Home Blog Page 84

નવસારીના નવા મેયર અશોક ધોરાજીયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન થયું હતું. જેના એક મહિના બાદ વિવિધ મહાનગરોના પદાધિકારીઓની નિમણૂક થઈ રહી છે. નવસારીના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી થઈ હતી. જ્યારે પ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલ ના નામ જાહેર કરાયા હતા.

કોણ છે અશોક ધોરાજીયા
અશોક ધોરાજીયાની નવસારી ભાજપ સંગઠન અને સ્થાનિક રાજકારણમાં મજબૂત પકડ છે. તેઓ સૌરાષ્ટ્રના પાટીદાર છે, તેમજ સી આર પાટીલના ખાસ માનવામાં આવે છે. અશોક ધોરાજીયા 1984માં ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય બન્યા હતા. 1990માં જિલ્લા મહામંત્રી બન્યા હતા. 1996માં અવિભાજિત વલસાડ જિલ્લાના પ્રમુખ બન્યા હતા. 2011માં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા હતા. આ ઉપરાંત જાણીતા વીરવાડી મંદિરના તેઓ છેલ્લા 21 વર્ષથી પ્રમુખ છે. આદિવાસી પટ્ટામાં ભાજપને વિજય બનાવવામાં તેમનો સિંહ ફાળો છે.

અશોક ધોરાજીયા નવસારી જીલ્લા ભાજપના સંગઠનમાં મહામંત્રી જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. નવસારી શહેર અને જીલ્લાના ભાજપના શાસન અને ચૂંટણી વ્યૂહરચનામાં તેમની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. રાજકારણ ઉપરાંત તેઓ નવસારીમાં વસતા સૌરાષ્ટ્ર પંથકના પાટીદાર સમાજ અને અન્ય સામાજિક સંગઠનોમાં પણ મોભી તરીકે સેવાઓ આપે છે. શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં તેઓ અવારનવાર અગ્રેસર રહે છે.

મધ્યપ્રદેશમાં મોટો અકસ્માત: નિર્માણાધીન કૂવો ધરાશાયી થતાં પાંચ મજૂરોના મોત

0

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના અજયગઢ જનપદ હેઠળ આવેલા બિહરપુરવા ગામના નયાપુરવામાં ખેતરમાં કૂવો ખોદવાની કામગીરી દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાંચ મજૂરોના મોત થયા છે. બિન્નૂ અહિરવારના ખેતરમાં છેલ્લા લગભગ 10 દિવસથી સાત મજૂરો કૂવો ખોદવાનું કામ કરી રહ્યા હતા. મંગળવારે સવારે લગભગ 11 વાગ્યે અચાનક માટી ધસી પડતાં સમગ્ર ઘટનાએ શોકનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

પન્ના જિલ્લાના જનસંપર્ક અધિકારીએ X પર માહિતી આપતા જણાવ્યું કે અજયગઢ વિકાસખંડની ગ્રામ પંચાયત બિહરપુરવાના નયાપુરવામાં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવી રહેલા કૂવાના નિર્માણ દરમિયાન માટી ધસી પડવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે। જ્યારે બે લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યા હતા.

માહિતી મુજબ, ખોદકામ દરમિયાન બે મજૂરો પાણી પીવા માટે ઉપર આવ્યા હતા ત્યારે અચાનક કૂવાના અંદરની માટી ધસી પડી હતી અને અંદર કામ કરી રહેલા મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અકસ્માતમાં દટાયેલા મજૂરોના નામ ચૂન્નુ યાદવ, રાજકુમાર યાદવ, આશીષ યાદવ અને ચુનવાદ પાલ હોવાનું જણાવાયું છે. રેસ્ક્યૂ દરમિયાન રાજકુમાર યાદવનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ

ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ, રાજસ્વ વિભાગ અને મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે, પરંતુ આ દુખદ ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક માહિતી મુજબ જ્યાં કૂવો ખોદાઈ રહ્યો હતો ત્યાંની માટી ખૂબ જ ભુરભુરી અને નબળી હતી. ટેક્નિકલ દ્રષ્ટિએ આવા સ્થળે ઊંડું ખોદકામ કરવું પહેલેથી જ જોખમી માનવામાં આવતું હતું અને આખરે એ જ બન્યું.

