Home Blog Page 391

GSTમાં મોટી છૂટછાટ: 12% ટેક્સ સ્લેબ હટાવવાની તૈયારી

સરકાર GSTમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. સરકાર GST દરોમાં બદલાવને લઈને ગંભીરતાથી વિચારી રહી છે. ખાસ કરીને 12 ટકા વાળા સ્લેબને પૂરી રીતે દૂર થવાની શક્યતા છે. એ સાથે જ 12 ટકા સ્લેબમાં આવતો કેટલીક આવશ્યક ચીજવસ્તુઓને પાંચ ટકા સ્લેબમાં લાવવાનો વિચાર ચાલી રહ્યો છે. ચાલુ મહિને GST કાઉન્સિલની બેઠક યોજાઈ શકે છે, જેમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. GST 1 જુલાઈ, 2017થી લાગુ કરવામાં આવ્યો હતો.

શું 12 ટકાના સ્લેબને જ નાબૂદ કરવામાં આવશે?
સરકાર GSTના 12 ટકાના સ્લેબમાં યાદીમાં રહેલી મોટાભાગની વસ્તુઓને 5 ટકાના સ્લેબમાં મુકવાનો અથવા તો આ વસ્તુઓ પરના 12 ટકાના સ્લેબને જ નાબૂદ કરવા પર વિચાર કરી રહી છે. જ સમાન્ય લોકો માટે ઘણી ફાયદાકારક વાત સાબિત થવાની છે. સામાન્ય લોકો દ્વારા રોજિંદા ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ આ જ શ્રેણી એટલે કે 12 ટકાના સ્લેબમાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે GST કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, આ મામલે હજી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વિશ્વસનીય સૂત્રો દ્વારા આ જાણકારી મળી રહી છે.

8 વર્ષ બાદ ફરી સરકાર એક નવો ફેરફાર કરવા માટે કરશે વિચારણા
ભારતમાં રહેતા દરેક વ્યક્તિને જીએસટી ભરવો પડે. GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને દેશભરમાં એક જ કર પ્રણાલી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. જેથી વિવિધ કરને એકસાથે જોડી શકાય. મહત્વની વાત એ છે કે, હવે 8 વર્ષ બાદ ફરી સરકાર એક નવો ફેરફાર કરવા માટે વિચારણા કરી રહી છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોને મોટો ફાયદો થવાનો છે. સરકાર દ્વારા જીએસટીમાં જે ફેરફાર કરવામાં આવશે તેના કારણે સામાન્ય વર્ગમાં આવતા દરેક પરિવારો પરથી ખર્ચનું ભારણ ઓછું થઈ જવાનું છે.

ભારતમાં હાલ 5%, 12%, 18% અને 28% ચાર GST સ્લેબ છે
જો કે, આ ટેક્સ સ્લેબના કેટલીક વસ્તુઓ સસ્તી થશે તો સામે કેટલીક વસ્તુઓ મોંઘી પણ થવાની છે. જેમાં તંબાકુ, પાન મસાલા, કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. ભારતમાં GST વર્ષ 2017 માં લાગુ કરવામાં આવ્યો હતો અને છેલ્લા કાર્યકારી દિવસે, 1 જુલાઈના રોજ તેને આઠ વર્ષ પૂર્ણ થયા છે. GST દરો જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ તેમને બદલવાના કોઈપણ નિર્ણયમાં સામેલ હોય છે. ભારતમાં હાલમાં ચાર GST સ્લેબ છે. 5%, 12%, 18% અને 28%. જેમાં અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, નાસ્તો અને મીઠાઈઓ ઉપરાંત, સોના-ચાંદી અને અન્ય તમામ ચીજવસ્તુઓને વિવિધ શ્રેણીઓ અનુસાર આ ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે.

