હવે સુરતમાં વધી રહેલા ક્રાઈમને પગલે સુરત હવે ક્રાઈમ સિટી બન્યું છે. સુરત ગુનાના કાળા રસ્તા પર એવું ધકેલાયું છે કે તે ગુજરાતનું અંડરવર્લ્ડ બન્યું હોય તેવુ લાગે છે. હત્યા, મારામારી, ડ્રગ્સ વગેરે સુરતમાં સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે નસીબની બલીહારી એવી છે કે, સુરત શહેર છેલ્લા કેટલાય સમયથી પોલીસ કમિશનર વગરનું છે, જેને કારણે સુરતમાંથી ખૌફ ગાયબ થયો છે. છેલ્લાં ૩ દિવસમાં સુરતમાં ૮ લોકોની હત્યા થઈ છે.
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વહેલી સવારે વેસુના આગમ શોપિંગ વોર્ડમાં નાનું પટેલ ઉર્ફે નાનીયાની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. નનિયો દેશી દારૂનો ધંધો કરતો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નનીયો દેશી દારૂનો ધંધો કરતો હતો. આ દેશી દારૂના ધંધાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરવામાં આવી હોવાની હાલ પ્રાથમિક તબક્કે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં કુલ ૮ના હત્યાની ઘટના સામે આવી છે.
સુરત શહેરમાં હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓ જાણએ દિવસેને દિવસે સામાન્ય બનતી જઈ રહી છે. છેલ્લા ૩ દિવસમાં સુરત શહેરમાં હત્યાની ૮ જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં સુરતના લિંબાયત, વરાછા, ખટોદરા, વેસુ, મહિધરપુરા સહિત ચોક બજાર વિસ્તારના હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં ૮ લોકોની હત્યા થઈ છે. ત્યારે આ સિલસિલો અટકી નથી રહ્યો. સુરતમાં રહેનારાઓમાં જાણે પોલીસનો ડર જ ન બચ્યો હોય તેમ લોકો બિન્દાસ્ત કાયદો હાથમાં લઈ રહ્યાં છે. જો આ સ્થિતિ કથળશે તો આગામી દિવસોમાં સુરત નગરી ગુનાની નગરી બની શકે છે.
આ પણ વાંચો :-