Home Blog Page 355

બળાત્કારના દોષિત આસારામને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લવાયા, તબિયત ગંભીર

સુરત અને જોધપુરના દુષ્કર્મ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામની તબિયત ગંભીર થતાં તેમને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમનું મેડિકલ એક્ઝામિનેશન શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓપીડીમાં લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ તેઓ ઈન્દોરની જ્યુપિટર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા.

આસારામની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને ગુજરાત અને રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા તેમના વચગાળાના જામીન લંબાવવામાં આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે 8 ઓગસ્ટે સુનાવણી કરીને તેમના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા, જ્યારે ગુજરાત હાઈકોર્ટે સુરત કેસમાં 7 ઓગસ્ટે જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા છે. આસારામે તબીબી કારણોસર જામીન લંબાવવાની માંગ કરી હતી અને હોસ્પિટલ તેમજ ડોક્ટરોના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટે ત્રીજી વખત તેમના જામીન લંબાવ્યા છે, અને આ મામલે 21 ઓગસ્ટે વધુ સુનાવણી યોજાશે.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટમાં આસારામની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. તેમના વકીલ નિશાંત બોરડાએ કોર્ટને જણાવ્યું હતું કે, આસારામનું ‘ટ્રોપોનિન લેવલ’ ખૂબ જ ઊંચું છે, જે ચિંતાજનક છે. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરના મતે તેમની હાલત ગંભીર છે. આ મેડિકલ રિપોર્ટના આધારે જ બંને હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ચર્ચાનો વિષય બનાવ્યો છે.

મહારાષ્ટ્ર: અહિલ્યાનગરમાં ફર્નિચરની દુકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 5 લોકોના મોત

0

મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં નેવાસા ફાટા ખાતે આવેલી, એક ફર્નિચરની દુકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. અહિલ્યાનગર પોલીસની ટીમ અહીં આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે.

ઘટનાની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે,” ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યે અહિલ્યાનગરના નેવાસામાં, મયુર ફર્નિચર નામની દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફર્નિચરની દુકાનમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ પર ઝડપથી કાબુ મેળવી શકાયો ન હતો.

“આ કારણે દુકાનમાં સૂતા એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ મયુર અરુણ રસાને (45), પાયલ મયુર રસાને (38), અંશ મયુર રસાને (10), ચૈતન્ય મયુર રસાને (7) અને એક વૃદ્ધ મહિલા તરીકે થઈ છે. ફાયર બ્રિગેડની ટીમે આજે સવાર સુધીમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે.

સુરતમાં ડી. કે. એન્ડ સન્સ કંપનીમાં કરોડોના હીરાની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ

સુરતમાં તિજોરી કટરથી કાપી કરોડોના હીરાની ચોરીની ઘટના સામે આવી છે. ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો CCTV-DVR લઈ સાથે ગયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દોડી આવી હતી. DCP, ACP, FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આ ચોરીનો આકડો ચોક્કસ બહાર આવ્યો નથી.

સુરતમાં તિજોરી કટરથી કાપી કરોડોના હીરાની ચોરી

શહેરમાં આવેલી ડી કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી ચોરો તિજોરી કાપી કરોડોના હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા છે. હમણાં તેહવારોના લીધે કંપનીમાં રજાનો માહોલ હોવાથી આ તકનો લાભ ચોરોએ ઉઠાવી લીધો હતો. જોકે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ચોરોએ કંપની ના સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા છે, અને તસ્કરો CCTV-DVR લઈ ગયા છે. ચોરો પૂરાવાનો નાશ કરતા ગયા છે.

DCP, ACP સહિતની ટીમો અને FSLની ટીમ દ્વારા તપાસ

તસ્કરોએ તહેવારનો લાભ લઈને ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતા જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચોરો ક્યારે આવ્યા અને ચોરી કરીને જતા રહ્યાં છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ ઘટના સ્થળે DCP, ACP સહિતની ટીમો અને FSLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં ત્રણ શાળાઓ અને એક કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન શરૂ

0

દિલ્હીમાં ફરી એકવાર શાળાઓ અને કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અગાઉ પણ દિલ્હીની ઘણી શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. ઘણી વખત આ નકલી કોલ સાબિત થયા છે. સોમવારે દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) દ્વારકા, મોર્ડન કોન્વેન્ટ સ્કૂલ દ્વારકા અને ગ્રેટર કૈલાશમાં બ્લુ બેલ્સ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે સમાચાર એ છે કે એક કોલેજને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.

