Home Blog Page 89

Modi Gift to Meloni: મોદીએ મેલોનીને ભેટમાં આપ્યો મૂગા સિલ્ક સ્ટોલ, જાણો તેની ખાસિયત અને કિંમત

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીની મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં તેઓ ઇટાલીની પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફીનું પેકેટ ભેટમાં આપતા જોવા મળ્યા હતા. આ વીડિયો ખુદ મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. આ દરમિયાન મોદીએ ઇટાલીની પ્રધાનમંત્રીને મૂગા સિલ્કનો સ્ટોલ પણ ભેટમાં આપ્યો હતો. મૂગા સિલ્કને આસામનું ‘ગોલ્ડન સિલ્ક’ પણ કહેવાય છે. આવો જાણીએ તેની ખાસિયત અને કિંમત વિશે.

આ સોનેરી પીળા રંગનું રેશમ ખાસ કરીને આસામની બ્રહ્મપુત્ર ઘાટીની દુર્લભ વારસાગત ઓળખ માનવામાં આવે છે. તે એન્થેરિયા આસામેન્સિસ નામના રેશમ કીડામાંથી મેળવવામાં આવે છે. આ રેશમના કીડા સોમ અને સોમાલ છોડના સુગંધિત પાંદડાઓ પર નિર્ભર રહે છે. આ રેશમ તૈયાર કરવામાં કોઈ આર્ટિફિશિયલ ડાઈનો ઉપયોગ થતો નથી, જેના કારણે તેને પર્યાવરણમિત્ર માનવામાં આવે છે. ભેજ શોષી લેવાની ક્ષમતા અને યુવી પ્રતિરોધક ગુણધર્મોને કારણે તેને દુનિયાના સૌથી મજબૂત ફાઈબર્સમાં ગણવામાં આવે છે.

કેટલી છે કિંમત?

મૂગા સિલ્કમાંથી સાડી, શોલ, સ્ટોલ સહિત અનેક પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. હાલમાં મૂગા રેશમનો વેપાર અંદાજે 200 કરોડ રૂપિયાનો છે, પરંતુ તેમાં દસ ગણો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૂગા સિલ્ક શોલની કિંમત 3,500 રૂપિયાથી લઈને 38,000 રૂપિયા સુધી હોઈ શકે છે. તેની કિંમત તેમાં ઉપયોગમાં લેવાયેલા સિલ્કની શુદ્ધતા પર આધારિત હોય છે. બ્લેન્ડેડ મૂગા શોલની કિંમત ઓછી હોય છે, જ્યારે શુદ્ધ હેન્ડલૂમ મૂગા શોલની કિંમત ઘણી વધારે હોય છે.

પ્રધાનમંત્રી મોદીએ મૂગા સિલ્ક સ્ટોલ ઉપરાંત ઇટાલીની પ્રધાનમંત્રીને શિરુઈ લિલી સિલ્ક સ્ટોલ પણ ભેટમાં આપ્યો હતો. મોદીએ ઇટાલી સિવાય હોલેન્ડ, નોર્વે અને સ્વીડનની પણ મુલાકાત લીધી હતી. યુરોપ જતાં પહેલાં તેઓ થોડા કલાકો માટે યુએઈમાં પણ રોકાયા હતા. આ દરમિયાન તેમણે હોલેન્ડના રાજાને રાજસ્થાની બ્લૂ પોટરી, રાણીને મીનાકારી અને કુન્દન ઇયરરિંગ્સ તેમજ પ્રધાનમંત્રીને મધુબની પેઇન્ટિંગ ભેટમાં આપી હતી.

ઇબોલા વાયરસને લઈને દિલ્હી એરપોર્ટ પર એલર્ટ, વિદેશથી આવતા મુસાફરોની કડક તપાસ શરૂ

0

ઇબોલા વાયરસ (Ebola Virus)ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ તેને વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. આ વાયરસનો સૌથી વધુ પ્રકોપ આફ્રિકા ખંડમાં જોવા મળી રહ્યો છે.

રાહતની વાત એ છે કે ભારતમાં અત્યાર સુધી ઇબોલા વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ દ્વારા તે દેશોમાંથી આવતા મુસાફરો માટે કડક માર્ગદર્શિકા અને પેસેન્જર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જ્યાં આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. તેમાં ખાસ કરીને સાઉથ સુદાન અને યુગાન્ડા જેવા દેશોનો સમાવેશ થાય છે.

એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને કડક નજર
આફ્રિકામાં સતત બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોની થર્મલ સ્ક્રીનિંગ અને કડક દેખરેખ શરૂ કરી દેવામાં આવી છે. ઘણા લોકો આ સંક્રમણ અને તેના જોખમો વિશે અજાણ હોવાના કારણે એરપોર્ટ પર જાગૃતિ અને ચેકિંગ બંનેમાં વધારો કરવામાં આવ્યો છે.

કોરોના જેવા જ છે શરૂઆતના લક્ષણો
ઇબોલા વાયરસના લક્ષણો ઘણી હદ સુધી કોરોના વાયરસ જેવા જ હોય છે. તેમાં તાવ, નબળાઈ, ઉલ્ટી, માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. જેના કારણે ઘણા લોકો તેને સામાન્ય ફ્લૂ સમજી લેવાની ભૂલ કરી બેસે છે.

21 દિવસ સુધી નજર રાખવાની અપીલ
મુસાફરોને અપીલ કરવામાં આવી રહી છે કે અસરગ્રસ્ત દેશોમાંથી પરત ફર્યા બાદ 21 દિવસની અંદર જો ઉપર જણાવેલા કોઈપણ લક્ષણો દેખાય, તો તરત જ આરોગ્ય વિભાગને જાણ કરવી. જેથી આવા કેસમાં તાત્કાલિક સારવાર આપી શકાય અને બીમારીના ફેલાવાને રોકી શકાય.

