Home Blog Page 325

દિલ્હી યુનિવર્સિટીમાં સત્તા પરિવર્તન, અધ્યક્ષ સહિત ત્રણ પદો પર ABVPનો ભવ્ય વિજય

0

દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ચૂંટણી 2025માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ શાનદાર જીત મેળવી છે. DUSUની કેન્દ્રીય પેનલની ચારમાંથી ત્રણ બેઠકો પર ABVPએ પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (NSUI)ને ફક્ત એક બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.

DUSU ચૂંટણી 2025માં કુલ 1,53,100 નોંધાયેલા મતદાતાઓમાંથી 60,272 વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. મતદાન ટકાવારી 39.36 ટકા રહી હતી. આ વખતે કુલ 21 ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી, પરંતુ મુખ્ય મુકાબલો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને કોંગ્રેસ સમર્થિત નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) વચ્ચે જોવા મળ્યો હતો.

દિલ્હી યુનિવર્સિટી ચૂંટણીમાં કોણ જીત્યા, કોણ હાર્યા

  •  પદ           ABVP ઉમેદવાર          NSUI ઉમેદવાર          
  • અધ્યક્ષ       આર્યન માન (જીત્યા)    જોશલિન નંદિતા ચૌધરી (હાર્યાં)
  •  ઉપાધ્યક્ષ     ગોવિંદ તંવર (હાર્યા)   રાહુલ ઝાંસલા (જીત્યા)        
  •  સચિવ       કુણાલ ચૌધરી (જીત્યા)  કબીર (હાર્યા)              
  •  સંયુક્ત સચિવ  દીપિકા ઝા (જીત્યા)    લવકુશ ભડાના (હાર્યા)   

DUSU ચૂંટણીમાં ABVPના કુણાલ ચૌધરીએ સચિવ પદ જીત્યું છે. તેમણે કહ્યું હતું કે મને દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનો સચિવ તરીકે ચૂંટવામાં આવ્યો છે અને હું દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સમુદાયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું હાથ જોડીને આપ સૌનો આભાર માનું છું અને આપ સૌને વિશ્વાસ અપાવું છું કે જ્યારે પણ કોઈને મારી જરૂર પડશે ત્યારે હું હંમેશાં તેમની સાથે ઊભો રહીશ.

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVPની પ્રચંડ જીત બદલ પરિષદના કાર્યકરોને શુભેચ્છા. આ જીત યુવાનોની રાષ્ટ્ર પ્રથમની વિચારધારા પર અડગ વિશ્વાસનું પ્રતિબિંબ છે. આ વિજય પરિષદની વિદ્યાર્થી શક્તિને રાષ્ટ્ર શક્તિમાં પરિવર્તિત કરવાની યાત્રાને વધુ ગતિ આપશે.

રશિયાના કામચટકામાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતા

રશિયાના કામચટકામાં 7.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપ એટલા જોરદાર હતા કે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. 7.8 ની તીવ્રતાના ભૂકંપ પછી પાંચ આફ્ટરશોક્સ અનુભવાયા હોવાનું કહેવાય છે. સુનામીની ચેતવણી બાદ 30 થી 62 સેન્ટિમીટરના મોજા પણ જોવા મળ્યા હતા.

રશિયાના કામચાટકામાં પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી, જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા ૬ હતી. ભૂકંપ બાદ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા હતા અને સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જોકે, અત્યાર સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.

ભૂકંપની તીવ્રતા 7.8 હતી
યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કામચટકા દ્વીપકલ્પના પૂર્વી કિનારા નજીક સપાટીથી આશરે 85 કિલોમીટર નીચે હતું. બીજા ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 30 કિલોમીટર નીચે હતું. રશિયાની સ્ટેટ જીઓફિઝિકલ સર્વિસ અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.8 હતી અને ત્યારબાદ લગભગ પાંચ આફ્ટરશોક આવ્યા હતા. ભૂકંપ પછી તરત જ, યુએસ હવામાન વિભાગે સુનામીની ચેતવણી જારી કરી હતી અને લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા વિનંતી કરી હતી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

‘મને પાકિસ્તાનમાં ઘર જેવું લાગે છે’: સેમ પિત્રોદાનું વિવાદાસ્પદ નિવેદન

0

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નજીકના મિત્ર અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોદાના એક નિવેદનથી વિવાદ ઊભો થયો છે. તેમણે કહ્યું કે તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઘર જેવો જ અનુભવ થાય છે. એટલું જ નહિ તેમણે ભારતની વિદેશ નીતિ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ભારતની વિદેશ નીતિનું ફોકસ તેના પડોશી દેશ પર હોવું જોઈએ.

