Home Blog Page 367

પોરબંદરની મહિલા અને સગીરાને અમદાવાદમાં લાવી દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ

પોરબંદરના નાનકડા ગામડામાંથી એક મહિલા તથા સગીરાને બેંકમાં નોકરી આપવવાનું કહી બે યુવકો અમદાવાદ લઈને આવ્યાં હતા. શહેરના નિકોલ વિસ્તારમાં હાઈવેની એક હોટલમાં બંનેને રાખવામાં આવ્યાં હતા. અને બંનેને દહેવ્યાપારના ધંધામાં ધકેલવા મજબૂર કરવામાં આવ્યાં હતા.

જોકે, આ સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી દીધી હતી.

આ અંગે જાણ થતાં નિકોલ પોલીસ ટીમ તાત્કાલિક હોટલ પર પહોંચી હતી અને રેડ કરી બંને યુવતીઓને બચાવી લીધી હતી, ત્યારે હોટલના રૂમમાંથી દારૂ અને ગાંજો પણ મળી આવ્યો હતો.

બેંકમાં નોકરી અપાવવાનું કહીને અમદાવાદ લઈ આવ્યાં હતા. અહીંયા નોકરી મળી નહીં મળતા બંનેની સાથે આવેલા એક બાળકને આ યુવકો મારી નાખશે તેમ કહીને બ્લેક મેઇલ કરવા લાગ્યા હતા અને તેમને દેહવિક્રય કરવા મજબૂર કરી હતી. વાતથી ગભરાઈ ગયેલી પીડિતાઓએ તેમના સ્વજનોને ફોન કરીને આ વાત કહી હતી. ત્યાર બાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેથી નિકોલ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમને બચાવી લીધા હતા.

યુપીમાં પત્રકારની હત્યા કેસમાં સંડોવાયેલા બે ગુનેગારોને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં

0

સીતાપુરમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે ગુનેગારો માર્યા ગયા હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ, પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયી હત્યા કેસના બંને શૂટર્સને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. રાજુ ઉર્ફે રિઝવાન અને સંજય ઉર્ફે અકીલ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં છે. આ એન્કાઉન્ટર મોડી રાત્રે એસટીએફ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ સાથે થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીસાવા પોલીસ સ્ટેશન વિસ્તારના જલ્લાપુરમાં ગુનેગારો અને પોલીસ વચ્ચે મોડી રાત્રે એન્કાઉન્ટર થયું હતું. પત્રકાર રાઘવેન્દ્ર બાજપેયી હત્યા કેસમાં સંડોવાયેલા બંને શૂટર્સ સતત ફરાર હતા. પોલીસે બંને પર એક-એક લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. 8 માર્ચે સીતાપુરમાં પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, 8 માર્ચે બપોરે 2 વાગ્યે તેમને ફોન આવ્યો હતો અને તેઓ ઘરેથી નીકળી ગયા હતા. લગભગ એક કલાક પછી, તેમની હત્યાની ઘટના સામે આવી હતી.

પોલીસે આ કેસમાં અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો હતો. જ્યારે સ્થાનિક પોલીસને તપાસમાં સફળતા ન મળી, ત્યારે કેસ STFને સોંપવામાં આવ્યો હતો.તપાસમાં ખુલ્યું હતું કે, રાઘવેન્દ્ર વાજપેયી હત્યા કેસનો મુખ્ય કાવતરું કામદેવ મંદિરના પૂજારી વિકાસ રાઠોડ ઉર્ફે શિવાનંદ બાબા હતો. શિવાનંદ બાબા મંદિરમાં રહેતા કિશોરોનું જાતીય શોષણ કરતા હતા. પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયીને આ વાતની ખબર પડી ગઈ અને તે આ સમાચાર પર કામ કરી રહ્યા હતા. શિવાનંદને ડર હતો કે પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયી આ બાબત જાહેર કરશે. આનાથી તેમની પ્રતિષ્ઠા પણ બગડશે અને તેમને જેલમાં જવું પડશે. આ ડરને કારણે તેમણે રાઘવેન્દ્ર વાજપેયીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે શિવાનંદ બાબાએ રાઘવેન્દ્ર વાજપેયીની હત્યા કરવા માટે શાર્પ શૂટરોને 4 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