જે બાદ શાળા પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. બોમ્બની માહિતી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દિલ્હી ફાયર સર્વિસે આ માહિતી આપી છે. માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આજે સવારે 7:24 વાગ્યે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

બોમ્બની માહિતી પર, એક વાલીએ કહ્યું કે અમને બાળકોને શાળામાંથી પાછા લઈ જવાનો સંદેશ મળ્યો હતો. તેઓએ કારણ જણાવ્યું ન હતું. તેથી જ અમે અમારા બાળકને પાછા લઈ જવા આવ્યા છીએ. અગાઉ, જુલાઈમાં, દિલ્હીની 20 થી વધુ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીના પશ્ચિમ વિહારમાં આવેલી રિચમંડ ગ્લોબલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની માહિતી મળતાં જ ફાયર વિભાગ અને દિલ્હી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

માત્ર શાળાઓ જ નહીં, કોલેજોને પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા

શાળાઓ ઉપરાંત, દિલ્હીની આઈપી કોલેજ ફોર વુમન, હિન્દુ કોલેજ અને શ્રી રામ કોલેજ ઓફ કોમર્સને પણ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પરંતુ તપાસ બાદ, બધી ધમકીઓ ખોટી નીકળી.

અમરેલી જિલ્લા જેલના પાંચ આજીવન કેદીઓને સારા વર્તન બદલ મુક્તિ

અમરેલી જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પાંચ કેદીઓને ગૃહ વિભાગ દ્વારા સારા વર્તનના આધારે મુક્તિ આપવામાં આવી છે. આ પાંચેય કેદીઓ છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી જેલમાં સજા ભોગવી રહ્યા હતા.

જેલ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ કેદીઓએ જેલમાં રહેતા સમયગાળા દરમિયાન શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવી હતી અને વિવિધ કાર્યોમાં સક્રિય ભાગ લીધો હતો.

તેમણે જેલમાં ઉપલબ્ધ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાઈ સુધરેલ જીવન તરફ પ્રયાણ કર્યું હતું. નિયમિત સમયપાલન, સહ-કેદીઓ પ્રત્યે સૌજન્યપૂર્ણ વર્તન અને જેલ સ્ટાફ સાથે સહકાર દર્શાવવાના કારણે તેઓ સારા વર્તનની યાદીમાં સ્થાન પામ્યા.

ગૃહ વિભાગ દ્વારા સમયાંતરે આજીવન કેદીઓના વર્તન અને સુધારાની સમીક્ષા કરવામાં આવે છે. સમીક્ષા બાદ યોગ્ય માનવામાં આવતા કેદીઓને શરતી અથવા સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેલ અધિકારીઓની ભલામણ, કાયદેસર દસ્તાવેજો અને સરકારના માર્ગદર્શકોનું પાલન કરવામાં આવે છે.

આજે આ પાંચેય કેદીઓને જેલમાંથી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી. મુક્તિ મેળવનાર કેદીઓએ જેલ સત્તાવાળાઓનો આભાર માન્યો અને સમાજમાં પુનઃસ્થાપિત થવા તથા નવું જીવન શરૂ કરવાની પ્રતિજ્ઞા લીધી. જેલ અધિકારીઓએ પણ આશા વ્યક્ત કરી કે આ કેદીઓ ભવિષ્યમાં સારું વર્તન જાળવી સમાજમાં સકારાત્મક યોગદાન આપશે.

કર્ણાટક: 1.7 કરોડ રોકડ, 6.8 કિલો સોનું… કોંગ્રેસના ધારાસભ્યના ઠેકાણાઓ પરથી મળી બેહિસાબ રકમ

0

કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સતીશ કૃષ્ણ સૈલના ઘરે અને તેમનાં સ્થાનો પર EDએ દરોડા પાડ્યા છએ, જેમાં બેહિસાબ સંપત્તિઓ મળી છે. EDએ 1.7 કરોડ રૂપિયા અને 6.8 કિલો સોનું જપ્ત કર્યું છે, જેની કિંમત આશરે સાત કરોડ રૂપિયા થાય છે. કૃષ્ણ સૈલ કારવાર–અંકોલા બેઠકથી ધારાસભ્ય છે.