સુરત ચેમ્બર્સની આ વખતની ચૂંટણી વેરનાં બીજ રોપશે, રાજેન્દ્ર ચોખાવાળાનો ‌વિશ્વાસનો રથ નીચે આવી ગયો

  • ઉમેદવારની સર્વાનુમતે પસંદગી કરવાનાં નામે પૂર્વ પ્રમુખોના ટોળાએ આચરેલી ભૂ‌મિકા શંકાના ઘેરામાં, ઉદ્યોગજગતે અ‌વિશ્વાસનો આંચકો અનુભવ્યો
  • દર વર્ષે ચૂંટણી લગભગ ‌બિનહરીફ યોજાતી આવી છે અને વખતોવખત ‌વિશ્વાસનું પાલન પણ કરાય છે પરંતુ આ વખતે અપાયેલો ‌વિશ્વાસ, પ્રો‌મિસનું સરેઆમ નીલામ કરવામાં આવ્યું
  • પૂર્વ પ્રમુખોની ક‌મિ‌ટીની કોઇ જ કાયદેસરતા નથી, પરંતુ સમાધાનકારી ઉકેલ લાવવાની ભૂ‌મિકા ભજવે છે. વળી, મહાજનોની સંસ્થા માટે આ વ્યાજબી પણ છે પરંતુ આ વખતે પંચમાં બેઠેલા લોકોએ જ ‌વિશ્વાસની પરંપરાની કાળો ધબ્બો લગાડ્યો
  • ચેમ્બરની ચૂંટણીમાં ખરેખર ચાર ઉમેદવારો સ્પર્ધામાં હતા પરંતુ પૂર્વ પ્રમુખોની ફોરમે માત્ર બે જ ઉમેદવારો ‌મિતીશ મોદી અને ર‌વિરાજ દેસાઇને બોલાવીને ‌મિતીશ મોદીને દરવાજો દેખાડી દીધો
  • પૂર્વ પ્રમુખોની બેઠકમાં ઉમેદવારની પસંદગી કરવા મતદાન યોજવામાં આવ્યંુ પરંતુ કોને કેટલા મત મળ્યા એ જાહેર કર્યા વગર જ ‌મિતીશ મોદીને ‌રિજેક્ટ કરી દીધા! બેઠક ખરેખર પારદર્શી હતી તો મતદાનની ‌વિગતો કેમ જાહેર કરવામાં આવી નહીં?
  • નવાઇની વાત તો એ પણ છે કે પૂર્વ પ્રમુખોના ભરોસે આપેલ ઉમેદવારી પરત ખેંચતા ‘‌વિડ્રોઅલ’ લેટર પણ ‌મિતીશ મોદીના માંગવા છતાં પરત કર્યા વગર ચૂંટણી સ‌મિ‌‌તિને સુપ્રત કરીને તેમની ઉમેદવારી રદ્ કરાવી દીધી

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આ ‍વર્ષની ચૂંટણી અનેક ‌વિવાદો કરતા સતત અન્યાય અને ‌વિશ્વાસઘાતથી ભરેલી છે. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો લગભગ દર વર્ષે કોણ નવો પ્રે‌સિડેન્ટ બનશે એ નક્કી કરતા આવ્યા છે. કોઇપણ સંસ્થામાં ચૂંટણી રોકવી અને સમાધાન એટલે સર્વસંમ‌ત્તિથી નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવે એ આવકાર્ય છે. ચેમ્બર્સની ચાલી આવતી પરંપરા મુજબ પૂર્વ પ્રમુખોનું જૂથ એટલે કે ક‌મિ‌ટી ઉમેદવારોને સાંભળીને કોને ચૂંટણી લડાવવી કે ‌બિનહરીફ વરણી કરવી એ નક્કી કરતા આવ્યા છે અને અપવાદરૂપ ઘટના બાદ કરતા અત્યાર સુધી સર્વસંમ‌ત્તિ સાધવા સાથે હોદ્દેદારોની ‌બિનહરીફ ‌નિમણૂંકો થતી આવી છે. દરેકને તેની લાયકાત, ‌સિ‌નિયો‌‌િરટી પ્રમાણે હોદ્દાઓ મળતા આવ્યા છે. પૂર્વ પ્રમુખોના ‌નિર્ણય સામે ક્યારેય પણ બળવો કરવાની ઘટના બનવા પામી નથી.

પરંતુ આ વખતે પૂર્વ પ્રમુખોએ કરેલો પક્ષપાત સ્પષ્ટ ઉઘાડો પડી ગયો હતો. પૂર્વ પ્રમુખનો ‌નિર્ણય એ બંધારણીય ‌નિર્ણય નથી પરંતુ એક એવી છાપ ઊભી કરવામાં આવી છે કે પૂર્વ પ્રમુખોના ‌નિર્ણયને ઉથલાવી શકવાનું શક્ય જ નથી કારણ કે પૂર્વ પ્રમુખની જડ છેક નીચે સુધી એટલી હદે મજબૂત કરવામાં આવી છે કે નાફરમાની કરીને દાવેદારી કરનારને ‘ભોં’ માં ભંડારી દેવામાં આવે છે. મતલબ નાફરમાની કરનારનું જીતવાનું શક્ય જ નથી. બીજા અર્થમાં કહીએ તો ચેમ્બર ઓફ કોમર્સના કારભારમાં સત્તાની બહાર રહીને પણ પૂર્વ પ્રમુખો પોતાનું ધાર્યું કરાવી શકે છે.

વળી પૂર્વ પ્રમુખોની ફોરમે એટલી સજ્જડ વ્યવસ્થા ગોઠવી છે કે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને પૂર્વ પ્રમુખોનું ફોરમ સાંભળતા પહેલા ઉમેદવારો પાસેથી સૌથી પહેલા ઉમેદવારી પરત ખેંચી રહ્યા હોવાનો ‘‌વિડ્રોઅલ’ પત્ર પહેલા લખાવી લેવામાં આવે છે અને પછી જ પૂર્વ પ્રમુખો પોતાનો ‌નિર્ણય જાહેર કરે છે. મતલબ ઉમેદવાર ‘‌વિડ્રોઅલ’ પત્ર આપીને પૂર્વ પ્રમુખોના શરણે થઇ જાય છે અને ત્યાર બાદ પૂર્વ પ્રમુખો નક્કી કરે છે કે કોણ નવો પ્રમુખ બનશે? પરંતુ અત્યાર સુધીની મોટાભાગની ઘટનાઓમાં પૂર્વ પ્રમુખોનો ‌નિર્ણય ન્યાયના દાયરામાં કરાતો હતો અને ચૂંટણીમાં ખસી જનાર ઉમેદવારોને આપવામાં આવેલા વચનો, ખાતરીઓનું પાલન કરવામાં આવતું હતું. આ પરંપરા આજકાલથી નહીં વર્ષોથી ચાલી આવે છે.