દેશભરમાં મુશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી તબાહી મચી, મંડીમાં 10 લોકોના મોત

0

દેશભરમાં ચોમાસાની ગતિ વધી હોવાથી હવામાને ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ, વાદળ ફાટવા અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી હતી, જ્યાં વાદળ ફાટવા અને અચાનક પૂરને કારણે 10 લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા લોકો ગુમ છે. NDRF, SDRF અને સ્થાનિક પોલીસ બચાવ કાર્ય માટે સતત કામગીરી કરી રહી છે. ભારે વરસાદને કારણે બિયાસ નદીમાં પૂર આવ્યું છે અને રાજ્યમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ભારે વરસાદના કારણે મંડી જિલ્લો ભારે તબાહી
આ ઉપરાંત છેલ્લા 11 દિવસમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 356.67 કરોડનું નુકસાન થયું છે. તેમજ વરસાદના કારણે સૂબેના મંડી જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ છે. મંડીમાં છેલ્લા 32 કલાકમાં રેસ્ક્યુ ઓપરેશનમાં 316 લોકોને બચાવવામાં આવ્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર, મંડીમાં વાદળ ફાટવાની કુલ 10 ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે ભારે વિનાશ, જાનહાનિ અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ
આ ઉપરાંત રાજ્યમાં અચાનક પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં બધી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. આથી કટોકટી સેવાઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 287થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં મંડીમાં 233થી વધુ, હમીરપુરમાં 51 અને ચંબામાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પશુઓ અને ગૌશાળાઓને પણ નુકસાન થયું છે.

ભારતીય હવામાન વિભાગે 2 જુલાઈના રોજ પૂર્વી રાજસ્થાન, ગુજરાત ક્ષેત્ર, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25400 નીચે, બજાજ ફાઇનાન્સમાં વેચવાલી

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી એશિયન બજારોના મજબૂત સંકેતના પગલે વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ ખુલ્યા બાદ 200 પોઇન્ટ અને નિફ્ટી 70 પોઇન્ટ જેટલો વધ્યો હતો. શેરબજારમાં સુધારાનું કારણ આઇટી સ્ટોકમાં તેજી છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ મજબૂત ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકાની સંસદમાં ટ્રમ્પનું ટેક્સ અને ખર્ચ બિલ પાસ થતા શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે યુએસ બોન્ડની યીલ્ડ વધીને 4.25 ટકા એ પહોંચી ગઇ છે.

સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા બાદ ફ્લેટ
સેન્સેક્સ બુધવારે 93 પોઇન્ટ વધી 83790 ખુલ્યો હતો. આજે આઈટી અને ઓટો શેરમાં તેજીથી સેન્સેક્સ 220 પોઇન્ટ જેટલો વધીને 83935 ઉપર સુધી પહોંચ્યો હતો. મંગળવારે 91 પોઇન્ટ વધીને 83697 લેવલ પર બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી ઉંચા ગેપમાં 25588 ખુલીને 70 પોઇન્ટ વધી 25608 સુધી ગયો હતો.

શું કોરોના વેક્સિનના કારણે થઈ રહી છે અચાનક મૌત? ICMR-AIIMS સંશોધનનો દાવો

0

પાર્ટીઓમાં નાચતી વખતે, લગ્નમાં જયમાલ દરમિયાન, જીમમાં ટ્રેડવેલ પર દોડતી વખતે, ડમ્બેલ્સ ઉપાડતી વખતે લોકોને હૃદયરોગનો હુમલો આવ્યો છે અને તરત જ મૃત્યુ પામ્યા છે. આવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેણે લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. તાજેતરમાં કર્ણાટકના હસન જિલ્લામાં 40 દિવસમાં 20 થી વધુ લોકો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા હતા. આ અંગે ચર્ચા વચ્ચે કર્ણાટક સરકારે કોરોના રસીને દોષી ઠેરવી હતી. હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી એક નિવેદન આવ્યું છે અને સંશોધનના આધારે રસીને કારણે હૃદયરોગના હુમલાના દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે.

હકીકતમાં સિદ્ધારમૈયા સરકારે દાવો કર્યો હતો કે કોરોનાવાયરસ રસીને કારણે હૃદયરોગના હુમલાના કેસોમાં વધારો થયો છે. આ અંગે, કોરોના રસી અને હૃદયરોગના હુમલા વચ્ચેના જોડાણ અંગે નવેસરથી ચર્ચા શરૂ થઈ છે, શું આ દાવો સાચો છે કે નહીં? આવી સ્થિતિમાં ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે ICMR અને AIIMSના સંશોધનને ટાંકીને કહ્યું કે હૃદયરોગના હુમલાનો કોરોના રસી સાથે કોઈ સંબંધ નથી.

