HomeSurat Cityકુરિયર કંપનીના જ કર્મચારીઓએ ચોરી કરી આગ લગાવી પણ પકડાઈ ગયા

કુરિયર કંપનીના જ કર્મચારીઓએ ચોરી કરી આગ લગાવી પણ પકડાઈ ગયા

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

સુરતના ઉધના વિસ્તારમાં બ્લુ ડાર્ટ પાર્સલ સર્વિસ સેન્ટરની ઓફિસમાં ચોરી કરી પકડાઈ નહીં જવાય અને ચોરીનો માલ આગમાં રાખ થઈ ગયો છે, તેવું ખપાવવા માટે આગ લગાડી ભાગી ગયેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉધના પોલીસે આરોપીઓ પાસેથી ૩૫.૫૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

સુરતમાં કંપનીના જ કર્મચારીઓએ ચોરી કરી આગ લગાવી પણ પકડાઈ ગયા

બે દિવસ પહેલાં ત્રીજી જુનના રોજ પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી કુરિયર કંપની બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ લિમીટેડના સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. ચોરી કરીને સમગ્ર ઘટનાને આગમાં ખપાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સેન્ટરમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા મુદ્દામાલ મળી કુલ્લે રૂપિયા ૩૪,૬૩,૫૨૬ (૩૪.૬૩ લાખ) ની મતા ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ માલ સામાનને આગ લગાડી નુક્શાન કરી ભાગી ગયા હતા. આ બાબતે ઉધના પોલીસ માં ફરિયાદ નોધાઈ હતી. જેમાં પોલીસે એક શંકાના આધારે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

ડીસીપી ગઢવીએ કહ્યું કે, ઉધનામાં આવેલી બ્લૂ ડાર્ટ કંપનીમાં આગ લાગ્યાની ફરિયાદ જાણવા જોગ નોંધાઈ હતી. જેની તપાસ હાથ ધરાઈ હતી. સ્થળ તપાસમાં પોલીસને શંકા પડી હતી. વર્ણન અને જાત તપાસમાં વિરોધાભાસ દેખાયો હતો. આગમાં જે સામાન સળગ્યો તેના અવશેષો મળ્યાં નહોતા. તપાસમાં કેટલીક બાબતો સામે આવી હતી. આગનો બનાવ ઉપજાવી કાઢવામાં આવ્યું હોવાનું પુરાવાના આધારે સામે આવ્યું હતું. સમગ્ર આગ લાગી નહીં પરંતુ લગાડીને પૂર્વ આયોજીત કાવત્રું હોવાનું ફલિત થયું હતું.

આગમાં 36 લાખનું નુકસાન થયાનું ફરિયાદમાં કહેવાયું હતું. પરંતુ એવું કંઈ હતુ નહી. આગમાં નુકસાન નહીં પરંતુ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્રણ આરોપીઓમાં ગોપાલ વાસુદેવ બનીસીપી, બદરૂભાઈ ભુકણ અને જાકીર મહમ્મદ અલી સૈયદ સામેલ હોવાનું સામે આવ્યું હતું. આયોજન જાકીરે કર્યું હતું. જ્યારે અન્ય બે એક્ઝિક્યુશનમાં હતાં. ગોપાલ સિક્યુરિટીમાં હતો. બદરૂ બે દિવસથી જોડાયો હતો. જાકીર સુપરવાઈઝર તરિકે કામ કરે છે. પોલીસે સાડા પાંત્રિસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ૪૦ મોબાઈલ અને ડીવીઆર તથા લેપટોપ કબ્જે કર્યા છે. આજ રીતે તેમને અઠવા વિસ્તારમાં પણ ૪૦ લાખ થી વધુ ની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories