HomeNationalનેપાળના કાઠમાંડૂમાં ભયંકર વિમાન દુર્ઘટના, ૧૯ લોકો હતા સવાર, રેસ્ક્યુ શરૂ

નેપાળના કાઠમાંડૂમાં ભયંકર વિમાન દુર્ઘટના, ૧૯ લોકો હતા સવાર, રેસ્ક્યુ શરૂ

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

નેપાળના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 19 પેસેન્જરો સવાર હતા, જો કે આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. પ્લેન ટેકઓફ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું અને આગ લાગી. હાલ રાહત કાર્ય માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે.

અકસ્માત બાદ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં, રેસ્ક્યુ ટીમ વહેલી તકે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને વિમાનમાં સવાર મુસાફરો વિશે માહિતી મેળવી શકાય.

આ વિમાન દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં નજર આવી રહ્યું છે કે વિમાનમાંથી આગની ઊંચી ઊંચી જ્વાળાઓ નીકળી રહી છે. દુર્ઘટનાના કારણે એરપોર્ટ પર આવતી અન્ય ફ્લાઈટને અસર થઈ હતી.

સૂત્રોનું માનીએ તો નેપાળ સરકારે રાહત અને બચાવ કાર્ય માટે સેનાના જવાનોને સ્થળ પર મોકલ્યા છે. મેડિકલ અને સેનાના જવાનોની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. જે પ્રકારની આગ ફાટી નીકળી છે તે ખરાબ સમાચાર સૂચવે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories