Home Blog Page 416

દિલ્હી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ: પિતા અને બે બાળકોએ બિલ્ડિંગ પરથી કૂદતાં ગુમાવ્યો જીવ

0

દિલ્હીના દ્વારકા સેક્ટર-13માં ભીષણ આગ લાગી. શબ્દ એપાર્ટમેન્ટના સાતમા માળે આ આગ લાગી છે. 8 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. બિલ્ડિંગ પરથી કૂદી પડતાં તેમના પિતા સહિત બે બાળકોનું મોત થયું છે. બિલ્ડિંગમાં લાગેલી આગ ઓલવવાનું કામ હજુ પણ ચાલુ છે.

આગની ઘટનાથી ભયનો માહોલ સર્જાયો હતો
એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટનાથી ગભરાટ ફેલાયો હતો. ઉતાવળમાં આખા એપાર્ટમેન્ટને ખાલી કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં, કેટલાક લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. આ અકસ્માતમાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

જ્વાળાઓ દૂર સુધી ઉછળી રહી હતી
એપાર્ટમેન્ટમાં રહેતા લોકો પોતાનો સામાન બળી જવાથી ચિંતિત છે. આગની જ્વાળાઓ દૂર દૂરથી ઉંચકાતી જોવા મળી રહી છે. આગ ઝડપથી અન્ય માળમાં પણ ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં, બિલ્ડિંગના અન્ય માળ પર રહેતા લોકો અને નજીકના બિલ્ડિંગમાં રહેતા લોકોને પણ ડર છે કે આ જ્વાળાઓ તેમના ઘરોને પણ બાળી શકે છે.

ખાલિસ્તાનીઓની વધુ એક નાપાક હરકત: પીએમ મોદીને ધમકી, કેનેડામાં ત્રિરંગાનું અપમાન

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની પ્રવળત્તિઓએ ફરી એકવાર ભારત-કેનેડા સંબંધોમાં તણાવ વધાર્યો છે. તાજેતરના ઘટનાક્રમમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ખુલ્લેઆમ ભારતીય વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપી છે અને ભારતીય ત્રિરંગાનું અપમાન કર્યું છે. કેનેડાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન માર્ક કાર્નેએ પીએમ મોદીને G-7 સમિટમાં આમંત્રણ આપ્યા બાદ આ વિવાદ શરૂ થયો હતો. આ આમંત્રણથી ખાલિસ્તાની જૂથો ગુસ્સે થયા છે અને તેઓ તેને ભારત વિરોધી વિરોધ પ્રદર્શનની તક તરીકે જોઈ રહ્યા છે. G-7 ના વર્તમાન અધ્યક્ષ તરીકે કેનેડા 15 થી 17 જૂન દરમિયાન આલ્બર્ટા પ્રાંતમાં આ જૂથના સંમેલનનું આયોજન કરી રહ્યું છે. શુક્રવારે ફોન પર વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ G-7 સમિટમાં હાજરી આપવા માટે કાર્નેનું આમંત્રણ સ્વીકાર્યું.

ખાલિસ્તાની સમર્થકોએ વાનકુવર અને કેનેડાના અન્ય શહેરોમાં રેલીઓ કાઢી હતી, જેમાં તેઓએ ‘મોદીને મારી નાખો’ ના નારા લગાવ્યા હતા અને પીએમ મોદીની હત્યા કરવાની ધમકી આપી હતી. કેનેડિયન તપાસ પત્રકાર મોચા બેઝિઝને ખુલાસો કર્યો કે એક રેલી દરમિયાન, ખાલિસ્તાની સમર્થકોએ તેમને ઘેરી લીધા અને ધમકાવ્યા જ્યારે તેઓ એક વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા. બેઝિર્ગને અહેવાલ આપ્યો કે પ્રદર્શનકારીઓએ ઇન્દિરા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ પીએમ મોદીના ‘રાજકારણનો પણ એ જ રીતે અંત લાવશે.’
આ ઉપરાંત, ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય ત્રિરંગાને તલવારથી ફાડી નાખવા અને તેને આગમાં બાળી નાખવા જેવા અપમાનજનક કળત્યો કર્યા. આ ઘટના અગાઉ 19 ઓક્ટોબર, 2024 ના રોજ પણ જોવા મળી હતી, જ્યારે ખાલિસ્તાની સમર્થકોએ પીએમ મોદીના પૂતળા અને ત્રિરંગાનું અપમાન કર્યું હતું. આ ઘટનાઓએ કેનેડામાં ભારતીય સમુદાયમાં રોષ અને અસુરક્ષાની ભાવના વધારી છે.

પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ આ મામલાને વધુ ગરમાવો આપ્યો. પન્નુએ કેનેડિયન પીએમ માર્ક કાર્નેનો ‘આભાર’ વ્યક્ત કરતો એક વીડિયો બહાર પાડ્યો, જેમાં કહ્યું કે તેમણે G-7 સમિટમાં ખાલિસ્તાનીઓને પીએમ મોદીને નિશાન બનાવવાની ò ઐતિહાસિક તર્ક આપી. પન્નુએ પીએમ મોદીની કેનેડા મુલાકાત દરમિયાન ‘લેન્ડિંગથી ટેકઓફ સુધી’ 48 કલાકના વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી.

ભારતે પન્નુની આ ધમકીઓને ગંભીરતાથી લીધી છે. ભારત સરકારે અગાઉ કેનેડામાં ખાલિસ્તાની પ્રવળત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, ખાસ કરીને 2023 માં, જ્યારે તત્કાલીન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપોને ‘પાયાવિહોણા’ અને ‘રાજકીય રીતે પ્રેરિત’ ગણાવીને ફગાવી દીધા હતા.

કેનેડા સરકાર તરફથી આ ધમકીઓ પર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને ભારતે ગંભીરતાથી લીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની ફેરાનગતિ અને અસુરક્ષિત વાતાવરણની નિંદા કરી છે. પીએમ મોદીએ કેનેડામાં ભારતીય સમુદાય અને તેમના પૂજા સ્થાનો, ખાસ કરીને હિન્દુ મંદિરો પર થયેલા હુમલાઓની પણ કડક નિંદા કરી છે.

ભારતે વારંવાર કેનેડાને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સામે કાર્યવાહી કરવા અને ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમે કેનેડામાં ભારતીય નાગરિકોની સલામતી અંગે ખૂબ ચિંતિત છીએ. અમારા કોન્સ્યુલર અધિકારીઓ ધમકીઓ, ઉત્પીડન અને હિંસાથી નિરાશ નહી થાય

ઑસ્ટ્રિયામાં સ્કૂલમાં ગોળીબારમાં ઘણા લોકોના મોતની આશંકા, મૃતકોમાં વિદ્યાર્થીઓ પણ સામેલ

ઑસ્ટ્રિયાનું ગ્રાટ્ઝ શહેર એક ભયાનક ઘટનાનું સાક્ષી બન્યું છે જ્યાં એક ફેડરલ ઉચ્ચ માધ્યમિક શાળામાં ગોળીબાર થયાની ઘટના સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ગોળીબારમાં ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મૃત્યુ થયા છે. ઓસ્ટ્રિયન જાહેર પ્રસારણકર્તા ORF એ ગૃહ મંત્રાલયના હવાલાથી જણાવ્યું કે હુમલો અત્યંત ગંભીર અને યત્નપૂર્વક રચાયેલો જણાઈ રહ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી વ્યક્તિએ શાળામાં પ્રવેશ કરીને નિશંસતાથી ગોળીઓ ચલાવી, ત્યારબાદ શૌચાલયમાં જઈ પોતાનો જીવન અંત કરી દીધો. પોલીસ અને સુરક્ષા દળોએ તાત્કાલિક શાળાની આસપાસના વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ઘટનાની વિસ્તૃત તપાસ શરૂ કરી દીધી છે.

