Home Blog Page 379

અમદાવાદ વિમાન દુર્ઘટના: એટીસી રેકોર્ડિંગ્સે જાહેર કર્યું કે તે 26 મિનિટમાં શું બન્યું હતું

AAIB એ ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે એર ઈન્ડિયાનું 12 વર્ષ જૂનું બોઈંગ 787-8 વિમાન VT-ANB 12 જૂને ટેકઓફ થયાના થોડા સમય પછી અમદાવાદમાં BJ મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ ભયાનક અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો. મુસાફરો અને ક્રૂ મેમ્બર સિવાય, આ અકસ્માતમાં જમીન પર રહેલા ઘણા લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતમાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

વિમાન દુર્ઘટનાની સમયરેખા (IST માં સમય):

અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ના રેકોર્ડિંગ્સ સાચવવામાં આવ્યા હતા. આ રેકોર્ડિંગ્સના આધારે, અકસ્માત સંબંધિત ઘટનાઓની સમયરેખા બહાર આવી છે. આ સમયરેખા જણાવે છે કે અકસ્માત પહેલા શું બન્યું હતું. ચાલો ઘટનાઓના આ ક્રમને સમજવાનો પ્રયાસ કરીએ:

  • 01:13:00 PM: વિમાન પુશબેક અને સ્ટાર્ટઅપ માટે પરવાનગી માંગે છે.
  • 01:13:13 PM: ATC એ પુશબેકને મંજૂરી આપી.
  • ૦૧:૧૬:૫૯ બપોરે: એટીસી વિમાન શરૂ કરવાની પરવાનગી આપે છે.
  • 01:19:12 PM: ATC એ પૂછ્યું કે શું વિમાનને રનવે 23 ની સંપૂર્ણ લંબાઈની જરૂર છે. વિમાને પુષ્ટિ આપી કે તેને રનવેની સંપૂર્ણ લંબાઈની જરૂર છે.
  • 01:25:15 PM: વિમાને ટેક્સી (રનવે પાસે જવા) માટે પરવાનગી માંગી, જે ATC દ્વારા મંજૂર કરવામાં આવી.
  • 01:32:03 PM: વિમાનને ગ્રાઉન્ડ કંટ્રોલથી ટાવર કંટ્રોલને સોંપવામાં આવે છે.
  • 01:33:45 PM: ટાવર વિમાનને રનવે 23 પર લાઇનમાં ઉભા રહેવાનો આદેશ આપે છે.
  • 01:37:33 PM: વિમાનને રનવે 23 પરથી ઉડાન ભરવા માટે મંજૂરી આપવામાં આવી. તે સમયે પવનની દિશા 240 ડિગ્રી હતી અને ગતિ 6 ગાંઠ હતી.
  • 01:39:05 PM: વિમાન (AI171) એ મેડે કોલ મોકલ્યો, જે દુર્ઘટનાનો સંકેત આપે છે.

આ સમયરેખા શું બતાવે છે?
આ સમયરેખા દર્શાવે છે કે વિમાને સવારે 7:43 વાગ્યે તેની ઉડાન પ્રક્રિયા શરૂ કરી હતી. બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. પુશબેક, સ્ટાર્ટઅપ, ટેક્સી અને ટેક-ઓફ ક્લિયરન્સથી કોઈ સમસ્યા નહોતી. પરંતુ ટેક-ઓફ પછી તરત જ, વિમાને ‘મેડે’ કોલ કર્યો, જે સૂચવે છે કે અચાનક કોઈ ગંભીર સમસ્યા ઊભી થઈ.