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સામ પિત્રોડાએ કહ્યું હતું કે, ‘મારા મતે, આપણી વિદેશ નીતિ ‘પહેલા પાડોશી’ પર કેન્દ્રિત હોવી જોઈએ. શું આપણે ખરેખર આપણા પાડોશીઓ સાથેના સંબંધો સુધારી શકીએ? તેઓ બધા નાના છે, બધાને મદદની જરૂર છે, તેઓ બધા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને લડવાની જરૂર નથી. હા, હિંસાની સમસ્યા છે, આતંકવાદની સમસ્યા છે…’

આ દરમિયાન તેમણે આગળ કહ્યું કે, ‘હું પાકિસ્તાન ગયો અને હું તમને કહું કે મને ત્યાં ઘર જેવું લાગ્યું. હું બાંગ્લાદેશ ગયો, હું નેપાળ પણ ગયો અને મને ઘર જેવું લાગ્યું. મને એવું ન લાગ્યું કે હું વિદેશમાં છું…’

સેમ પિત્રોદાના વિવાદિત નિવેદનો

  • ચીન પર નિવેદન: સેમ પિત્રોદાએ એક વખત કહ્યું હતું કે ચીનનો ખતરો ઘણી વાર વધારીને બતાવવામાં આવે છે. તેમણે સૂચન કર્યું હતું કે ભારતે ચીનને દુશ્મન માનવાનું બંધ કરવું જોઈએ અને સહકાર પર ધ્યાન આપવું જોઈએ.
  • વંશીય ટિપ્પણી: સેમ પિત્રોદાએ ભારતીય લોકોના રંગ-રૂપ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વના લોકો ચીની જેવા લાગે છે અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા લાગે છે. આ નિવેદન પર પણ ભાજપે કોંગ્રેસને ઘેર્યું હતું.
  • પુલવામા હુમલો: સેમ પિત્રોદાએ પુલવામા હુમલા અંગે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે આ હુમલામાં માત્ર આઠ લોકો સામેલ હતા.
  • રામ મંદિર: જૂન, 2023માં સેમ પિત્રોદાએ રામ મંદિર અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું, જે ચર્ચાનો વિષય બન્યું હતું.

સુરતના લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાતે ગરમી અને બફારા બાદ વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. લિંબાયત વિસ્તારમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું જ્યાં માત્ર એક કલાકમાં સાડા ચાર ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો.

સુરતમાં પીપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, સિટીલાઈટ, અડાજણ, રાંદેર, ડુમસ અને ઉધનામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા હતાં. ઉધના ત્રણ રસ્તા જેવા મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાતાં વાહન-વ્યવહારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા જેના કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની હવામાનની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.

પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું આત્મસમર્પણ

ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. ગઈકાલે સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયા માટે સ્ટે આપવામાં આવ્યો છે. જોકે, ફરી આ સ્ટે હટાવી લેવાયો હતો. દરમિયાન અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટમાં સામા પક્ષની અરજી પર આજે સુનાવણી થઈ હતી
પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ગુરુવારે (18મી સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહના આત્મસમર્પણના આદેશ પર એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો. પરંતુ શુક્રવારે (19મી સપ્ટેમ્બર) કોર્ટે આ સ્ટે પરત ખેંચી લીધો છે. સામા પક્ષની અરજી અને દલીલો મામલે આજે સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે અનિરુદ્ધસિંહને આપેલી રાહત પરત ખેંચી લીધી છે અને શુક્રવારે રાતે જ 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. આ દરમિયાન હવે ગોંડલ કોર્ટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે. હવે ગોંડલથી જૂનાગઢ જેલમાં રવાના થઈ શકી છે.

22 ઓગસ્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકેસમાં ચાર અઠવાડિયાંમાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. પોપટ સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો હતો. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ શોધી રહી છે.

શું હતો સમગ્ર મામલો?
ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને આત્મસમર્પણ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી ન હતી.

iPhone 17 ની ખરીદી માટે મુંબઈમાં બીકેસી સેન્ટર ખાતે મારામારી

0

iPhone 17 સીરિઝનો સેલ શરૂ થઈ ગયો છે. 9 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થયેલા iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને iPhone Air આજથી 19 સપ્ટેમ્બરના રોજ શરૂ થયા હતા. દિલ્હી અને મુંબઈમાં Apple સ્ટોર્સ પર લાંબી કતારો લાગી ગઈ છે, જેમાં મોટી સંખ્યામાં લોકો Appleના લેટેસ્ટ ફોન ખરીદવા માટે પહોંચ્યા હતા.

