HomeNationalપશ્ચિમ બંગાળમાં ભયાનક માર્ગ અકસ્માત, પુરુલિયા-ટાટા હાઈવે પર 9 લોકોના દુઃખદ મોત

પશ્ચિમ બંગાળમાં ભયાનક માર્ગ અકસ્માત, પુરુલિયા-ટાટા હાઈવે પર 9 લોકોના દુઃખદ મોત

Date:

Related stories

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી...

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં પુરુલિયા-ટાટા નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પુરુલિયાથી ઝારખંડ જઈ રહેલી બોલેરોને એક ટ્રકે ટક્કર મારી હતી. જેમાં અકસ્માતમાં 9 લોકોના દુઃખદ મોત થયા છે. પોલીસે ટ્રકને કબજે કરી લીધી છે અને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના બલરામપુર પોલીસ સ્ટેશન હેઠળના નામસોલ ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-18 પર શુક્રવારે સવારે લગભગ સાત વાગે ટ્રેલર અને બોલેરોની ટક્કરમાં બોલેરોમાં સવાર નવ લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં આઠ નીમડીહ પોલીસ સ્ટેશન હેઠળના લાકડી ગામના તિલાઈટાંડ નિવાસી બીરૂ મહતો, અજય મહતો, વિજય મહતો, સ્વપન મહતો, ગુરુપદ મહતો, શશાંક મહતો, ચિત્ત મહતો, કૃષ્ણા મહતો છે અને એક વ્યક્તિ ચંદ્રમોહન મહતો નીમડીહ પોલીસ સ્ટેશનના રઘુનાથપુરનો નિવાસી છે.

પ્રાથમિક અહેવાલ અનુસાર કેટલાક લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે કેટલાક ઘાયલ લોકોને બલરામપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા દરમિયાન દમ તોડી દીધો હતો. ઘટનાની જાણકારી પછી તિલાઈટાંડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. બધા લોકો ઈચાગઢ પોલીસ સ્ટેશનના ચિરુગોડા ગામથી બરાબઝાર પોલીસ સ્ટેશનના અદાબના ગામે લગ્નની વિધિ માટે ગયા હતા. પરત ફરતી વખતે આ ભયંકર માર્ગ અકસ્માત થયો.

Subscribe

Latest stories