Home Blog Page 354

હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા

0

હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં એક પછી એક બે વખત ભૂકંપ આવ્યા છે. પહેેેલા લગભગ સાડા ત્રણ વાગ્યાના સુમારે એક હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારે આજે સવારે 4:39 વાગ્યે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો.

હિમાચલ પ્રદેશના ચંબામાં પણ સવારે 3.27 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી 20 કિલોમીટર નીચે હતું. આ ભૂકંપ એવા સમયે નોંધાઈ રહ્યા છે જ્યારે હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ રહી છે. આવી ઘટનાઓ અગાઉ ધરાલી અને હર્ષિલમાં અને હવે કુલ્લુમાં પણ નોંધાઈ છે, જેના કારણે વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

અમદાવાદ: સેવન્થ ડે સ્કુલના વિદ્યાર્થીનું છરીના હુમલાથી મોત, સિંધી સમાજના લોકોનો આક્રોશ, સ્કૂલમાં તોડફોડ

અમદાવાદમાં ગઈકાલે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટનું મર્ડર કર્યું છે. ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને શાળા બહાર છરી મારી દેતા ચકચાર મચી છે. ઘટનામાં વિદ્યાર્થી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી હતી. ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી. બાદમાં એક સ્ટાફની બોચી પકડી તેને ઉપરના માળે લઇ ગયા. આ સાથે પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સામે મળતા તેમને પણ ધોયા. શાળાની બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું. સ્થિતિ વણસતા પોલીસ પણ શાળાએ પહોંચી હતી.

શાળામાં ધક્કામુક્કી કરવાને લઈ થયો હતો વિધાર્થી વચ્ચે ઝઘડો
બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ DEO કચેરીને કરવામાં ન આવતા તેમને આ બાબતે સ્કૂલને નોટીસ ફટકારીને જવાબ માંગ્યો છે. ઘોડાસરમાં નીલકંઠ રેસિડેન્સીમાં 15 વર્ષીય સગીર પરિવાર સાથે રહે છે અને તે ખોખરા સેવન્થ-ડે સ્કૂલમાં ઘોરણ-૧૦ માં ઈંગ્લીશ મિડિયમમાં અભ્યાસ કરે છે. જેમાં એક અઠવાડિયા પહેલા વિદ્યાર્થીના પિતરાઈભાઈ સિડી ઉતરતો હતો. ત્યારે ધોરણ-8ના વિદ્યાર્થી અને અન્ય એક વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી. જેને લઈને બંને ભાઇઓને વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયો હતો. તેની અદાવતમાં 15 વર્ષીય સગીર મંગળવારે સ્કૂલે ગયો હતો.

છરી મારનાર વિધાર્થી વિરુદ્ધ અગાઉ પણ શાળાને મળી હતી ફરિયાદ
વિધાર્થી બાદમાં બપોરે છૂટીને સ્કૂલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે સ્કૂલની સામેના ભાગે ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થી સાથે મળીને સગીર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ધોરણ-10ના વિદ્યાર્થીએ સગીરને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 9 લોકોના નિવેદન નોંધ્યા છે, પોલીસે શિક્ષકો, સિક્યુરિટી ગાર્ડ સહિત 9 લોકોના નિવેદન નોધ્યા છે. તેમાં સામે આવ્યુ કે જે વિદ્યાર્થીએ છરી મારી તેની સામે અગાઉ સ્કૂલને અનેક ફરિયાદો મળી છે અને તેમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

અફઘાનિસ્તાનમાં ભયંકર માર્ગ અકસ્માત, 50થી વધુ લોકોના મોત

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 50 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ઈરાનથી પરત ફરતા પ્રવાસીઓને લઈ જતી એક પેસેન્જર બસ ટ્રક અને મોટરસાઈકલ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક પોલીસ અને પ્રાંતીય અધિકારીએ આ અકસ્માત અંગે માહિતી આપી છે.