EDએ 13 અને 14 ઓગસ્ટે સૈલના કારવાર, ગોવા, મુંબઈ અને નવી દિલ્હીમાં આવેલાં ઘર તથા અનેક ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા. તપાસ એજન્સીએ ધારાસભ્યના બેંક ખાતાઓમાં રહેલા 14 કરોડથી વધુની રકમને પણ ફ્રીઝ કરી દીધી છે.

EDએ X પર પોસ્ટ કરીને માહિતી આપી કે આ દરોડા દરમ્યાન અનેક દસ્તાવેજો, ઈ-મેઈલ્સ અને રેકોર્ડ્સ મળ્યા છે. ધારાસભ્યના ઘરે રહેલા કેટલાંક લોકર્સને ફ્રીઝ કરવામાં આવ્યાં અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

આ દરોડા દરમ્યાન ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યો ઘરે હાજર નહોતા. ધારાસભ્ય સાથે જોડાયેલા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જે અન્ય સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા, તેમાં આશાપુરા માઇનકેમ, શ્રી લાલ મહલ, સ્વસ્તિક સ્ટીલ્સ (હોસપેટ), આઈએલસી ઇન્ડસ્ટ્રીઝ, શ્રી લક્ષ્મી વેંકટેશ્વર મિનરલ્સનો સમાવેશ થાય છે. કેન્દ્રિય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાંસદો અને ધારાસભ્યોની વિશેષ અદાલતે શ્રી મલ્લિકાર્જુન શિપિંગ પ્રાઈવેટ લિમિટેડે અન્ય લોકો સાથે મળીને આયર્ન ઓરનો પાઉડરની ગેરકાયદે નિકાસ માટે સૈલ સહિત તમામ આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા.

પાકિસ્તાનમાં પૂરનો તાંડવ: 243 લોકોના મોત, રાહત મિશન પર ગયેલું હેલિકોપ્ટર ક્રેશ

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 243 લોકોનાં મોત થયા છે, અને ધણા લોકો હજુ પણ ગુમ છે. તેમજ આ આફતમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર ઉત્તરપશ્ચિમનો બુનેર જિલ્લો છે. જ્યાં શુક્રવારે આવેલા પૂરમાં 157 લોકો માર્યા ગયા. આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતાને જોતા, બુનેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે, અને બચાવ ટીમો બોટ અને હેલિકોપ્ટર દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વરસાદ સંબંધિત આ ઘટનાઓમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 26 જૂનથી અત્યાર સુધીમાં દેશભરમાં ઓછામાં ઓછા 556 લોકોનાં મોત થયાં છે.

અધિકારીઓએ જણાવ્યું કે તાત્કાલિક અસર હેઠળ 1122 ઈમરજન્સી ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે. માત્ર બુનેર જિલ્લામાં જ 2071થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જેમાં 300થી વધુ બાળકો પણ શામેલ છે. દૂરદર્શન વિસ્તાર અને ડુંગળીયાઓ વચ્ચે આવેલ ગામો સુધી રાહત પહોંચાડવા હેલિકોપ્ટરનો સહારો લેવાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં માર્ગ સંપર્ક તૂટી જવાને કારણે હેલિકોપ્ટર જ એકમાત્ર આશરો બની રહ્યા છે.

MI-17 હેલિકોપ્ટર દુર્ઘટનામાં 5 લોકોના મોત

રાહત અને બચાવ કામગીરી માટે જતાં એક MI-17 હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું, જેમાં હેલિકોપ્ટર સ્ટાફના પાંચ સભ્યોના મરણ થયા. સરકારે શહીદ થયેલા પાઈલટ્સ અને ક્રૂ માટે એક દિવસના રાષ્ટ્ર શોકની જાહેરાત કરી છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત પરિવારો અને પ્રવાસીઓને બહાર કાઢવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, ઉત્તરમાં હિમનદી તળાવો ફાટવાથી આવતા પૂર અંગે નવી ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને જોખમી વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

સુરત: ટોરેન્ટ પાવર કંપની દ્વારા 18 થી 23 ઓગસ્ટ દરમિયાન વીજ કાપ, વિગતે જાણો ટાઈમ

ટોરેન્ટ પાવર કંપની દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠાની જાળવણી અને સમારકામના કામ માટે વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે. 18 થી 23 ઓગસ્ટ, 2025 દરમિયાન સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વિવિધ સબસ્ટેશનોમાં નેટવર્ક જાળવણીનું કામ હાથ ધરાશે.