ક્રોનેન ઝેઇટંગ ટેબ્લોઇડના અહેવાલ મુજબ, આ ગોળીબારમાં કુલ 11 લોકોના મૃત્યુ થયા હોવાની વાત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી. મૃતકોમાં કેટલી ઉંમરના વિદ્યાર્થી હતા અને હુમલાના પછાડળમાં કયા કારણો હતા, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.

રાજસ્થાનના બનાસ નદીમાં નહાવા પડેલા 11 બાળકો ડૂબ્યા, 8 લોકોના મોત, 3 લાપતા

0

રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીમાં નહાતી વખતે મંગળવારે આઠ યુવાનો ડૂબી ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. અન્ય ત્રણ યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર હોવાનું ટોંકના પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને જણાવ્યું હતું.

રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીમાં નાહી રહેલા 11 બાળકો પાણીના પ્રવાહમાં ખેંચાતા 8 બાળકોના મોત થયા છે. 3 યુવાનોની શોધખોળ હજુ ચાલુ છે. સ્થાનિક તરવૈયા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની મદદથી નદીમાં શોધખોળ ચાલી રહી છે. વહીવટીતંત્રે નદીની નજીક રહેતા લોકોને સાવધાની રાખવા અપીલ કરી છે. પ્રશાસને લોકોને સૂચના આપી છે કે જરૂરી કામ વિના કોઈ પણ વ્યક્તિ નદી કિનારે ના જાય. આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં શોક અને તણાવનું વાતાવરણ છે.

ટોંકના પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને જણાવ્યું હતું કે 25-30 વર્ષની વયના 11 પુરુષોનું એક જૂથ નહાવા માટે નદીમાં ઉતર્યું હતું ત્યારે તેઓ ઊંડા પાણીમાં લપસી ગયા હતા. તેમને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ આઠ લોકોને મૃત જાહેર કર્યા હતા,” તેમણે જણાવ્યું હતું.

રવિવારે ઉદયપુરના એક ગામના તળાવમાં ભેંસ શોધતી વખતે ત્રણ ભાઈ-બહેનો ડૂબી ગયા. આ ઘટના ઉદયપુરના ખેરવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લારઠી ગામમાં બની હતી. મૃતકોની ઓળખ નિરમા મીના (15), ખુશ્બુ મીના (12) અને કલ્પેશ મીના (10) તરીકે થઈ છે. નિરમા ધોરણ 10 માંની વિદ્યાર્થીની હતી, તેની બહેન ખુબુ અને ભાઈ કલ્પેશ અનુક્રમે ધોરણ 7 અને 6 માં હતા.

નિવૃત શિક્ષક પાસેથી લાંચ લેતા ક્લાર્ક અને ટ્રસ્ટી ઝડપાયા, રાજકોટ ACBની મોટી કાર્યવાહી

રાજકોટ: રાજ્યમાં લાંચખોરીના કેસો દિવસેને દિવસે વધતા જાય છે અને હવે વધુ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાળ ગામની ગાયત્રી હાઈસ્કૂલમાં ACB ટીમે બળવો કર્યો છે, જેમાં સ્કૂલના ક્લાર્ક અને નિવૃત્ત ટ્રસ્ટી બે લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ક્લાર્ક ધર્મેન્દ્ર ભાનુશંકર ખીરા અને નિવૃત્ત ટ્રસ્ટી ગુણવંતલાલ ચુનીલાલ ખીરા પર આરોપ છે કે તેમણે નિવૃત્ત શિક્ષક પાસેથી રૂ. 2 લાખની લાંચની માગણી કરી હતી. આ રકમ મોંઘવારી ભથ્થાં અને એરિયર્સ જેવી કુલ ₹12.15 લાખની ચુકવણી પાસ કરવા માટે માગવામાં આવી હતી.

