Home Blog Page 366

અમદાવાદ: નહેરુનગરમાં અકસ્માતમાં બે યુવકનો ભોગ લેનાર આરોપીની ધરપકડ

અમદાવાદમાં બેફામ ગતિએ વાહન ચલાવતા નબીરાઓનો વધુ એક નિર્દોષ જીવ પર ભારે પડ્યો છે. રવિવારે મોડી રાત્રે નહેરુનગર પાસે આવેલા ઝાંસી કી રાણી BRTS બસ સ્ટેન્ડ નજીક કાર રેસિંગ કરી રહેલા રોહન સોની નામના યુવાને પૂરપાટ ઝડપે ચલાવી રહેલી બ્રેઝા કારથી બે ટુ-વ્હીલર સવાર યુવાનોને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ભયંકર અકસ્માતમાં બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે આરોપી રોહન સોની વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસે આ અકસ્માતના સાક્ષીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

બર્થડે પાર્ટીથી પરત ફરતા ત્રણેય મિત્રો કાર રેસિંગ કરી રહ્યા હતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માત કરનાર રોહન સોની સાથે તેના અન્ય બે મિત્રો પણ કાર રેસિંગ કરી રહ્યા હતા. આ મિત્રોમાં એક દક્ષ નામનો યુવાન થાર કાર ચલાવી રહ્યો હતો, જ્યારે ભવ્ય નામનો યુવાન વોક્સવેગન કાર ચલાવી રહ્યો હતો. આ ત્રણેય મિત્રો એક સ્ત્રી મિત્રના ઘરે બર્થડે પાર્ટીની ઉજવણી કરીને શિવરંજની ફૂડ માર્કેટમાં જમવા જઇ રહ્યા હતા. અકસ્માત સ્થળેથી મળેલા CCTV ફૂટેજમાં બ્રેઝા, થાર અને વર્ના કાર રેસ લગાવતી જોવા મળી હતી. પોલીસે ચેતવણી આપી છે કે જો રોહન સોનીના મિત્રોની કારની સ્પીડ પણ વધુ જણાશે, તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માતવાળી કારમાંથી બર્થડે સેલિબ્રેશનનો સામાન પણ મળી આવ્યો છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોની ઓળખ 33 વર્ષીય અસ્ફાક અજમેરી અને તેમના 22 વર્ષીય મિત્ર અકરમ કુરેશી તરીકે થઈ છે, જે જમાલપુરના રહેવાસી હતા. જ્યારે આરોપી રોહન સોની કાંકરિયામાં રહે છે અને તેના પિતા પરેશભાઈ જ્વેલરી શોપ ધરાવે છે. રોહન કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અકસ્માત કરનાર બ્રેઝા કારના નંબર પર કુલ છ ઈ-મેમો બાકી છે, જે ઓવરસ્પીડ અને ડોક્યુમેન્ટ વિના વાહન ચલાવવા જેવી ગેરરીતિઓ સાથે સંકળાયેલા છે. આ ઘટના બાદ નબીરાઓની બેફામ ગાડી ચલાવવાની ટેવ પર ફરીથી સવાલો ઉભા થયા છે.

અમેરિકાના ટેક્સાસમાં અંધાધૂંધ ફાયરિંગ, એક બાળક સહિત ત્રણ લોકોના મોત

0

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. આ વખતે અમેરિકાના ટેક્સાસ રાજ્યની રાજધાની ઓસ્ટિનમાં ગોળીબાર થયો હતો. અહીં એક બંદૂકધારીએ ‘ટાર્ગેટ’ કંપનીના સ્ટોરના પાર્કિંગ વિસ્તારમાં ગોળીબાર કરીને 2 પુખ્ત વયના અને એક બાળકની હત્યા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાને અંજામ આપ્યા પછી આરોપી ચોરાયેલી કારમાં ભાગી ગયો હતો પરંતુ પોલીસે તેને પકડી લીધો છે.

ઑસ્ટિન પોલીસ ચીફ લિસા ડેવિસે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ 30 વર્ષની ઉંમરનો છે અને તેને ‘માનસિક બીમારીનો ઇતિહાસ’ છે. પોલીસ હજુ પણ હુમલા પાછળનો હેતુ શોધવાનો પ્રયાસ કરી રહી છે. ડેવિસના જણાવ્યા મુજબ, આરોપી પહેલા ચોરીની કારમાં ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ તે કાર ક્રેશ થઈ ગઈ હતી. આ પછી, તેણે બીજી કાર ચોરી લીધી. તે દક્ષિણ ઑસ્ટિનમાં લગભગ 30 કિલોમીટર દૂર પકડાઈ ગયો.