રાધિકા યાદવ હત્યાકાંડમાં મોટો ખુલાસો, હત્યા પૂર્વયોજિત ષડયંત્રનો ભાગ હતી

0

હરિયાણાના ગુરુગ્રામમાં ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. જોકે, આ હત્યાનો આરોપી પિતા પોતે જ હોવાની વાત કબુલી છે. તેમજ વારંવાર પોતાના નિવેદનને બદલી રહ્યો છે. જેમાં તેણે પોલીસને જણાવ્યું કે રાધિકાને મારવા માટે તેણે પહેલા યોજના કરી હતી. તેમજ તેથી પુત્રને બહાર મોકલી દીધો હતો. જો તે ઘરે હોત તો મારી યોજના સફળ ન થઈ હોત. તેમજ મારી પત્ની બીમાર હતી. જે રૂમમાં આરામ કરી રહી હતી.

દીકરી પર ગોળીબાર કરી દીધો
આ હત્યાની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા અનુસાર પિતા દીપકે હત્યાને અંજામ આપવા માટે તેના દીકરાને યોજનાબદ્ધ રીતે ઘરની બહાર મોકલ્યો હતો. જેમાં દરરોજ સવારે પોતે દૂધ લેવા જતો હતો, પરંતુ ગુરુવારે તેણે દૂધ લેવા દીકરાને મોકલ્યો હતો. રાધિકાને એકલી જોતા જે તેણે તેની દીકરી પર ગોળીબાર કરી દીધો. ગુરુગ્રામ પોલીસના પીઆરઓ સંદીપ કુમારે કહ્યું કે, પિતા દીપક ઇચ્છતો હતો કે તે દિવસે ઘરમાં બીજું કોઈ ન હોય.

રાધિકા યાદવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
પોલીસે આ ઘટનાની તલસ્પર્શી તપાસ શરુ કરી છે. તેમજ પોસ્ટમોર્ટમ પછી રાધિકાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જેમાં રાધિકાના શરીરમાં કુલ 4 ગોળીઓ મળી આવી હતી. પોલીસ એક ગોળી ક્યાં ગઈ તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. શુક્રવારે સાંજે ગુરુગ્રામના વઝીરાબાદ ગામના સ્મશાનભૂમિમાં રાધિકા યાદવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાધિકાના મોટા ભાઈ ધીરજ યાદવે ધાર્મિક વિધિઓ મુજબ ચિતાને અગ્નિદાહ આપ્યો હતો.

પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા
જયારે સેક્ટર-56 પોલીસે શુક્રવારે આરોપી 49 વર્ષીય પિતા દીપક યાદવને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ માંગ્યા હતા. રિમાન્ડ અંગે કોર્ટમાં ચર્ચા થઈ હતી અને ત્યારબાદ પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન, પોલીસ દીપક યાદવની પૂછપરછ કરશે અને રિવોલ્વર સંબંધિત હથિયાર મેળવવા અંગેની પૂછપરછ કરશે.

દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો દટાયેલા હોવાની આશંકા, 6 લોકોનું રેસ્ક્યુ

0

સીલમપુર વિસ્તારમાં એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ બિલ્ડિંગના કાટમાળમાં ઓછામાં ઓછા 12 લોકો દટાયેલા હોવાની આશંકા છે. આ પહેલાં દિલ્હીના મુસ્તફાબાદમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. હાલ તો ઈમારત કયા કારણસર ધરાશાયી થઈ, એ સ્પષ્ટ થયું નથી, અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવી લેવાયા છે અને રાહત કાર્ય હજુ ચાલુ છે.

ઇમારત ખૂબ જ જર્જરિત દુર્ઘટના બની હોવાનું અનુમાન
હાલમાં ઘટનાસ્થળે 7 ફાયર એન્જિન અને પોલીસ ટીમો બચાવ અને રાહત કાર્યમાં કરી રહી છે. આ ઇમારત ખૂબ જ જર્જરિત હતી, જેના કારણે આ અકસ્માત થયો હોવાની પ્રાથમિકા માહિતી મળી છે. હાલમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોના રાહત અને બચાવ કાર્યમાં સ્થાનિક લોકો કાટમાળ દૂર કરવામાં મદદ કરી રહ્યા છે. સીલમપુરમાં ગ્રાઉન્ડ પ્લસ થ્રી ઇમારત ધરાશાયી થયા બાદ સ્થાનિક લોકો કાટમાળ સાફ કરવામાં મદદ કરી રહ્યા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે કામગીરી કરી રહી છે અત્યાર સુઘીમાં જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી.