શિક્ષકે આ ઘટનાની જાણ રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ને કરી હતી. PI આર. આર. સોલંકી અને તેમની ટીમે પાણીવાળું આયોજન કરી લાંચ સ્વીકારવાની ઘટના દરમિયાન બંનેને વાણિયાવાડી વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. બંને આરોપીઓને તાત્કાલિક કબજામાં લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાથી ફરીવાર સ્પષ્ટ થાય છે કે શિક્ષણ સંસ્થાઓમાં પણ લાંચખોરી ઘૂસી ગઈ છે, જ્યાં નોકરી બાદ પણ નિવૃત કર્મચારીઓને પોતાનો ન્યાય મેળવવા લાંચ ચૂકવવી પડે છે. ACB દ્વારા કાર્યવાહી થઈ હોવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને લોકલ પ્રશાસન પાસે આ પ્રકારના વધુ કિસ્સાઓમાં કડક પગલાં લેવા માંગ ઉઠી રહી છે.

ભારતમાં કોરોનાનો નવો પ્રકાર XFG સામે આવ્યો, જાણો કેટલો ખતરનાક છે વૅરિયન્ટ

0

ભારતમાં કોરોનાના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે, ગયા મહિનાથી વધવા માંડેલા કેસોની સંખ્યા હવે 64101 પર પહોંચી ગઈ છે. ચિંતાની વાત એ છે કે ભારતમાં કોરોનાનો એક નવો પ્રકાર પણ સામે આવ્યો છે, તેનું નામ XFG છે. આ નવો કોવિડ પ્રકાર મનુષ્યોની સૌથી મજબૂત રોગપ્રતિકારક શક્તિને પણ ટાળવામાં સક્ષમ છે. હાલમાં, આ નવા પ્રકારના 163 કેસ નોંધાયા છે, અહીં પણ મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય માનવામાં આવે છે.

દેશમાં વધતા કોરોના કેસોની વાત કરીએ તો, 22 મેના રોજ ફક્ત 257 સક્રિય દર્દીઓ હતા, જ્યારે 10 જૂનના રોજ આ આંકડો વધીને 64101 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં 358 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે, અહીં પણ 624 લોકો આ ચેપમાંથી સ્વસ્થ પણ થયા છે.

ભારત કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે. જ્યારે કોરોનાથી ભારતનું કેરળ રાજ્ય સૌથી વધુ પ્રભાવિત થયું છે. જ્યાં 1957 સક્રિય કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7 નવા કેસ નોંધાયા. કેરળ સરકારે લક્ષણો ધરાવતા લોકો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કર્યા છે. મહારાષ્ટ્રમાં XFG વેરિયન્ટના 89 કેસ સાથે નોંધાયા છે. જે વધું ચિંતાજનક સ્થિતિ બતાવે છે. આ ઉપરાંત તમિલનાડુમાં XFG 16 કેસ, ગુજરાતમાં 11, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે. કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ પોઝીટિવ કેસની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.

શું છે XFG વેરિયન્ટ?
XFG એ ઓમિક્રોનનું રિકોમ્બિનન્ટ ઉપ-વેરિયન્ટ છે, જેનો પહેલો કેસ કેનેડામાં નોંધાયું. લેન્સેટ જર્નલ અનુસાર, XFGમાં ચાર મુખ્ય સ્પાઈક પ્રોટીન મ્યુટેશન છે, જે તેને વધુ સંક્રામક બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ તેમજ વેક્સિન-પ્રેરિત ઈમ્યુનિટીને પણ માત આપી શકવામાં સક્ષમ છે. જણાવી દઈએ કે, મે 2025માં XFG વેરિયન્ટના 159 કેસ નોંધાયા, જ્યારે એપ્રિલ અને જૂનમાં બે-બે કેસ મળ્યા. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી, પરંતુ 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધી 65 દર્દીઓના મોત થયા છે. આંકડાકીય માહિતી પ્રમાણે એક અઠવાડિયામાં 50 મોત અને 3,000 નવા કેસ નોંધાયા, જે દર્શાવે છે કે વાયરસ હજુ સક્રિય છે.