શું નિયમોની અવગણના થઈ?
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે આ ખોદકામ કયા આધાર પર કરવામાં આવી રહ્યું હતું? શું કૂવાનું ખોદકામ વ્યક્તિગત મંજૂરીથી કરવામાં આવી રહ્યું હતું કે પછી કોઈ સરકારી યોજના હેઠળ કામ ચાલી રહ્યું હતું? જો માટીની સ્થિતિ જોખમી હતી, તો શું કોઈ ટેક્નિકલ તપાસ અથવા સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું?

આ ઘટના માત્ર અકસ્માત નથી, પરંતુ સંભવિત બેદરકારી અને જવાબદારીનો મોટો મુદ્દો બની રહી છે. હવે લોકોની નજર પ્રશાસનિક તપાસ અને જવાબદારો સામે થનારી કાર્યવાહી પર ટકેલી છે.

અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મૃતક મહિલાની ઓળખ ગાંધીનગર જિલ્લાના રહેવાસી મેઘના પટેલ તરીકે થઈ છે.

મળતી માહિતી મુજબ, મેઘના પટેલ અમેરિકાના વર્જિનિયામાં એક દુકાનમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા હુમલાખોરે તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું.

ગુજરાતી મહિલાની અમેરિકામાં ગોળી મારી હત્યાની આ ઘટનાએ ગુજરાતીઓમાં ચિંતા ફેલાવી છે. વિદેશમાં વસતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓની સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે.

હાલ આ સમગ્ર મામલે અમેરિકાની સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલાખોર કોણ હતો અને હુમલા પાછળનું કારણ શું હતું તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રહેવાસી મેઘના પટેલના મોતના સમાચાર સામે આવતાં તેમના પરિવાર અને ઓળખીતાઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સરહદનું ઉલ્લંઘન કરતા અમેરિકી MQ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યો: ઈરાની સેનાનો દાવો

ઈરાને પોતાની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરવા બદલ અમેરિકાના MQ-9 રીપર ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે. ઈરાની સેનાના જણાવ્યા મુજબ, તેમના રડારે ખાડી વિસ્તારમાં અમેરિકી ઘૂસણખોરી પકડી હતી, ત્યારબાદ સુરક્ષા દળોએ કાર્યવાહી કરીને આ ખતરનાક ડ્રોનને નષ્ટ કરી દીધો હતો. આ ઉપરાંત, સેનાએ ત્યાં હાજર અન્ય અમેરિકી RQ-4 ડ્રોન અને F-35 ફાઇટર જેટને પણ નિશાન બનાવ્યા હતા, જેના બાદ તેઓ પાછા હટી ગયા હતા.

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે વિસ્તારમાં પહેલેથી જ અત્યંત સંવેદનશીલ યુદ્ધવિરામ લાગુ છે. ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સએ ચેતવણી આપી છે કે અમેરિકા તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન થશે તો ઈરાન પાસે જવાબી કાર્યવાહી કરવાનો કાનૂની અને મજબૂત અધિકાર સુરક્ષિત છે.

બીજી તરફ, અમેરિકી સેનાનું કહેવું છે કે તેણે આ પગલું પોતાની સુરક્ષા માટે રોકેટ લોન્ચ સાઇટોને નિશાન બનાવવા માટે લીધું હતું. આ ઘટનાના બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે.