હેરાત પ્રાંતીય પોલીસે જણાવ્યું હતું કે બસની ઝડપી ગતિ અને બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. પ્રાંતીય અધિકારી મોહમ્મદ યુસુફ સઈદીએ એએફપીને જણાવ્યું હતું કે બસ રાજધાની કાબુલ જઈ રહી હતી જેમાં તાજેતરમાં ઈરાનથી પાછા ફરેલા અફઘાન લોકોનો સમાવેશ થતો હતો. આ લોકો અફઘાન લોકોના એક મોટા જૂથનો ભાગ હતા જેમને તાજેતરના મહિનાઓમાં ઈરાનમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા અથવા બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં ટ્રાફિક અકસ્માતો સામાન્ય છે. માર્ગ અકસ્માતો માટે ઘણા કારણો છે, જેમાં દાયકાઓથી ચાલતા સંઘર્ષ પછી ખરાબ રસ્તાઓ, હાઇવે પર ખતરનાક ડ્રાઇવિંગ અને નિયમોનું ઉલ્લંઘનનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનમાં મોટાભાગની બસો જૂની અને તકનીકી રીતે અસુરક્ષિત છે અને આ પણ અકસ્માતનું એક મુખ્ય કારણ છે.

ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી, આ તારીખથી અરજી પ્રક્રિયા થશે શરૂ

ભારતીય વાયુસેના દ્વારા ગુજરાત રાજ્ય તથા બે કેન્દ્રશાસિત પ્રદેશના અપરણીત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી વડોદરા જિલ્લાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે. ભરતી રેલી ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે પાંચ વાગ્યાથી શરૂ થશે. જેમાં ૨૭ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન અપરણીત પુરુષ ઉમેદવારોની તેમજ ૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન અપરણીત મહિલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યોજાશે.

આ ભરતી માટે ઉમેદવાર અપરણીત હોવો જરૂરી છે તથા તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૨૦૦૫ થી ૩૧ જુલાઈ ૨૦૦૮ (બન્ને તારીખ સહીત) વચ્ચે થયેલો હોવો જોઈએ. ઉમેદવારોએ કેન્દ્ર, રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ૧૦+૨ અથવા સમકક્ષ પરીક્ષા ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે તેમજ અંગ્રેજીમાં ૫૦ ટકા ગુણ સાથે પાસ કરેલી હોવી આવશ્યક છે.

ઉમેદવારોએ બે વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ, કમ્પ્યુટર સાયન્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી અથવા માહિતી ટેકનોલોજી) પણ ૫૦ ટકા ગુણ સાથે પાસ કરેલો હોવો જોઈએ અને તેમાં અંગ્રેજીમાં ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.

ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આધાર કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ અને તમામ શૈક્ષણિક પ્રમાણપત્રોની તપાસ બાદ શારીરિક કસોટી લેવામાં આવશે જેમાં ઊંચાઈ માપ્યા પછી ૧૬૦૦ મીટરની દોડ તથા પુશ અપ, સીટ અપ અને સ્ક્વાટ લેવામાં આવશે. તે બાદ લેખિત પરીક્ષા યોજાશે. લેખિત પરીક્ષામાં સફળ થતા ઉમેદવારોને બીજા દિવસે એપ્ટિટ્યૂડ ટેસ્ટ ૧ એટલે કે સીટ્યુએશન રિએક્શન ટેસ્ટ અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ ૨ એટલે કે ગ્રુપ ડિસ્કશન માટે બોલાવવામાં આવશે.

ઉમેદવારોને ભરતી રેલીમાં હાજર થતી વખતે નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ તમામ દસ્તાવેજો ઓરિજિનલ તથા બે નકલમાં સાથે લાવવા જરૂરી છે. તેમાં પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, ધોરણ ૧૦ની તથા અન્ય અભ્યાસની માર્કશીટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, NCC સર્ટિફિકેટ (હોઈ તો), ભારતીય વાયુસેનામાં સેવા આપતા જવાનો અથવા સરકારી કર્મચારીઓના સંતાનો માટે જરૂરી પ્રમાણપત્ર, સરકારી કર્મચારીઓ માટે એન.ઓ.સી. સર્ટિફિકેટ તેમજ જો હાથ પર ટેટુ હોય તો તેનો પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ સાથે લાવવા જરૂરી છે.