આ પહેલાં જૂની દિલ્હીના સદર બજારના મીઠાઈ પુલ વિસ્તારમાં ગુરુવાર અને શુક્રવારની વચ્ચે રાત્રે લગભગ બે વાગ્યે ત્રણ ઈમારતો ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના જનકપુરી પશ્ચિમથી આર.કે. આશ્રમ માર્ગ સુધી બની રહેલી મેટ્રોની નવી ટનલના નજીકમાં બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને (DMRCએ) ઘટનાને ગંભીરતાથી લઈ મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય રકમ આપવાનું જાહેર કર્યું હતું.

૧૨ જુલાઈ, ૨૦૨૪/ આજ શનિવારના દિવસે ૬ રાશિના જાતકોને મળશે ધનલાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

શરીરમાં શકિત અને સ્ફુર્તિનો અનુભવ થાય. બપોર પછી થોડો થાક વર્તાય. આવકમાં વધારો થાય. પરિવારમાં શાંતિ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના રહે.

વૃષભઃ

દિવસની શરૂઆત આનંદથી થાય. નાણાંનું પ્રમાણ વધતું જણાય. પરંતુ નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. પરિવારમાં મનમેળ રહે. સભ્યોની પ્રગતિ થી આનંદ રહે. ગેસ ટૂયબ, પેટની તકલીફો રહે.

મિથુનઃ

સ્વભાવ ઉગ્ર રહે. આવક માટે સામાન્ય દિવસ. કુટુબમાં આનંદ, સ્થાવર જંગમ મિલકત માટે સામાન્ય દિવસ. સંતાન સુખ સારૂં. થાક લાગે ભાગ્ય સારૂં. નોકરી ધંધામાં પ્રગતિ અનુભવાય.

કર્કઃ

બપોર પછી ઉદાસીનતાનો અનુભવ થાય. ભાઇ બહેનો સાથે મતભેદ થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. માતાની તબિયત નરમ ગરમ રહે. અગત્યના નિર્ણયો ટાળ‍વા. જીવનસાથી સાથે આનંદ. ભાગ્ય સારૂં રહે.

સિંહઃ

આક્રમક સ્વભાવ રહે. આવકમાં વધારો જણાય. કુટુંબમાં સુખ શાંતિ કરેલા રોકાણો થી લાભ મળે. સંતાનો તરફથી ચિંતા. શરીરમાં ગરમી, અેસીડીટી નો અનુભવ થાય. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય.

કન્યાઃ

સરળ સ્વભાવ રહે. પૈસાનું આયોજન યોગ્ય રીતે કરવું શકય બને. કરેલા રોકાણો થી ધારેલું ફળન મળે. હદયમાં અસંતોષ રહે. સંતાન તરફથી સારા સામાચાર મળે. આરોગ્ય સારૂં રહે.

તુલાઃ

આરામ કરવાની ઇરછા થાય. નાણાંકીય ફાયદો મળે. કરેલા કાર્યની સફળતા અંગે અસંતોષ જણાય. માતા-પિતાનું આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

વૃશ્ચિકઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થાય. આવક અંગે અસંતોષ રહે. છતાં બપોર પછી આવક વધતી જણાય. પરિવારમાં મનમેળ રહેશે. આરોગ્ય સારૂં રહેશે. દામ્પત્ય સુખ સારૂં મળશે.

ધનઃ

દિવસ દરમ્યાન જુસ્સો અનુભવી શકાય. નાણાંની પ્રાપ્તિ સહજ બને. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે. નોકરી ધંધામાં પ્રગતિ ખર્ચનું પ્રમાણ ઓછું રહેશે.