Honorના 3 ધમાકેદાર 5G સ્માર્ટફોન લોન્ચ, 8000mAh બેટરી અને ટ્રિપલ કેમેરાથી બજારમાં મચાવી ધૂમ

0

ઓનર કંપનીએ ચીનમાં 3 નવા સ્માર્ટફોન ઓનર 600 સુપર એડિશન, Honor 600 Vitality Edition અને ઓનર 600 પ્રો લોન્ચ કર્યા છે. ઓનર 600 સીરિઝ સ્માર્ટફોનમાં 200 એમપી લેન્સ સાથે ટ્રિપર રિયર કેમેરા સેટઅપ, પાવરફુલ પ્રોસેસર, 8000mAh સુધીની બેટરી અને IP66 રેટિંગ જેવા ફીચર્સ આવે છે. ચાલો જાણીયે લેટેસ્ટ ઓનર 600 સુપર 5G સ્માર્ટફોનની કિંમત અને તમામ ફીચર્સ

Honor 600 Super Edition સ્પેસિફિકેશન
ઓનર 600 સુપર એડિશન એક પ્રીમિયમ સ્માર્ટફોન છે. જેમા 6.57 ઇંચની 1.5K LTPS Flat OLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. ડિસ્પ્લેમાં 8000nits સુધી પીક બ્રાઇટનેસ, 1800nits HBM બ્રાઇટનેસ અને 3840Hz PWM ડિમિંગ આપી છે. ફોનના બેઝલ્સ માત્ર 0.98mm છે, જેનાથી ફોનનો ફ્રન્ટ લુક ઘણું પ્રીમિયમ દેખાય છે.

ઓનર 600 સુપર એડિશન ફોનમાં Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર આવે છે, તેની સાથે Honor E2 Energy Efficiency Enhancement Chip પર આવે છે. આ ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ MagicOS 10 પર કામ કરે છે.

ફોટોગ્રાફી માટે ઓનર 600 સુપર એડિશન ફોનમાં 200MP નો સેમસંગ પ્રાયમરી કેમેરા આપ્યો છે, જે મોટો 1/1.4 ઇંચ સેન્સર અને OIS સપોર્ટ કરે છે. તેની સાથે 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે, જે 30x ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 50MP નો ફ્રન્ટ કેમેરા મળે છે.

ઓનર 600 Super Edition ફોનની સૌથી મોટી ખાસિયત 8600mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે. જેમા ફોનમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર, IR Blaster, NFC, Wi-Fi 6, Bluetooth 5.4, AI Button અને USB 2.0 જેવા ફીચર્સ આવે છે. આ સ્માર્ટફોનને IP69K, IP69, IP68 અને IP66 રેટિંગ મળ્યું છે.

Honor 600 Super Edition કિંમત
ઓનર 600 સુપર એડિશન ફોનના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત CNY 3,299 (લગભગ 46,237 રૂપિયા) છે. તો 12GB + 512GB વેરિયન્ટની કિંમત CNY 3,699 (લગભગ 51,844 રૂપિયા) છે.

Honor 600 Vitality Edition સ્પેસિફિકેશન
ઓનર 600 Vitality Edition ફોનમાં 6.57 ઇંચની 1.5K LTPS Flat OLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ, 8000nits પીક બ્રાઇટનેસ અને 3840Hz PWM ડિમિંગ સપોર્ટ કરે છે. તેમા સ્નેપડ્રેગન 7 Gen 4 પ્રોસેસર અને MagicOS 10 આપ્યું છે. આ ફોનમાં 50MP OIS પ્રાયમરી કેમેરા અને 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા આવેછે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે 50MP નો ફ્રન્ટ કેમેરા આવે છે. આ ફોનમાં 7000mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

ઓનર 600 Vitality Edition ફોનને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP69K, IP69, IP68, IP66 રેટિંગ મળ્યું છે. આ ફોનમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર, NFC, IR Blaster અને Wi-Fi 6 જેવા ફીચર્સ આપ્યા છે.