લિસા ડેવિસે જણાવ્યું હતું કે પોલીસને બપોરે માહિતી મળી હતી અને જ્યારે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે પાર્કિંગ વિસ્તારમાં ત્રણ લોકો ગોળીબારથી ઘાયલ મળી આવ્યા હતા. આ લોકોમાંથી એક એ જ વ્યક્તિ હતો જેની કાર પાર્કિંગ વિસ્તારમાંથી ચોરાઈ ગઈ હતી. ‘ઓસ્ટિન-ટ્રેવિસ કાઉન્ટી ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ’ અનુસાર, એક પુખ્ત અને એક બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક પુખ્ત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ગોળીબારના 2 અઠવાડિયા પહેલા, મિશિગનમાં વોલમાર્ટ સ્ટોરમાં પણ આવો જ હુમલો થયો હતો.

દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં, તાલાલામાં ફોર્ચ્યુનર કારથી કિયા કારને ટક્કર મારી, એકનું ઈજાગ્રસ્ત

લોકડાયરાના જાણીતા કલાકાર અને અનેકવાર વિવાદમાં રહેતા દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. તાલાલા ગીરના ચિત્રોડ ગામે તેમની ફોર્ચ્યુનર કાર અને એક કિયા ગાડી વચ્ચે અકસ્માત થયો હતો, જેના પગલે મારામારી થઈ હોવાના અહેવાલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેવાયત ખવડ અને તેમના માણસો ફોર્ચ્યુનર કારમાં સવાર હતા. તેમની કાર અને ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણની કિયા કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું હતું અને અમદાવાદના સનાથલ વિસ્તારના રહેવાસી ધ્રુવરાજસિંહ ચૌહાણને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધ્રુવરાજસિંહ ચૌહાણ તેમના મિત્રો સાથે ચિત્રોડ ગામની કૃષ્ણા હોટેલમાં રોકાયા હતા. તેમણે ગીરમાં હોવાનું સ્ટેટસ સોશિયલ મીડિયા પર મૂક્યું હતું, જેના કારણે દેવાયત ખવડ અને તેમના માણસોએ તેમની રેકી કરીને બબાલ કરી હોઈ શકે છે. અકસ્માત બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહને માર માર્યા હોવાના પણ સમાચાર છે.

સુરત: પાલ આરટીઓ દ્વારા વાહનોના ગોલ્ડન અને સિલ્વર નંબરોની થશે હરાજી

સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા M/cycleના GJ-05 TZ સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન તા.૧૮થી ૨૦ ઓગષ્ટ સુધીમાં રોજ સુધી થશે. જ્યારે હરાજી તા.૨૦થી ૨૨ ઓગષ્ટ દરમિયાન કરવામાં આવશે.

પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.

અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી,-પાલ,સુરતની યાદીમાં જણાવાયું છે.

સુરત રેલવે સ્ટેશન પર સામૂહિક આપઘાત, એક મહિલાનું મોત, બંને બાળકની હાલત ગંભીર

સુરતમાં વધુ એક સામુહિક આપઘાતના પ્રયાસની હચમચાવતી ઘટના સામે આવી છે. રેલ્વે સ્ટેશન ખાતે બે બાળકો સાથે માતા દ્વારા સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં માલગાડી ફરી મળતા માતાનું મોત થયું હતું. જ્યારે બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઈ હતી અને સ્થળ ઉપરનાં દૃશ્યો જોઈ તમામ ચોકી ઊઠ્યા હતા. બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

એક મહિલા પોતાનાં બે સંતાનો સાથે આપઘાતના ઇરાદે સુરત રેલ્વે સ્ટેશન પહોંચી હતી. આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી ટ્રેન આગળ મહિલા બાળકો સાથે સુઈ ગઈ હતી. ટ્રેન અડફેટે મહિલા આવતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મહિલાના શરીરના બે ટુકડાં થઈ ગયાં હતાં. બાદમાં ઈજાગ્રસ્ત બન્ને બાળકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