INSACOG દ્વારા જીનોમ સિક્વન્સિંગ દ્વારા વેરિયન્ટ્સનું નિરીક્ષણ ચાલુ છે. વેક્સિનની પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે, અને બૂસ્ટર ડોઝ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે લોકોને અપિલ કરવામાં આવી રહી છે, કે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, હાથની સ્વચ્છતા જાળવવા, બૂસ્ટર ડોઝ લેવા અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.

સંજય ભંડારી કેસમાં ED દ્વારા રોબર્ટ વાડ્રાને સમન્સ, આજે પૂછપરછ માટે ઓફિસે બોલાવ્યા

0

પ્રવર્તન નિર્દેશાલય (ED) એ મંગળવારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાને સંજય ભંડારી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ જારી કર્યો હતો. સમન્સમાં વાડ્રાને આજે જ તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું નિર્દેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ વિભાગે આપેલા આંકડા પ્રમાણે સોમવારે રાજ્યમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા. જેથી એક્ટિવ કેસોની સંખ્યા 1109 પર પહોંચી છે. હાલ 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 106 જેટલા દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે.

ભારત કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે. જ્યારે કોરોનાથી ભારતનું કેરળ રાજ્ય સૌથી વધુ પ્રભાવિત થયું છે. જ્યાં 1957 સક્રિય કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7 નવા કેસ નોંધાયા. કેરળ સરકારે લક્ષણો ધરાવતા લોકો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કર્યા છે. મહારાષ્ટ્રમાં XFG વેરિયન્ટના 89 કેસ સાથે નોંધાયા છે. જે વધું ચિંતાજનક સ્થિતિ બતાવે છે. આ ઉપરાંત તમિલનાડુમાં XFG 16 કેસ, ગુજરાતમાં 11, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે. કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ પોઝીટિવ કેસની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.

શું છે XFG વેરિયન્ટ?
XFG એ ઓમિક્રોનનું રિકોમ્બિનન્ટ ઉપ-વેરિયન્ટ છે, જેનો પહેલો કેસ કેનેડામાં નોંધાયું. લેન્સેટ જર્નલ અનુસાર, XFGમાં ચાર મુખ્ય સ્પાઈક પ્રોટીન મ્યુટેશન છે, જે તેને વધુ સંક્રામક બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ તેમજ વેક્સિન-પ્રેરિત ઈમ્યુનિટીને પણ માત આપી શકવામાં સક્ષમ છે. જણાવી દઈએ કે, મે 2025માં XFG વેરિયન્ટના 159 કેસ નોંધાયા, જ્યારે એપ્રિલ અને જૂનમાં બે-બે કેસ મળ્યા. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી, પરંતુ 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધી 65 દર્દીઓના મોત થયા છે. આંકડાકીય માહિતી પ્રમાણે એક અઠવાડિયામાં 50 મોત અને 3,000 નવા કેસ નોંધાયા, જે દર્શાવે છે કે વાયરસ હજુ સક્રિય છે.

INSACOG દ્વારા જીનોમ સિક્વન્સિંગ દ્વારા વેરિયન્ટ્સનું નિરીક્ષણ ચાલુ છે. વેક્સિનની પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે, અને બૂસ્ટર ડોઝ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે લોકોને અપિલ કરવામાં આવી રહી છે, કે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, હાથની સ્વચ્છતા જાળવવા, બૂસ્ટર ડોઝ લેવા અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.