સરકારે બધા દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા
હકીકતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા કેસ અને કોરોના રસી વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. સરકારે કહ્યું કે ICMR દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસોમાં આ દાવાની પુષ્ટિ થઈ નથી. તેથી રસી વિશે કરવામાં આવેલા બધા દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા છે.

ICMR અભ્યાસ અંગે કેન્દ્ર સરકારે કહ્યું કે આ સંશોધન મે અને ઓગસ્ટ 2023 વચ્ચે દેશના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ એવા લોકો પર કરવામાં આવ્યો હતો જેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા પરંતુ 2021 થી માર્ચ 2023 વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે કોરોના રસીથી યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું નથી, અને આ સમસ્યાનો રસી સાથે કોઈ સંબંધ નથી.

અમેરિકાના ઉટાહમાં ઇસ્કોન મંદિરને ગોળીબારમાં નિશાન બનાવાયું

અમેરિકામાં ફરી એકવાર ઇસ્કોન મંદિર પર હુમલો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પહેલા પણ અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ ઉટાહના સ્પેનિશ ફોર્કમાં ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરને નિશાન બનાવ્યું અને અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. શું અમેરિકામાં કાયદો અને વ્યવસ્થાનો અપરાધીઓને કોઈ ડર જ નથી? અમેરિકામાં વારંવાર કેમ હિંદુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવે છે? આ મંદિરમાં મોડી રાત્રે ગોળીબાર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

રાત્રે મંદિરના પરિસરમાં 20થી 30 રાઉન્ડ ગોળીબાર થયો
આ મંદિરમાં દર વર્ષે વાર્ષિક હોળીની ઉજવણી કરવામાં આવે છે તેના કારણે તે વિશ્વ પ્રસિદ્ધ છે. ગઈ રાત્રે મોડી રાત્રે મંદિરના પરિસરમાં 20થી 30 રાઉન્ડ ગોળીબાર થયો હતો. જેથી મંદિરને ઘણું નુકસાન થયું છે. આ ગોળીબાર મામલે ઇસ્કોન મંદિરે એક્સ પર પોસ્ટ કરીને વિગતે જાણકારી આપી છે.

એક્સ પર પોસ્ટ કરતા ઇસ્કોન મંદિરે લખ્યું કે, હોળીના તહેવાર માટે વિશ્વ વિખ્યાત, ઉટાહ (યુએસએ) ના સ્પેનિશ ફોર્કમાં આવેલા ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર પર તાજેતરમાં શંકાસ્પદ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, મંદિરની ઇમારત અને આસપાસની મિલકત પર 20-30 ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટનાઓ રાત્રિના સમયે બની હતી, જ્યારે ભક્તો અને મહેમાનો અંદર હાજર હતા, અને તેના પરિણામે મંદિરના હાથથી કોતરેલા કમાનો સહિત હજારો ડોલર નુકસાન થયું છે’.

મંદિરમાં થયેલ ગોળીબારની ઘટનાની સખત નિંદા કરવામાં આવી
આ સમગ્ર ઘટના ખૂબ જ નિંદનીય છે. જેના કારણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘અમે સ્પેનિશ ફોર્ક, ઉટાહમાં ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં તાજેતરમાં થયેલી ગોળીબારની ઘટનાની સખત નિંદા કરીએ છીએ. કોન્સ્યુલેટ તમામ ભક્તો અને સમુદાયને પોતાનો સંપૂર્ણ સમર્થન આપે છે અને સ્થાનિક અધિકારીઓને ગુનેગારોને ન્યાય અપાવવા માટે ઝડપી પગલાં લેવા વિનંતી કરે છે’. આ ઘટનામાં સામેલ દરેક લોકો સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. કારણ કે, આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. 20થી 30 રાઉન્ડ ગોળીબાર થયો અને અમેરિકામાં કઈ નાની વાત નથી. જેથી સત્વરે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂર છે.

અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, પહેલો જથ્થો જમ્મુથી થયો રવાના

0

અમરનાથ યાત્રા માટે લોકો આજે જમ્મુથી રવાના થઈ રહ્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી છે. યાત્રીઓ બપોર બાદ કાશ્મીર ઘાટી પહોંચશે, જોકે, મોટાભાગના લોકોની યાત્રાની શરૂઆત કાલથી થશે. 38 દિવસ ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલાટાલ બંને રૂટથી થશે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ (NH-44) સહિતના રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. યાત્રાનું સમાપન 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસથી થશે.

કોઈ પણ જોખમ ભક્તોની શ્રદ્ધાને ડગમગાવી નહીં શકે: LG
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, જેમણે જમ્મુના તાવી રિવરફ્રન્ટ ખાતે ‘તાવી આરતી’માં ભાગ લીધો હતો, તેમણે મંગળવારે કહ્યું કે, આજે આખી દુનિયા અમરનાથ યાત્રા પર નજર રાખી રહી છે અને કોઈ પણ જોખમ ભક્તોની શ્રદ્ધાને ડગમગાવી નહીં શકે.’ LG સિન્હાએ દાવો કર્યો હતો કે આ વર્ષની અમરનાથ યાત્રા પાછલા બધા વર્ષો કરતાં વધુ ઐતિહાસિક હશે અને તેમના માટે તે જમ્મુ અને કાશ્મીરના પ્રાચીન ગૌરવને પુનઃસ્થાપિત કરવાની તક છે.

યાત્રામાં ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો
બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથ યાત્રાનો આગામી 3 જુલાઈથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા તેમજ આ વખથી હેલિકોપ્ટર સુવિધા બંધ રાખવામાં આવી હોવાથી ગુજરાતથી યાત્રાળુઓમાં 8 ગણાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાંથી આ વખતે પાંચ હજાર જેટલા જ શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરવા જાય તેવી સંભાવના છે.

પહલગામ હુમલાને લઈને ઘટ્યું રજિસ્ટ્રેશન
9 ઓગસ્ટ સુધી યોજાનારી અમરનાથ યાત્રામાં 3.50 લાખથી શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ, એપ્રિલમાં પહલગામ પ્રવાસીઓ પરના આતંકી હુમલા બાદ અમરનાથ માટે રજિસ્ટ્રેશન કરાવનારા યાત્રાળુઓની સંખ્યા ઘટીને 85 હજાર થઈ ગઈ છે. ગત વર્ષે અમરનાથ યાત્રામાં 5.10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા, જે છેલ્લાં એક દાયકામાં સૌથી વધુ હતા. સામાન્ય રીતે વિવિધ સંઘો ગુજરાતથી અમરનાથ યાત્રાએ જતા હોય છે. આ વખતે આવા સંઘોમાં પણ ઘટાડો નોંધાયો છે.

કડક સુરક્ષા વ્યવસ્થા
પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ આ વર્ષની યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF, SSB, ITBP અને ભારતીય સેનાની ટુકડીઓ યાત્રા માર્ગ પર તૈનાત કરાઈ છે. ગયા વર્ષે 514 પેરા-મિલિટરી કંપનીઓ તૈનાત હતી, જ્યારે આ વર્ષે આ સંખ્યા વધારીને 581 કરવામાં આવી છે, જેમાં CRPFની 221 કંપનીઓ અને અન્ય કેન્દ્રીય પોલીસ દળોની 360 કંપનીઓનો સમાવેશ થાય છે. જમ્મુથી બાલટાલ અને પહેલગામ જતા રૂટની સુરક્ષા માટે CRPF ને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પવિત્ર ગુફાની સુરક્ષા ITBP સંભાળે છે. આ ઉપરાંત, સેના અને પોલીસની વિશેષ ટુકડીઓ પણ દરેક સ્થળે તૈનાત છે.