અમેરિકા: જ્યોર્જિયાના આર્મી બેઝ પર અંધાધૂંધ ફાયરિંગ, 5 સૈનિકો ઘાયલ

જ્યોર્જિયાના ફોર્ટ સ્ટુઅર્ટ લશ્કરી બેઝ પર અંધાધૂંધ ફાયરિંગની ઘટના ઘટતાં ચકચાર મચી ગઈ છે. આ ફાયરિંગમાં 5 સૈનિકો ઘાયલ થયા હતા. આ હુમલો લશ્કરી બેઝના 2જી આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમ વિસ્તારમાં થયો હતો. સેનાએ તેને સ્નાઈપર દ્વારા કરવામાં આવેલ હુમલો ગણાવ્યો છે. ફોર્ટ સ્ટુઅર્ટના સત્તાવાર ફેસબુક પેજ પર જાહેર કરાયેલી માહિતી અનુસાર, એજન્સીઓએ ગોળીબાર પછી તરત જ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને હવે આ પરિસરને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે.

લશ્કરી બેઝને અસ્થાયી રૂપે બંધ કરાયોજ્યોર્જિયાના ફોર્ટ સ્ટુઅર્ટ લશ્કરી બેઝ પર અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં 5 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિન આર્મી કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થાનિક સમય મુજબ સવારે 11 કલાક પછી સાવચેતી રૂપે લશ્કરી બેઝને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. એફબીઆઈ અને તેને સંબંધિત એજન્સીઓ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિની ઓફિસ વ્હાઈટ હાઉસ તરફથી આ ઘટના બાદ સત્તાવાર નિવેદન જાહેર કરવારમાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પએ આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો અને કહ્યું, અમે સ્થાનિક એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છીએ. હું ફોર્ટ સ્ટુઅર્ટ ખાતેની આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. ફોર્ટ સ્ટુઅર્ટ અમેરિકાના સૌથી મોટા લશ્કરી થાણાઓમાંનું એક છે, જ્યાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત છે. આ ગોળીબારની ઘટનાએ સેનાની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા, ગ્રાહક સહિત 3 લલના ઝડપાઈ

સુરતના વરાછા વિસ્તારમાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં બે સ્પા સંચાલકો સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રીસ હેર સલૂન એન્ડ વેલનેસ સ્પાની આડમાં ચાલતી ગેરપ્રવૃતિ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાંથી સંચાલક અનિતા શ્રીધર જંજીરરાલા, નીતા પાંડુરંગ ચાફલકર સહિત ભોગ બનનાર 3 લલનાઓને ઝડપી લેવામાં આવી હતી.

રૂપિયાના બદલામાં ચાલતાં દેહવ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગ્રાહક તરિકે આવેલા બીપીન નરેશભાઈ ઠક્કર, જીતેન્દ્ર બાબુલાલ ચૌહાણને ઝડપી લઈને તેમની સામે ઇમ્મોરાલ ટ્રાફિક એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.

ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી

તમને જણાવી દઈએ કે, આ ઓપરેશન દરમિયાન સ્પામાં કામ કરતી ત્રણ મહિલાઓને પણ મુક્ત કરવામાં આવી હતી. આ પ્રકારના બનાવો વારંવાર બનતા હોવા છતાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા આ રેકેટ બંધ થવાનું નથી લઇ રહ્યા. પોલીસની સતર્કતાથી આવા ગુનાઓ બહાર આવે છે પરંતુ આ દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે વધુ કડક પગલાં અને સમાજ જાગૃતિની જરૂર છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

ઉત્તરાકાશીના કુદરતી કહેરમાં 11 સૈનિકો સહિત 70 લોકો લાપતા, કુલ 190 લોકોનું રેસ્ક્યૂ કરાયું

0

ઉત્તરાકાશીના ધારાલીમાં થયેલા કુદરતી વિનાશ બાદ અત્યારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. 7 ટીમો રાત દિવસ કામગીરી કરી રહી છે. દુર્ઘટનાના દરેક સ્થળે 225 થી વધુ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે જ્યારે હજૂ પણ 11 સૈનિકો સહિત 70 લોકો લાપતા છે. અત્યાર સુધીમાં 190 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

