Home Blog Page 373

સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈને જીવન

સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું હતું. બીજી તરફ યુવતીને એક છોકરો પીછો કરી પરેશાન કરતો હોવાનો આક્ષેપ પિતા દ્વારા કરવામાં આવ્યો હતો. આ મામલે સિંગણપોર પોલીસે સગીર અને તેના પિતા વિરુદ્ધ આપઘાતના દુસ્પ્રેરણાનો ગુનો નોધ્યો છે અને સગીરના પિતાની ધરપકડ કરી છે.

યુવતીને સગીર ડેરાન કરતો અને પૈસાની માગણી કરતો
સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય નેના રજનીભાઈ વાવડિયાએ આપઘાત કરી લીધો હતો. આ મામલે સિંગણપોર પોલીસ મથકમાં આરોપી સગીર અને તેના પિતા વિષ્ણુભાઈ દેસાઈ સામે આપઘાતનો દુષ્પ્રરણાનો ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર સગીર પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો. તેમજ દીકરી પાસે બળજબરી 30 હજાર રૂપિયાની માંગણી કરતો હતો આ ઉપરાંત યુવતીના પિતાએ સગીરના પિતા વિષ્ણુભાઈને જાણ કરતા તેઓએ પણ પુત્રનું ઉપરાણું લઈને ગાળાગાળી કરી હતી. આ મામલે સિંગણપોર પોલીસે ફરિયાદના આધારે સગીરના પિતા વિષ્ણુભાઈ દેસાઈની ધરપકડ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસીપી પીનાકીન પરમારએ જણાવ્યું હતું કે 13-7-2025 ના રોજ સિંગણપોર પોલીસ સ્ટેશનની હદમાં નાનીવેડ વિસ્તારની અંદર એક 19 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ યુવતી ખાનગી ટ્યુશન ક્લાસીસની અંદર પોતે આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી પરંતુ તેણે 13મી તારીખે સાંજે 7.30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેની માહિતી પોલીસને મળતા પોલીસે જાણવા જોગ એ.ડી. ની તપાસ ચાલુ કરી હતી.

ગુનો દાખલ કર્યાના પાંચ કલાકની અંદર જ આરોપીના પિતાની ધરપકડ
બીજા દિવસે યુવતીના પિતા પોલીસ મથકે આવીને એમણે પોતાની વિગત આપી હતી જેની અંદર એ યુવતીને કોઈ એક છોકરો એના ટયુશન ક્લાસ ઉપર આવીને અને પરેશાન કરતો હતો અને તેની પાસે 30 હજાર રૂપિયાની માંગણી કરતો હતો. પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના પાંચ કલાકની અંદર જ આરોપી સગીરના પિતાની પોલીસે ધરપકડ કરી હતી અને જે સગીર વિરુદ્ધ ફરિયાદ છે. તેને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે.

વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે પોલીસ અધિકારીઓ દ્વારા યુવતીના પિતા સાથે મુલાકાત કરવામાં આવેલી હતી અને તેમની સાથે સમાજના આગેવાનો પણ આવેલા હતા. તેમની સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને એમની જે રજૂઆત હતી. એ પોલીસે સાંભળી અને એ દિશામાં પોલીસે કાર્યવાડી કરેલી છે. સમાજના આગેવાનો દ્વારા અમુક ચોક્કસ પ્લેસ પરની રજૂઆત હતી કે ત્યાં છોકરાઓ છોકરીને છેડતી કરતા એવી રજૂઆતો હતી તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાડીને એની અંદર છોકરીઓને પરેશાન કરતા એવી વિવિધ રજૂઆતો કરેલી હતી.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લગભગ એક મહિનો થઈ ગયો છે, આ સમય દરમિયાન રાજ્યના તમામ ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. જોકે હાલમાં ફક્ત થોડા વિસ્તારોમાં જ વરસાદ પડી રહ્યો છે. બુધવારે સવારે 8:30 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મહિસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો હતો.

રાત્રે 10 વાગ્ચા સુધીમાં જિલ્લામાં વરસાદની શક્યતા
ગઈકાલે અમદાવાદમાં 3 મીમી, દમણમાં 1 મીમી અને સુરત અને ડાંગમાં 0.5 મીમી વરસાદ પડ્યો હતો. હવામાનશાસ્ત્રીઓ અનુસાર આગામી 10 દિવસ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગે બુધવાર રાત સુધી અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં 5 મીમી પ્રતિ કલાકની ઝડપે હળવો વરસાદ પડવાની આગાહી કરી છે.

