HomeNationalસુપ્રીમ કોર્ટે ખેડૂતોના આંદોલન મામલે શંભુ સરહદ સંબંધિત અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે ખેડૂતોના આંદોલન મામલે શંભુ સરહદ સંબંધિત અરજી ફગાવી

Date:

Related stories

આ રાજ્યમાં કેમ 1 ઓક્ટોબરથી નહીં મળે ગાડીઓને પેટ્રોલ-ડીઝલ?

હરિયાણામાં જૂની ગાડીઓ ચલાવતા લોકો માટે હવે મોટો ફેરફાર...

તમારો પગાર ₹25 હજાર સુધી છે? EPFOના આ નિર્ણયથી થશે મોટો ફેરફાર

નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય...

પત્નીથી પરેશાન 2 પતિ એક જ દિવસે પોલીસ સ્ટેશન પહોંચ્યા, એકે કહ્યું- ‘સાહેબ, બચાવી લો’

આગ્રાના એકતા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બનેલા બે અલગ-અલગ કિસ્સાએ...

નાવપરા GIDCની કંપનીમાં આગ લાગતાં ખળભળાટ!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાવપરા GIDCમાં વિશાલ પોલિફાઇબર પ્રાઇવેટ...
spot_img

સુપ્રીમ કોર્ટે શંભુ સરહદ ખોલવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ મામલે પહેલાથી જ અરજી દાખલ કરવામાં આવી છે. આવી જ અરજીઓ વારંવાર દાખલ કરવામાં આવી રહી છે. કોર્ટે કડક સ્વરમાં પૂછ્યું કે શા માટે વારંવાર આવી જ અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે તે પહેલાથી પેન્ડિંગ અરજીઓ પર સુનાવણી કરશે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠ પાસેથી ખેડૂતોને હાઈવે પરથી હટાવવાના નિર્દેશોની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને શંભુ બોર્ડર સહિત હાઈવે ખોલવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે હાઈવે બ્લોક કરવો એ લોકોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. આ ઉપરાંત નેશનલ હાઈવે એક્ટ અને BNS હેઠળ પણ આ ગુનો છે. આવી સ્થિતિમાં હાઈવે બ્લોક કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

તમને જણાવી દઈએ કે શંભુ બોર્ડર પર ફેબ્રુઆરીથી ખેડૂતો હડતાળ પર બેઠા છે. પોલીસે ખેડૂતોને સરહદ પર રોકી દીધા છે જેથી તેઓ દિલ્હી જઈ શકે નહીં. 2020માં ખેડૂતોએ આંદોલન કર્યું હતું. ત્યારબાદ દિલ્હીમાં પણ હિંસા જોવા મળી હતી. ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. ખેડૂતોના વિરોધને જોતા ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા પડ્યા. રવિવારે ફરી એકવાર પોલીસ અને સુરક્ષા દળોની ટીમે દિલ્હી કૂચને રોકી હતી.

શંભુ બોર્ડર પર ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું, આજે અમે 101 ખેડૂતના જુથને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ ઘર્ષણમાં એક ખેડૂતને પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર છે.જ્યારે 9 ખેડૂતો ઘાયલ છે.તેમજ આંદોલનની આગામી રણનીતિ પછી જણાવીશું.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img