Home Blog Page 402

સુરત: GCASમાં પ્રવેશ પ્રક્રિયામાં વિલંબથી ABVPનો ઉગ્ર વિરોધ, કુલપતિને કરી રજૂઆત

સુરતના GCASમાં પ્રવેશ પ્રક્રિયા ધીમી હોવાના કારણે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે આજે અખિલ ભારતીય વિદ્યાર્થિ પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધીને GCASના વિરોધમાં આંદોલન કર્યું અને તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયા ઝડપી કરવામાં આવે એવી માંગ ઉઠાવી છે.

વિદ્યાર્થીઓનો યુનિવર્સિટી ગેટ પાસે ઉપગ્રહ વિરોધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. GCASમાં અનેક ત્રુટીઓ હોવાને કારણે વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. એક જ પ્લેટફોર્મ ઉપરથી મેરીટ તૈયાર થઈ ગયા બાદ વિદ્યાર્થીઓને સંલગ્ન કોલેજોની અંદર પ્રવેશ આપવા માટે સરકાર દ્વારા આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. જો કે આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલ પુરવાર થઈ રહે છે. જેનો વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને કરવામાં આવી રહ્યો છે.

ખાનગી યુનિવર્સિટીને પણ GCAS અંતર્ગત લાવો
ABVPના યુનિવર્સિટી કેમ્પસ પ્રમુખ શુભમ સિંઘે જણાવ્યું કે, GCAS અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી આવી રહી છે, જેને કારણે વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી છોડીને ખાનગી યુનિવર્સિટી તરફ વળી રહ્યા છે. અમારી એવી માંગણી છે કે, GCAS અંતર્ગત ખાનગી યુનિવર્સિટીઓને પણ લેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓની મેરીટના આધારે પારદર્શકતાથી પ્રવેશ લઈ શકે. અનેક પ્રકારની ત્રુટીઓને કારણે વિદ્યાર્થીઓમાં GCASને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શ્રીનગરમાં ગરમીએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 35.5 ડિગ્રી સુધી પહોચી ગયું

0

શ્રીનગરમાં ભારે ગરમીએ 20 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. શ્રીનગરનું તાપમાન 35.5 ડિગ્રી સુધી પહોચી ગયુ હતું જે દિલ્હીના મહત્તમ તાપમાનથી 1.1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું.

આ ભૌગોલિક પરિવર્તને સ્પષ્ટ કર્યું છે કે ગ્લોબલ વોર્મિંગના પ્રભાવથી પહાડી વિસ્તાર ઝડપથી ગરમ થઇ રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં જૂન મહિનામાં ભારે ગરમી પડી હતી, જોકે થોડા દિવસોથી શરુ થયેલા વરસાદે વાતાવરણ ઠંડુ બનાવ્યું છે. જોકે આજે શુક્રવારે દિલ્હીથી વધુ ગરમી પહાડી શહેર શ્રીનગરના લોકોએ અનુભવી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે શ્રીનગરનું મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા 6.8 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. તે જ સમયે, દિલ્હીનું મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શ્રીનગરમાં ભારે ગરમીએ 20 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.

સામાન્ય રીતે શ્રીનગર ન વધુ ઠંડી કે ન વધુ ગરમી વાળુ શહેર છે, પરંતુ ચાલુ વર્ષ 2025માં ગરમીએ શ્રીનગરનો 20 વર્ષનો રેકોર્ડ તોડયો છે. 2005 બાદ પ્રથમ વાર શ્રીનગરમાં આટલી વધુ ગરમી પડી છે.

ઈરાને ટ્રમ્પને ચેતવણી આપી, “અમેરિકા જો ઈઝરાયલ યુદ્ધમાં કૂદશે તો પરિણામ ઘાતક હશે”

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે જો અમેરિકા ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં સક્રિય રીતે સામેલ થશે, તો તે “દરેક વ્યક્તિ માટે અત્યંત ખતરનાક” હશે. તેમણે કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લશ્કરી હસ્તક્ષેપ પર વિચાર કરી રહ્યા છે. આ “અત્યંત દુર્ભાગ્યપૂર્ણ” છે.

જ્યાં સુધી ઇઝરાયલી હુમલા ચાલુ રહેશે ત્યાં સુધી અમેરિકા સાથે કોઈ વાતચીત નહીં થાય: ઈરાન
અરાઘચીએ ઇસ્તંબુલમાં પત્રકારો સાથે વાત કરતી વખતે આ વાત કહી. તેઓ જીનીવામાં યોજાયેલી વાટાઘાટો પછી પરત ફરી રહ્યા હતા. આ વાટાઘાટોમાંથી કોઈ મહત્વપૂર્ણ રાજદ્વારી ઉકેલ નીકળી શક્યો નહીં. વાટાઘાટોના અંતે, અરાઘચીએ કહ્યું કે તેઓ વધુ વાટાઘાટો માટે ખુલ્લા છે, પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ઇઝરાયલ હુમલાઓ ચાલુ રાખશે ત્યાં સુધી ઈરાનને અમેરિકા સાથે વાટાઘાટોમાં કોઈ રસ નથી.

મુસાફરોએ એર ઈન્ડિયાના ઉડતાં વિમાનના દરવાજે ડૂચા માર્યા

0

દિલ્હીથી હોંગકોંગ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે 1 જૂનના રોજ ઉડાન ભર્યાના લગભગ એક કલાક પછી બોઇંગ 787 વિમાનનો દરવાજો ધ્રુજવા લાગ્યો હતો અને સિસકારા અને ગર્જનાનો અવાજ સંભળાયો હતો.

એર ઇન્ડિયાના ફ્લાઇટ એટેન્ડન્ટ્સે દરવાજાની ટોચ પરના પાતળા ગાબડામાં કાગળના નેપકિન લગાવ્યા અને તેને સીલ કરવા અને શાંત કરવા માટે દબાણ કર્યું, જ્યારે ફ્લાઇટ તેના ગંતવ્ય સ્થાન પર ચાલુ રહી અને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું.

ઉડાન દરમિયાન B787 ના દરવાજા પર બડબડાટ થવાનો આ પહેલો કિસ્સો નહોતો. એરલાઇન્સ દ્વારા ઓછામાં ઓછા ત્રણ અન્ય કિસ્સાઓ નોંધાયા હતા, જેમાં પહેલો કિસ્સો 2019 માં જાપાન એરલાઇન્સ દ્વારા અને પછી 2022 માં બે કિસ્સાઓ જર્મન કેરિયર TUI એરલાઇન્સ અને અમેરિકન એરલાઇન્સનો સમાવેશ થાય છે. ત્રણેય કિસ્સાઓમાં, દરવાજાના અવાજને કારણે પાઇલટ્સે ફ્લાઇટને મૂળ એરપોર્ટ પર પાછી વાળી હતી.

12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા દુર્ઘટનામાં ૨૭૫ લોકોના મોત થયા હતા, ત્યારબાદ બોઇંગ 787વિમાન અને તેની આસપાસની સલામતીની ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હોંગકોંગ જતી ફ્લાઇટમાં બનેલી ઘટના તે પહેલાં પણ બની હતી.

મુસાફરોને આવી ઘટનાઓ ચિંતાજનક લાગી શકે છે, પરંતુ દરવાજાનો ફફડાટ ઉડાન સલામતી માટે કોઈ મોટો ખતરો નથી, અને વિમાનના દરવાજા ઉડાન દરમિયાન ખુલતા નથી, એમ પાઇલોટ્સે જણાવ્યું હતું.

આ ઘટના ફ્લાઇટ AI-314 માં બની હતી જે દિલ્હીથી રાત્રે 11.45 વાગ્યે ઉપડી હતી, જે તેના નિર્ધારિત સમય કરતાં એક કલાક વધુ સમય પછી હતી. “ટેકઓફ કર્યાના લગભગ એક કલાક પછી, દરવાજો ધ્રુજવા લાગ્યો અને અવાજ થવા લાગ્યો. એવું લાગતું હતું કે હવાના દબાણને કારણે દરવાજાનું સીલ તૂટી ગયું છે,” સોશિયલ મીડિયા પર એક તાજેતરની પોસ્ટમાં એક મુસાફરને ટાંકીને કહેવામાં આવ્યું છે.
બધા સલામતી પરિમાણો પાલનમાં જોવા મળ્યા: એર ઇન્ડિયા

એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્લાઇટ ઓપરેશન્સ માટે મંજૂરી આપતા પહેલા વિમાન અનેક એન્જિનિયરિંગ તપાસમાંથી પસાર થાય છે, જેમાં સલામતીના મુદ્દાઓને ટોચની પ્રાથમિકતા આપવામાં આવે છે, અને 1 જૂનના રોજ દિલ્હી-હોંગકોંગ ફ્લાઇટ પણ આ પ્રક્રિયામાંથી પસાર થઈ હતી.