આગામી ત્રણ દિવસ માટે હવામાન આગાહી
16 જુલાઈને બુધવારના રોજ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વીજળી અને હળવા વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે.

17 જુલાઇને ગુરુવારે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી પડવાની આગાહી કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ એટલે કે વડોદરા, સુરપુર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા. ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ.

18 જુલાઇ શુક્રવારના રોજ ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર ઉપરાંત દક્ષિણ ગુજરાત વિસ્તારના તમામ જિલ્લાઓ એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરપુર, ભરૂચ, ભરૂચ, દાદરા નગર હવેલી, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

“Tanks in the air” અભિયાન: પાકિસ્તાન સરહદ પર ભારતનો આક્રમક મૂડ: અપાચે ફાઇટર હેલિકોપ્ટરો તૈનાત થશે

0

ભારતીય સેનાને 21 જુલાઈના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી ત્રણ AH-64E અપાચે એટેક હેલિકોપ્ટર પ્રાપ્ત થશે . આ હેલિકોપ્ટર પાકિસ્તાન સરહદ નજીક સેનાના આક્રમણ અને જાસૂસી કામગીરીને વેગ આપવા માટે મૂકવામાં આવશે. આ વિમાન ગાઝિયાબાદના હિંડોન એરફોર્સ સ્ટેશન પર પહોંચશે. વિશ્વના સૌથી અદ્યતન એટેક હેલિકોપ્ટર, અપાચે, જેને ઘણીવાર ટેન્ક કિલર્સ અથવા ‘હવામાં ટેન્ક’ કહેવામાં આવે છે. આ ડિલિવરી વૈશ્વિક સપ્લાય ચેઇન સમસ્યાઓ અને બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિઓને કારણે થયેલા વિલંબને કારણે છે. ભારતીય સેનાએ રાજસ્થાનના જોધપુરમાં તેનું પ્રથમ અપાચે સ્ક્વોડ્રન સ્થાપિત કર્યાના 15 મહિના પછી આવી છે.

અપાચે એક્વિઝિશન અને ડિપ્લોયમેન્ટ પર પૃષ્ઠભૂમિ
ભારતીય વાયુસેનાએ 2015 માં 22 અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટે યુએસ અને બોઇંગ સાથે કરાર કર્યો હતો. ડિલિવરી જુલાઈ 2020 સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. બાદમાં 2020 માં, ભારતે સેના માટે વધુ છ અપાચે ખરીદવા માટે $600 મિલિયનના બીજા સોદા પર હસ્તાક્ષર કર્યા.

તાજેતરમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથ સાથે વાતચીત કરી હતી. ચર્ચા દરમિયાન, સિંહે અપાચે હેલિકોપ્ટરની ઝડપી ડિલિવરી માટે વિનંતી કરી હતી અને LCA તેજસ ફાઇટર જેટ માટે બનાવાયેલ GE F404 એન્જિનની તાત્કાલિક જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. સિંહે કહ્યું હતું કે આ ભારત-યુએસ સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવાના હેતુથી “ઉત્તમ ચર્ચા” હતી.

2022 માં, ભારતીય સેનાએ એક આંતરિક અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં લાંબા ગાળાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 39 અપાચે હેલિકોપ્ટરની જરૂરિયાતનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આર્મી એવિએશન કોર્પ્સને આધુનિક બનાવવાના ભારતના પ્રયાસોમાં અપાચેને એક મહત્વપૂર્ણ ઉમેરો તરીકે જોવામાં આવે છે.

કાર્યરત અન્ય હેલિકોપ્ટર પ્લેટફોર્મ
અપાચે ઉપરાંત, ભારતીય સેના ઘણા અન્ય હેલિકોપ્ટર પ્લેટફોર્મ ચલાવે છે. આમાં રુદ્રનો સમાવેશ થાય છે, જે ધ્રુવ હેલિકોપ્ટરનું સશસ્ત્ર સંસ્કરણ છે, જેનો ઉપયોગ ટેન્ક વિરોધી અને નજીકના હવાઈ સહાયક ભૂમિકાઓ માટે થાય છે. ચિત્તા અને ચેતક જેવા હળવા હેલિકોપ્ટર દૂરના વિસ્તારોમાં તબીબી સ્થળાંતર, લોજિસ્ટિક્સ અને દેખરેખ મિશન માટે તૈનાત કરવામાં આવે છે.