Honor 600 Vitality Edition કિંમત
કિંમતની વાત કરીયે તો ઓનર 600 Vitality Edition ફોનના 8GB રેમ + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત CNY 2,699 (લગભગ 37,827 રૂપિયા) છે. તો 12GB રેમ + 512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત CNY 3,399 (લગભગ 47,638 રૂપિયા) છે. આ સ્માર્ટફોન ગુડ લક ઓરેન્જ, Vitality White અને Obsidian બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

Honor 600 Pro 5G સ્પેસિફિકેશન
ઓનર 600 Pro ફોનમાં 2728 x 1264 પિક્સલ રિઝોલ્યુશન વાળી 6.57 ઇંચની AMOLED 1.5K ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રશ રેટ, 3840Hz PWM ડિમિંગ અને 8000nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. તેમા મીડિયાટેક Dimensity 8550 Elite ઓક્ટા કોર પ્રોસેસર છે, જે 2.2 ગીગાહર્ટઝ થી લઇ 3.4 ગીગાહર્ટઝ સુધીની ક્લોક સ્પીડ પર રન કરવાની ક્ષમતા ધરાવે છે. ગ્રાફિક્સ માટે આ 5G ફોનમાં Mali G720 MC8 GPU છે, તેમા Snapdragon 8 Elite Gen 4 ચિપસેટ આપી છે.

ઓરન 600 પ્રો 5જી ફોનમાં 8000mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ, 50W વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં F/1.9 અપર્ચર વાળો 200MP OIS કેમેરો છે, જે F/2.8 અપર્ચર વાળા 50 મેગાપિક્સલperiscope telephoto અને F/2.2 અપર્ચર વાળા 12 મેગાપિક્સલ ઓલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ સાથે મળીને કામ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 50 એમપીનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.

Honor 600 Pro 5G કિંમત
ઓન 600 પ્રો 5G ફોન 3 વેરિયન્ટમાં રજૂ કરાયો છે. જેમા 12GB RAM + 256GB Storage સ્ટોરેજની કિંમત 3899 યુઆન (લગભગ 54,650 રૂપિયા0 છે. તો 12GB + 512GB વેરિયન્ટ 4299 યુઆન (લગભગ 60,200 રૂપિયા) તેમજ ટોપ વેરિયન્ટ 16GB RAM + 512GB Storage સાથે 4699 યુઆન (લગભગ 65,799 રૂપિયા) માં ખરીદી શકાય છે.

ગુજરાતના શહેરોને મળ્યા નવા મેયર, નવસારીથી જામનગર સુધી નવા ચહેરાઓની જાહેરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28 દિવસ બાદ હવે મહાનગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતની મહા નગરપાલિકાઓમાં નવા શાસકોની વરણીને લઈને ચાલી રહેલી ઉત્સુકતાનો આખરે અંત આવ્યો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલાયેલા મેન્ડેટના આધારે તમામ મહા નગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે મેયર બનવાનું બહુમાન થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને મળ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)

ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં નવા પદાધિકારીઓની ટીમ સજ્જ થઈ ગઈ છે:

  • મેયર: હિતેશ બારોટ (થલતેજ વોર્ડ)
  • ડેપ્યુટી મેયર: અંજુબેન શાહ (સાબરમતી વોર્ડ)
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કમલેશ પટેલ (ખોખરા વોર્ડ)
  • શાસક પક્ષના નેતા: જશુભાઈ ઠાકોર (શાહીબાગ વોર્ડ)
  • દંડક: અતુલ મિશ્રા (ચાંદખેડા વોર્ડ)

જામનગર મહાનગરપાલિકા

જામનગર મનપામાં પણ નવી ટીમના નામો પર મહોર લગાવી દેવામાં આવી છે:

  • મેયર: મોનિકા વ્યાસ
  • ડેપ્યુટી મેયર: રાકેશ ડેર
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કિરણ મોનાણી
  • શાસક પક્ષના નેતા: અમર મોદી
  • દંડક: પ્રવિણાબેન રૂપડિયા

મોરબી મહાનગરપાલિકા

મોરબીના પ્રથમ નાગરિક તરીકે વોર્ડ નંબર ૮ના કોર્પોરેટરની પસંદગી કરાઈ છે:

