HomeBusinessGSTમાં મોટી છૂટછાટ: 12% ટેક્સ સ્લેબ હટાવવાની તૈયારી

GSTમાં મોટી છૂટછાટ: 12% ટેક્સ સ્લેબ હટાવવાની તૈયારી

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

સરકાર GSTમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. સરકાર GST દરોમાં બદલાવને લઈને ગંભીરતાથી વિચારી રહી છે. ખાસ કરીને 12 ટકા વાળા સ્લેબને પૂરી રીતે દૂર થવાની શક્યતા છે. એ સાથે જ 12 ટકા સ્લેબમાં આવતો કેટલીક આવશ્યક ચીજવસ્તુઓને પાંચ ટકા સ્લેબમાં લાવવાનો વિચાર ચાલી રહ્યો છે. ચાલુ મહિને GST કાઉન્સિલની બેઠક યોજાઈ શકે છે, જેમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. GST 1 જુલાઈ, 2017થી લાગુ કરવામાં આવ્યો હતો.

શું 12 ટકાના સ્લેબને જ નાબૂદ કરવામાં આવશે?
સરકાર GSTના 12 ટકાના સ્લેબમાં યાદીમાં રહેલી મોટાભાગની વસ્તુઓને 5 ટકાના સ્લેબમાં મુકવાનો અથવા તો આ વસ્તુઓ પરના 12 ટકાના સ્લેબને જ નાબૂદ કરવા પર વિચાર કરી રહી છે. જ સમાન્ય લોકો માટે ઘણી ફાયદાકારક વાત સાબિત થવાની છે. સામાન્ય લોકો દ્વારા રોજિંદા ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ આ જ શ્રેણી એટલે કે 12 ટકાના સ્લેબમાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે GST કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, આ મામલે હજી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વિશ્વસનીય સૂત્રો દ્વારા આ જાણકારી મળી રહી છે.

8 વર્ષ બાદ ફરી સરકાર એક નવો ફેરફાર કરવા માટે કરશે વિચારણા
ભારતમાં રહેતા દરેક વ્યક્તિને જીએસટી ભરવો પડે. GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને દેશભરમાં એક જ કર પ્રણાલી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. જેથી વિવિધ કરને એકસાથે જોડી શકાય. મહત્વની વાત એ છે કે, હવે 8 વર્ષ બાદ ફરી સરકાર એક નવો ફેરફાર કરવા માટે વિચારણા કરી રહી છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોને મોટો ફાયદો થવાનો છે. સરકાર દ્વારા જીએસટીમાં જે ફેરફાર કરવામાં આવશે તેના કારણે સામાન્ય વર્ગમાં આવતા દરેક પરિવારો પરથી ખર્ચનું ભારણ ઓછું થઈ જવાનું છે.

ભારતમાં હાલ 5%, 12%, 18% અને 28% ચાર GST સ્લેબ છે
જો કે, આ ટેક્સ સ્લેબના કેટલીક વસ્તુઓ સસ્તી થશે તો સામે કેટલીક વસ્તુઓ મોંઘી પણ થવાની છે. જેમાં તંબાકુ, પાન મસાલા, કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. ભારતમાં GST વર્ષ 2017 માં લાગુ કરવામાં આવ્યો હતો અને છેલ્લા કાર્યકારી દિવસે, 1 જુલાઈના રોજ તેને આઠ વર્ષ પૂર્ણ થયા છે. GST દરો જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ તેમને બદલવાના કોઈપણ નિર્ણયમાં સામેલ હોય છે. ભારતમાં હાલમાં ચાર GST સ્લેબ છે. 5%, 12%, 18% અને 28%. જેમાં અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, નાસ્તો અને મીઠાઈઓ ઉપરાંત, સોના-ચાંદી અને અન્ય તમામ ચીજવસ્તુઓને વિવિધ શ્રેણીઓ અનુસાર આ ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે.

Subscribe

Latest stories

spot_img