થાઇલેન્ડની બંધારણીય અદાલતે પીએમ પેટોંગટાર્નને સસ્પેન્ડ કર્યા

ન્યાયાધીશોએ મંગળવારે સર્વસંમતિથી તેમના પર નૈતિકતાના ભંગનો આરોપ લગાવતી અરજી સ્વીકારી, અને 7 વિરુદ્ધ 2 મતોથી તેમને વડાપ્રધાન તરીકેની ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો. અદાલતે પેટોંગટાર્નને તેમના કેસને સમર્થન આપવા માટે પુરાવા રજૂ કરવા 15 દિવસનો સમય આપ્યો છે. કંબોડિયા સાથેના તાજેતરના સીમા વિવાદને સંભાળવા બદલ પેટોંગટાર્ન અસંતોષનો સામનો કરી રહ્યા છે, જેમાં 28 મેના રોજ સશસ્ત્ર અથડામણ થઈ હતી જેમાં એક કંબોડિયન સૈનિક માર્યો ગયો હતો. કંબોડિયન સેનેટના પ્રમુખ હુન સેન સાથે રાજદ્વારી સંબંધો દરમિયાન લીક થયેલા ફોન કૉલે ફરિયાદો અને જાહેર વિરોધ પ્રદર્શનોની શ્રેણી શરૂ કરી હતી.

અદાલતના આદેશ બાદ પેટોંગટાર્ને જણાવ્યું હતું કે તેઓ આ પ્રક્રિયા સ્વીકારશે અને પોતાનો બચાવ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે, કારણ કે તેમનો દેશનું રક્ષણ કરવા અને શાંતિ જાળવી રાખવા સિવાય અન્ય કોઈ ઇરાદો નહોતો.

તેમણે કહ્યું, “મેં ફક્ત મુશ્કેલીઓ ટાળવા માટે શું કરવું, સશસ્ત્ર અથડામણ ટાળવા માટે શું કરવું, સૈનિકોને કોઈ નુકસાન ન થાય તે માટે શું કરવું, તે વિશે જ વિચાર્યું. જો મેં બીજા નેતા સાથે કંઈક એવું કહ્યું હોત જેનાથી નકારાત્મક પરિણામો આવી શકતા હોત, તો હું તેને સ્વીકારી શકી ન હોત.”

નાયબ વડાપ્રધાન સૂરિયા જુંગરુંગરુંગકીટ કાર્યકારી વડાપ્રધાન બનવાની અપેક્ષા છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

મંગળવારે વહેલા, રાજા મહા વજિરલોંગકોર્નએ કેબિનેટ ફેરબદલને મંજૂરી આપી હતી જે પેટોંગટાર્નના ગઠબંધનમાંથી એક મુખ્ય પક્ષ લીક થયેલા ફોન કૉલને કારણે છોડી દેવાને કારણે ફરજિયાત બન્યું હતું. આ ફેરબદલમાં ભૂમજાથાઈ પાર્ટીના નેતા અનુતિન ચાર્વિરાકુલને નાયબ વડાપ્રધાન પદેથી બદલવામાં આવ્યા હતા.

પેટોંગટાર્ને નવી કેબિનેટમાં વડાપ્રધાન ઉપરાંત સંસ્કૃતિ મંત્રીનું પદ સંભાળ્યું છે, જોકે તેઓ તે ભૂમિકામાં રહેવા માટે શપથ લઈ શકે છે કે કેમ તે હજુ અસ્પષ્ટ છે.

કૉલ પરનો રોષ મોટે ભાગે પેટોંગટાર્નની એક સ્પષ્ટવક્તા પ્રાદેશિક સેના કમાન્ડર પ્રત્યેની ટિપ્પણીઓ અને સરહદ પર તણાવ ઓછો કરવા માટે હુન સેનને ખુશ કરવાના તેમના કથિત પ્રયાસોની આસપાસ ફરે છે.

હજારો રૂઢિચુસ્ત, રાષ્ટ્રવાદી-ઝુકાવવાળા વિરોધકર્તાઓએ શનિવારે મધ્ય બેંગકોકમાં પેટોંગટાર્નના રાજીનામાની માંગ માટે રેલી કરી હતી. પેટોંગટાર્ન નેશનલ એન્ટિ-કરપ્શન કમિશનના કાર્યાલય દ્વારા નૈતિકતાના કથિત ભંગ અંગેની તપાસનો પણ સામનો કરી રહ્યા છે, જેનો નિર્ણય પણ તેમને પદ પરથી હટાવવા તરફ દોરી શકે છે.