  • મેયર: ઉત્તમ સુરાણી (વોર્ડ નંબર 8)
  • ડેપ્યુટી મેયર: ચિરાગ રાણપરા (વોર્ડ નંબર 6)
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: જયંતીભાઈ પડસુંભિયા (વોર્ડ નંબર 1)
  • શાસક પક્ષના નેતા: અર્પિતાબા જાડેજા
  • દંડક: જયેશભાઈ દેસાઈ

નવસારી મહાનગરપાલિકા

નવસારી મનપાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાના નામની જાહેરાત થઈ છે:

મેયર: અશોક ધોરાજીયા (વોર્ડ નંબર 2)
ડેપ્યુટી મેયર: કેયુરી દેસાઈ (વોર્ડ નંબર 1)
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: મુકેશ અગ્રવાલ (વોર્ડ નંબર 5)
શાસક પક્ષના નેતા: નરેશ પુરોહિત (વોર્ડ નંબર 8)
દંડક: રાકેશ પટેલ (વોર્ડ નંબર 7)

ગાંધીધામ મહાનગરપાલિકા

કચ્છના ઔદ્યોગિક નગર ગાંધીધામ મનપાના સુકાનીઓ પણ નક્કી થઈ ગયા છે:

  • મેયર: દિવ્યા નાથાણી
  • ડેપ્યુટી મેયર: નવીન જરૂં
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: તેજસ શેઠ

અમદાવાદના નવા મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28 દિવસ બાદ હવે મહાનગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી કરવામાં આવી છે.

અમદાવાદના મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરાઈ છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરાઈ છે.

અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત થયા બાદ હિતેશ બારોટે શહેરના વિકાસ, ટ્રાફિકની ગંભીર સમસ્યા, ચોમાસાની પૂર્વતૈયારીઓ અને ભવિષ્યના મેગા પ્રોજેક્ટ્સને લઈને એક ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને તેને ગ્લોબલ લેવલ પર વધુ વિકસિત બનાવવું એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે.’ આ ઉપરાંત આગામી સમયમાં અમદાવાદ ખાતે આયોજિત થનારી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને લઈને પણ તેમણે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.

અમદાવાદના નવા મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરના દરેક નાગરિકની જે કોઈ પાયાની જરૂરિયાત છે, તે પૂરી કરવી એ મારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. આપણું અમદાવાદ પહેલેથી જ અગ્રેસર છે, પરંતુ તેને દેશનું સૌથી વધુ વિકસિત અને સુવિધાજનક શહેર બનાવવા માટે હું અને મારી ટીમ સતત પ્રયાસ કરીશું.’

આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ પલટી, 6 લોકોના મોત

0

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં મંગળવારે સવારે (26 મે) એક મોટો માર્ગ અકસ્માત થયો. ઉન્નાવના ઔરસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર કિલોમીટર નંબર 262 પર એક ડબલ ડેકર બસ પલટી ગઈ. આ અકસ્માતમાં એક સબ-ઇન્સ્પેક્ટર અને એક કેદી સહિત છ લોકોના મોત થયા છે, જ્યારે 21 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણ કોન્સ્ટેબલ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

ડ્રાઇવરને ઊંઘ આવી જવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ડબલ ડેકર બસ ડિવાઇડર તોડીને વિરુદ્ધ લેનમાં પલટી ગઈ હતી. માહિતી મળતાં, UPEIDA અને પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.

ગંભીર ઘાયલોને લખનૌ ટ્રોમા સેન્ટરમાં દાખલ
ઉન્નાવ જિલ્લા મેજિસ્ટ્રેટ ઘનશ્યામ મીણા અને પોલીસ અધિક્ષક જયપ્રકાશ સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને લખનૌ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે.