વીજ કાપનો ટાઈમ

  • 18 ઓગસ્ટ, સોમવાર : મોહન બાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નં. 2, ઉત્તમ શ્રીનિવાસ (સુમુલ ડેરી)
  • 19 ઓગસ્ટ, મંગળવાર : સુમન દેસાઈ વાડી ઇન્ડસ્ટ્રીયલ, કે.જી. જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ નં. 30, ગણપતિ પ્લાઝા (કતારગામ), કુબેરજી ટેક્સટાઈલ (એ-સ્ટેશન પાસે)
  • 20 ઓગસ્ટ, બુધવાર : રમણ પાર્ક (કતારગામ), એપીએમસી માર્કેટ નં. 2 (પી.કે. રોડ), રિધમ પ્લાઝા (ભાગળ)
  • 21 ઓગસ્ટ, ગુરુવાર : પ્રજાપતિ (સંતોષીનગર), ધર્મિષ્ઠા પાર્ક (વરાછા)
  • 22 ઓગસ્ટ, શુક્રવાર : ગણેશ કોલોની ઇન્ડસ્ટ્રીયલ (વરાછા), જવાહર (ઉમરવાડા), ભોજલારામ (એ.કે. રોડ)
  • 23 ઓગસ્ટ, શનિવાર : યમુના નગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નં. 1-11

ટોરેન્ટ પાવરના જણાવ્યા મુજબ, આ કામગીરી વીજળીના નેટવર્કને વધુ મજબૂત અને સ્થિર બનાવવા માટે જરૂરી છે. ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માતમાં ગુજરાતી ગાયક સહિત 4 લોકોના મોત, 7ને ગંભીર ઈજા

0

મધ્યપ્રદેશના શિવપુરીમાં આજે એક ભયાનક અકસ્માત થયો. શનિવારે સવારે, સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોટા ઝાંસી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 46 પર એક ટ્રાવેલ મીની બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં 4 મુસાફરોના મોત થયા. જ્યારે 7 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલરનો બુકડો વળી ગયો. આ અકસ્માતમાં ગુજરાતી સિંગર હાર્દિક દવેનું ઘટના સ્થળે મોત થયા હતા.

મળતી માહિતી મુજબ, શુક્રવારે સાંજે કાશી વિશ્વનાથ ખાતે આયોજિત શિવ કથા કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યા બાદ ઓરકેસ્ટ્રા ગ્રુપના 20 લોકો પરત ફરી રહ્યા હતા. ઓરકેસ્ટ્રા ગ્રુપના તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી છે. શનિવારે સવારે લગભગ 5:30 વાગ્યે તેમનો ટ્રાવેલર સુરવાયામાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન, ટ્રાવેલર બેકાબુ થઈને ડિવાઇડર પર ચઢી ગયો અને બીજી લેનમાં એક ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો.

સુરવાયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા. અકસ્માતમાં ગાયક હાર્દિક દવે (40)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ દરમિયાન, રાજા ઠાકુર (28), અંકિત ઠાકુર (22) અને રાજપાલ સોલંકી (60)નું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા

રાવલ મોહિત, આશિષ વ્યાસ, મોહલિક, નરેન્દ્ર નાયક, ચેતન કુમાર, ઋષિકેશ, વિપુલ, અરવિંદ, અર્જુન, હર્ષદ ગોસ્વામી અને ટ્રાવેલરના ડ્રાઇવરને ઇજા પહોંચી છે. તેમાંથી 7 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને ઝોકું આવવાથી આ અકસ્માત થયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઘાયલોની સારવાર ચાલી રહી છે.

જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે તેમના 108 નામોનો જાપ કરો, ભાગ્ય ચમકશે

0

આ વર્ષે જન્માષ્ટમી 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષે સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિથી ઉજવવામાં આવે છે. આ દિવસે રાધા-કૃષ્ણના મંદિરોને દીવા અને ફૂલોથી શણગારવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે સંપૂર્ણ પદ્ધતિ અને નિયમો અનુસાર પૂજા કરવામાં આવે તો ભક્તો પર શ્રી કૃષ્ણની કૃપા રહે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષના રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ થયો હતો. એવું કહેવાય છે કે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના અનંત સ્વરૂપોના 108 નામોનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી, કાન્હાના આશીર્વાદથી, તમારા બધા દુ:ખ દૂર થશે અને આવનારો સમય તમારા માટે ખુશી અને સૌભાગ્ય લાવશે.