પૂર્વ પ્રમુખોના ફોરમની કોઇ બંધારણીય કાયદેસરતા નથી. તેમ છતાં આ ફોરમનો ‌નિર્ણય સર્વમાન્ય રાખવામાં આવે છે અને શક્ય હોય ત્યાં સુધી મતદાનની પ્ર‌ક્રિયા એટલે ચૂંટણી ટાળવામાં આવે છે. પરંતુ આ વખતે પૂર્વ પ્રમુખોએ કરેલો પક્ષપાત સ્પષ્ટ દેખાઇ આવતો હતો. વળી, પૂર્વ પ્રમુખોના હાજર રહેલા ૨૨ સભ્યોએ વોટીંગ કરીને ‌નિર્ણય કર્યો હતો. પરંતુ ‌નિર્ણય જાહેર કરાયા વગર જ ઉમેદવાર જાહેર કરી દેવાયો હતો! કોને કેટલા મત મળ્યા એ જાણવાનો બધાને લોકશાહી શાસનમાં દરેકને અ‌ધિકાર છે પરંતુ ક‌‌મિ‌ટી સભ્યોએ મતોની ‌વિગતો જાહેર કર્યા વગર જ બધાને જ અંધારામાં રાખીને પોતાને ગમતો ઉમેદવાર પસંદ કરી દીધો. પૂર્વ પ્રમુખની આ હરકત સામે સુરતની ઉદ્યોગ આલમે ભારે આંચકો અનુભવ્યો હતો અને સુરત ચેમ્બર્સની ચૂંટણી પૂર્વ પ્રમુખોની દાદાગીરીથી ઉમેદવાર ઠોકી બેસાડયો હતો.વાત અ‌હિંયાથી પૂરી થતી નથી. નાપસંદ કરાયેલ ઉમેદવારને ‘‌વિડ્રોઅલ’ નો પત્ર પણ પરત કર્યો નહોતો અને તેમની ઉમેદવારીને દફતરે કરી દીધી હતી!

ખેર, મૂળ વાત એ હતી કે ગત વર્ષની ચૂંટણી વખતે કેટલાક સમાધાન થયા હતા અને સમજૂતીના ભાગરૂપે સી.એ.‌મિતીશ મોદીએ ચૂંટણી લડવાનું માંડી વાળ્યું હતું અને રાજેન્દ્ર ચોખાવાલા સ‌હિત પૂર્વ પ્રમુખોની સમજાવટ ‌શિરોમાન્ય રાખીને પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને ‌નિ‌ખિલ મદ્રાસીના પ્રમુખપદ માટે માર્ગ મોકળો કરી આપવા ઉપરાંત આખું વર્ષ ટ્રેઝરર તરીકેની પ્રસંશ‌નિય ફરજ બજાવી હતી. રાજેન્દ્ર ચોખાવાલા સ‌હિત અન્ય અગ્રણીઓ ‌મિતીશ મોદીને વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઉપપ્રમ‌ુખ બનાવવાનો ‌વિશ્વાસ અપાવ્યો હતો. અલબત્ત ખૂબ જ અભ્યાસુ અને સી.એ.તરીકેનો અઢી દાયકાનો અનુભ‍વ ધરાવતા ‌મિ‌તીશ મોદી ચેમ્બરના ઉપપ્રમુખ માટે ખરેખર લાયક ઉમેદવાર હતા જ ઉપરાંત રાજેન્દ્ર ચોખાવાલાની પણ તેમને સમર્થન આપવાની નૈૈ‌તિક ફરજ હતી અને એકમાત્ર રાજેન્દ્ર ચોખાવાલાના કહેવાથી તેમણે ઉમેદવારી પરત ખેંચવાનો પત્ર ચેમ્બરને નહી પરંતુ રાજેન્દ્ર ચોખાવાલાના હાથમાં મૂક્યો હતો. ‘કોરા ચેક’ જેવો ‌વિડ્રોઅલ પત્ર રાજેન્દ્ર ચોખાવાલાના હાથમાં મૂકીને ‌મિતીશ મોદીએ ‌વિશ્વાસ સાથે ભૂલ કરી હતી. જોકે ‌નિયમ મુજબ કોઇ ત્રીજી વ્ય‌ક્તિ કોઇનો ‌‌વિડ્રોઅલ પત્ર આપે એટલે ઉમેદવારી રદ થઇ શકતી નથી પરંતુ ચેમ્બરના કારભારીઓ પણ મનઘડંત અર્થઘટન કરીને રાજેન્દ્ર ચોખાવાલા સ‌હિત અન્ય પૂર્વ પ્રમુખોએ ‌મિ‌‌તીશ મોદીનો ઉમેદવારી પત્ર ચેમ્બરમાં જમા કરાવીને ‌મિતીશ મોદીની ઉમેદવારી દફતરે કરાવી દીધી હતી!

બીજી વાસ્ત‌વિકતાએ પણ છે કે ચેમ્બર ઓફ કોમર્સ કોઇ જ રજીસ્ટર્ડ સંસ્થા નથી. અ‌હિંયા કરાતી આ‌ર્થિક, સામા‌જિક, ઔદ્યો‌ગિક પ્રગ‌તિની કોઇ જ કાયદેસરતા નથી. મતલબ ચેમ્બરની ચૂંટણીની ખરેખર કાયદેસરતા નથી પરંતુ ઉદ્યોગકારો, વેપારીઓનું સંગઠન હોવાથી એકબીજાના સહકારથી બધું ચાલ્યા કરે છે.ખેર, મૂળ વાત ઉપર આવીએ તો આ વખતે ઉપ્રમુખપદ માટે ચાર ઉમેદવારોના ‌મિતીશ મોદી, ર‌વિરાજ દેસાઇ, ‌મ‌નિષ કાપ‌‌િડયા અને ‌નિતીન ભરૂચા મેદાનમાં હતા.