QRSAM એ શા માટે ખાસ છે? ભારતીય સેના માટે આવશે નવી એડવાન્સ એર ડિફેન્સ ટેક્નોલોજી

0

ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે, ત્યારે હવે ભારતીય સેનાની તાકાતમાં વધુ વધારો થવાનો છે. ભારતીય સેનાને 30,000 કરોડ રૂપિયાની કિંમતની ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ (QRSAM) મળશે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલય દેશની પશ્ચિમ અને ઉત્તરીય સરહદો પર તૈનાત કરવા માટે QRSAM ની ત્રણ રેજિમેન્ટ ખરીદવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન આકાશ તીર ડિફેન્સ સિસ્ટમ હીરો બની ગઈ
તમને જણાવી દઈએ કે 7 થી 10 મે દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ દરમિયાન, પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલી ચીની મિસાઇલો અને ઇઝરાયેલી ડ્રોન સિસ્ટમને આકાશ તીર મિસાઇલ સિસ્ટમ, S-400 સિસ્ટમ, આયર્ન ડ્રોન સિસ્ટમ દ્વારા આકાશમાં નાશ કરવામાં આવી હતી. આકાશ તીર એક સ્વદેશી કૃત્રિમ બુદ્ધિમત્તા-સંચાલિત હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જેનું કામ નીચલા સ્તરના હવાઈ ક્ષેત્રનું નિરીક્ષણ કરવાનું અને જમીન પર તૈનાત હવાઈ સંરક્ષણ શસ્ત્ર પ્રણાલીને નિયંત્રિત કરવાનું છે. હવે ભારતીય સેનાને ટૂંક સમયમાં 30 હજાર કરોડ રૂપિયાની QRSAM હવાઈ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમ મળવા જઈ રહી છે.

ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત જોવા મળી
22મી એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે છઠ્ઠી અને સાતમમી મેની રાત્રે પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ત્યાર બાદ પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કર્યો, પરંતુ ભારતીય સેનાએ તેમને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા. ભારતીય સેનાની L-70 અને Zu-23 ગન, તેમજ વાયુસેનાની સ્પાઇડર અને S-400 સુદર્શન સિસ્ટમોએ મળીને આ હુમલાઓને અટકાવ્યા.

૧૦ જૂન, ૨૦૨૫ / આ રાશિ માટે મંગળવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ-

ધારેલી આવક અટકતી જણાય. મોજશોખ માં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રાેકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી- ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ-

આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમી પાત્રનું ‌િમલન શકય બને. રોમાંસ નાે અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ-

આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના ભાઈ-બહેનો થી ‌િચંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્ય ની કાળજી રાખવી જરૂરી. દામ્પત્યક્ષેત્રે આનંદ.

કર્કઃ-

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુ‌ના રોકાણો ફળદાયી ની વડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાસની પ્રગ‌િત થી આનંદ. સ્નાયુ ના દુઃખાવા, જ્ઞાનતંતુ ની સમસ્યા થી સાચવવું

સિહઃ-

વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ નવા રોકાણો ફાયદાકારક ની વડતા જણાય. માતૃપક્ષ તરફ થી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ-

આવક વધતી જણાય. પરિવાર ના સભ્યો ની ‌ચિંતા દૂર થતી જણાય. પરિવારર માં સ્નેહ નું વાતારણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ-

માન સન્માનનો વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઈસક્રીમ, ઠંડાપીણા ના વ્યાપાર માં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવાર ના સભ્યોની પ્રગતિ શકય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભાવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ-

સંગીત પ્રત્યેનાે પ્રેમ તથા વિજાતિય વ્યકિત તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યાેતિષિ, મેનેજર જેવા વ્યવસાય માં વિશેષ લાભ. પેટના રોગાેથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવન માં સ્નેહ વધે.

ધનઃ-

સેવાકીય પ્રવૃત્તિ કારણે યશ, પતિષ્ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નો નું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શકય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ-

મિત્રાેથી લાભ. જુના ‌િંમત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભફળદાયી ની વડે લક્ષ્મી ની વખત સર હેરફેર શકય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગો થી સાચવવું.

કુંભઃ-

નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધા ની શરૂઆત શકય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય.માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ વિવાદ ટાળવો.

મીનઃ-

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે આેછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.