ભટવારીમાં ધોવાયેલ રસ્તો ખુલ્યો

ઉત્તરાકાશીના ભટવારીમાં વાદળ ફાટવાથી આખો રસ્તો ધોવાઈ ગયો હતો. જે આજે ખુલ્લો છે. આ માર્ગ શરુ થતા ધારાલી જવાનો રસ્તો શરુ થઈ ગયો છે. આ રસ્તો શરુ થતાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બની છે. અગાઉ રસ્તો બંધ થવાને કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ એકમાત્ર વિકલ્પ હતો. ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જો કે ભટવારીમાં પડેલી તિરાડને સુધારવામાં મોટી સફળતા મળતા હવે જમીની માર્ગેથી રાહત અને બચાવકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે.

આજે ધારાલી અને હર્ષિલમાં રાહત અને બચાવ કાર્યનો બીજો દિવસ છે. રસ્તો ખુલતા હવે ધારાલી અને હર્ષિલ પહોંચવું શક્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે ભટવારીમાં હાઈવે ધોવાઈ ગયો હતો. ભારતીય સેનાની 7 ટીમો સતત મોરચા પર તૈનાત છે. રાહત અને બચાવમાં 225 થી વધુ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. રાહતના સમાચાર એ છે કે હર્ષિલનું લશ્કરી હેલિપેડ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયું છે. 3 સિવિલ હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ભટવારી અને હર્ષિલમાં હેલિકોપ્ટર ઉતરાણ સાથે બચાવ કામગીરીમાં વેગ મળ્યો છે. શિનુક, Mi-17 અને ALH હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર છે.

જમ્મુ કાશ્મીરમાં CRPFનું વાહન ખીણમાં ખાબક્યું, ત્રણ જવાન શહીદ, 12 ઈજાગ્રસ્ત

0

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક અકસ્માતે દેશના સુરક્ષા દળોને ઝઝૂમી દીધા છે. બસંતગઢના કંડવા વિસ્તારમાં CRPFનું વાહન ખીણમાં ખાબકતાં 3 જવાન શહીદ થયા, જ્યારે 12 અન્ય ઈજાગ્રસ્ત થયા. આ ઘટના 7 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે બની, જ્યારે 187 મી બટાલિયનનું વાહન 18 જવાનોને લઈને કંડવાથી બસંતગઢ જઈ રહ્યું હતું. વાહન રસ્તા પરથી ખસીને ઊંડી ખીણમાં પડી ગયું, જેના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ. આ ઘટનાએ સુરક્ષા દળોની સલામતી અને પડકારજનક ભૂપ્રદેશમાં વાહન ચલાવવાની જટિલતાઓ અંગે ચિંતા ઉભી કરી છે.

ઉધમપુરના બસંતગઢના કંડવા વિસ્તારમાં થયેલી આ દુર્ઘટનામાં CRPF નું વાહન નિયંત્રણ ગુમાવીને ખીણમાં ખાબક્યું હતું. CRPF ની 187મી બટાલિયનના 18 જવાનો આ વાહનમાં સવાર હતા, જે નિયમિત ફરજ માટે કંડવાથી બસંતગઢ જઈ રહ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રારંભિક અહેવાલો અનુસાર, વાહન રસ્તા પરથી ખસીને ઊંડી ખીણમાં પડ્યું હતું. આ ઘટનામાં બે જવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે 12 અન્ય જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલતનું નિરીક્ષણ ચાલી રહ્યું છે.

