HomeSurat Cityસુરતમાં મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો!

સુરતમાં મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો!

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે. વરાછા વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકના પરિવારે ડાયમંડ કંપની સામે ગંભીર આક્ષેપ કર્યા છે. કંપનીએ બોનસ આપવાની મનાઈ કરતા સતત બે દિવસથી માનસિક તણાવમાં રહેતા રત્ન કલાકારે આત્મહત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ મામલે વરાછા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ@ગુજરાત: યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ભારે ચકચાર મચી

સુરતની એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં કામ કરતાં રામસિંગ સિંહ ચાર સંતાનો સાથે રહેતા હતાં. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરામાં ચાલતી મંદીના કારણે આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં હતાં. ત્યારે ત્યારે આર્થિક મંદીમાં પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે અંગેની ચિંતામાં રામસિંગે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસ મુજબ, ડાયમંડ ઉદ્યોગમાં મંદીનાં કારણે સ્ટાર ડાયમંડ કંપની દ્વારા બોનસ આપવાની મનાઈ કરવામાં આવી હતી. આથી, છેલ્લા બે દિવસથી અંદાજિત 500 થી વધુ રત્ન કલાકારો બોનસ આપવાની માગ સાથે કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.

પરિવારનાં આરોપ અનુસાર, રત્ન કલાકાર રામ નગિનાસિંહ આર્થિક ભીંસના કારણે સતત બે દિવસથી માનસિક રીતે તણાવમાં રહેતા હતા. તેઓ પહેલા દર મહિને રૂ. 50 થી 60 હજાર જેટલો પગાર પાડતા હતા. પરંતુ, છેલ્લા બે માસથી હીરા ઉદ્યોગમાં આવેલી મંદીનાં કારણે મહિને માત્ર 15 થી 20 હજારનું કામ થતું હતું. આ વચ્ચે કંપનીએ બોનસ આપવાની પણ મનાઈ કરી દીધી હતી. આથી, રામભાઈ ખૂબ જ ચિંતામાં મૂકાયા હતા. આખરે તેમણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે પરિવારની ફરિયાદનાં આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img