ભારત સ્વદેશી પ્લેટફોર્મ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) પ્રચંડને ઉચ્ચ-ઉચ્ચાઈવાળા વાતાવરણમાં પ્રદર્શન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. માર્ચ 2025 માં, સંરક્ષણ મંત્રાલયે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 156 પ્રચંડ હેલિકોપ્ટરના ઉત્પાદન માટે ₹62,700 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા – વાયુસેના માટે 66 અને સેના માટે 90.

ઉત્તરાખંડની શાળાઓમાં હવે ગીતાના શ્લોકો વાંચવા ફરજિયાત, મદરસા બોર્ડના અધ્યક્ષે કર્યો સ્વાગત

0

ઉત્તરાખંડની શાળાઓમાં બાળકોને સવારની પ્રાર્થના સાથે શ્રીમદ્ ભાગવત ગીતાના શ્લોક શીખવવામાં આવશે. ઉત્તરાખંડ રાજ્ય સરકારે આ અંગે એક આદેશ જારી કર્યો છે. વાસ્તવમાં, ઉત્તરાખંડના શિક્ષણ વિભાગે મુખ્યમંત્રી સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેની અસર ખૂબ જ ટૂંક સમયમાં રાજ્યની 17 હજાર સરકારી શાળાઓમાં જોવા મળશે. વાસ્તવમાં, શિક્ષણ વિભાગની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી અને તે બેઠકમાં, રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ મામલે નિર્ણય લીધો હતો. ઉત્તરાખંડ રાજ્ય સરકારના આ નિર્ણયનું મદરેસા બોર્ડના પ્રમુખ મુફ્તી શમૂન કાઝમીએ સ્વાગત કર્યું છે.

મદરેસા બોર્ડના અધ્યક્ષે સીએમ ધામીના નિર્ણયનું સ્વાગત કર્યું
મદરેસા બોર્ડના રાજ્ય પ્રમુખ મુફ્તી શમૂન કાઝમીએ રાજ્ય સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉત્તરાખંડ સતત એક અદ્યતન રાજ્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે. શાળાઓમાં અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભાગવત ગીતા શીખવવામાં આવશે તે ખુશીના સમાચાર છે. લોકોને શ્રી રામના જીવનનો પરિચય કરાવવો, શ્રી કૃષ્ણ લોકો સુધી પહોંચાડવા અને દરેક ભારતીયને આ વાતની જાણ થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી લોકોમાં ભાઈચારો પણ સ્થાપિત થશે. તેમણે કહ્યું કે મદરેસાઓમાં સંસ્કૃતનો પરિચય કરાવવા અને શીખવવા માટે સંસ્કૃત વિભાગ સાથે એમઓયુ કરવાનો નિર્ણય અમે આ જ હેતુ માટે લીધો હતો.

મુફ્તી શમૂન કાઝમીએ શું કહ્યું?
મુફ્તી શમૂન કાઝમીએ કહ્યું કે આ નિર્ણયથી સાંપ્રદાયિક સૌહાર્દ પણ મજબૂત થશે અને રાજ્યનો વિકાસ થશે. જેમણે આપણી વચ્ચે અંતર બનાવ્યું છે તેમને દૂર કરવામાં આવશે અને અમે મદરેસાના બાળકોને પણ આ બાબતોનો લાભ આપી રહ્યા છીએ. રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ભગવદ ગીતા શીખવવાના નિર્ણય અંગે સીએમ ધામીએ કહ્યું, ‘ભગવદ ગીતા એક પવિત્ર ગ્રંથ છે જેમાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલ જ્ઞાન છે, જે વ્યક્તિ માટે જીવનભર ઉપયોગી છે જો તેને ધ્યાનથી વાંચવામાં આવે તો. અમે શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠકમાં નિર્ણય લીધો હતો કે રાજ્યની તમામ શાળાઓમાં ગીતા શીખવવામાં આવશે અને આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.’

