ઈસ્કોન બ્રિજ પર ૧૦ લોકોનાં મોતનાં આરોપી તથ્ય પટેલ પોલીસ પકડમાં, ચહેરા પર ન દેખાઈ કોઈ ગંભીરતા

Share this story
  • અમદાવાદમાં ઈસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. આરોપી તથ્ય પટેલની પોલીસ હવે પૂછપરછ કરશે.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ૧૬૦ની સ્પીડે આવેલી કાળમુખી જગુઆર કાર ૧૦ લોકોને ભરખી ગઈ. આ ભયાનક અકસ્માતને સમગ્ર અમદાવાદ શોકથી કંપારી ઉઠયું છે. અકસ્માત કેસમાં ૬ લોકોની અટકાયત કરી છે. જે અકસ્માતના પગલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

અકસ્માતના મુખ્ય આરોપીની સિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. આરોપી તથ્ય પટેલના ચહેરા પર જરા પણ ગંભીરતા દેખાઈ નથી.

તથ્ય પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો 

અમદાવાદમાં ઈસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની પોલીસ હવે પૂછપરછ કરશે. જો કે આપને જણાવી દઈએ કે પોલીસ ૬ જેટલા આરોપીની અટકાયત કરી લીધી છે.

કોણ છે તથ્ય પટેલ?

અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની માહિતી મળી છે. પ્રજ્ઞેશ પટેલ ૨૦૨૦માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હતો.આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને આચર્યુ દુષ્કર્મ હતું.

આ પણ વાંચો :-