Home Blog Page 402

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં 30 તાલુકામાં 1થી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે અત્યારસુધી કુલ ચાર જિલ્લામાં 1060 લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે 189 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે (20મી જૂન) ડાંગ-નવસારી-વલસાડમાં રેડ જ્યારે દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

મેઘાએ વલસાડ જિલ્લામાં બોલાવી ધબધબાટી
હવામાન વિભાગે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 19 જૂન 2025ના રોજ વલસાડમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં તમામ તાલુકામાં 2 ઈંચથી લઈને 7 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વાપીમાં 6.8 ઈંચ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વલસાડની નદીઓ બંને કાંઢે વહેતી થઈ હતી.

રાજ્યના 29 તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 19 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 20 જૂન 2025, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતના 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 29 તાલુકા એવા છે જેમાં 1 ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાને બાદ કરતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી, સુરત, ડાંગ, તાપી અને નર્મદામાં વરસાદ નોંધાયો હતો.

પશ્ચિમ બંગાળમાં ભયાનક માર્ગ અકસ્માત, પુરુલિયા-ટાટા હાઈવે પર 9 લોકોના દુઃખદ મોત

0

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં પુરુલિયા-ટાટા નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પુરુલિયાથી ઝારખંડ જઈ રહેલી બોલેરોને એક ટ્રકે ટક્કર મારી હતી. જેમાં અકસ્માતમાં 9 લોકોના દુઃખદ મોત થયા છે. પોલીસે ટ્રકને કબજે કરી લીધી છે અને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના બલરામપુર પોલીસ સ્ટેશન હેઠળના નામસોલ ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-18 પર શુક્રવારે સવારે લગભગ સાત વાગે ટ્રેલર અને બોલેરોની ટક્કરમાં બોલેરોમાં સવાર નવ લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં આઠ નીમડીહ પોલીસ સ્ટેશન હેઠળના લાકડી ગામના તિલાઈટાંડ નિવાસી બીરૂ મહતો, અજય મહતો, વિજય મહતો, સ્વપન મહતો, ગુરુપદ મહતો, શશાંક મહતો, ચિત્ત મહતો, કૃષ્ણા મહતો છે અને એક વ્યક્તિ ચંદ્રમોહન મહતો નીમડીહ પોલીસ સ્ટેશનના રઘુનાથપુરનો નિવાસી છે.

પ્રાથમિક અહેવાલ અનુસાર કેટલાક લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે કેટલાક ઘાયલ લોકોને બલરામપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા દરમિયાન દમ તોડી દીધો હતો. ઘટનાની જાણકારી પછી તિલાઈટાંડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. બધા લોકો ઈચાગઢ પોલીસ સ્ટેશનના ચિરુગોડા ગામથી બરાબઝાર પોલીસ સ્ટેશનના અદાબના ગામે લગ્નની વિધિ માટે ગયા હતા. પરત ફરતી વખતે આ ભયંકર માર્ગ અકસ્માત થયો.

શેરબજારમાં આજે સેન્સેક્સ 800 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 લેવલે સ્પર્શ્યો

શેરબજાર છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં તૂટ્યા બાદ આજે સુધર્યા છે. સેન્સેક્સ આજે 824.5 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પાંચ દિવસ (12 જૂન) બાદ ફરી પાછો 25000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધતા આજે રોકાણકારોની મૂડી રૂ. 3.59 લાખ કરોડ વધી છે.

શેરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે જબરસ્ત ઉછાળો આવતા સેન્સેક્સ 82000 અને નિફ્ટી 25000 લેવલ કુદાવી ગયા હતા. સેન્સેક્સ 800 પોઇનટ ઉછળી 82000 લેવલ કુદાવી 82186 ની ટોચે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 200 પોઇન્ટથી વધુ વધીને ઉપરમાં 25045 સુધી પહોંચ્યો હતો. આજના ઉછાળામાં ભારતી એરટેલ, મહિન્દ્રા મહિન્દ્રા અને નેસ્લે ઈન્ડિયા સેન્સેક્સના ટોપ 3 ગેઇનર સ્ટોક બન્યા હતા. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 500 પોઇન્ટ આસપાસ વધીને ટ્રેડ કરી રહ્યો છે.