આપ ગોપાલ ઇટાલીયાએ ધારાસભ્ય તરીકે લીધી શપથ, ઈસુદાન ગઢવી રહ્યા હાજર

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કડી બેઠક પર ભાજપ અને વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની જીત થઈ હતી. આ બેઠક પરથી જીત્યા બાદ આજે ગોપાલ ઈટાલીયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યાં છે.

આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર
ગોપાલા ઈટાલીયાએ ધારાસભ્ય પદના શપથ લીધા તે દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ હાજર રહ્યાં હતાં. શપથવિધિ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને અલગ-અલગ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને ફૂલહાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. ગોપાલ ઈટાલીયાએ આજે સત્તાવાર રીતે ધારાસભ્ય પદના શપથ લઈ લીધા છે. ગુજરાત આમ આદમી પાર્ટીએ તેમને આ અંગે શુભેચ્છાઓ પણ પાઠવી છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

‘આપ’ કાર્યકર્તાઓએ કેશુભાઈ પટેલ જિંદાબાદના નારા લગાવ્યા
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ દરમિયાન ભારત માતાકી જય, જય જવાન જય કિસાન, સાથે સાથે કેશુભાઈ પટેલ જિંદાબાદ તથા જય જય ગરવી ગુજરાતના નારા લગાવ્યાં હતા. ગોપાલ ઈટાલીયાએ મોરબીના ધારાસભ્યને એક ચેલેન્જ પણ આપી હતી. આજે ધારાસભ્ય તરીકે શપથ લીધા બાદ શું ગોપાલ ઈટાલીયા કાંતિ અમૃતિયાને આપેલા ચેલેન્જ અંગે વિચાર કરશે કે કેમ? તે એક પ્રશ્ન છે. કારણે કે, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આ મામલે બે દિવસ પહેલા આકરા પાણીએ જોવા મળ્યાં હતાં. હવે બંને ધારાસભ્યો દ્વારા કેવા નિર્ણયો લેવામાં આવે છે તે જોવું રહ્યું!

ધર્માંતરણ રેકેટમાં મોટો ખુલાસો: ઉત્તર પ્રદેશના છાંગુર બાબાએ લીધાં ચોંકાવનારા નામ

0

ઉત્તર પ્રદેશના ગેરકાયદે ધર્માતરણ કેસના માસ્ટર માઈન્ડ છાંગુર બાબા અને સાથી નીતુએ અનેક સ્ફોટક ખુલાસા કર્યા છે. છાંગુર બાબાના રેકેટમાં ચાર સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે. વર્ષ 2019 થી 2024 સુધી બલરામપુરમાં રહેલા એક એડીએમ, બે સીઓ અને એક ઇન્સ્પેકટરે છાંગુર બાબાને મદદ કરી હતી. આ અધિકારીઓ છાંગુર બાબાની સૂચના બાદ કોઈપણ કામ કરવા માટે તૈયાર રહેતા હતા.

15 વર્ષથી ગેરકાયદે ધર્માંતરણમાં સામેલ
આ ઉપરાંત યુપી એટીએસની તપાસમાં ગેરકાયદે ધર્માંતરણના મુખ્ય સૂત્રધાર જલાલુદ્દીન અને તેની સાથી નીતુએ અનેક મોટા ખુલાસા કર્યા હતા. પોલીસ રિમાન્ડના પ્રથમ દિવસે છાંગુર બાબા અને નીતુએ એટીએસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા 15 વર્ષથી ગેરકાયદે ધર્માંતરણમાં સામેલ હતા. છાંગુર બાબાએ પણ ઘણા દેશો સાથે સંબંધો હોવાની કબૂલાત કરી હતી.

હિંદુ બનીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા
છાંગુર બાબા સમગ્ર દેશમાં ગેરકાયદે ધર્માંતરણ માટે નેટવર્ક ધરાવતો હતો. જેની માટે સમગ્ર દેશમાં 3000 લોકોને રાખવામાં આવ્યા હતા. આ રેકેટ ઉત્તર પ્રદેશ, બંગાળ, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્રના ફેલાયેલું છે. આ લોકો હિંદુ બનીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા હતા.