આ પૈકી ‌મ‌નિષ કાપ‌‌િડયા અને ની‌તિન ભરૂચાને ચેમ્બરના કારભારીઓએ બોલાવ્યા પણ નહોતા. માત્ર ર‌વિરાજ દેસાઇ અને ‌મિ‌‌તીશ મોદીના ઉમેદવારી પરત ખંેચતા ‘‌વિડ્રોઅલ’ પત્રો લઇને પૂર્વ પ્રમુખોની બેઠકમાં બોલાવ્યા હતા. આ બેઠકમાં ગણીને ૨૪ પૂર્વ પ્રમુખો હાજર હતા.વળી ચેમ્બરના કારભારીઓની દાનત ખરેખર સર્વાનુમતે ઉમેદવાર પસંદ કરવાની હતી જ તો અન્ય ઉમેદવારો ‌મ‌નિષ કાપ‌ડિયા અને ‌નિતીન ભરૂચાને કેમ બોલાવવામાં આવ્યા નહીં? આ પણ મહત્વનો પ્રશ્ન છે. પરંતુ ચેમ્બરના કારભારીઓને ખાતરી હતી કે એકમાત્ર ‌‌મિતીશ મોદી ઉપપ્રમુખપદ માટે સક્ષમ ઉમેદવાર હતા અને ‌મિતીશ મોદીનો કાંટો કાઢવા માટે પૂર્વ પ્રમુખોનું ફોરમ હાથવગું સાધન હતું.

ઉમેદવારની મતદાન કરીને પસંદગી કરવાની વાત આવતા પૂર્વ પ્રમુખ ‌નિલેશ માંડલેવાલા અને રો‌હિત મહેતા બેઠક છોડીને જતા રહ્યા હતા કારણ કે આ બન્ને અગ્રણીઓ સર્વાનુમતના આગ્રહી હતા. વળી સમાધાન કરવા માટે એકઠા થયેલા આગેવાનો મતદાનની વાત કરે એ પણ કેટલા અંશે વ્યાજબી ગણી શકાય પરંતુ આગોતરો ‌નિર્ણય કરીને બેઠેલા લોકોએ મતદાન કરીને આખો ખેલ પાડી દીધો હતો અને ‌મિતીશ મોદીને બાજુમાં ધકેલીને ર‌વિરાજ દેસાઇની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી!

નવાઇની વાત તો એ છે કે ગણીને ભેગા થયેલા ૨૨ પૂર્વ પ્રમુખોએ કરેલા મતદાનની ‌વિગતો પણ જાહેર કરવામાં આવી નહોતી! લોકશાહીને વરેલા ભારત દેશના રાષ્ટ્રપ‌તિની ચૂંટણીનાં મતદાનની ‌વિગતો જાહેર કરવામાં આવતી હોય તો સુરત ચેમ્બર કઇ મોટી આંતરરાષ્ટ્રીય કે જાસૂસી સંસ્થા છે કે જેના મતદાનની ‌વિગતો છુપાવવામાં આવી રહી છે. મતલબ ચેમ્બરના પૂર્વ પ્રમુખોની નૈ‌તિકતા સામે જ સવાલ ઉઠી રહ્યા છે અને કોઇ પાપ છુપાવવા માટે આખી ‌વિગતો છુપાવવામાં આવી રહી છે, એવું ‌ચિત્ર ઉભરી રહ્યું છે.

આ બધાની વચ્ચે સુરત શહેરના જાહેર જીવનમાં મુઠ્ઠી ઉંચેરું અને આદરપાત્ર સ્થાન ધરાવતા રાજેન્દ્ર ચોખાવાલાની તટસ્થતા અને પારદ‌‌ર્શિતા સામે આંગળી ઉઠી રહી છે. ‌મિતીશ મોદીનું જે થવાનું હશે તે થશે પરંતુ રાજેન્દ્ર ચોખાવાળાનો ‌વિશ્વાસનો રથ નીચે આવી ગયો છે. રાજેન્દ્ર ચોખાવાળાની કોઇક મજબૂરી હતી તો તેમણે સમગ્ર પ્ર‌ક્રિયાથી દૂર રહેવાની જરૂર હતી પરંતુ ન્યાયની ખુરશીમાં બેસીને અન્યાય કરવાથી લોકો રાજેન્દ્ર ચોખાવાળાની નૈ‌તિકતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ‘રાજેન્દ્ર ચોખાવાળાઅે આવું કર્યું?’ કારણ કે પાછલા વર્ષની ચૂંટણી વખતે રાજેન્દ્ર ચોખાવાલાના કહેવાથી જ ‌મિતીશ મોદી ચૂંટણીની સ્પર્ધામાંથી દૂર થઇ ગયા હતા.

ખેર, હવે એક વાત ચોક્કસ પુરવાર થઇ ચૂકી છે કે, મહારાજનોની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સમાં પણ ‘ઉજળું એટલું દૂધ નથી.’ કોઇક ખૂણામાં ચોક્કસ કાળુધોળુ થતું હશે એવી શંકા કરવાના કારણો મળી રહ્યા છે. આમ પણ ચેમ્બર્સની મા‌લિકીનાં ગણાતાં ‘ટ્રસ્ટ’નાં વહેવારો સામે પણ લોકોને હવે શંકા કરવાને સ્થાન મળશે. ચેમ્બરના ઉપપ્રમુખની એક નાનકડી ચૂંટણીમાં રોપાયેલા ‘વેર’ અને ‘અન્યાયનાં બીજ’ ભ‌વિષ્યમાં કાંટા બનીને પણ ભોંકાઇ શકવાનો ભય દેખાઇ રહ્યો છે.

બેન્કિંગમાં કરિયર બનાવવાની સુવર્ણ તક: SBI અને BOBમાં 12 હજારથી વધુ ભરતી

0

બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે મોટી તક સામે આવી છે. ખાસ કરીને નવા ઉમેદવારો માટે એપ્રેન્ટિસશીપ એક ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે, જ્યાં બેન્કિંગ ક્ષેત્રનું પ્રેક્ટિકલ જ્ઞાન અને અનુભવ મળે છે. તાજેતરમાં State Bank of India અને Bank of Baroda દ્વારા 12 હજારથી વધુ એપ્રેન્ટિસ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

શું છે બેન્ક એપ્રેન્ટિસશીપ?
બેન્ક એપ્રેન્ટિસશીપ એક પ્રકારનો તાલીમ કાર્યક્રમ છે, જેમાં પસંદ કરાયેલા ઉમેદવારોને બેન્કિંગ સંબંધિત વિવિધ કાર્યો શીખવવામાં આવે છે. આ કોઈ કાયમી નોકરી નથી, પરંતુ બેન્કિંગ સિસ્ટમની મૂળભૂત સમજ મેળવવા માટેનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે. તાલીમ દરમિયાન ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી, ખાતા સંબંધિત કામગીરી, ગ્રાહકો સાથે વાતચીત અને બેન્કની આંતરિક પ્રક્રિયાઓ અંગે પ્રેક્ટિકલ અનુભવ મળે છે.