ક્રૂડ ઓઇલના ભાવ 5 મહિનાની ટોચથી ઘટ્યા
ઈઝરાયલ ઈરાન યુદ્ધથી ક્રૂડ ઓઈલના ભાવ ઉછળી 79 ડોલર પ્રતિ બેરલની 5 મહિનાની ટોચે પહોંચ્યા હતા. જો કે WTI ક્રૂડ ઓઇલ વાયદો 74.25 ડોલરની ટોચ બનાવ્યા બાદ હાલ સાધારણ ઘટાડે 73.77 ડોલર પ્રતિ બેરલ બોલાઇ રહ્યું છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ઓગસ્ટ વાયદો 2.3 ટકા ઘટીને 77 ડોલર આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. આ ક્રૂડ વાયદો તાજેતરમા 79 ડોલરની ટોચે પહોંચ્યો હતો.

એશિયન બજારોઆ મિશ્ર વલણ
જ્યારે વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે એશિયન બજારો મોટાભાગે વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા, જ્યારે યુએસ શેરબજાર બંધ રહ્યું હતું અને ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં વધારો થવાના ચેતવણી પર યુએસ સ્ટોક ફ્યુચર્સ ઘટ્યા હતા.

એશિયન બજારમાં જાપાનનો નિક્કી 0.13 ટકા વધ્યો, જ્યારે ટોપિક્સ સ્થિર રહ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.51 ટકા અને કોસ્ડેક 0.41 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ફ્યુચર્સ નબળા શરૂઆતનો સંકેત આપે છે.

કચ્છમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા, જાણો ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?

કચ્છમાં વરસાદી માહોલની વચ્ચે મોડી રાત્રે ભૂકંપનો આંચકાનો અનુભવ થયો છે. અહીંયા ખાવડા નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંકો અનુભવાયો છે. મોડી રાત્રેના 2:40 મિનિટે આ ભૂકંપનો આંચકોનો અનુભવ થયો છે. જો કે ખાવડાથી 24 km દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.

કચ્છમાં વરસાદી માહોલની વચ્ચે મોડી રાત્રે ભૂકંપનો આંચકાનો અનુભવ થયો છે. અહીંયા ખાવડા નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંકો અનુભવાયો છે. મોડી રાત્રેના 2:40 મિનિટે આ ભૂકંપનો આંચકોનો અનુભવ થયો છે. જો કે ખાવડાથી 24 km દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

સુરતના પલસાણામાં મર્ડર મિસ્ટ્રી! રેલવે ટ્રેક પર મળી યુવકની શંકાસ્પદ મોતની ઘટના

0

સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પલસાણા તાલુકામાં ચોરી લૂંટ અને હત્યા જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે . વધુ એક ઘટના એવી બની હતી કે, ગત પહેલી જૂનના રોજ પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામે સુરત ભુસાવલ રેલવે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ કપાઈ જતા એક પરપ્રાંતીય યુવકનું મોત થયું હતું. તપાસ દરમિયાન આ યુવક તાંતિથૈયા ગામે આવેલા નીલકંઠ સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રમોદ શુક્લ હોવાનું સામે આવ્યું હતું. રાજકુમારનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. તેનો જમણો હાથ નાયલોનની દોરી વડે રેલ્વે ટ્રેકના કડા સાથે બાંધેલો હતો.

પૈસાની લેતી દેતીમાં કરી હત્યા
ઘટનાને થોડા દિવસો બાદ પોલીસ તપાસ દરમિયાન આ રાજકુમારનું ટ્રેક સાથે બાંધેલ હાલતમાં મળેલો મૃતદેહ પોલીસને તેમજ પરિવારજનોને પણ શંકા ઉભી કરી હતી. જેથી આ ઘટનાને આકસ્મિક મોત નહીં પરંતુ હત્યાના ઇરાદે મોત થયું હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. દિવસોની તપાસ દરમિયાન પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચી ગઈ હતી. રાજકુમારની હત્યા તેના સાથે રૂમ પાર્ટનર ચાર મિત્રોએ જ કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે ચાર પૈકી સુમન ઉર્ફે સોનુ વર્મા તેમજ અજીત કુમાર મહાતોને ઝડપી લીધા છે.