એમ એસ ધોનીના 100 કરોડના માનહાનિ કેસમાં હાઈકોર્ટે કરી મોટી કાર્યવાહી, જાણો મામલો

0

આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની પર ગંભીર આરોપો લગાવનારાઓ માટે ખરાબ દિવસો શરૂૂ થઈ ગયા છે. હકીકતમા મદ્રાસ હાઈકોર્ટે ધોની દ્વારા દાખલ કરાયેલા 10 વર્ષ જૂના માનહાનિના કેસમાં સુનાવણી શરૂૂ કરવાનો આદેશ આપ્યો છે. ધોનીએ બે મોટા મીડિયા સંગઠનો, એક પ્રખ્યાત પત્રકાર અને નિવૃત્ત આઈપીએસ અધિકારી જી. સંપત કુમાર સામે 100 કરોડ રૂૂપિયાના નુકસાનની માંગણી સાથે આ કેસ દાખલ કર્યો હતો.

એવો આરોપ છે કે આ લોકોએ IPL સટ્ટાબાજી કૌભાંડમાં ધોનીનું નામ ખેંચ્યું હતુ જસ્ટિસ સી.વી. કાર્તિકેયનએ એક એડવોકેટ કમિશનરની નિમણૂક કરી છે જે ચેન્નાઈમાં તમામ પક્ષકારો અને તેમના વકીલો માટે અનુકૂળ જગ્યાએ ધોનીના પુરાવા રેકોર્ડ કરશે. એડવોકેટ કમિશનરની નિમણૂક એટલા માટે કરવામાં આવી હતી કારણ કે ધોની એક સેલિબ્રિટી હોવાને કારણે, તેની વ્યક્તિગત હાજરીથી હાઈકોર્ટમાં અવ્યવસ્થા પેદા થઈ શકે છે.

ધોનીએ એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં તેણે 2014 થી પેન્ડિંગ માનહાનિ કેસની સુનાવણી આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ધોનીએ કહ્યું હતું કે તે 20 ઓક્ટોબર, 2025 થી 10 ડિસેમ્બર, 2025ની વચ્ચે ઉલટતપાસ માટે ઉપલબ્ધ રહેશે. ધોનીએ સોગંદનામામાં કહ્યું છે કે હું એડવોકેટ કમિશનરને સંપૂર્ણ સહયોગ કરીશ અને કેસ અને પુરાવા દાખલ કરવા અંગે જારી કરાયેલી તમામ સૂચનાઓનું પાલન કરીશ.

તમને જણાવી દઈએ કે કેસની સુનાવણી 10 વર્ષથી વધુ સમય માટે વિલંબિત રહી હતી કારણ કે પક્ષકારોએ વિવિધ રાહતો માટે ઘણી અરજીઓ દાખલ કરી હતી. ડિસેમ્બર 2023 મા ન્યાયાધીશ એસ.એસ. સુંદર અને સુંદર મોહનની ડિવિઝન બેન્ચે નિવૃત્ત આઈપીએસ અધિકારીને ફોજદારી અવમાનનાનો દોષી ઠેરવ્યો હતો અને તેમને 15 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. જોકે, 2024 મા સુપ્રીમ કોર્ટે આ સજા પર રોક લગાવી દીધી હતી.

શું છે IPL સ્પોટ ફિક્સિંગ કેસ?

તમને જણાવી દઈએ કે IPL સ્પોટ ફિક્સિંગ કેસ વર્ષ 2013 માં થયો હતો. આ કેસમાં શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચવ્હાણ જેવા મોટા ખેલાડીઓ સંડોવાયેલા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસનના જમાઈ અને ટીમ પ્રિન્સિપાલ ગુરુનાથ મયપ્પનનું નામ પણ આ કેસમાં સામે આવ્યું હતું. આ કેસ પછી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પર IPLમાંથી બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

અબોલ જીવોને સમસ્યા ગણવી ક્રૂરતા – સુપ્રીમના આદેશ પર રાહુલ ગાંધીનો વિરોધ”

દિલ્હી-NCR વિસ્તારના બધા જ રસ્તા પરના કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા અંગે સુપ્રીમ કોર્ટના આદેશ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કડક વિરોધ વ્યક્ત કર્યો છે.
તેમના મત મુજબ, કોઈ પણ જીવંત પ્રાણી, ભલે તે રસ્તા પરનું કૂતરું જ કેમ ન હોય, તેને નાશ કરવાની વસ્તુ માનવી ન જોઈએ.
તેમણે કહ્યું કે આ પ્રકારના આદેશો માનવતા વિરુદ્ધ છે અને આને “ક્રૂર અને નિર્દયી” ગણાવી શકાય.
રાહુલના મતે, લોકોની સુરક્ષા સાથે સાથે પશુ કલ્યાણનું સંતુલન રાખીને જ નીતિ ઘડવી જોઈએ.