આ ભરતી રેલી અંગે વધુ વિગતવાર માહિતી અને માર્ગદર્શન ભારતીય વાયુસેનાની ઓફિશ્યલ વેબસાઈટ https://agnipathvayu.cdac.in પરથી મેળવી શકાય છે. વડોદરા જિલ્લા રોજગાર કચેરી દ્વારા વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે પરીક્ષાલક્ષી ત્રીસ દિવસની નિવાસી તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે. ઉપરાંત ભરતી રેલી સારી રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા મંડપ, ઈલેક્ટ્રિક, ટેબલ-ખુરશી, પીવાનું પાણી, રિફ્રેશમેન્ટ, સ્વચ્છતા, કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા, ટ્રાન્સલેટર શિક્ષક તથા ઉમેદવારો માટે રાત્રિ રોકાણ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા, સુરત તથા વલસાડ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી

SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલ તા. ૨૦ ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તા. ૨૧ ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બેઠકમાં NDRF અને SDRF અધિકારીશ્રીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ ૧૨ ટીમ અને SDRFની ૨૦ ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. વધુમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકશ્રીએ સૂચના આપી હતી.

સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૬૧ જળાશયો હાઇએલર્ટ, ૨૭ જળાશયો એલર્ટ તથા ૨૧ જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીશ્રી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં રાહત નિયામકશ્રી દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ, ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું.

ઉકાઈ ડેમમાં મેગાવોટના સોલર પ્રોજેક્ટનો વિરોધ, પથ્થરમારમાં પોલીસ અધિકારીઓ ઘાયલ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગોલણ ગામમાં આજે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ઉકાઈ ડેમમાં 1500 મેગાવોટના સોલર પ્રોજેક્ટ માટે સર્વે અને માપણી કરવા ગયેલી સરકારી ટીમનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો, જેના પરિણામે હિંસા ફાટી નીકળી.

અંદાજે 400 લોકોના ટોળાએ સર્વે ટીમને કામ કરતા અટકાવ્યા અને વિરોધ ઉગ્ર બનતાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળા પાસે પથ્થર, લાકડાં અને દાતરડાં જેવાં હથિયારો પણ હતાં. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જં કર્યો અને ટીયર ગેસના 12 શેલ છોડ્યા હતા અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી બંધ કરી દીધી છે. પોલીસે આ ગંભીર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષનો દાવ: પૂર્વ સુપ્રીમકોર્ટ જજ બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર

0

ઇન્ડિયા ગઠબંધન દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી.સુદર્શન રેડ્ડીને વિપક્ષે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નામની જાહેરાત કરતી વખતે કહ્યું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બી.સુદર્શન રેડ્ડી અમારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે.

સરકારના એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ
રેડ્ડીએ તેમના કરિયરની શરૂઆત નાગરિક અને બંધારણીય બાબતોમાં પ્રેક્ટિસ કરીને કરી હતી અને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ કે. પ્રતાપ રેડ્ડી સાથે કામ કર્યું હતું. ત્યારબાદ 8 ઓગસ્ટ 1988ના રોજ તેમને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને કેન્દ્ર સરકાર માટે એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ બન્યા હતા.

વર્ષ 1993 માં તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ઓસ્માનિયા યુનિવર્સિટીના લીગલ એડવાઇઝર પણ હતા. તેમના લીગલ કરિયરમાં આગળ વધતા રેડ્ડીને 2 મે 1993ના રોજ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પછી 5 ડિસેમ્બર 2005ના રોજ તેઓ ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જજ બન્યા.

કોણ છે બી સુદર્શન રેડ્ડી?
બી. સુદર્શનનો જન્મ 8 જુલાઈ 1946ના રોજ આંધ્રપ્રદેશના અકુલા માયલારામ ગામમાં થયો હતો. તેમણે હૈદરાબાદમાં અભ્યાસ કર્યો અને 1971માં ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. તેઓ 1971 માં જ એડવોકેટ તરીકે નામાંકિત હતા. તેમણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં રિટ અને સિવિલ કેસોની પ્રેક્ટિસ કરી છે. તેમણે 1988-90 દરમિયાન હાઇકોર્ટમાં સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું.

સુરત: કોઝવે ભયજનક સપાટીએ પહોંચ્યો, સાવચેતીના પગલે વાહન વ્યવહાર માટે બંધ કરાયો

સુરત શહેરમાં આવેલો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ભયજનક સપાટી પર આવી જતા કોઝવે બંધ કરવામાં આવ્યો છે. હવે ચંદ્રશેખર બ્રિજ અથવા જહાંગીરપુરા ડભોલી બ્રીજનો ઉપયોગ વાહન ચાલકોને કરવો પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.