CRPF અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘વાહન સૈનિકોના એક જૂથને લઈ જઈ રહ્યું હતું, જે ઢાળવાળા રસ્તા પરથી લપસી ગયું અને ખીણમાં જઈને પડ્યું. ઘટનાસ્થળેથી બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ઘણા ઘાયલ સૈનિકોને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’

સુરત: સરથાણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન પર મુકત કરવા માટે લાંચ માગી હોવાની વાત સામે આવી છે, આરોપી પીએસઆઈની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

જાણો પીએસઆઈએ કેમ માગી લાંચ

આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીના માસીના દીકરા તથા તેના મિત્ર ઉપર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો જેમાં ગુનાની તપાસ પીએસઆઈ કરી રહ્યા હતા, તે દરમિયાન આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન ઉપર મુકત કરાવી દેવાના આ બાબતે લાંચની માગણી કરી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા જેના કારણે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકા દરમ્યાન આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, પકડાઇ જઇ ગુનો કરેલ છે.

આરોપી :

એમ.જી. લીંબોલા, નોકરી- પી.એસ.આઈ., સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર

લાંચની માંગણીની રકમ: રૂ.૪૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૪૦,૦૦૦/-

લાંચની પરત મેળવેલ રકમ: રૂ.૪૦,૦૦૦/-

ટ્રેપની તારીખ : તા.૦૬/૦૮/૨૦૨૫

ટ્રેપનું સ્થળ: સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં, સુરત શહેર

ટ્રેપીંગ અધિકારી:

શ્રી એમ.જે.શિંદે, પોલીસ ઇન્સ્પેક્ટર, ભરૂચ એ.સી.બી.પો.સ્ટે.

મદદમાં :

શ્રી એ.જે.ચૌહાણ, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે. તથા બંને પોલીસ સ્ટેશનની ટીમ

સુપરવિઝન અધિકારી :

શ્રી બી. એમ. પટેલ, ઇન્ચાર્જ નાયબ નિયામક, એ.સી.બી., વડોદરા એકમ, વડોદરા.

પીએમ મોદી ગલવાન અથડામણ બાદ પહેલીવાર જશે ચીન, SCO સમિટમાં હાજરી આપશે

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન જશે. પૂર્વીય લદ્દાખના ગલવાનમાં બંને દેશોની સેના વચ્ચે 2020માં થયેલી અથડામણ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ચીનની મુલાકાત લેશે. તેમનો આ પ્રવાસ ભારત અને ચીન તરફથી દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવે તેવી શક્યતા છે.

ચીનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન SCO (શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન)નું આયોજન થવાનું છે. વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે અગાઉ ઓક્ટોબર, 2024માં રશિયામાં બ્રિક્સ શિખર સંમેલનમાં મુલાકાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલય અનુસાર, 20થી વધુ દેશોના નેતા અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ એસસીઓ શિખર સંમેલન અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

મોદી અને જિનપિંગ છેલ્લે રશિયામાં મળ્યા હતા

પીએમ મોદી અને જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024માં કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય મુલાકાત પણ કરી હતી. 50 મિનિટની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા આપણા સંબંધોનો પાયો રહેવો જોઈએ.

PM મોદીની આ મુલાકાત છે ખાસ

ચીનમાં યોજાનારા SCO સંમેલનમાં ભાગ લેતાં પહેલાં વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાત કરશે. 30 ઓગસ્ટના રોજ તેઓ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીની ચીનની મુલાકાત ખાસ રહેશે. કારણકે, અમેરિકા ચીન બાદ હવે ભારતને સતત ટેરિફ વધારવા ધમકી આપી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, બ્રિક્સ દેશ ડોલરને નબળો પાડી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે ચીન અને ભારત (ડ્રેગન અને એલિફન્ટ) એકજૂટ થવા તૈયાર થયા છે.

“અદાણી પોર્ટ્સના નેતૃત્વમાં મોટી બદલાવ લહેર – ગૌતમ અદાણીએ પદ છોડ્યું, હવે માત્ર માર્ગદર્શક ભૂમિકામાં,,,

ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, હવે નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે જ જોડાયેલા રહેશે

અદાણી ગ્રુપની સૌથી મોટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ 5 ઓગસ્ટે બોર્ડ મીટિંગમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. કંપનીના સ્થાપક ગૌતમ અદાણીએ એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે જ કંપની સાથે જોડાયેલા રહેશે.