બીજી તરફ, કોંગ્રેસના જ સિનિયર નેતા પી. ચિદમ્બરમે આ આદેશને સમર્થન આપ્યું છે અને મંતવ્ય આપ્યું છે કે જો દિલ્હી માટે આ આદેશ જરૂરી છે તો તે દેશભરના શહેરોમાં પણ લાગુ થવો જોઈએ

અમેરિકામાં એરપોર્ટ પર 2 વિમાનો અથડાયા, જોરદાર વિસ્ફોટ પછી આગ લાગી

અમેરિકાના મોન્ટાનાના કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર આ અકસ્માત થયો. કહેવામાં આવી રહ્યું છે કે, એરપોર્ટ પર ઉતરી રહેલું એક નાનું વિમાન ત્યાં પાર્ક કરેલા વિમાન સાથે અથડાયું. આ ટક્કર પછી, ભારે આગ ફાટી નીકળી, જેના કારણે એરપોર્ટ પર અફડાતફડી મચી ગઈ. જોકે કોઈને ગંભીર ઈજા થઈ નથી.

લેન્ડિંગ દરમિયાન બીજા વિમાન સાથે અથડાયું

ચાર લોકો સાથેનું એક નાનું સિંગલ-એન્જિન વિમાન (સોકાટા ટીબીએમ 700 ટર્બોપ્રોપ) બપોરે 2 વાગ્યે કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન આ વિમાન એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાન સાથે અથડાયું. ટક્કર પછી ભીષણ આગ લાગી.

સાક્ષીઓએ કહ્યું કે એક વિમાન અંદર આવ્યું, રનવેના છેડે ક્રેશ થયું અને બીજા વિમાન સાથે અથડાયું. ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહેલા વિમાનમાં આગ લાગી ગઈ, પરંતુ પાઇલટ અને ત્રણ મુસાફરો જાતે જ બહાર નીકળવામાં સફળ રહ્યા. બે મુસાફરોને નાની ઇજાઓ થઈ હતી અને તેમને એરપોર્ટ પર સારવાર આપવામાં આવી હતી. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, તેણે ક્રેશ સાંભળ્યું અને જોયું. આ વિસ્તાર કાળા ધુમાડાથી છવાઇ ગયો હતો.

ઉત્તરી એરિઝોનામાં વિમાન દુર્ઘટનાતે જ સમયે અમે તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ યુએસમાં બીજો વિમાન દુર્ઘટના બની હતી. ઉત્તરી એરિઝોનામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માત પછી પ્લેનમાં આગ લાગી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. ન્યૂ મેક્સિકોના અલ્બુકર્ક સ્થિત CSI એવિએશન કંપનીનું આ વિમાન ફ્લેગસ્ટાફથી લગભગ 200 માઇલ (321 કિલોમીટર) ઉત્તરપૂર્વમાં ચિનલે એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર લોકો તબીબી કર્મચારીઓ હતા જેઓ એક દર્દીને લેવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા.

પાકિસ્તાનની ખુલ્લી ધમકી!ફ્લોરિડામાં ભાષણ દરમ્યાન પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરનો મોટો દાવો – “ભવિષ્યમાં યુદ્ધ થયું તો જામનગર રિફાઇનરી સૌથી પહેલા નિશાને આવશે.”

પાકિસ્તાન આર્મી ચીફનો ભારતને ખુલ્લો પડકાર: “જામનગર રિફાઇનરી અમારા નિશાને છે”

અમેરિકાના ફ્લોરિડામાં પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારત વિરુદ્ધ આક્રમક ભાષા વાપરી છે. તાજેતરના ભાષણમાં તેમણે સીધો મુકેશ અંબાણી અને જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરીને ટાર્ગેટ કરવાની ધમકી આપી.

