HomeSurat Cityસુરત: કોઝવે ભયજનક સપાટીએ પહોંચ્યો, સાવચેતીના પગલે વાહન વ્યવહાર માટે બંધ કરાયો

સુરત: કોઝવે ભયજનક સપાટીએ પહોંચ્યો, સાવચેતીના પગલે વાહન વ્યવહાર માટે બંધ કરાયો

Date:

Related stories

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
spot_img

સુરત શહેરમાં આવેલો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ભયજનક સપાટી પર આવી જતા કોઝવે બંધ કરવામાં આવ્યો છે. હવે ચંદ્રશેખર બ્રિજ અથવા જહાંગીરપુરા ડભોલી બ્રીજનો ઉપયોગ વાહન ચાલકોને કરવો પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.

સુરતમાં આવેલો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ચોમાસામાં ભયજનક સપાટીએ પહોચતા પહેલી વાર ગત 23 જૂનના રોજ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સપાટીમાં ઘટાડો થતાં 50 દિવસ બાદ 11 ઓગસ્ટના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

7 દિવસમાં ફરી એક વખત કોઝવેની સપાટી ભયજનક સપાટી સુધી પહોંચી છે. જેના પગલે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આજે બપોરે 2 કલાકે કોઝવેની સપાટી 5.98 મીટર નોંધાઈ હતી. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, ઉલ્લેખનીય છે કે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા વાહન ચાલકોને જહાંગીરપુરા ડભોલી બ્રીજ અથવા ચંદ્ર શેખર આઝાદ બ્રીજનો ઉપયોગ કરવો પડશે.

Subscribe

Latest stories

spot_img