કંપનીના આ પગલાનું મુખ્ય ઉદ્દેશ ભવિષ્ય માટે મજબૂત નેતૃત્વ વિકસાવવાનું અને સંચાલનને વધુ વ્યાવસાયિક બનાવવાનું છે. હવે ગૌતમ અદાણી કંપનીના રોજિંદા કામગીરીના નિર્ણયો લેતા નહિ રહે, પરંતુ વ્યૂહાત્મક માર્ગદર્શન આપતા સલાહકાર તરીકે તેમની ભૂમિકા રહેશે.

કંપનીએ મનીષ કેજરીવાલને ત્રણ વર્ષ માટે નોન-એક્ઝિક્યુટિવ અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ખાનગી રોકાણ અને કોર્પોરેટ માળખાના વિસ્તૃત અનુભવ ધરાવે છે. આ નિયુક્તિ શેરધારકોની મંજૂરી બાદ અમલમાં આવશે.

અદાણી પોર્ટ્સએ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં 6.5%નો નફો નોંધાવ્યો છે, જે ₹3,311 કરોડ થયો છે. કંપનીની કુલ આવક ₹9,126 કરોડ રહી છે, જે અગાઉ કરતાં 31 ટકા વધારે છે. કાર્ગો વોલ્યુમમાં પણ 11%નો વધારો નોંધાયો છે.

અદાણી પોર્ટ્સ ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ ઓપરેટર છે, જે દેશમાં 15 બંદરો તથા વિદેશમાં 4 બંદરોના સંચાલન સાથે કાર્યરત છે. 1998માં ગૌતમ અદાણીએ કંપનીની સ્થાપના કરી હતી. હાલ કરણ અદાણી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.

અચાનક લેવાયેલો દેખાતા આ નિર્ણય પાછળ ગૌતમ અદાણીની વ્યૂહાત્મક દૃષ્ટિ બતાવે છે – તેમનું ધ્યાન હવે સમગ્ર અદાણી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણ અને પારદર્શક ગવર્નન્સ તરફ વધુ કેન્દ્રિત રહેશે.

સોનાની તેજી તૂફાની બની – ઓલ ટાઈમ હાઈ પર ભાવ, હવે શું કરો ખરીદી કે રાહ જુઓ?

0

સોનાની ચમક વધુ તેજ – ભાવ ઓલ ટાઈમ હાઈ પર!

₹24,510નો ઉછાળો, હવે ટાર્ગેટ ₹1.04 લાખ? જાણો કારણો અને આગાહી

6 ઓગસ્ટના રોજ સોનાના ભાવોએ ઈતિહાસ રચ્યો છે. 24 કેરેટ સોનાનો દર 596 રૂપિયાનો ઉછાળો સાથે ₹1,00,672 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે, જે અત્યારસુધીનો ઓલ ટાઈમ હાઈ છે. અગાઉ સોનું ₹1,00,076 સુધી ગયું હતું, પરંતુ આજે તેનો નવા રેકોર્ડ સાથે કિમતી સફરનો એક નવો अध्यાય શરૂ થયો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા અનુસાર, સોનાની કિંમતોમાં આ વર્ષે અત્યાર સુધીમાં ₹24,510 નો મોટો વધારો થયો છે. જાન્યુઆરી 2025માં 24 કેરેટ સોનાનો ભાવ ₹76,162 હતો, જે હવે સીધો ₹1,00,672 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ ચાંદી પણ મોંઘી થઈ છે અને આજે તેની કિંમત ₹1,154ના વધારા સાથે ₹1,13,576 પ્રતિ કિલો થઈ છે.

અહીં ધ્યાન આપવાનું છે કે બજારના વિશ્લેષકોનું માનવું છે કે ભૂ-રાજકીય તણાવ અને યુએસ ટેરિફના કારણોસર સોનાની માંગ સતત વધી રહી છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા અનુમાન આપે છે કે વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ₹1,04,000 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે, જ્યારે ચાંદી ₹1,30,000 પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

સોનાની ખરીદી કરતી વખતે ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સલાહ એ છે કે હંમેશા BIS હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદવું. દરેક સોનાના પીસ પર 6 અંકનો હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (HUID) હોય છે, જેના આધારે તેની શુદ્ધતાની ખાતરી મળી શકે છે.