મકરઃ

ખેડૂતોને લાભ, ખોળ-કપાસીયાથી ફાયદો બાદ બગીચાની શોભા વધે. ધન પ્રાપ્તિ થાય. સત્તા, માન સન્માનમાં વધારો થાય. સંતાન તરફથી આનંદ હાડકામાં દુઃખાવો રહે. અેકંદરે આરોગ્ય જળવાય.

કુંભઃ

આનંદ, ઉત્સાહથી દિવસની શરૂઆત થાય. પરિવારમાં ગુસ્સાવાળું વાતાવરણ રહે. જમીન મિલકત, રોકાણથી લાભ. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

મીનઃ

ધાર્મિક ભાવના તથા બીજાને મદદ કરવાની ઇરછા પ્રબળ થાય. ભાઇ બહેનો સાથે ઉગ્રતા વર્તાય. પરિવારમાં આનંદ. નોકરી ધંધામાં પ્રગતિ સંતાનો તરફથી લાભ. આરોગ્ય સારૂં રહેશે.

શાંતિના ધામે અશાંતિનો માહોલ: ખાટુ શ્યામ મંદિર પરિસરમાં થયો તણાવભર્યો વિવાદ

0

રાજસ્થાનનું ખાટુશ્યામ મંદિર સુપ્રસિદ્ધ છે. બાબા ખાટુશ્યામના દર્શન દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ તાજેતરમાં મંદિરની બહાર શ્રદ્ધાળુઓ સાથે મારામારી થયાની ઘટના સામે આવી છે. જેનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થયો છે.

શ્રદ્ધાળુઓ સાથે મારામારીનો વીડિયો વાયરલ
ખાટુશ્યામ મંદિરની બહાર દુકાનદારે સામાન્ય બાબતમાં શ્રદ્ધાળુઓ સાથે લાકડી અને ડંડા વડે મારામારી કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્થાનિક દુકાનદાર શ્રદ્ધાળુ મહિલાઓ અને પુરુષો પર ડંડા વડે સતત હુમલો કરી રહ્યો છે. મારામારીમાં જે પણ વચ્ચે આવે છે, તેને પણ દુકાનદાર છોડી રહ્યો નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ શેર કરી રહ્યા છે અને ઘટનાની નિંદા કરી રહ્યા છે.

વાઇરલ વીડિયોમાં બર્બરતાનું દ્રશ્ય
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં બર્બરતાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, બે પક્ષો સામસામે એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા છે. મારામારી વખતે વચ્ચે મહિલા આવતા લોકો તેને પણ દંડા મારી રહ્યા છે. તો મહિલા પણ દંડા મારતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, જે પણ વચ્ચે પડે છે, તેના પર પણ હુમલો થતો જોવા મળી રહ્યો છે. ઘટના અંગે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે અને વાઇરલ વીડિયોમાં સામેલ લોકોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મોટો હુમલો, 9 લોકોને બસમાંથી ઉતારી ગોળી મારી

પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો હુમલો થયો છે. જેમાં હુમલાખોરોએ નવ લોકોની ગોળી મારી હત્યા કરી દીધી છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ એક ચાલુ બસને અટકાવી તેમાંથી મુસાફરોને નીચે ઉતારી ગોળીથી વીંધી નાખ્યા હતાં. બલૂચિસ્તાનના અધિકારીએ આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાનના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ હુમલામાં ઓછામાં ઓછા નવ લોકોની હત્યા થઈ છે. ક્વેટાથી લાહોર જતી બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારી અપહરણ કર્યું હતું, બાદમાં તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ દુર્ઘટના ઉત્તરીય બલૂચિસ્તાન નજીક સ્થિત ઝોબ શહેરની છે.

