સુરતમાં ખાનગી શાળાના શિક્ષિકા મનિષાબેન પટેલનું હાર્ટ એટેકથી મોત

Share this story

સુરતના અડાજણ વિસ્તારમાં ખાનગી શાળામાં નોકરી કરતા ૫૦ વર્ષીય શિક્ષિકા મનિષાબેન પટેલનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. શિક્ષિકા રાત્રે ઊંઘી ગયા હતા, બાદમાં સવારે ઉઠ્યા જ નહીં, ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ ગયું. સવારે તેઓ ઉઠ્યા નહીં આથી પરિવારે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સુરતમાં વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના અડાજણ વિસ્તારમાં ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મનિષાબેન રમેશભાઈ પટેલ નામની મહિલાને હ્રદય રોગનો હુમલો આવ્યો છે, જેમાં તેમનુ મોત નિપજ્યુ છે. 50 વર્ષીય મહિલાનું રાત્રિના સમયે મોત થયુ છે. મહિલા રાત્રિના સમયે ઊંઘી હતી, તે પછી સવારે ઉઠી નહીં. મહિલાને રાત્રે જ ઊંઘમાં હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટી હતી.

વહેલી સવારે મહિલા ના ઉઠતાં પરિવારજનોએ તાત્કાલિક ધોરણે ૧૦૮ એમ્બ્યૂલન્સ બોલાવીને ખાનગી હૉસ્પિટલ લઇ જવાઇ હતી, જ્યાં ફરજ પરના ડૉક્ટરો તેમને તપાસી મૃત જાહેર કરી હતી. મૃતક મહિલાને પહેલા કોઇપણ જાતની બિમારી પણ હતી, આ બધા પરથી ડૉક્ટરોએ હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ તો સમગ્ર મામલે અડાજણ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી નવી સિવિલ હૉસ્પિટલમાં પૉસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતક મહિલાનું નામ મનિષાબેન રમેશભાઈ પટેલ છે જે શહેરની એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.

આ પણ વાંચો :-