લખનૌની અદાલતમાં રજૂ કરશે
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના ગેરકાયદે ધર્માતરણ કેસના માસ્ટર માઈન્ડ છાંગુર બાબા અને તેમની સહયોગી નીતુના પોલીસ રિમાન્ડ આજે પૂર્ણ થવાના છે. ઉત્તર પ્રદેશ એટીએસ આજે બંનેને લખનૌની અદાલતમાં રજૂ કરશે અને રિમાન્ડ વધારવાની માંગ કરશે. છાંગુર બાબા અને સાથી નીતુ 10 જુલાઈથી યુપી એટીએસના રિમાન્ડ પર છે.

દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલને બોંબની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

0

દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં દ્વારકા સ્થિત સેન્ટ થોમસ અને વસંત વેલી સ્કૂલને ઈમેલ દ્વારા બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે સ્કૂલ વહીવટીતંત્ર હરકત આવ્યું હતું. તેમજ પોલીસને જાણ કરતા પોલીસ સ્કૂલ પર પહોંચી હતી. તેમજ સ્કૂલ ખાલી કરાવીને તપાસ શરુ કરી છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.

બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સાયબર એક્સપર્ટ ટીમ પહોંચી
આ બંને સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ધમકીને ગંભીરતાથી લેતા પોલીસે બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સાયબર એક્સપર્ટ ટીમ પણ બોલાવી લીધી છે. જયારે બંને સ્કૂલને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાલી કરાવવામાં આવી છે.

આરડીએકસ અને આઈઈડી મુકવાની જાણકારી
દિલ્હીમાં મંગળવારે ડીયુ સેન્ટ સ્ટીફન કોલેજ અને સેન્ટ થોમસ સ્કૂલને પણ બોંબથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં ઈમેલ દ્વારા સ્કૂલમાં આરડીએકસ અને આઈઈડી મુકવાની જાણકારી આપવામાં આવી હતી. આ પૂર્વે નેવી ચિલ્ડ્રન સ્કૂલ અને સીઆરપીએફ સ્કૂલને બોંબથી ઉડાવવાની ધમકી મળી હતી. જેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઈમેલ આઈડીને ટ્રેસ કરવાનો પ્રયાસ
જોકે, પોલીસે આ તમામ કેસમાં સમગ્ર પરિસર તપાસ કરી હતી. પરંતુ પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. પોલીસ આ તમામ કેસમાં ઈમેલ આઈડીને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. સાયબબર એક્સપર્ટની મદદ પણ લેવામાં આવી રહી છે.

NATO ચીફે બ્રાઝિલ, ચીન અને ભારતને ચેતવણી આપી, શું પુતિનની મુશ્કેલીઓ વધશે? જાણો શું કહ્યું?

નાટો ચીફ માર્ક રુટે (નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે) એ બ્રાઝિલ, ચીન અને ભારતને કડક ચેતવણી આપી છે. રૂટે કહ્યું છે કે જો આ દેશો રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખશે, તો તેમને ગંભીર આર્થિક દંડનો સામનો કરવો પડશે. યુએસ કોંગ્રેસમાં સેનેટરો સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતી વખતે રૂટે આ ટિપ્પણી કરી.

માર્ક રૂટે દિલ્હી, બેઇજિંગ અને બ્રાઝિલના નેતાઓને અપીલ કરી કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર શાંતિ મંત્રણાને ગંભીરતાથી લેવા દબાણ કરે.

રૂટે કહ્યું- પુતિનને ફોન કરો અને કહો
“આ ત્રણ દેશોને મારી ખાસ સલાહ છે કે જો તમે બેઇજિંગ, દિલ્હીમાં રહો છો અથવા હાલમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ છો, તો તમારે આ બાબત પર ધ્યાન આપવું જોઈએ કારણ કે આની અસર તમારા પર ભારે પડશે,” રુટેએ પત્રકારોને જણાવ્યું. “તો કૃપા કરીને વ્લાદિમીર પુતિનને ફોન કરો અને તેમને કહો કે તેમણે શાંતિ મંત્રણાને ગંભીરતાથી લેવી પડશે નહીંતર બ્રાઝિલ, ભારત અને ચીન પર તેની અસર ભારે પડશે,” તેમણે ઉમેર્યું. યુએસ રિપબ્લિકન સેનેટર થોમ ટિલિસે ટ્રમ્પના પગલાની પ્રશંસા કરી પરંતુ કહ્યું કે 50 દિવસનો સમયગાળો તેમને ચિંતા કરે છે.