“ઉડાન દરમ્યાન સુશોભિત દરવાજાના પેનલમાંથી એક સિસકારાનો અવાજ આવવા લાગ્યો, અને સલામતી માટે કોઈ જોખમ નથી તે મૂલ્યાંકન કર્યા પછી, ક્રૂએ અવાજ ઓછો કરવા માટે પગલાં લીધાં. હોંગકોંગ એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી, એન્જિનિયરિંગ ટીમ દ્વારા વિમાનની તપાસ કરવામાં આવી.

“તમામ સલામતી પરિમાણોનું પાલન થતું હોવાનું જાણવા મળ્યું અને વિમાનને સેવા માટે મંજૂરી આપવામાં આવી. હોંગકોંગથી દિલ્હી જતી પરત ફ્લાઇટ A1315 દરમિયાન આવો કોઈ અવાજ થયો ન હતો. અમે પુનરાવર્તિત કરવા માંગીએ છીએ કે અમારા ગ્રાહકો અને ક્રૂની સલામતી ટોચની પ્રાથમિકતા છે,” એર ઇન્ડિયાના નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે.

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ પર સોનિયા ગાંધીની ચિંતા, કેન્દ્ર સરકારની નીતિ પર ઉઠાવ્યા સવાલ

0

કોંગ્રેસના ચેરપર્સન અને સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ઇરાન ઇઝરાયેલ યુદ્ધને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે અને ઇઝરાયેલ હુમલાની ટીકા કરી છે. સોનિયા ગાંધીએ ભારત સરકારના ચુપ રહેવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. એક લેખમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, ઇઝરાયેલ ખુદ પરમાણુ શક્તિ છે પરંતુ ઇરાનને પરમાણુ હથિયાર ના હોવા પર પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ ઇઝરાયેલનું ડબલ માપદંડ છે.

ઈઝરાયલ અને ભારત વચ્ચેના સંબંધો પર સોનિયા ગાંધીએ લખ્યું કે, ‘છેલ્લા કેટલાક દાયકાઓથી ભારત અને ઈઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો પણ વધુ મજબૂત બની રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિમાં ભારત પાસે શાંતિ અને સંવાદનો સેતુ બનવાની રાજદ્વારી શક્તિ અને નૈતિક જવાબદારી છે. આ પશ્ચિમ એશિયાના દેશોમાં રહેતા અને કામ કરતા તમામ નાગરિકોની સલામતીનો મામલો છે. તેમની સુરક્ષાને ગંભીરતાથી લેતા, કેન્દ્ર સરકારે વિદેશી રાજદ્વારીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવું પડશે.’

સાતમી ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાની સોનિયા ગાંધીએ નિંદા કરી છે. તેમણે ઇઝરાયલ દ્વારા હમાસ પર કરવામાં આવેલા બદલાને ભયાનક અને અપ્રમાણસર ગણાવ્યો હતો. તેમણે લખ્યું કે, ‘આવા ભયાનક હુમલા સામે ભારત ચૂપ રહી શકે નહીં. 55,000થી વધુ પેલેસ્ટિનિયનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘરો અને હોસ્પિટલો ધરાશાયી થઈ છે. ગાઝા દુષ્કાળની આરે છે અને ત્યાંના લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.’

મોદી સરકાર પર નિશાન સાધ્યું
મોદી સરકાર પર નિશાન સાધતા સોનિયા ગાંધીએ લખ્યું, ‘મોદી સરકારે ભારતની સાંસ્કૃતિક અને પરંપરાગત નીતિ જેમાં બે-રાષ્ટ્રના સમાધાનની નીતિ છે. તેમણે આ નીતિની પ્રતિબદ્ધતાનો ત્યાગ કરી દીધો છે. જેમાં એક સ્વતંત્ર પેલેસ્ટાઇનની કલ્પના કરવામાં આવે છે, જે પરસ્પર સુરક્ષા અને આદર સાથે ઈઝરાયલ સાથે ખભે ખભો મિલાવીને રહી શકે.’