સુરતમાં આવેલો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ચોમાસામાં ભયજનક સપાટીએ પહોચતા પહેલી વાર ગત 23 જૂનના રોજ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સપાટીમાં ઘટાડો થતાં 50 દિવસ બાદ 11 ઓગસ્ટના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

7 દિવસમાં ફરી એક વખત કોઝવેની સપાટી ભયજનક સપાટી સુધી પહોંચી છે. જેના પગલે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આજે બપોરે 2 કલાકે કોઝવેની સપાટી 5.98 મીટર નોંધાઈ હતી. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, ઉલ્લેખનીય છે કે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા વાહન ચાલકોને જહાંગીરપુરા ડભોલી બ્રીજ અથવા ચંદ્ર શેખર આઝાદ બ્રીજનો ઉપયોગ કરવો પડશે.

એપલનો મેગા લોન્ચ: iPhone 17, Watch Ultra 3 અને નવા AirPods સપ્ટેમ્બરમાં…

0

એપલનો સપ્ટેમ્બર લોન્ચ ઇવેન્ટ:
ટેક દિગ્ગજ એપલ આવતા મહિને તેના નવા iPhone 17 Series, Apple Watch Ultra 3, Series 11 અને Next Gen AirPods Pro 4 લોન્ચ કરવા જઈ રહ્યું છે. iPhone 17 Pro Maxમાં વધુ શક્તિશાળી પ્રોસેસર, 120Hz Display અને અદ્યતન કેમેરા સિસ્ટમ મળશે.

Apple Watch Ultra 3 અને Series 11માં Health Monitoring, Satellite Connectivity જેવી સુવિધાઓ ઉમેરાશે. નવા AirPods Pro 4માં વધુ સારી Noise Cancellation અને Clear Audio અનુભવ મળશે. વિશ્વભરના એપલ ચાહકો આ ઇવેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે…

“ચાર રાષ્ટ્રપતિઓને નોબેલ મળ્યા, મને કેમ નહીં? – ટ્રમ્પનો દબાણભર્યો દાવો”

નોબેલ માટે ઉતાવળા બનેલા ટ્રમ્પ: નોર્વેના નાણાંમંત્રીને ફોન પર ધમકી, “પુરસ્કાર નહીં મળે તો ટેરિફ લગાવી દઈશ”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર મેળવવા માટે એટલા ઉત્સુક થઈ ગયા છે કે તેમણે નોર્વેના નાણાંમંત્રીને સીધો ફોન કરીને દબાણ કરવાનો પ્રયાસ કર્યો. નોર્વેના બિઝનેસ અખબાર ડેગેન્સ નેરિંગ્સલિવના અહેવાલ મુજબ, ટ્રમ્પે ફોન પર સ્પષ્ટ કહ્યું કે જો તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં આપવામાં આવે તો અમેરિકા નોર્વે પર વધુ ટેરિફ લાદશે.

અહેવાલ મુજબ, આ ફોન કૉલ ત્યારે આવ્યો હતો જ્યારે નોર્વેના નાણાંમંત્રી ઓસ્લોની સડકો પર વોક માટે નીકળ્યા હતા. અમેરિકી અને નોર્વેજીયન અધિકારીઓ વચ્ચે ટેરિફ અને આર્થિક સહકાર અંગે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે અચાનક ટ્રમ્પે નોબેલ પુરસ્કાર અંગે વાત શરૂ કરી હતી.

ગત મહિને અમેરિકા દ્વારા નોર્વેની આયાત પર 15% ટેરિફ લાદવામાં આવ્યા હતા, જેના પગલે બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન ટ્રમ્પે દલીલ કરી હતી કે તેમણે મધ્ય પૂર્વ, ભારત-પાકિસ્તાન અને કંબોડિયા જેવા દેશોમાં શાંતિ કરારો અને યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ટ્રમ્પે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં જણાવ્યું કે, “ચાર અમેરિકન રાષ્ટ્રપતિઓને નોબેલ મળ્યો છે, તો પછી મને કેમ નહીં મળે?” ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ, પાકિસ્તાન અને કંબોડિયા સહિત અનેક દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન કર્યું છે. તેમ છતાં, અંતિમ નિર્ણય નોર્વેની નોબેલ સમિતિ લે છે કે આ પ્રતિષ્ઠિત સન્માન કોને મળશે