ટ્રમ્પે ચેતવણી આપી હતી
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ પહેલા જ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી યુક્રેનને લશ્કરી સહાયની જાહેરાત કરી હતી અને રશિયા અને તેના વ્યવસાયિક ભાગીદારોને ટેરિફની ધમકી આપી હતી. ટ્રમ્પે રશિયાથી થતી નિકાસ પર 100% ટેરિફ લાદવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો 50 દિવસની અંદર રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ કરાર નહીં થાય, તો તેઓ તે દેશો પર ગૌણ પ્રતિબંધો લાદશે જે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખે છે.

ભારત પર શું અસર પડશે?
એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભારત, ચીન અને તુર્કી એવા દેશો છે જે રશિયા પાસેથી ખૂબ મોટા પાયે ક્રૂડ તેલ ખરીદે છે અને જો ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશો પર પ્રતિબંધો લાદે છે, તો તેની ભારત પર ભારે અસર પડી શકે છે. આના કારણે, ઊર્જા પુરવઠો ખોરવાઈ શકે છે અને તેલના ભાવ પણ વધી શકે છે.

રૂટે કહ્યું- અમેરિકા હવે યુક્રેનને વધુ શસ્ત્રો આપશે
દરમિયાન, રૂટે એમ પણ કહ્યું કે યુરોપ યુક્રેનને શાંતિ વાટાઘાટો માટે શ્રેષ્ઠ સ્થિતિમાં મૂકવા માટે નાણાં પૂરા પાડશે. ઉપરાંત, ટ્રમ્પના સોદા હેઠળ, યુએસ હવે યુક્રેનને “મોટા પાયે” શસ્ત્રો પૂરા પાડશે, “માત્ર હવાઈ સંરક્ષણ જ નહીં, પરંતુ યુરોપિયનો દ્વારા ચૂકવવામાં આવતા મિસાઇલો અને દારૂગોળો પણ.” જ્યારે પૂછવામાં આવ્યું કે શું યુક્રેન માટે લાંબા અંતરની મિસાઇલોની ચર્ચા થઈ રહી છે, ત્યારે રૂટે કહ્યું, “તે સંરક્ષણ અને હુમલો બંને માટે છે. તેથી વિવિધ પ્રકારના શસ્ત્રો છે, પરંતુ અમે ગઈકાલે રાષ્ટ્રપતિ સાથે તેની વિગતવાર ચર્ચા કરી ન હતી. હવે આ બાબત પેન્ટાગોન, યુરોપમાં સુપ્રીમ એલાઇડ કમાન્ડર અને યુક્રેનિયનો દ્વારા એકસાથે જોવામાં આવી રહી છે.”

અમરનાથ યાત્રા સ્થગિત: ભારે વરસાદને કારણે બાલતાલ અને પહલગામ રૂટ બંધ

0

અમરનાથ યાત્રાને લઇને એક મોટા સમાચાર આપવામાં આવ્યા છે. આજે ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે પવિત્ર યાત્રાને રોકવામાં આવી છે. બાલતાલમાં અને પહલગામમાં તમામ મુસાફરોને આવવા જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણ ખરાબ છે. ભારે વરસાદના કારણે નદી નાળા છલકાય ગયા છે. કેટલાયે જિલ્લાઓના અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે.

પહાડો પરથી સતત ભૂસ્ખલન થઇ રહ્યુ છે
પહાડો પરથી સતત ભૂસ્ખલન થઇ રહ્યુ છે. ભારતીય હવામાન વિભાગે ખુબજ સાવધાની રાખવાનું કહ્યુ છે સતત વરસાદના કારણે રસ્તાઓ ચીકણા અને કાદવ કીચ્ચડવાળા થઇ ગયા છે જેના કારણે રસ્તા પર આવતા જતા ખુબજ સાવધાની રાખવાની જરૂર છે.

IMDએ અધુરામાં પુરૂ હજુ પણ આગામી 5 દિવસ 21 જુલાઇ સુધી જમ્મુ-કાશ્મીરમાં ભારેથી અતીભારે વરસાદની ચેતવણી આપી છે.