આવતીકાલે ગુજરાતની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે

ગુજરાત રાજ્યમાં આવતીકાલે, 22મી જૂને, ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાનારા આ મતદાનમાં અંદાજે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીઓના પરિણામ 25મી જૂને જાહેર કરવામાં આવશે.

રવિવારે યોજાનારી આ ચૂંટણીઓમાં કેટલીક જગ્યાએ રદબાતલની જાહેરાત કરવામાં આવી છે. કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓના કારણે કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી છે.

ચૂંટણી પંચના આંકડા મુજબ, કુલ 4,564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. આથી, કુલ 3,541 પંચાયતોમાં સામાન્ય, વિભાજન તથા મધ્યસત્ર હેઠળ અને 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે. રાજ્યભરમાં કુલ 3,656 સરપંચ અને 16,224 સભ્યપદ માટે ચૂંટણી યોજાશે.

મતદાન પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે રાજ્યભરના 10,479 મતદાન મથકો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પૈકી, 3,939 સંવેદનશીલ અને 336 અતિ સંવેદનશીલ મથકો તરીકે ઓળખ કરવામાં આવી છે. મતદારો માટે EPIC કાર્ડ ફરજિયાત રહેશે, તેમ છતાં અપવાદરૂપ પરિસ્થિતિમાં માન્ય 14 ઓળખ દસ્તાવેજોમાંથી કોઈ એક સાથે પણ મતદાન કરી શકાશે. મતદાન પત્ર દ્વારા કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તેમજ પેટ્રોલીંગ ટીમ તહેનાત કરવામાં આવશે. ચૂંટણીના 48 કલાક પહેલાંથી જાહેર સભા અને જાહેર રોશનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં 4,000થી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, અને વધુ 1,400 પંચાયતોની મુદત 30મી જૂન, 2025ના રોજ પૂર્ણ થવાની છે. આ ચૂંટણીઓ 27% OBC, 14% ST અને 7% SC અનામત બેઠકો સાથે યોજાશે, જે ગુજરાત સરકારના ઓગસ્ટ 2023ના નિર્ણય અને જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણોને અનુરૂપ છે. રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ વિકાસને ગતિ આપવા આ ચૂંટણીઓને સરળ અને પારદર્શી બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. નાગરિકોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી અને આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ભયજનક વધારો, 912 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાને કહેર વરતાય રહ્યો છે. પાછલા ઘણા સમયથી કોરોના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત દેશમાં પણ કોરોના એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત દેશનું સૌથી વધુ કોરોના કેસ ધરાવતું રાજ્ય બની ચૂક્યું છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધવમાં આવ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આરોગ્ય સુવિધાઓ અને નિયંત્રણના પગલાં વધુ મજબૂત કર્યા છે. નાગરિકોને સાવચેતી રાખવા અને સ્વાસ્થ્ય માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

કેરળ પછી ગુજરાતમાં સૌથી વધુ કેસ
દેશમાં કોરોનાના એક્ટિવ કેસની દ્રષ્ટિએ કેરળ 1,184 કેસ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગુજરાત 912 કેસ સાથે બીજા ક્રમે છે. પશ્ચિમ બંગાળ 747 કેસ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં નોંધાયેલા કેસોમાંથી અડધાથી વધુ અમદાવાદના છે, જ્યારે અમદાવાદમાં ગત 24 કલાકની વાત કરવામાં આવે તો, એક દિવસમાં 39 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જે બાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 589 સુધી પહોંચી છે.

અમદાવાદમાં કેસોનો ઉછાળો
અમદાવાદમાં 589 એક્ટિવ કેસમાંથી 12 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બાકીના હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી મોટાભાગના બીજા રોગો સાથે પણ સંકળાયેલા છે, પરંતુ તેમની તબિયત સુધરી રહી છે. કોઈ પણ અણધારી પરિસ્થિતીને પહોંચી વળવા રાજ્ય સરકારે હોસ્પિટલોને ઓક્સિજન બેડ અને ઇન્ટેન્સિવ કેર યુનિટ તૈયાર રાખવા સૂચના આપી છે,

ગુજરાતમાં એક જ દિવસમાં 134 નવા કેસ નોંધાયા, પરંતુ 134 દર્દીઓ સાજા પણ થયા. જાન્યુઆરીથી 20 જૂન સુધી રાજ્યમાં કુલ 2,371 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગે નાગરિકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ફ્લૂ જેવા લક્ષણો દેખાતાં તાત્કાલિક તબીબી સલાહ લેવા જણાવ્યું છે.

