સુરત રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા સમાજની બહેનોને આત્મનિર્ભર બનાવવા અને તેમને રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી સતત સાતમા વર્ષે ‘ઉડાન-2026’ એક્ઝિબિશન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના રૂસ્તમપુરા સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે 21, 22 અને 23 ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ ત્રણ દિવસીય એક્ઝિબિશનનું શુક્રવારે શ્રી સિદ્ધિ વિનાયક જેમ્સ એન્ડ જ્વેલર્સ, મુંબઈના માલિક શ્રી રાજેશભાઈ ઝવેરી અને શ્રીમતી મીનાક્ષીબેન રાજેશભાઈ ઝવેરીના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


ઉદ્ઘાટન પ્રસંગે શ્રી અખિલ ભારત રાણા સમાજના પ્રમુખ શ્રી દીપકભાઈ કાશીરામભાઈ રાણા, મહામંત્રી શ્રી નવીનભાઈ ચપડિયા, શ્રી સુધાકરભાઈ માસ્તર, શ્રી નવીનભાઈ જરીવાલા, શ્રી બીપીનભાઈ જરીવાલા, ડો. કિશાન એન્જિનિયર, શ્રી હિતેન્દ્રભાઈ એમ. રાણા, શ્રીમતી રેશ્માબેન લાપસીવાલા, SMC સાંસ્કૃતિક સમિતિના ચેરમેન શ્રી રાજેશભાઈ એન. રાણા, કોર્પોરેટર શ્રી સંદિપભાઈ ચલકવાલા, કોર્પોરેટર શ્રીમતી અનિતાબેન રાણા, શ્રી નરેશભાઈ એમ. રાણા, શ્રીમતી લત્તાબેન વી. રાણા, ઉદ્યોગપતિ શ્રી વિજયભાઈ એ. જરીવાલા, એડવોકેટ શ્રી વિજયભાઈ જરીવાલા, શ્રી અનયભાઈ જરીવાલા, શ્રીમતી નીતિલાબેન આર. ચપડિયા, ધૃતિ આકાશ જરીવાલા, સુરત રાણા સમાજ મહિલા ફોરમના પ્રમુખ શ્રીમતી ચંપાકલીબેન જરીવાલા સહિત રાણા સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


આ એક્ઝિબિશનમાં રાણા સમાજની બહેનો દ્વારા કુલ 47 જેટલા સ્ટોલનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફૂડ સ્ટોલ ઉપરાંત સાડી, સેલા, હેન્ડમેડ જ્વેલરી, સિલ્વર અને ગોલ્ડન જ્વેલરી, વિવિધ ફેબ્રિક તથા પેન્ટના કપડાં, બીડ વર્ક પર્સ, રાધા-કૃષ્ણના વાઘા અને રમકડાં, ક્રોશેટ આઇટમ્સ, પ્રેસ-ઓન નેઇલ્સ, હેન્ડમેડ રાખડીઓ, વેસ્ટર્ન આઉટફિટ્સ સહિત વિવિધ પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.


સમાજની બહેનોને પોતાની પ્રતિભા અને વ્યવસાયિક કુશળતા રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળે તેમજ તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશનના પ્રથમ દિવસે જ સુરત શહેરના અનેક લોકોએ મુલાકાત લઈ વિવિધ વસ્તુઓની ખરીદી સાથે વિવિધ વાનગીઓની પણ મજા માણી હતી.


સુરત શહેરની જનતાને આ ત્રણ દિવસીય ‘ઉડાન-2026’ એક્ઝિબિશનની અવશ્ય મુલાકાત લઈ સમાજની બહેનોના આત્મનિર્ભરતાના પ્રયાસને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.

