

“સાગર પટેલે આ ફેરફારને ઐતિહાસિક ગણાવ્યો અને કહ્યું કે આ પગલું સમાજને નવી ઊર્જા આપશે. આ ફેરફાર માત્ર નામનો બદલાવ નથી, પરંતુ સેકડો પરિવારોની લાગણીઓ અને ગર્વ સાથે જોડાયેલું એક એવું પગલું છે, જે તેમને પોતાની ભારતીયતાનો ગર્વ અનુભવવાનો નવો અવસર આપે છે.

Subscribe

Latest stories

spot_img