એપ્રેન્ટિસ તરીકે શું કામ કરવું પડે?
એપ્રેન્ટિસ તરીકે પસંદગી થયા બાદ ઉમેદવારોને ગ્રાહકોને ખાતું ખોલવામાં મદદ કરવી, ફોર્મ ભરાવવું, દસ્તાવેજોની ચકાસણી કરવી અને બેન્કિંગ પ્રક્રિયામાં સહયોગ આપવો પડે છે. ઉપરાંત રોકડ કાઉન્ટર, ટોકન સિસ્ટમ, KYC પ્રક્રિયા, ડેટા એન્ટ્રી અને ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમની મૂળભૂત કામગીરી અંગે પણ તાલીમ આપવામાં આવે છે. ગ્રાહક સેવા સંબંધિત પ્રશ્નોના જવાબ આપવાનું કામ પણ એપ્રેન્ટિસની ફરજોમાં સામેલ હોય છે.

પાત્રતા અને પસંદગી પ્રક્રિયા
બેન્ક એપ્રેન્ટિસશીપ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. સામાન્ય રીતે અગાઉના કામના અનુભવની જરૂર પડતી નથી. ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

કેટલો મળશે પગાર?
એપ્રેન્ટિસશીપ દરમિયાન ઉમેદવારોને દર મહિને સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. સામાન્ય રીતે બેન્ક દ્વારા દર મહિને આશરે ₹15,000 સુધીનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. જોકે અન્ય કોઈ ભથ્થું કે સુવિધા આપવામાં આવતી નથી. બેન્કની જરૂરિયાત અને શાખાના સ્થાન મુજબ સ્ટાઈપેન્ડમાં ફેરફાર થઈ શકે છે.

BOB એપ્રેન્ટિસ ભરતી 2026
Bank of Baroda દ્વારા 5,000 એપ્રેન્ટિસ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો NAPS અને NATS પોર્ટલ મારફતે અરજી કરી શકે છે.

  • ખાલી જગ્યાઓ : 5000
  • તાલીમ સમયગાળો : 12 મહિના
  • વય મર્યાદા : 20 થી 28 વર્ષ
  • અરજી શરૂ : 19 મે 2026
  • છેલ્લી તારીખ : 8 જૂન 2026

SBI એપ્રેન્ટિસ ભરતી 2026

State Bank of India એ પણ 7,150 એપ્રેન્ટિસ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. હાલમાં ટૂંકી સૂચના બહાર પાડવામાં આવી છે અને ટૂંક સમયમાં વિગતવાર નોટિફિકેશન જાહેર થશે.

  • ખાલી જગ્યાઓ : 7150
  • તાલીમ સમયગાળો : 1 વર્ષ
  • ઓનલાઈન અરજી શરૂ : 19 મે 2026
  • છેલ્લી તારીખ : 8 જૂન 2026

આ રીતે થશે પસંદગી
એપ્રેન્ટિસશીપ માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી અને સ્થાનિક ભાષા પરીક્ષણના આધારે કરવામાં આવશે. કેટલીક બેન્કો મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયા પણ અપનાવે છે, જેના વિશેની સંપૂર્ણ માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવશે.

ઉત્તર ભારતમાં ગરમીનો હાહાકાર: બાંદા બન્યું એશિયાનું સૌથી ગરમ શહેર, 48.2 ડિગ્રીથી દુનિયા ચોંકી

0

ઉત્તર ભારતમાં તીવ્ર ગરમી અને હીટવેવનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશનો બાંદા જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે. મંગળવારે સતત ત્રીજા દિવસે બાંદા માત્ર એશિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી ગરમ શહેર તરીકે સામે આવ્યું, જ્યાં મહત્તમ તાપમાન 48.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નોંધનીય છે કે બાંદામાં આટલું ઊંચું તાપમાન અગાઉ માત્ર બે જ વખત નોંધાયું છે. મે 2019માં અહીં 48.1 ડિગ્રી અને વર્ષ 2022માં 49 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દેશભરમાં ગરમીની સ્થિતિ ગંભીર બની રહી છે. મધ્યપ્રદેશનું નૌગાંવ તાપમાનની દ્રષ્ટિએ બીજા ક્રમે રહ્યું, જ્યારે હરિયાણાનું રોહતક ત્રીજા ક્રમે રહ્યું હતું. ઉત્તર પ્રદેશમાં આગ્રા અને ઝાંસી બંને જિલ્લામાં 46.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી પાંચથી છ દિવસ સુધી પશ્ચિમથી પૂર્વ ભારત સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની સંભાવના નથી.

ભીષણ ગરમી વચ્ચે ઉત્તર પ્રદેશના 60થી વધુ જિલ્લાઓ માટે હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. AQI.in દ્વારા જાહેર કરાયેલા લાઈવ ગ્લોબલ ટેમ્પરેચર રેન્કિંગ મુજબ વિશ્વના સૌથી ગરમ 100 શહેરોમાં હાલ તમામ શહેરો ભારતના છે. તેમાં બાંદા, નૌગાંવ, રોહતક, આગ્રા, ઝાંસી, દિલ્હી, ગુડગાંવ, ફરીદાબાદ, ચંડીગઢ અને વારાણસી જેવા શહેરોનો સમાવેશ થાય છે.

હવામાનશાસ્ત્રી મોહમ્મદ દાનિશના જણાવ્યા અનુસાર બુંદેલખંડ વિસ્તારમાં હીટવેવની અસર સૌથી વધુ છે. બાંદા અને આસપાસના જિલ્લાઓમાં સ્થિતિ એવી છે કે જાણે આકાશમાંથી આગ વરસી રહી હોય. બુધવાર અને ગુરુવાર માટે બાંદા, ફતેહપુર, આગ્રા, ફિરોઝાબાદ, ઇટાવા, જાલૌન, હમીરપુર, મહોબા અને ઝાંસી સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તે ઉપરાંત ચિત્રકૂટ, કૌશાંબી, પ્રયાગરાજ, પ્રતાપગઢ, વારાણસી, સંત રવિદાસ નગર, જૌનપુર, ગાઝીપુર, બલિયા, કાનપુર દેહાત, કાનપુર નગર, રાયબરેલી અને ઔરૈયા સહિતના વિસ્તારોમાં પણ ગરમીને લઈ ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજ પણ છેલ્લા ત્રણથી ચાર દિવસથી તીવ્ર ગરમીની લહેરનો સામનો કરી રહ્યું છે. સોમવારે જિલ્લામાં દિવસનું તાપમાન 44.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જ્યારે મંગળવારે 45.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં લગભગ ચાર ડિગ્રી સેલ્સિયસ વધારે છે.