BKCમાં Apple Store પર ભીડમાંથી કેટલાક લોકોએ મારામારી શરૂ કરી દીધી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. મુંબઈના Jio સેન્ટરમાં સ્થિત આ Apple Store પર ભીડ એકઠી થઈ ગઈ હતી. લાઈનમાં ઉભા રહેલા લોકો પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ મારામારી શરૂ કરી દીધી. જોકે, ઘટનાસ્થળે હાજર સુરક્ષા કર્મચારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લીધી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

iPhone 17 સિરીઝની વિશેષતાઓ
Iphone 17 આ વખતે પાંચ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં બ્લેક, વ્હાઇટ, લેવેન્ડર, મિસ્ટ બ્લૂ અને સેજ જોવા વેરિયન્ટનો સમાવેશ થાય છે. આ ફોનમાં 6.3 ઇંચનું સુપર રેટિના XDR ડિસ્પ્લે છે, જે 120Hz પ્રોમોશન ટેક્નોલોજી અને 3000 નિટ્સની પીક બ્રાઇટનેસ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

Iphone 17માં A19 પ્રોસેસર
સ્ક્રીનની સુરક્ષા માટે સિરામિક શિલ્ડ 2નો ઉપયોગ થયો છે. Iphone 17માં A19 પ્રોસેસર છે, જે ઝડપી પરફોર્મન્સ અને સારા બેટરી બેકઅપની ગેરંટી આપે છે. ફોન માં 48MPના ડ્યુઅલ રિયર કેમેરા સાથે એઆઇ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે, જે ગ્રૂપ સેલ્ફીમાં ઓટોમેટિક સ્વિચ કરે છે.

Iphone 17 સિરીઝની કિંમત
Iphone 17ની શરૂઆતી કિંમત $799 (અંદાજે ₹82,900) છે, જે પાછલા મોડેલની કિંમત જેટલી જ છે. Iphone એર $999 (અંદાજે ₹1,19,900), જ્યારે Iphone 17 પ્રો $1099 (અંદાજે ₹1,34,900) અને Iphone 17 પ્રો મેક્સ $1199 (અંદાજે ₹1,49,900)થી શરૂ થાય છે. આ ફોન્સ 256GB બેઝ સ્ટોરેજ સાથે આવે છે.

અક્ષય કુમાર-અરશદ ખાન ‘જોલી એલએલબી 3’ જોવા જેવી છે કે નહિ?

દિગ્દર્શક સુભાષ કપૂર જોલી એલએલબી 3 (Jolly LLB 3) સાથે તેમની લોકપ્રિય કોર્ટરૂમ ફ્રેન્ચાઇઝીને વધુ આગળ ધપાવે છે. આ વખતે સૌથી મોટું આકર્ષણ બે જોલીઓ વચ્ચેનો મુકાબલો છે. અક્ષય કુમારની જોલી મિશ્રા અને અરશદ વારસીની જોલી ત્યાગી એક જ કોર્ટરૂમમાં સામસામે છે. પરિણામ હાસ્ય, વ્યંગ, ભાવના અને સામાજિક સંદેશનું મિશ્રણ છે જે દર્શકોને છેલ્લે સુધી મુવી જોવા મજબૂર કરે છે.

જોલી એલએલબી
2013 માં રિલીઝ થયેલી પહેલી “જોલી એલએલબી” માં, અભિનેતા અરશદ વારસીએ વકીલ જોલીની ભૂમિકા એટલી સારી રીતે ભજવી હતી કે દર્શકો તેને ખૂબ પસંદ કરતા હતા. જોકે, 2017 માં આવેલી “જોલી એલએલબી 2” મા તેની જગ્યાએ અભિનેતા અક્ષય કુમારને લેવામાં આવ્યો હતો. તે સમયે, અરશદ નારાજ હતો અને તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે નિર્માતાઓ “મોટા સ્ટાર” ઇચ્છતા હતા. આ ફેરફારથી ચર્ચા અને નિરાશા બંને થઈ. હવે, “જોલી એલએલબી 3” એ તેમાં ઉમેરો કર્યો છે. બંને કલાકારોને એક જ ફ્રેમમાં કાસ્ટ કરીને, દિગ્દર્શકે ફક્ત જૂના વિવાદને જ પાછળ છોડી દીધો નથી, પરંતુ તેને ફિલ્મની સૌથી મોટી તાકાત પણ બનાવી છે.

