Sunday, Jul 20, 2025

વિમાનમાં સવાર યાત્રીઓ સિવાય માર્યા ગયેલા 33 લોકોને પણ સહાય આપશે ટાટા ગ્રુપ

1 Min Read

ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે તે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્ય 33 લોકોને પણ 1 કરોડ રૂપિયાનું વળતર આપશે. ટાટા ગ્રુપે કહ્યું છે કે તે વિમાનમાં ન હતા પરંતુ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોને પણ વળતર આપશે. ઘટના સમયે આ 33 લોકો અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના પરિસરમાં હતા. આ સંકુલ અમદાવાદ એરપોર્ટની બાજુમાં આવેલું છે.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોમાં એરપોર્ટની નજીક આવેલા મેઘાણીનગર વિસ્તારના ડોકટરો, વિદ્યાર્થીઓ, હોસ્પિટલ સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે. ટાટા ગ્રુપે પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા 241 લોકોના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી દીધી હતી. ટાટા ગ્રુપે કહ્યું છે કે તે બીજે મેડિકલ હોસ્ટેલના પુનર્વિકાસમાં પણ મદદ કરશે. આ હોસ્ટેલને પ્લેન ક્રેશમાં ભારે નુકસાન થયું છે.

વીમા કંપનીઓ પાસેથી પણ મળશે વળતર
ટાટા ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલા 1 કરોડ રૂપિયા ઉપરાંત અકસ્માતમાં જીવ ગુમાવનાર યાત્રીઓને વીમા કંપનીઓ તરફથી લગભગ 1.5 કરોડ રૂપિયાનું વળતર પણ મળશે.

Share This Article