વિધવા, વૃદ્ધો અને દિવ્યાંગોને હવે મળશે ₹1100 પેન્શન, નીતિશ સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

0

બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની NDA સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને વિધવાઓ, વૃદ્ધો અને અપંગ લોકોના પેન્શનમાં વધારો કર્યો છે. સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ, આ લોકોને હવે દર મહિને 1100 રૂપિયા મળશે. પહેલા તેમને દર મહિને 400 રૂપિયા મળતા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ નિર્ણયની જાહેરાત કરી છે.

જુલાઈ મહિનાથી વધેલું પેન્શન મળશે
સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ, જુલાઈ મહિનાથી બધા લાભાર્થીઓને વધેલા દરે પેન્શન મળશે. આ સાથે, સીએમ નીતીશે એવી પણ જાહેરાત કરી છે કે આ રકમ મહિનાની 10 તારીખ સુધીમાં બધા લાભાર્થીઓના ખાતામાં જમા થઈ જશે. બિહાર સરકારના આ નિર્ણયથી 1 કરોડ 9 લાખ 69 હજાર 255 લાભાર્થીઓને ઘણી મદદ મળશે.

ખરેખર, બિહારમાં થોડા મહિનાઓ પછી ચૂંટણીઓ યોજાવાની છે, આવી સ્થિતિમાં, નીતીશ સરકારનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ બિહાર સરકારે રોજગાર સર્જન અને વિકાસ માટે ઘણા નિર્ણયો લીધા હતા.

બિહાર સરકારના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પર એક નજર

રોજગાર સર્જન
સરકારી શાળાઓ માટે કુલ 3,921 નવી જગ્યાઓ બનાવવામાં આવી છે, જેમાં 2,859 મુખ્ય શિક્ષક અને આચાર્ય પદનો સમાવેશ થાય છે.
આરોગ્ય સેવાઓ સુધારવા માટે, 20 હજારથી વધુ નવી જગ્યાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનમાં કૃષિ વિભાગમાં લગભગ 2,590 ક્લાર્ક ગ્રેડની જગ્યાઓ અને ડેટા એન્ટ્રી ઓપરેટરોની 35 નવી જગ્યાઓ માટે મંજૂરી આપવામાં આવી છે. એકંદરે, 27,000 થી વધુ જગ્યાઓ પર નિમણૂકનો માર્ગ મોકળો થયો છે.

ઉદ્યોગ

  • બિહાર લઘુ ઉદ્યોગ યોજના હેઠળ, ગરીબ પરિવારોને પોતાનો નાનો ઉદ્યોગ શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય બેરોજગારી દર ઘટાડવાનો છે.
  • ઔદ્યોગિક વિકાસ: ગયામાં એક ઔદ્યોગિક કેન્દ્ર વિકસાવવાની અને ભાગલપુરના પીરપૈંટી ખાતે 2400 મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ

  • ચોથા કૃષિ માર્ગ નકશા હેઠળ, ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે વધુ સારું બજાર મળી શકે તે માટે કૃષિ માર્કેટિંગ નિયામકની રચના કરવામાં આવી છે.
  • “દરેક ખેતરને સિંચાઈ પાણી” હેઠળ, બીજ વિતરણ માટે મુખ્યમંત્રી ખાનગી ટ્યુબવેલ યોજના અને મુખ્યમંત્રી ઝડપી બીજ વિસ્તરણ યોજના ચલાવવામાં આવી રહી છે.
  • “પહેલા આવો, પહેલા સેવા આપો” યોજના હેઠળ, ખેડૂતોને શાકભાજીના ઉત્પાદન માટે 80% સુધીની સબસિડી આપવામાં આવશે.