ટ્રેન આવતા રાજકુમારનું ધડ છૂટું થયું
આ સુમન, અજીત, રાજકુમાર તેમજ સુનિલકુમાર શ્રવણ, સુમંત રાજા આ તમામ સાથે મિત્રો હોય અને રૂમ પાર્ટનર તરીકે જ સાથે જ રહેતા હતા. ઘટનાના દિવસે પૈસા બાબતે કોઈક લેતી દેતી બાબતે રાજકુમાર સાથે ઝઘડો થયો હતો. જેથી તેઓએ રાજકુમારને બેભાન કરીને ચલથાણ નજીક રેલવે ટ્રેક પર લઈ ગયાં હતાં. જ્યાં ટ્રેક સાથે દોરી વડે હાથ બાંધી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટનામાં હજુ પણ સુનિલકુમાર શ્રવણ તેમજ સુમંત કુમાર આ બે ઈસમો હજુ પણ ફરાર છે. જેથી હત્યાના કામે તેઓને પણ ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા

અફઘાનિસ્તાનમાં અવારનવાર આવતા ભૂકંપની ઘટનાઓ વધી ગઇ છે. આજે વહેલી સવારે જ ફરી એકવાર 4.6 ની તીવ્રતાએ ધરા ધ્રૂજી હતી. જેના કારણે લોકો ફફડી ગયા હતા અને ઊંઘમાંથી જ ઊઠીને ઘર બહાર દોટ મૂકવાની ફરજ પડી હતી.

ભૂકંપનું કેન્દ્ર 50 કિ.મી. ઊંડે હતું 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર 50 કિ.મી. ઊંડે હતું. જોકે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિ કે માલહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ અફઘાનિસ્તાનમાં અનેકવાર ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે જેની અસર ભારતના દિલ્હી તથા ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી ચૂકી છે. 

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

ઇઝરાયલ ઈરાન યુદ્ધ વધુ તીવ્ર બન્યું, ઇરાને ગુપ્તચર વિભાગના નવા વડાની નિયુક્તિ કરી

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને જીવવાનો કોઈ અધિકાર નથી. ઈરાન પછી ભારતીય વિદેશ મંત્રાલયે હવે ઈઝરાયલમાંથી ભારતીય નાગરિકોને પણ બહાર કાઢવાની જાહેરાત કરી છે.

ઈઝરાયલ શું ઇચ્છે છે?
મહત્વનો પ્રશ્ન એ છે કે ઈઝરાયલ શું ઇચ્છે છે? ઈઝરાયલ કહે છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ તેના અસ્તિત્વ માટે ખતરો છે. 13 જૂને જ્યારે તેણે ઈરાન પર હુમલો કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે આ ઈસ્લામિક દેશ પરમાણુ શસ્ત્રો બનાવવાથી માત્ર એક ડગલું દૂર છે. ઈઝરાયલ સ્પષ્ટપણે કહે છે કે તે ઈરાનને એવા પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં જે ફક્ત તેના માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો છે. જો અમેરિકા પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના આ યુદ્ધમાં સામેલ થાય છે, તો ચોક્કસપણે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

ઈરાનનો પરમાણુ કાર્યક્રમ તેના અસ્તિત્વ માટે ખતરો
ઈઝરાયલ કહે છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ તેના અસ્તિત્વ માટે ખતરો છે. 13 જૂને જ્યારે તેણે ઈરાન પર હુમલો કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે આ ઈસ્લામિક દેશ પરમાણુ શસ્ત્રો બનાવવાથી માત્ર એક ડગલું દૂર છે. ઈઝરાયલ સ્પષ્ટપણે કહે છે કે તે ઈરાનને એવા પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં જે ફક્ત તેના માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો છે.
જો અમેરિકા પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના આ યુદ્ધમાં સામેલ થાય છે.તો ચોક્કસપણે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી
આ ઉપરાંત મળતી માહિતી મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે પરંતુ હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન પર હુમલો કરવા માંગતા નથી. પરંતુ જો ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે આવું કરવું જરૂરી બને તો તેઓ કાર્યવાહી કરવા તૈયાર છે.