વાપીના ઉમરગામમાં લોખંડનો શેડ તૂટી પડતાં ત્રણ કર્મચારી દબાયા, એકનું મોત

મંગળવારે વાપીમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉમરગામમાં પ્લાસ્ટિક ગુડ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં લોખંડનો શેડ તૂટી પડતાં એક કામદારનું મોત થયું હતું જ્યારે આઠ અન્ય ઘાયલ થયા હતા.

પ્રાથમિક તપાસમાં સૂચવવામાં આવ્યું છે કે શેડની ઉપર પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગને બેજવાબદારીપૂર્વક સંગ્રહિત કરવાથી આ ધસી પડવાનું કારણ બન્યું હતું, જે સલામતી પ્રોટોકોલમાં સ્પષ્ટ ખામી દર્શાવે છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને ઇમરજન્સી રિસ્પોન્ડર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા.

મનમહેન્દ્ર દાસ, શુભમ કુસવાહ, અમરનાથ સરોજ, શુભ લાડ, સુરેન્દ્ર બેહેરિયા, સાજિદ ખાન, વિકાસ ચૌધરી અને ભાવિન જોશી તરીકે ઓળખાતા ફસાયેલા કામદારોને બહાર કાઢીને તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી અને ઉમરગામ પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચીને મકાન ધરાશાયી થવાના કારણની તપાસ કરી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, શેડ પર મૂકવામાં આવેલી પ્લાસ્ટિકની થેલીઓનું વજન, તાજેતરના પવન અને ચોમાસાના વરસાદ સાથે મળીને, માળખું નિષ્ફળ ગયું હોવાની શક્યતા છે. સત્તાવાર તપાસ ચાલી રહી છે.

આગામી 7 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદની મજા લોકો માટે મુશ્કેલી પણ લાવી છે. ત્યાં જ આજે ફરી એકવાર રાજ્યમાં હવામાને વળાંક લીધો છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ સમગ્ર રાજ્યને ઘેરી લીધું છે. સુરત, વલસાડ અને નવસારી જેવા દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદે તબાહી મચાવી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદથી હવામાન ખુશનુમા બન્યું છે. આજે તાપમાન 30-33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે.

ગુજરાતમાં ભારે વરસાદ
IMD અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આ વર્ષે 15 જૂનની સામાન્ય તારીખ પહેલાં 11 જૂને ગુજરાતના દક્ષિણ ભાગોમાં દસ્તક આપી હતી. 30 જૂન સુધીમાં ચોમાસાએ સમગ્ર રાજ્યને આવરી લીધું છે, જે સામાન્ય સમયપત્રક મુજબ છે. પરંતુ આ વખતે ચોમાસાની તીવ્રતાએ ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જી હતી. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોમાં 19 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન ખોરવાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે ભાવનગર અને અમરેલીમાં પણ નદી-નાળા છલકાઈ ગયા હતા.

આજે ગુજરાતમાં તાપમાન 30-33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. અમદાવાદમાં તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેશે, પરંતુ ભેજને કારણે ગરમી વધુ અનુભવાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ થશે અને તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં વરસાદી ગતિવિધિઓ વધુ તીવ્ર બની શકે છે, ખાસ કરીને દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં.

આ વખતે ગુજરાતમાં ચોમાસાએ ઘણા લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે તો સુરતમાં 36 કલાકમાં 19 ઇંચ વરસાદથી શહેર જળમગ્ન થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે અને સ્થાનિક વહીવટીતંત્રે રાહત કાર્ય શરૂ કરી દીધું છે. ભાવનગર અને અમરેલીમાં પણ નદીઓના પાણી ભરાઈ જવાને કારણે ઘણા ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી થોડા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે પૂરનું જોખમ વધુ વધી શકે છે.

ગાંધીનગરના નભોઈ કેનાલમાં કાર ખસતાં 5 લોકો ડૂબ્યાં, યુવતી સહિત 2ના મૃતદેહ મળ્યા

ગાંધીનગરના નભોઈ કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારે એક યુવતી સહિત 2 લોકોની લાશ બહાર કાઢવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં પાંચ લોકો સવાર હતા. ફાયર બ્રિગેડ દ્વારા હાલ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. બાકીના લોકોની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલુ છે.

ફાયર બ્રિગેડની બચાવ કામગીરી ચાલુ
ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. કેનાલમાં પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.