ખરેખર, પશ્ચિમી વિક્ષેપના નબળા પડવાથી ઉત્તર ભારતમાં સૂકા અને ગરમ પવનોની અસરમાં નોંધપાત્ર વધારો થયો છે. આને કારણે, રાજ્યમાં ગરમીની સ્થિતિ વધુને વધુ તીવ્ર બની રહી છે. રાત્રે પણ ગરમીની અસર અનુભવાઈ રહી છે. એક ડઝનથી વધુ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ પહોંચી ગયું છે. હાલમાં, આ અઠવાડિયે રાહતની કોઈ આશા નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની Melody ગિફ્ટથી ફરી ચર્ચામાં આવી Parle કંપની

0

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીની વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીનો એક વીડિયો મીડિયા પર ખૂબ જ તૈયાર છે. આ વીડિયો મેલનીએ પોતાના સામાજિક મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. વીડિયોમાં પીએમ મોદી ઇટાલીની વડાપ્રધાન મેલોડી ચોકલેટ ગિફ્ટમાં જોવા મળે છે. હવે લોકો આ ચોખ્ખું લખે છે અને તેના વિશે વાતની બનાવટની શરૂઆત છે.

પારલે પ્રોડક્ટ્સ બનાવે છે મેલોડી ચોકલેટ
પાર્લે પ્રોડક્ટ્સ દેશની સ્થાપના બિસ્કિટ અને કન્ફેક્શનરી બનાવતી કંપની છે. મેલોડી ચોકલેટ વધારા કંપની પાર્લે-જી, ક્રેકજેક અને મોનાકો જેવા લોકપ્રિય બિસ્કિટ પણ બનાવે છે. કંપનીની શરૂઆત વર્ષ 1929માં હતી અને આજે તે દેશની સૌથી મોટી ફૂડ એવોર્ડની એક જાહેરાત આવે છે.

‘હાઉસ ઓફ પારલે’થી થઈ હતી શરૂઆત
Parle Productsની મૂળ કંપની ‘હાઉસ ઓફ પારલે’ હતી, જેની સ્થાપના વર્ષ 1929માં મોહનલાલ દયાલ ચૌહાણે કરી હતી. શરૂઆતમાં કંપની મીઠાઈ અને કેન્ડી બનાવતી હતી. કંપનીની પ્રથમ કન્ફેક્શનરી ફેક્ટરી માત્ર 12 લોકો સાથે શરૂ થઈ હતી, જેમાં પરિવારના સભ્યો જ કામ કરતા હતા. આ ફેક્ટરી મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં આવેલી હતી અને એ જ વિસ્તારના નામ પરથી કંપનીનું નામ ‘પારલે’ રાખવામાં આવ્યું હતું. કંપનીનું પ્રથમ પ્રોડક્ટ ઓરેન્જ કેન્ડી હતું.

જર્મનીથી મશીનરી લાવી શરૂ કર્યો બિઝનેસ
મોહનલાલ ચૌહાણ કન્ફેક્શનરી બનાવવાની કળા શીખવા માટે જર્મની ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેઓ જરૂરી મશીનરી પણ લઈને આવ્યા હતા, જે તેમણે આશરે 60 હજાર રૂપિયામાં આયાત કરી હતી. વર્ષ 1938માં કંપનીએ પોતાનું પ્રથમ બિસ્કિટ ‘Parle Gluco’ લોન્ચ કર્યું, જે બાદમાં Parle-G તરીકે જાણીતું બન્યું. Parle-G ઘણા વર્ષો સુધી ભારતનું સૌથી વધુ વેચાતું બિસ્કિટ રહ્યું હતું.

Melody સહિત અનેક લોકપ્રિય બ્રાન્ડ લોન્ચ કરી
વર્ષ 1972 માં કંપનીએ CrackJack લોન્ચ કર્યું હતું, જ્યારે 1983 માં ચોકલેટી મેલોડી માર્કેટ આવી હતી. પ્રથમ 1986માં મેંગો બાઈટ લોન્ચ કરવામાં આવી, જે ભારતની પ્રથમ હું ગો કેન્ડી ગણાય છે. કંપનીએ આગળ છુપાવો અને શોધો, 20-20 કૂકીઝ અને મેજીક્સ જેવી વિવિધ પ્રોડક્ટ્સ પણ બહાર નીકળી હતી.

પારલેનો ઈતિહાસ અને વિકાસ
પારલે પ્રોડક્ટ્સની શરૂઆત 1929માં થઈ હતી. વર્ષ 1938માં પાર્લે ગ્લુકો લોન્ચ, જે બાદમાં પાર્લે-જી તરીકે ઓળખપત્ર તરીકે ઓળખાય છે. કંપનીએ 1972માં ક્રેકજેક અને 1983માં મેલોડી લોન્ચ કરી હતી. આજે કંપનીનું સંચાલન ચૌહાણ પરિવારના વિજય ચૌહાણ, શરદ ચૌહાણ અને રાજ ચૌહાણ વિકાસી છે. વર્ષ 2025 માં કંપનીનું રેવન્યુ 8.5 ટકાના વધારા સાથે 15,568.49 રુપિયાનું રહ્યું હતું.

કોણ છે Parle કંપનીના માલિક?
સમયાંતરે ‘હાઉસ’ ત્રણ અલગ અલગ અલગમાં જાહેરમાં ગઈકાલે હતી — પારલે પ્રોડક્ટ્સ, પારલે એગ્રો અને પારલે બિસ્લેરી. જોકે મેલોડીના ગુણો પાર્લે પ્રોડક્ટ્સ પાસે રહી. હાલમાં કંપનીનું સંચાલન વિજય ચૌહાણ, શરદ ચૌહાણ રાજ ચૌહાણ કરે છે. બર્બ્સ પાર્ટી વિજય વિજય અને તેમના પરિવારની કુલ સંપત્તિ. 8 અબજ, સત્તા છે, ગુજરો છે કારણ કે તેઓ સૌથી વધુ ધનિક પરિવારોમાં આશા રાખે છે.

