Sunday, Mar 23, 2025

PM મોદીએ CJI ચંદ્રચુડના નિવાસસ્થાને ગણપતિ પૂજામાં ભાગ લીધો

1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં PM મોદીએ ડી.વાય.ચંદ્રચુડ અને તેમના પરિવાર સાથે ઘરે આયોજિત ગણેશ પૂજામાં ભાગ લીધો હતો અને આરતી પણ કરી હતી અને દેશવાસીઓના સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.

PM Modi Visit CJI's House

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલાં જ CJIના આવાસ પર પહોંચી ગણેશ પૂજામાં ભાગ લીધો હતો. આ સિવાય ઘણા વકીલોએ પણ આ મુલાકાત પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે, ભાજપે તેને માત્ર પૂજામાં હાજરી સુધી જ સીમિત ગણાવી છે.
વડાપ્રધાન મોદીએ આ સાથે જોડાયેલી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતું કે, ‘CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના ઘરે ગણેશ પૂજામાં સામેલ થયા. ભગવાન શ્રી ગણેશ આપણા બધાને સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય આપે.

PM મોદીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડના નિવાસસ્થાને પૂજામાં હાજરી આપવાની પણ માહિતી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, CJI ચંદ્રચુડના ઘરે ગણેશ પૂજામાં સામેલ થયા હતા. ભગવાન ગણેશ આપણને બધાને સુખ, સમૃદ્ધિ અને અદ્ભુત સ્વાસ્થ્ય આપે.

આ પણ વાંચો :-

Share This Article