માળખાગત સુવિધાઓ અને વિકાસ

  • એક્સપ્રેસ વેનું નિર્માણ: પટનાથી પૂર્ણિયા, બક્સરથી ભાગલપુર અને બોધગયાથી દરભંગા સુધીના નવા એક્સપ્રેસવેના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
  • એરપોર્ટ: પૂર્ણિયા એરપોર્ટથી ટૂંક સમયમાં ફ્લાઇટ્સ શરૂ કરવાની અને રાજગીર અને રક્સૌલમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની યોજના છે. આ ઉપરાંત, વાલ્મીકિનગર, મુંગેર અને સહરસા જેવા શહેરોમાં નાના વિમાનો માટે ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવશે.
  • શહેરી વિકાસ: ઔરંગાબાદના જામહોર અને પૂર્વ ચંપારણના મધુબનને નગર પંચાયતનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઉપરાંત, પટનામાં ત્રણ ફાઇવ-સ્ટાર હોટલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

ઈરાનના સેમનાન પ્રાંતમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન દ્વારા ઈઝરાયલ પર જોરદાર રીતે મિસાઈલોના એક પછી એક પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ઈઝરાયલ દ્વારા ફાઇટર જેટ દ્વારા સતત ઈરાનના મહત્ત્વના સંરક્ષણ, પરમાણુ અને અન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એવા અહેવાલ આવી રહ્યા છે. મધ્ય ઈરાનના સેમનાન પ્રાંતમાં 20 જૂનની રાતે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેના લીધે લોકોમાં ડર ફેલાયો હતો. જોકે હજુ સુધી આ ભૂકંપની કોઈ મોટા નુકસાનની માહિતી સામે આવી નથી.

સ્થાનિક સમયાનુસાર ભૂકંપ રાતે 8:49 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 5.1 મપાઈ હતી. આ આંચકો સેમનાન શહેરથી 36 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં નોંધાયો હતો. યુરોપતિન ભૂમધ્યસાગર સિસ્મોલોજી સેન્ટર, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિઝ અને નાગરિક સિસ્મોગ્રાફ નેટવર્કે પણ આ ભૂકંપની પુષ્ટી કરી હતી. તેનું કેન્દ્ર જમીનથી 35 કિ.મી. ઊંડે હોવાનું જણાવાયું હતું.

ઇઝરાયેલ સામે ઇરાનના યુદ્ધ વચ્ચે શુક્રવાર મોડી રાત્રે ઇરાનમાં કઇક એવું થયું જેને નવી થિયરીને જન્મ આપ્યો છે. ઇરાનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદ અટકળો લાગી રહી છે કે ઇરાને કોઇ પરમાણુ પરીક્ષણ તો નથી કરી નાખ્યું. આ ભૂકંપ 20 જૂને સ્થાનિક સમય અનુસાર રાત્રે 9.19 વાગ્યે આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાનના પરમાણુ ઠેકાણાને ખતમ કરવાની સોગંધ ખાધી છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

વડનગરના શર્મિષ્ઠા તળાવે 2,121 યોગપ્રેમીઓએ ભુજંગાસનથી રચ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં ગુજરાતમાં એક નવો વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યના વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ભુજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડનગરમાં 2,000 થી વધુ ઉત્સાહી સહભાગીઓએ એકસાથે ભુજંગાસન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

ગુજરાતમાં યોગ દિવસે વિશ્વ રેકોર્ડ બન્યો તે માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છાઓ આપી છે. ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે વડનગરના મનોહર શર્મિષ્ઠા તળાવ પર 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કર્યું, જેનાથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. ભુજંગાસન કરોડરજ્જુની સુગમતામાં સુધારો કરે છે, પીઠને મજબૂત બનાવે છે અને ફેફસાંની ક્ષમતામાં વધારો કરે છે. ગુજરાતના લોકોને આ વિશ્વ રેકોર્ડ માટે અને સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યેની તમારી વધતી સભાનતા માટે અભિનંદન’

હર્ષ સંઘવીએ પણ ગુજરાતના લોકોને શુભેચ્છાઓ પાઠવી
આના પર રાજ્ય ગૃહ મંત્રીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડનગરમાં 2,000 થી વધુ ઉત્સાહી સહભાગીઓએ એકસાથે ભુજંગાસન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ અદ્ભુત સિદ્ધિ પ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીની અતૂટ પ્રેરણા અને સ્વ-ઉપચાર અને સર્વાંગી સુખાકારીના માર્ગ તરીકે યોગને અપનાવવાના લોકોના સામૂહિક સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.