કંપનીની કમાણી અને માર્કેટ વેલ્યુ
ફાઈનાન્શિયલ એર 2025 દરમિયાન પાર્લે પ્રોડક્ટ્સનું રેવન્યુ 8.5 ટકા વધારા સાથે 15,568.49 ડોલર સુધીનું થયું હતું. આ દરમિયાન કંપનીને 979.53 કરોડનો નફો થયો હતો. ભારત કન્ફેક્શનરી માર્કેટમાં કંપનીની 15 ટકા હિસ્સેદારી છે. કંપનીની બજારિત માર્કેટ વેલ્યુ 8 થી 10 અબજ રૂપિયા વચ્ચે છે. જો કે, કંપની અલગ-અલગ આનંદી સન્માન કમાણી જાહેર કરતું નથી, પરંતુ કન્ફેક્શનરીવિઝનની કેનેશનમાં મેલોડીનું સૌથી વધુ યોગદાન સન્માન આવે છે.

CBIની મોટી કાર્યવાહી: 50 લાખની લાંચ કેસમાં ભારતીય સેનાના કર્નલની ધરપકડ

0

કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ મોટી કાર્યવાહી કરતાં ભારતીય સેનાના કર્નલ હિમાંશુ બાલીની ધરપકડ કરી છે. તેમના પર 50 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. હિમાંશુ બાલી આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ, ઈસ્ટર્ન કમાન્ડ, ફોર્ટ વિલિયમ્સ, કોલકાતામાં કર્નલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. લાંચ કેસમાં FIR નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સેના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો આરોપ
CBIએ સેનાના ટેન્ડરોમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને લાંચખોરી મામલે FIR નોંધાવી હતી. આ કેસમાં કર્નલ હિમાંશુ બાલી સહિત અનેક લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. FIR મુજબ, કાનપુર સ્થિત કંપની Eastern Global Limitedના સંચાલકો પર સેનાના ટેન્ડર મેળવવા માટે લાંચ આપવાનો આરોપ છે. તપાસ એજન્સી મુજબ કંપનીને ગેરરીતિથી અનેક ટેન્ડરોમાં લાભ અપાવવામાં આવ્યો હતો.

CBIના જણાવ્યા અનુસાર, કર્નલ હિમાંશુ બાલી તે સમયે ઈસ્ટર્ન કમાન્ડ, ફોર્ટ વિલિયમ, કોલકાતામાં તૈનાત હતા. તેમના પર ટેન્ડર અપાવવા, નીચી ગુણવત્તાવાળા સેમ્પલ પાસ કરવા અને વધારેલા બિલ ક્લિયર કરાવવા બદલ લાંચ લેવાનો આરોપ છે.

FIRમાં દાવો કરવામાં આવ્યો છે કે માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન એક મોટા ટેન્ડર માટે લાંચ લેવામાં આવી હતી અને કંપનીને ફાયદો અપાયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 22 એપ્રિલ 2026ના રોજ કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં કર્નલ બાલી અને કંપનીના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી. ત્યારબાદ માત્ર બે દિવસમાં એટલે કે 24 એપ્રિલે સંબંધિત ટેન્ડર કંપનીને મળી ગયું હતું.

CBIએ આરોપ લગાવ્યો છે કે 16 મે 2026ના રોજ કર્નલ બાલીએ લાંચની બાકી રકમની માંગ કરી હતી. આશરે 50 લાખ રૂપિયા હવાલા મારફતે દિલ્હી-NCR પહોંચાડવાની તૈયારી ચાલી રહી હતી. આ કેસમાં અક્ષત અગ્રવાલ, મયંક અગ્રવાલ, આશુતોષ શુક્લા, નરેશ પાલ અને અન્ય અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. કેસ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61(2) હેઠળ નોંધાયો છે. સમગ્ર મામલાની તપાસ CBIના DSP સુનીલ કુમાર કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારથી ચાહકોમાં ચિંતા વધી

0

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં આવ્યા છે. મંગળવારે રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જોકે બાદમાં જાણવા મળ્યું કે તેઓ માત્ર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટે ચાહકોની ચિંતા વધારી દીધી છે.

‘પિલોરી-બડુંબા’ પોસ્ટ બાદ અટકળો તેજ
20 મેની સવારે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર “પિલોરી – બડુંબા” લખીને પોસ્ટ કરી હતી. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ અર્થ કાઢવા લાગ્યા હતા. ઘણા લોકોનું માનવું છે કે બિગ બી હેલિકોબેક્ટર પાયલોરી નામના બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા હોઈ શકે છે. આ પ્રકારના ઈન્ફેક્શનથી પેટના ઉપરના ભાગમાં દુખાવો અને અપચાની સમસ્યા સર્જાય છે. કેટલાક યુઝર્સે અનુમાન લગાવ્યું કે આ જ કારણસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હશે.

ચાહકોએ વ્યક્ત કરી ચિંતા
અમિતાભ બચ્ચનની પોસ્ટ બાદ ચાહકો સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારને સાચા ગણાવ્યા હતા, જ્યારે કેટલાકે તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એક યુઝરે લખ્યું કે “આશા છે કે તમને પાયલોરીની સમસ્યા નહીં હોય”, તો અન્ય એક ચાહકે તેમને આરામ કરવાની સલાહ આપતા લખ્યું કે “તમે બીમાર છો તો હવે આરામ કરો”. ઘણા લોકોએ “સર, તમારી તબિયત ઠીક છે ને?” જેવા પ્રશ્નો પણ પૂછ્યા હતા.

ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે બિગ બી
વર્કફ્રન્ટની વાત કરીએ તો 83 વર્ષીય અમિતાભ બચ્ચન હાલમાં કલ્કી 2898 એડીના સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તેઓ ટૂંક સમયમાં કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ “સેક્શન 84”માં પણ જોવા મળશે, જેનું નિર્દેશન રિભુ દાસગુપ્તા કરી રહ્યા છે. ગયા વર્ષે તેમણે લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિની 17મી સીઝન પૂર્ણ કરી હતી.