જસ્ટિસ વર્મા વિરુદ્ધ કાર્યવાહી શરૂ! તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા

0

દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળી આવેલી રોકડ રકમના કેસની તપાસ કરી રહેલી સુપ્રીમ કોર્ટની સમિતિનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે જસ્ટિસ વર્મા વિરુદ્ધ ભ્રષ્ટાચાર થયો છે તે સાબિત કરવા માટે પૂરતા તથ્યો છે. તેમને પદ પરથી દૂર કરવા માટે કાર્યવાહી શરૂ થવી જોઈએ.

દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના સરકારી નિવાસસ્થાનમાં અચાનક આગ લાગવાથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. માર્ચ 2025 માં, તેમના ઘરમાં આગ લાગવાની માહિતી મળતાં, દિલ્હી ફાયર સર્વિસ અને દિલ્હી પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી. દિલ્હી ફાયર સર્વિસ અને પોલીસ અધિકારીઓએ ત્યાં મોટી માત્રામાં રોકડ જોઈ હતી, જેમાંથી ઘણી બધી અડધી બળી ગઈ હતી. બાદમાં, આ સ્થળનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં બળી ગયેલી નોટો જોવા મળી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ, સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ત્રણ ન્યાયાધીશોની એક સમિતિ બનાવી હતી અને તપાસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. આ સમિતિના રિપોર્ટના આધારે, હવે જસ્ટિસ વર્માને તેમના પદ પરથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી શકાય છે.

તપાસ અહેવાલ

  • તપાસ સમિતિએ 10 દિવસમાં 55 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા, ઘણી બેઠકો યોજી અને જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લીધી જ્યાં 14 માર્ચે રાત્રે 11.35 વાગ્યે આગ લાગી હતી.
  • તપાસ સમિતિએ દરેક નિવેદનનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું, જેથી પછીથી તેમની સત્યતાને પડકારી ન શકાય.
  • તપાસ સમિતિના 64 પાનાના અહેવાલના અંતે બે ફકરા તારણ આપે છે કે રોકડ રકમ 30 તુઘલક ક્રેસન્ટ, નવી દિલ્હીના સ્ટોર રૂમમાંથી મળી આવી હતી.
  • તપાસ સમિતિએ સ્પષ્ટતા કરી છે કે સ્ટોર રૂમ સત્તાવાર રીતે જસ્ટિસ વર્માના કબજામાં હતો અને સ્ટોર રૂમ (જ્યાં રોકડ રાખવામાં આવી હતી) સુધી પહોંચ જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યોના ગુપ્ત અથવા સક્રિય નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
  • તપાસ અહેવાલ મુજબ, મજબૂત અનુમાનિત પુરાવાઓના આધારે, એવું સ્થાપિત થયું છે કે બળી ગયેલી રોકડ રકમ ૧૫ માર્ચની વહેલી સવારે નવી દિલ્હીના ૩૦ તુઘલક ક્રેસન્ટ ખાતેના સ્ટોર રૂમમાંથી બહાર કાઢવામાં આવી હતી.
  • રોકડ રકમ એટલી મોટી હતી કે તેને જસ્ટિસ વર્મા અથવા તેમના પરિવારના સભ્યોની મૌન અથવા સક્રિય સંમતિ વિના સ્ટોર રૂમમાં રાખી શકાય નહીં.
  • સમિતિ સમક્ષ 10 સાક્ષીઓએ બળી ગયેલી કે અડધી બળી ગયેલી નોટો જોઈ હોવાનું કબૂલ્યું છે.
  • ઉદાહરણ તરીકે, સમિતિ સમક્ષ એક સાક્ષીએ કહ્યું કે હું અંદર ગયો કે તરત જ મેં જોયું કે જમણી બાજુ અને સામે, ફ્લોર પર ફક્ત 500 રૂપિયાની નોટોનો એક મોટો ઢગલો પડ્યો હતો. મને ખાતરી નથી કે ત્યાં આવી કોઈ 500 રૂપિયાની નોટો હતી કે નહીં. હું ચોંકી ગયો અને આટલી મોટી રકમ રોકડ ફ્લોર પર વેરવિખેર હતી, જે મેં મારા જીવનમાં પહેલી વાર જોઈ.
  • તપાસ સમિતિએ જસ્ટિસ વર્માના અંગત સચિવ રાજિન્દર સિંહ કાર્કી અને તેમની પુત્રી દિયા વર્મા દ્વારા કથિત રીતે પુરાવાનો નાશ કરવામાં અથવા આગ સ્થળ સાફ કરવામાં શંકાસ્પદ ભૂમિકાની પણ તપાસ કરી.
  • કથિત રીતે, કાર્કીએ આગ બુઝાવનારા ફાયરમેનને તેમના રિપોર્ટમાં નોટો બળી જવાનો ઉલ્લેખ ન કરવા અને બીજા દિવસે રૂમ સાફ કરવા સૂચના આપી હતી, જેનો તેમણે ઇનકાર કર્યો હતો. પરંતુ અન્ય સાક્ષીઓના નિવેદનો અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ તેનાથી વિપરીત સાબિત થયા.

