રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 વર્ષ પછી IPL જીત્યું. આ જીતની ઉજવણી માટે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાગદોડ થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા. આ દરમિયાન ભાગદોડમાં 4 વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે પોલીસે તાત્કાલિક ઘાયલ અને બેભાન લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.