મુનીરે સંકેત આપ્યો કે જો ભવિષ્યમાં “ઓપરેશન સિંદૂર” જેવી લશ્કરી સ્થિતિ ઊભી થાય, તો ગુજરાતની જામનગર રિફાઇનરી પ્રથમ નિશાન બનશે. વિશ્વનું સૌથી મોટું સિંગલ-સાઇટ રિફાઇનિંગ કોમ્પ્લેક્સ ગણાતી આ રિફાઇનરી દેશની ઊર્જા જરૂરિયાતો પૂરી પાડવામાં અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેની વાર્ષિક ક્ષમતા ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાના 12% બરાબર છે.

ભાષણ દરમિયાન મુનીરે કુરાનના સૂરા અલ-ફીલનો ઉલ્લેખ કર્યો, જેમાં 570 ઈસવીના ‘હાથીના વર્ષ’ની ઘટના વર્ણવાય છે—અને તેને આધુનિક યુદ્ધમાં હવાઈ હુમલાની ઉપમા તરીકે રજૂ કરી. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ નિવેદન માત્ર ધાર્મિક સંકેત નહીં પરંતુ વ્યૂહાત્મક ચેતવણી પણ છે.

મુનીરે માત્ર આર્થિક સ્થાપનો નહીં, પણ સિંધુ નદી પર ભારત ડૅમ બાંધશે તો એને 10 મિસાઇલથી નષ્ટ કરવાની પણ ધમકી આપી. “જો યુદ્ધમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમમાં મુકાયું, તો અમે અડધી દુનિયાને સાથે લઈને ડૂબીશું,” એમ તેમણે કહ્યું.

ભારત તરફથી અત્યાર સુધી આ નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ગુપ્તચર એજન્સીઓ પહેલાંથી જ જામનગર સહિતના વ્યૂહાત્મક સ્થળો પર સંભવિત ખતરા અંગે ચેતવણી આપી ચૂક્યાં છે.

કુંડેશ્વર મહાદેવ લઈ જતા યાત્રાળુઓનો ટ્રક ખબકતા 10 મહિલાના મોત, 27 ઘાયલ

0

શ્રાવણ માસના પવિત્ર સોમવારે (11 ઑગસ્ટ) કુંડેશ્વર મહાદેવના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે આ દિવસ દુ:ખદ સાબિત થયો. પુણે નજીક ખેડ તાલુકાના પૈત ગામ પાસે શ્રદ્ધાળુઓને લઈ જતો એક ઓવરલોડેડ પિકઅપ ટ્રક 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો, જેના કારણે દસ મહિલાઓના કરુણ મોત થયા છે અને બે પુરુષો અને બે બાળકો સહિત 27 અન્ય લોકો ઘાયલ થયા છે.

આ ઘટના સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. શ્રાવણી સોમવાર હોવાથી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ હતી.

અકસ્માત અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, આ પિકઅપ ટ્રકમાં પાપલવાડી ગામના 35થી વધુ લોકો સવાર હતા. મંદિર ટેકરી પર આવેલું હોવાથી રસ્તો ઢાળવાળો અને સાંકડો છે. વાહન ચઢાણ ચડી રહ્યું હતું ત્યારે સામેથી આવતા વાહનને રસ્તો આપવા માટે ડ્રાઇવરે ટ્રક ઊભો રાખ્યો હતો. પરંતુ ટ્રક ઓવરલોડેડ હોવાથી તે ફરીથી ગતિ પકડી શક્યો નહીં અને પાછળની તરફ લપસીને ઊંડા ખાડામાં પડી ગયો હતો. મૃતકોમાં મંદાબાઈ દરેકર (50), સનાબાઈ દરેકર (50), મીરાબાઈ ચોરઘે (50), શોભા પાપલ (33), સુમન પાપલ (50), શકુબાઈ ચોરઘે (50), શારદા ચોરઘે (45), બાયદાબાઈ ચોરઘે (45), પાર્વતીબાઈ પોપલ (56) અને ફસાબાઈ સાવંત (61) નો સમાવેશ થાય છે.

ઘટનાની જાણ થતાં જ પિંપરી ચિંચવડ પોલીસ અને પુણે ગ્રામીણ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવકાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને તાત્કાલિક નજીકની શિવતીર્થ અને ગાવડે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.