બાબા બર્ફાની સુધી પહોંચવાના મુખ્ય બે રસ્તાઓ
અમરનાથ યાત્રામાં જવા માટે પહલગામવાળો રસ્તો અનંતનાગથી બાબા સુધી પહોંચવા માટે 36થી 48 કિલોમીટર સુધીની મુસાફરી કરવાની રહે છે કેમકે આ રસ્તો ઢાળવાળો હોવાથી આ રસ્તા પર ભારે શરીર વાળા મોટી ઉંમરના મુસાફરો માટે સારો રહે છે. બીજો રસ્તો બાલતાલવાળો છે જે ખુબજ કપરો અને બાલતાલથી જઇને ગાંદરબલ જિલ્લાથી શરૂ થાય છે. આ રસ્તાથી પહોંચવા માટે 16 કિલોમીટર કાંપવાના રહે છે. આ રસ્તો ખુબજ ઢાળવાળો છે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેનાના જવાનો, પૈરામિલિટ્રી ફોર્સ, CRPF અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ લોકો સતત ત્યાં ખડેપગે ઉભા રહે છે અને મુસાફરોની સુરક્ષા કરતા રહે છે. સેના, કેન્દ્ર સરકાર અને અનેક સંસ્થાઓ જરૂરી સુવિધાઓ પુરી પાડે છે.

પાકિસ્તાની ડ્રોન-દારૂગોળાથી ભારતને કોઇ નુકસાન નહી, CDS ચૌહાણનો મોટો ખુલાસો

0

ભારતના CDS જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના હુમલાઓ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારત વિરુદ્ધ નિઃશસ્ત્ર ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. જોકે, આમાંથી કોઈ પણ પાકિસ્તાની ડ્રોન ભારતીય સૈન્ય અને નાગરિક માળખાને નુકસાન પહોંચાડી શક્યું નથી.

સુરક્ષા માટે રોકાણ અને બાંધકામની જરૂર પડશે – CDS
હકીકતમાં, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે માણેકશા સેન્ટર ખાતે યુએવી અને સી-યુએએસ ક્ષેત્રમાં વિદેશી OEM માંથી આયાત કરવામાં આવતા મહત્વપૂર્ણ ઘટકોના સ્વદેશીકરણ પર આયોજિત પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, સીડીએસ ચૌહાણે કહ્યું કે “ઓપરેશન સિંદૂરએ અમને બતાવ્યું છે કે આપણા પ્રદેશ માટે સ્વદેશી રીતે વિકસિત કાઉન્ટર-યુએએસ સિસ્ટમ્સ શા માટે જરૂરી છે. આપણે આપણી સુરક્ષા માટે રોકાણ અને નિર્માણ કરવું પડશે.”

CDS ચૌહાણે પાકિસ્તાન વિશે શું કહ્યું?
CDS જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર દરમિયાન, 10 મેના રોજ, પાકિસ્તાને નિઃશસ્ત્ર ડ્રોન અને ફરતા દારૂગોળોનો ઉપયોગ કર્યો હતો. આમાંથી કોઈએ ભારતીય સૈન્ય કે નાગરિક માળખાને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. આમાંથી મોટાભાગનાને ગતિશીલ અને બિન-ગતિશીલ પદ્ધતિઓના મિશ્રણનો ઉપયોગ કરીને તટસ્થ કરવામાં આવ્યા હતા. આમાંથી કેટલાકને લગભગ સંપૂર્ણ સ્થિતિમાં પણ પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યા હતા.”

ડ્રોનના વધતા ઉપયોગ પર CDS ચૌહાણે શું કહ્યું?
CDS જનરલ અનિલ ચૌહાણે યુદ્ધમાં ડ્રોનના વધતા ઉપયોગ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું- “જ્યારે આપણે ડ્રોન વિશે વાત કરીએ છીએ, ત્યારે શું તમને લાગે છે કે તેઓ યુદ્ધમાં ઉત્ક્રાંતિવાદી ફેરફારો લાવી રહ્યા છે કે ક્રાંતિકારી? મને લાગે છે કે તેમનો વિકાસ ઉત્ક્રાંતિવાદી છે અને યુદ્ધમાં તેમનો ઉપયોગ ખૂબ જ ક્રાંતિકારી રહ્યો છે. જેમ જેમ તેમની જમાવટ અને કાર્યક્ષેત્ર વધતું ગયું, તેમ તેમ સેનાએ ક્રાંતિકારી રીતે ડ્રોનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, તમે આ આપણે લડેલા ઘણા યુદ્ધોમાં જોયું છે.”