નવ લોકોના આઈડી જોઈને ગોળી મારી
પ્રત્યક્ષદર્શી મુજબ, હુમલાખોરોએ અચાનક ચાલુ બસને અટકાવી હતી. બાદમાં બંદૂકના જોરે મુસાફરોને નીચે ઉતરવા કહ્યું. તેમનું અપહરણ કર્યું અને બાદમાં નવ લોકોના આઈડી ચેક કરી તેમની હત્યા કરી દીધી. મૃતદેહોને બલૂચિસ્તાનના બારખાન જિલ્લાના રેખની હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રદેશ સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આ હુમલાની નિંદા કરતાં તેને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. હુમલાખોરો રાત્રે હુમલો કર્યા બાદ ફરાર છે. તેમની તપાસ ચાલુ છે.

મુખ્યમંત્રીએ આકરી ટીકા કરી
મુખ્યમંત્રી મીર સરફરાજ બુગતીએ આ કૃત્યને ‘ખુલા આતંકવાદ’ ગણાવતાં કહ્યું કે, હુમલાખોરોએ જાણીજોઈને પાકિસ્તાનીઓની ઓળખ કરી માસૂમ નાગરિકોને ટાર્ગેટ બનાવ્યા છે. આતંકવાદીઓએ ફરી એકવાર પોતાનું ડરપોક વલણ બતાવ્યું છે. નિર્દોષોનું લોહી વ્યર્થ નહીં જાય. આ દેશ વિરૂદ્ધ યુદ્ધ છે. અને અમે તેનો મજબૂત અને નિર્ણાયક જવાબ આપીશું.

છાંગુર બાબાની આગેવાનીમાં ચાલતું હતું સંગઠિત ધર્માંતરણ રેકેટ, પૂછપરછમાં ખુલ્યો ભેદ

0

ઉત્તર પ્રદેશથી 1500થી વધુ યુવતીના ધર્માંતરણ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં યુપી એટીએસે ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ છાંગુર બાબાની ધરપકડ કરી છે. જેમાં ગેરકાયદે ધર્માંતરણ ગેંગના મુખ્ય સૂત્રધાર જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા અને તેની સાથી નીતુ ઉર્ફે નસરીનએ અનેક મોટા ખુલાસા કર્યા છે. પોલીસ રિમાન્ડના પ્રથમ દિવસે છાંગુર બાબા અને નીતુએ એટીએસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા 15 વર્ષથી ગેરકાયદે ધર્માંતરણમાં સામેલ હતા. છાંગુર બાબાએ પણ ઘણા દેશો સાથે સંબંધો હોવાની કબૂલાત કરી છે.

પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો
છાંગુર બાબા અને નીતુએ એટીએસ દ્વારા પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેમણે આઠ અલગ અલગ બેંકોમાં અનેક ખાતા ખોલાવ્યા હતા. છાંગુર બાબાના બેંક ઓફ બરોડા સહિત ઘણી બેંકોમાં ખાતા હતા. આ ખાતાઓની તપાસ દ્વારા, સો કરોડથી વધુની સંપત્તિના વ્યવહાર સંબંધિત બધી માહિતી પ્રકાશમાં આવી શકે છે. છાંગુર બાબાએ ઘણા દેશો સાથે સંબંધો હોવાની પણ કબૂલાત કરી છે.

છાંગુર બાબાના આઠ બેંકોમાં ખાતા
છાંગુર બાબાએ નેપાળની સરહદે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ કરોડો રૂપિયાની જમીન ખરીદી હતી. આ ઉપરાંત, ઘણી વિવાદિત જમીનો પણ નકલી દસ્તાવેજો દ્વારા તેના નામે નોંધાઈ હતી. છાંગુર બાબા લવ જેહાદમાં સામેલ યુવાનોને મોટા ઈનામો આપતો હતો. છાંગુર બાબા વૈભવી હવેલીની અંદર યુવાનોને લવ જેહાદ માટે તાલીમ આપતો હતો.