ભગવાન શ્રી કૃષ્ણના 108 નામ

  • કૃષ્ણ
  • કમલનાથ
  • વાસુદેવ
  • સનાતન
  • વાસુદેવાત્મજ
  • પુણ્ય
  • લીલામાનુષની વિગ્રહ
  • શ્રીવત્સ કૌસ્તુભધરાય
  • યશોદાવત્સલ
  • હરિ
  • ચતુર્ભુજત્તા ચક્રસિગદા
  • શંખ્યામ્બુઝા યુદાયુજાપ
  • દેવકીનંદન
  • શ્રીશાય
  • નંદગોપ પ્રિયતમ
  • જયમુનાવેગા હત્યાકાંડ
  • બલભદ્ર પ્રિયનુજ
  • પૂતના જીવી હર
  • શકટાસુર ભંજન
  • નંદવરાજ જનાનંદીન
  • સચ્ચિદાનંદવિગ્રહ
  • નવનીત વિલિપ્તાંગ
  • નવનીતંતન
  • મુચુકુન્દ પ્રસાદક
  • ષોડશાસ્ત્રી સહસ્ત્રેશ
  • ત્રિભાંગી
  • મધુરાકૃત
  • શુક્વાગ્મૃતાબિન્દુવે
  • ગોવિંદ
  • યોગીપતિ
  • વત્સવાટિ ચરાય
  • અનંત
  • ધેનુકાસુરભંજનાય
  • તૃણી-કૃત-તૃણાવર્તાય
  • યમલાર્જુન ભંજન
  • ઉત્તલોત્તાલભેત્રે
  • તમાલ શ્યામલ કૃતા
  • ગોપ ગોપીશ્વર
  • યોગી
  • કોટિસૂર્ય સમાપ્રભા
  • ઇલાપતિ
  • પરંજ્યોતિષ
  • યાદવેન્દ્ર
  • યદૂદ્વહાય
  • વનમાલિન
  • પીતવસસે
  • પારિજાતપહારકાય
  • ગોવર્થનાચલોધર્ત્રે
  • ગોપાલ
  • સર્વપાલકાય
  • અજાય
  • નિરંજન
  • કામજનક
  • કંજલોચનાય
  • મધુન્ઘે
  • મથુરાનાથ
  • દ્વારકાનાયક
  • બલિવૃંદાવનાન્ત સશ્ચારિણે
  • તુલસીદમ ભૂષણાયા
  • સ્યામન્તકમણેરહર્ત્રે
  • નરનારયણાત્મકાય
  • કુબ્જા કૃષ્ણમ્બરધરાય
  • માયિને
  • પરમપુરુષ
  • મુષ્ટિકાસુર ચાણૂર મલ્લયુદ્ધ વિશારદાય
  • સંસારવૈરી
  • કંસારીર
  • મુરારી
  • નારાકાંતક
  • અનાદિ બ્રહ્મચારિક
  • કૃષ્ણાવ્યસન કર્શક
  • શિશુપાલશિરશ્ચેત્તા
  • દુર્યોધનકુલાન્તકૃત
  • વિદુરક્રુર વરદ
  • સત્વવાચે
  • સત્ય સડ્કલ્પ
  • સત્યભામારતા
  • જયી
  • સુભદ્રાના પૂર્વજ
  • વિષ્ણુ
  • ભીષ્મમુક્ત પ્રદાય
  • જગદગુરુ
  • જગન્નાથ
  • વેણુનાદ વિશારદ
  • વૃષભાસુરનો વિનાશ
  • બાણાસુર કરાન્તકૃત
  • યુધિષ્ઠિર પ્રતિશત્રે
  • બર્હિબર્હાવતંસક
  • પાર્થસારથી
  • અવ્યક્ત
  • ગીતામૃત મહોદધી
  • કાલિયાફણિમાનિક્ય રણજિત શ્રીપદામ્બુજ
  • દામોદર
  • યજ્ઞભોક્ત
  • દાનવેન્દ્ર વિનાશક
  • નારાયણ
  • પરબ્રહ્મ
  • પન્નગાશન વાહન
  • જલક્રીડા સમાસક્ત ગોપીવસ્ત્રાપહારાક
  • પુણ્ય શ્લોક
  • તીર્થકારા
  • વેદવેધા
  • દયા નિધિ
  • સર્વભૂતાત્મકા
  • સર્વગ્રહરૂપી
  • પરાત્પરાય