RBIના ઇન્સ્ટિટ્યૂટમાં સહાયક પ્રોફેસરની ભરતી, ₹1.23 લાખ સુધી મળશે પગાર

0

સારા ઇન્સ્ટિટ્યૂટમાં સહાયક પ્રોફેસરની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબર છે. ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ (IGIDR) એ ફેકલ્ટી ભરતી માટે રોલિંગ જાહેરાત બહાર પાડી છે. જેના હેઠળ રેગ્યુલર, કોન્ટ્રાક્ટ અને વિઝિટિંગ સહાયક પ્રોફેસરની જગ્યાઓ ભરવામાં આવશે. યોગ્ય ઉમેદવારો સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર જઈ અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. અરજી કરવાની કોઈ નિશ્ચિત છેલ્લી તારીખ નથી અને વર્ષભર અરજી કરી શકાય છે.

IGIDR સંસ્થાની સ્થાપના ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવી હતી. આ કારણે તેને RBIના સંસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. બાદમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને તેને માન્ય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો હતો. આ ભરતી દ્વારા ઉમેદવારોને આ પ્રતિષ્ઠિત સંસ્થામાં નોકરી મેળવવાની તક મળી રહી છે. માત્ર નિર્ધારિત ફોર્મેટ મુજબ અરજી કરવાની રહેશે. 08 જગ્યાઓ માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને સંસ્થા તરફથી ફ્લાઇટ ભાડું પણ આપવામાં આવશે.

IGIDR ખાલી જગ્યા 2026: શ્રેણી મુજબ ખાલી જગ્યાઓ

શ્રેણીખાલી જગ્યા
એસસી03
એસટી01
OBC-નોન ક્રીમી લેયર (OBC-NCL)03
ઇડબ્લ્યુએસ01
કુલ પોસ્ટ્સ08

સહાયક પ્રોફેસરની ખાલી જગ્યા

  • લાયકાત: સંબંધિત ક્ષેત્રમાં PhD ડિગ્રી
  • અનુભવ: પરમાનેન્ટ પોઝિશન માટે PhD બાદ ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે. આ અનુભવ સહાયક પ્રોફેસર લેવલ પર ટીચિંગ અથવા રિસર્ચનો હોવો જોઈએ.
  • પગાર: લેવલ-12 મુજબ ન્યૂનતમ બેઝિક સેલરી ₹1,01,500 મળશે। ઉપરાંત DA, HRA અને TRA પણ મળશે.
  • પબ્લિકેશન: ઓછામાં ઓછા 3 પબ્લિકેશન હોવા જોઈએ, જેમાંથી 2 ABDC A/A જર્નલ અથવા Scopus Q1 જર્નલમાં હોવા જોઈએ.

કરાર સહાયક પ્રોફેસર ભરતી

  • લાયકાત: PhD ડિગ્રી
  • અનુભવ: PhD પછી 3 વર્ષથી ઓછો અનુભવ હોય તો કોન્ટ્રાક્ટ સહાયક પ્રોફેસર માટે અરજી કરી શકાય છે.
  • પબ્લિકેશન: ઓછામાં ઓછું 1 પબ્લિકેશન પ્રતિષ્ઠિત અને પીઅર રિવ્યુડ જર્નલમાં પ્રકાશિત થયેલું હોવું જોઈએ। જર્નલ Scopus / ABDC / ABS અથવા સમકક્ષ રેન્કિંગ ધરાવતું હોવું જોઈએ.
  • પગાર: એન્ટ્રી લેવલ પર પસંદ થયેલા ઉમેદવારોને લેવલ-10 મુજબ ₹70,900 પગાર મળશે। એક વર્ષ બાદ પગાર વધીને ₹73,100 થશે.