વડાપ્રધાનને પત્ર લખીને છાંગુર બાબાના રેકેટ અંગે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, બલરામપુરના રહેવાસી વસીઉદ્દીન ચૌધરીએ વર્ષ 2023માં વડાપ્રધાનને પત્ર લખીને છાંગુર બાબાના રેકેટ અને નાગપુરના ભારત પ્રતિકાર્થ સેવા સંઘના ઈદુલ ઈસ્લામ આસી વિશે ફરિયાદ કરી હતી અને તપાસની માંગ કરી હતી. ઈદુલે છાંગુર બાબાને પોતાના સંગઠન ભારત પ્રતિકાર્થ સેવા સંઘના યુપીના પ્રમુખ બનાવ્યા હતા. આ માટે ઔપચારિક પત્ર આપવામાં આવ્યો હતો.

સુરત પાલિકા સંચાલિત તમામ સુમન શાળામાં સીસીટીવી કેમેરા મૂકાશે

સુરત પાલિકા દ્વારા પ્રાથમિક શાળા સાથે માધ્યમિક શાળા (સુમન શાળા) પણ શરું કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓની સલામતી માટે તમામ સુમન સ્કૂલમાં સીસીટીવી કેમેરા મુકવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓની સલામતી માટે મુકાયેલા કેમેરાનું મોનીટરીંગ પાલિકાના આઈસીસીસી પરથી કરવામાં આવશે.

સુરત પાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિમાં સુમન સ્કુલમાં વિદ્યાર્થીઓની સલામતી તથા સ્વચ્છતા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને સલામતી મળે અને શાળાના વહીવટ પારદર્શક થાય તે માટે સીસીટીવી કેમેરા મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાલિકાની શાળામાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓની સલામતી માટે શાળાની આસપાસની પ્રવૃત્તિઓ પર નજર રાખવી વધુ સરળ બનશે અને શિસ્તભંગ જેવી ઘટનાઓ અટકાવવામાં મદદ મળશે. વિજ્યુઅલ મોનીટરીંગથી વિદ્યાર્થી-અભિભાવક વિશ્વાસ વધશે અને શાળા વધુ જવાબદાર બનશે.

આ સીસીટીવી કેમેરાની મદદથી પાલિકાની શાળા પરિસરમાં અનધિકૃત પ્રવેશ પર અંકુશ આવશે અને શિસ્ત ભંગ અને અનૈતિક વર્તન પર કડક નજર રાખી શકાશે. પાલિકા દ્વારા સીસીટીવી કેમેરાનો નિર્ણય કરાયો છે આ કેમેરાનું મોનીટરીંગ પાલિકાના આઈસીસીસી ખાતેથી કરવામાં આવશે તેના કારણે ગણતરીની મિનિટોમાં જ શાળામાં થતી પ્રવૃત્તિ અંગે માહિતી મળી શકશે.

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ: 12 થી 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, 12 થી 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 24 કલાક બાદ દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે.

પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે, દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને 24 કલાક બાદથી રાજયમાં વરસાદી માહોલ જામશે, હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે. 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. આજે રાજ્યભરના સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં આજે 11 જુલાઈએ નવસારી,દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.

નવસારી રેલવે સ્ટેશન ઉપર બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત

0

નવસારી રેલવે સ્ટેશન ઉપર બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત થયું છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સેરા ગામમાં બે યુવકો રોજગારી અર્થે નવસારી ખાતે આવ્યા હતા. ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ રેલવે લાઇન ક્રોસ કરતા દુર્ઘટના બની હતી. અમદાવાદ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસના ચાલકે મૃતદેહ જોતા નવસારી રેલવે સ્ટેશનને જાણ કરી હતી. ઘટનાની જાણ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. નવસારી સિવિલ હોસ્પિટલ પર મોટી સંખ્યામાં બનાસકાંઠા ખાતે રહેતા સમાજના અગ્રણીઓ ભેગા થયા છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને યુવકોના મૃતદેહને એમના વતન મોકલવામાં આવશે.