રાંચીમાં ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન: ઉડ્ડયન મંત્રીએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે આપ્યું મોટું અપડેટ

0

કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જરાપુ રામમોહન નાયડૂ બુધવારે તેમની પ્રથમ મુલાકાતે રાંચી પહોંચ્યા હતા. અહીં તેમણે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને લઈને દેશને સતર્ક રહેવાની સલાહ આપી હતી. મંત્રીએ જણાવ્યું કે હાલ ભારત માટે પરિસ્થિતિ ચિંતાજનક નથી, પરંતુ કોઈપણ સંભવિત અસરનો સામનો કરવા માટે તૈયાર રહેવું જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નાગરિક ઉડ્ડયન સહિત દરેક ક્ષેત્રે પોતાની જવાબદારી સમજવી પડશે. સામાન્ય નાગરિકો પર ઓછામાં ઓછી અસર પડે તે માટે અગાઉથી આયોજન કરવું જરૂરી છે. તેમણે વિભાગને ટૂંકાગાળાની અને લાંબા ગાળાની વ્યૂહરચના તૈયાર કરવાની સૂચના આપી છે.

વધતા હવાઈ ભાડા અંગે મંત્રીએ શું કહ્યું?
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વધી રહેલા હવાઈ ભાડા અંગે મંત્રીએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ઘરેલુ મુસાફરોને મોંઘા ભાડાથી બચાવવા માટે અનેક પગલાં લીધા છે. સરકારે વિમાન ઈંધણ (ATF)ના ભાવમાં ઘટાડો કર્યો છે. સાથે જ એરપોર્ટ પર વિમાનોની લેન્ડિંગ અને પાર્કિંગ ફી પણ ઓછી કરવામાં આવી છે. તાજેતરમાં દિલ્હી સરકારે પણ ATF પર લાગતો વેટ 25 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો છે. દેશમાં દરરોજ લગભગ પાંચ લાખ લોકો હવાઈ મુસાફરી કરે છે. સરકાર સતત ભાડાની સ્થિતિ પર નજર રાખી રહી છે. જો મુસાફરોની સંખ્યા વધશે તો વિમાનોની સંખ્યા અને કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે.

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે શું કહ્યું?
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે મંત્રીએ જણાવ્યું કે તપાસ પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં અનેક દેશોના મુસાફરો સામેલ હોવાથી આ આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસ છે. તેની અંતિમ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જે વૈશ્વિક ધોરણો મુજબ તૈયાર કરવામાં આવશે.

ઉડાન યાત્રી કેફેની શરૂઆત
રાંચી એરપોર્ટ પર મંત્રીએ મુસાફરો માટે ‘ઉડાન યાત્રી કેફે’ સહિત અનેક સુવિધાઓની શરૂઆત કરી હતી. આ પહેલનો મુખ્ય હેતુ મુસાફરોને સસ્તા દરે ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. તેમણે જણાવ્યું કે દેશના અનેક એરપોર્ટ પર આ પહેલ સફળ રહી છે અને સરકારનું લક્ષ્ય હવાઈ મુસાફરીને સામાન્ય લોકો માટે વધુ સરળ અને આરામદાયક બનાવવાનું છે. રાંચી પહોંચતા જ મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ એરપોર્ટથી કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ સાથે બાઈક પર પાછળ બેસીને રવાના થયા હતા.

ઝારખંડમાં હવાઈ સેવાઓના વિસ્તરણ પર ભાર
મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાંચીના બિરસા મુંડા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સાથે જોડવું સરકારની પ્રાથમિકતા છે. સાથે જ ઝારખંડના દુમકા, હજારીબાગ, ચાઇબાસા અને ડાલ્ટનગંજમાં પણ હવાઈ સેવા શરૂ કરવામાં આવશે. તેમણે માહિતી આપી કે દેશના તમામ એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કેફે’ શરૂ કરવામાં આવશે, જ્યાં મુસાફરોને સસ્તા દરે ખાણીપીણીની વસ્તુઓ મળશે. ઉપરાંત ‘ઉડાન 2’ યોજના પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારનું લક્ષ્ય આગામી 10 વર્ષમાં દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાનું છે, જેથી સામાન્ય જનતા માટે હવાઈ મુસાફરી વધુ સુલભ બની શકે.

સુરતમાં રખડતા કૂતરાનો આતંક: માસૂમ બાળકને બચકું ભરી ગાલમાંથી માંસનો લોચો કાઢી નાખ્યો

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક દિવસેને દિવસે ભયાનક બનતો જઈ રહ્યો છે. લિંબાયત વિસ્તારમાં બાળકો પર થયેલા હુમલાના CCTV વીડિયો વાયરલ થયા બાદ 24 કલાકમાં જ પીપોદરા વિસ્તારમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક હડકાયા કૂતરાએ અઢી વર્ષના માસૂમ બાળક પર હુમલો કરી તેના ગાલ પર ગંભીર ઈજા પહોંચાડી છે.

સુરતના પીપોદરા ખાતે આવેલી એક ફેકટરીમાં મજૂરી કામ કરતા એક યુવકનો અઢી વર્ષનો દીકરો ફેક્ટરીની અંદર રૂમ પાસે રમતો હતો. તે વખતે એક હડકાયા કૂતરાએ હુમલો કરી દીધો હતો. કૂતરાએ બાળકના ગાલે એટલું ભયાનક બચકું ભર્યું હતું કે ત્યાંથી માસૂમનો માંસનો લોચો નીકળી ગયો હતો.

ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા અને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બાળકના ચહેરા પર ગંભીર ઈજા થતાં પરિવારજનોમાં ભય અને ચિંતા છવાઈ ગઈ હતી. જે કૂતરાએ હુમલો કર્યો તે હડકાયું હોવાની શંકા છે, જેના કારણે પરિવાર વધુ ભયમાં મુકાયો હતો.

સૂત્રો મુજબ, આ વર્ષે શહેરમાં ડોગ બાઈટના જાન્યુઆરીમાં 1148 કેસ, ફેબ્રુઆરીમાં 974 કેસ, માર્ચમાં 1136 કેસ, એપ્રિલમાં 1026 કેસ અને ચાલુ મહિને અત્યાર સુધીમાં 570થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા લિંબાયત વિસ્તારનો વીડિયો વાયરલ થયો હતો. અચાનક જ 3થી 4 હિંસક શ્વાન ભસતા-ભસતા ધસી આવ્યા હતા અને રમી રહેલા બાળકો પર હિચકારો હુમલો કર્યો હતો. કૂતરાઓને પોતાની તરફ આવતા જોઈ બાળકો જીવ બચાવવા ભાગ્યા હતા, પરંતુ એક હિંસક શ્વાન દોડીને આવ્યો હતો એક બાળકનો હાથ પકડી લીધો હતો.