સાક્ષીઓએ જણાવ્યું હતું કે રોકડનો ઢગલો લગભગ 1.5 ફૂટ ઊંચો હતો
માર્ચ 2025 જયારે જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને અચાનક આગ લાગી ત્યારે આ રોકડ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. આગ ઓલવવા પહોંચેલા દિલ્હી ફાયર સર્વિસ અને પોલીસ અધિકારીઓએ ત્યાં મોટી માત્રામાં રોકડ જોઈ, જેમાંથી અડધી બળી ગઈ હતી. કેટલાક સાક્ષીઓએ જણાવ્યું હતું કે રોકડનો ઢગલો લગભગ 1.5 ફૂટ ઊંચો હતો અને 500 રૂપિયાની નોટો ચારે બાજુ વિખરાયેલી હતી. આ ઉપરાંત તપાસ સમિતિએ જણાવ્યું કે ફક્ત જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યો જ તે રૂમમાં પ્રવેશ કરી શકતા હતા. તેઓ બાદમાં રૂમ સાફ કરવામાં આવ્યા અને ત્યાંથી બધી નોટો ગાયબ થઈ ગઈ.

હવામાન વિભાગનો રેઈન અલર્ટ: આગામી 24 કલાકમાં 6 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે, અને ચોમાસું સંપૂર્ણપણે સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે, જેમાં ડાંગ જિલ્લાના આહવામાં 9.8 ઇંચ, કપરાડામાં 9.5 ઇંચ, વઘઈમાં 7.7 ઇંચ અને સુબીરમાં 7.6 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે, હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરુવારે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

આ સિવાય, ગુજરાતના 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માર્ગો બંધ અને ડેમની સ્થિતિ
ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે વરસેલા ભારે વરસાદને કારણે રાજ્યના 134 માર્ગો બંધ થયા છે. જેમાં 10 સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતાં કે અન્ય કોઈ કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. જ્યારે 28 અન્ય માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઈવે પણ ભારે વરસાદને કારણે બંધ કરાયો છે, જે દર્શાવે છે કે વરસાદની અસર કેટલી વ્યાપક છે.

જાપાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા

વિશ્વમાં અત્યારે સ્થિતિ ખૂબ જ ભયાનક ચાલી રહી છે. યુદ્ધના વાદળ તો દરેક દેશો પર મંડરાઈ રહ્યાં છે. તેવામાં ભૂકંપની ઘટનાઓ પણ વધી રહી છે. જાપાન આજે એક પ્રચંડ ભૂકંપથી હચમચી ઉઠ્યું છે. જાપાનના હોક્કાઇડો કિનારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધાઈ છે. જાપાન હવામાન એજન્સીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.

જાપાન હવામાન એજન્સીએ કહ્યું કે, ગુરુવારેના રોજ જાપાનના હોક્કાઇડો ક્ષેત્રમાં નેમુરો દ્વીપકલ્પના દક્ષિણપૂર્વ કિનારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 42.8 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 146.4 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જોવા મળ્યું છે.

જાપાનમાં મોટાભાગે ભૂકંપ આવે એટલે સુનામીની આગાહી કરવામાં આવતી હોય છે. જોકે હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી, ભૂકંપના જોરદાર આંચકાથી આ વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. અત્યારે ભૂકંપ ખૂબ જ આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા પણ 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.