કોવિડના નવા વેરિઅન્ટ JN.૧ કર્ણાટકમાં ત્રણ લોકોના મોત

Share this story

ગુજરાતના ગાંધીનગર શહેરમાં પણ કોરોના ફેલાયો છે. જેમાં કેસ વધતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોરનાના વધુ ૩ કેસ સામે આવ્યા છે. તેમાં IIT ગાંધીનગર અને સેક્ટર ૨૯ માં કેસ નોંધાયા છે. કર્ણાટકથી આવેલ IIT ના પ્રોફેસર કોરોના પોઝિટિવ થયા છે. તેમાં અત્યાર સુધીમાં શહેરમાં ૮ કેસ સામે આવ્યા છે.

કર્ણાટકના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સેવા વિભાગ અનુસાર રાજ્યમાં JN.૧ના વેરિએન્ટના કુલ ૩૪ કેસ સામે આવ્યા છે જેમાંથી ૨૦ કેસ બેંગલુરૂમાં, ચાર મૈસૂરમાં, ત્રણ માંડ્યામાં અને એક-એક કેસ રામનગર, બેંગલુરૂ ગ્રામીણ, કોડાગુ અને ચામરાજા નગરામાં સામે આવ્યા છે. નવા JN.૧ વેરિઅન્ટને કારણએ આ દર્દીમાં ત્રણ લોકોના મોત પણ થયા છે. કેરળની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ નવા કેસ કોવિડ-૧૯ વેરિઅન્ટના સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોવિડના કુલ સક્રિય કેસની સંખ્યા ૧૭૪૯ થઇ ગઇ છે. જોકે, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં વાયરસથી કોઇ મોતની સૂચના મળી નથી.

JN.૧ સબ વેરિઅન્ટની પ્રથમ વખત ઓળખ ઓગસ્ટમાં કરવામાં આવી હતી. આ ઓમિક્રૉનનું સબ વેરિઅન્ટ BA.૨.૮૬થી બનેલુ છે. ૨૦૨૨ની શરૂઆતમાં BA.૨.૮૬થી કોરોનાના કેસમાં વધારાનું કારણ હતું. BA.૨.૮૬ વ્યાપક રીતે ફેલાયુ નહતું પરંતુ તેને જાણકારોને ચિતિંત કરી દીધા હતા કારણ કે BA.૨.૮૬ના સ્પાઇક પ્રોટીન પર મ્યૂટેન થયા હતા અને આ રીતે JN.૧ના સ્પાઇક પ્રોટીનમાં પણ એક વધારાનું મ્યૂટેશન છે.

આ પણ વાંચો :-