વિઝિટિંગ ફેલો (કોન્ટ્રાક્ટ) નોકરી

  • લાયકાત: જેમણે PhD Thesis સબમિટ કરી છે અને ડિગ્રીની રાહ જોઈ રહ્યા છે અથવા તાજેતરમાં PhD પૂર્ણ કરી છે, તેઓ અરજી કરી શકે છે.
  • કોન્ટ્રાક્ટ સમયગાળો: 1 વર્ષ (જરૂર મુજબ વધુ 1 વર્ષ માટે વધારી શકાય છે)
    પગાર: ₹1,23,398
  • સહાયક પ્રોફેસર ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
  • આ ભરતી માટે અરજી પ્રક્રિયા IGIDR ફેકલ્ટી ભરતી પોર્ટલ પર પૂર્ણ કરી શકાય છે. અરજી માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:

સૌપ્રથમ વેબસાઇટ પર જઈ IGIDR ફેકલ્ટી રિક્રુટમેન્ટ પોર્ટલ ખોલો.

  • જો તમે નવા યુઝર હો, તો પહેલા ઈમેલ ID દાખલ કરો। ત્યારબાદ તેને કન્ફર્મ કરીને પાસવર્ડ બનાવો.
  • Captcha Code ભરી Register કરો.
  • હવે રજિસ્ટર્ડ ઈમેલ ID અને પાસવર્ડથી Login કરો.
  • અરજી ફોર્મમાંમાં વ્યક્તિગત, શૈક્ષણિક, અનુભવ અને અન્ય વિગતો ધ્યાનથી ભરો.
  • કવર લેટર, સીવી, શૈક્ષણિક અને અનુભવ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટોગ્રાફ, સહી અને રિઝર્વેશન સંબંધિત દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
  • અંતમાં ફોર્મ સબમિટ કરતા પહેલાં તમામ વિગતો એકવાર સારી રીતે ચેક કરી લો.

પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું: 11 દિવસમાં ચોથી વખત ભાવ વધારો, કિંમત ₹100ને પાર પહોંચી

0

આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને, તેલ કંપનીઓએ હવે વધુ આયાતનો બોજ સામાન્ય લોકો પર હપ્તામાં નાખવાનું શરૂ કર્યું છે.

આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. 25 મે 2026 ના રોજ સવારે 6 વાગ્યાથી, દિલ્હીમાં પેટ્રોલ ₹2.61 મોંઘુ થઈને પ્રતિ લિટર 102.52 પર પહોંચી ગયું છે. ડીઝલ ₹2.71 વધીને પ્રતિ લિટર ₹95.20 પર પહોંચી ગયું છે.

સૌથી નોંધપાત્ર વધારો એ છે કે છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથી વખત વધારો છે. પહેલો વધારો 15 મેના રોજ લગભગ ૩ રૂપિયાનો, પછી 19 મેના રોજ લગભગ ₹90નો, ફરી 23 મેના રોજ લગભગ ₹90નો અને હવે ફરી 25 મેના રોજ નોંધપાત્ર વધારો થયો છે. એકંદરે, છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ ₹7.35 અને ડીઝલ ₹7.53 પ્રતિ લિટર મોંઘુ થયું છે.

શહેરવાર પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ

  • નોઇડામાં, ડીઝલનો ભાવ ₹95.56 પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ ₹102.12 પ્રતિ લિટર, XP95નો ભાવ ₹110.68 પ્રતિ લિટર અને XGનો ભાવ ₹101.17 પ્રતિ લિટર છે.
  • ભોપાલમાં, ડીઝલનો ભાવ ₹99.64 પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ ₹114.57 પ્રતિ લિટર, XP95નો ભાવ ₹123.88 પ્રતિ લિટર અને XGનો ભાવ ₹104.90 પ્રતિ લિટર છે.
  • ચંદીગઢમાં, ડીઝલનો ભાવ ₹89.47 પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ ₹101.51 પ્રતિ લિટર અને XGનો ભાવ ₹94.65 પ્રતિ લિટર છે.
  • ગુજરાતમાં, ડીઝલનો ભાવ ₹98.13 પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ ₹102.01 પ્રતિ લિટર, XP95નો ભાવ ₹110.57 પ્રતિ લિટર અને XGનો ભાવ ₹103.37 પ્રતિ લિટર છે.