જોલી એલએલબી 3 સ્ટોરી (Jolly LLB 3 Story)
એક ખેડૂત પરિવારની સ્ટોરી છે. એક ખેડૂત પોતાની જમીન બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ શક્તિશાળી લોકો અને ભ્રષ્ટ રાજકારણીઓ દ્વારા તેને આત્મહત્યા કરવાની ફરજ પાડવામાં આવે છે. તેની વિધવા (સીમા બિશ્વાસ) ન્યાય મેળવવા માટે કોર્ટમાં જાય છે. કોર્ટરૂમમાં જોલી મિશ્રા (અક્ષય કુમાર) અને જોલી ત્યાગી (અરશદ વારસી) શરૂઆતમાં અલગ અલગ પક્ષે સામસામે આવે છે. બાદમાં, તેમને સાથે કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, જે ચર્ચાને વધુ મનોરંજક બનાવે છે. ફિલ્મમાં ખેડૂતોના મુદ્દાને રમૂજ અને વ્યંગ સાથે પણ શોધવામાં આવ્યો છે. સ્ટોરીનો મુખ્ય મેસેજ “જય જવાન, જય કિસાન” છે, જે ખેડૂતો અને સૈનિકોના મહત્વને ઉજાગર કરે છે.

જોલી એલએલબી રીવ્યુ (Jolly LLB 3 Review)
અક્ષય કુમાર જોલી મિશ્રાને ઉર્જા અને આત્મવિશ્વાસ સાથે ભજવે છે. અરશદ વારસી, હંમેશની જેમ, સહજ અને સ્વાભાવિક છે. સીમા બિસ્વાસ ખેડૂતની વિધવાના પાત્રમાં ભાવનાત્મક ઊંડાણ લાવે છે, અને તેમનો અભિનય ફિલ્મનું હૃદય બની જાય છે. જજ ત્રિપાઠી તરીકે સૌરભ શુક્લા કોર્ટરૂમમાં સંતુલન અને મનોરંજન બંને લાવે છે. આ વખતે વકીલ તરીકે દેખાતા રામ કપૂર દરેક સીનમાં શક્તિનો ઉપયોગ કરે છે. તેની ડાયલોગ ડિલિવરી અને હાજરી દલીલોમાં તીક્ષ્ણતા ઉમેરે છે.

ગજરાજ રાવ ફિલ્મનું સૌથી મોટું આશ્ચર્ય છે. તે ભ્રષ્ટ ઉદ્યોગપતિનું ચિત્રણ એવી રીતે કરે છે કે તેમના ચહેરાના હાવભાવ અને સંવાદ ડિલિવરી દર્શકોને લાંબા સમય સુધી યાદ રહેશે. શિલ્પા શુક્લા પણ એક નાની પણ પ્રભાવશાળી ભૂમિકામાં છાપ પાડે છે. જોકે, ફિલ્મમાં અમૃતા રાવ અને હુમા કુરેશી ફક્ત દર્શાવવામાં આવ્યા છે. બંને પાત્રોનું સ્ટોરીમાં કોઈ ઊંડાણ કે નોંધપાત્ર યોગદાન નથી.

સુભાષ કપૂર વ્યંગ અને રમૂજના મજબૂત મિશ્રણ સાથે કોર્ટરૂમ ડ્રામા રજૂ કરે છે. તેઓ અક્ષય અને અરશદ વચ્ચેની કેમેસ્ટ્રી જાળવી રાખે છે અને ખેડૂતોના મુદ્દાને સંવેદનશીલતાથી સંબોધે છે. કેમેરાનો ઉપયોગ અને તીક્ષ્ણ ડાયલોગ દર્શકોને કોર્ટરૂમમાં ડૂબેલા અનુભવ કરાવે છે. જોકે ઈમોશનલ પાર્ટ દરમિયાન વધુ પડતું મેલોડ્રામા અને નબળું મ્યુઝિક ફિલ્મની નબળાઈઓ સાબિત થાય છે. તેમ છતાં તેઓ સામાજિક મેસેજ અને મનોરંજનનું મિશ્રણ કરવામાં સફળ રહે છે. ફિલ્મ મજબૂત હોવા છતાં તે નિરાશાજનક પણ છે. કેટલાક સીન એટલા વધુ પડતા નાટકીય છે કે તે વાસ્તવિક છે તે માનવું મુશ્કેલ છે. વધુમાં ફિલ્મનું સંગીત પણ અપેક્ષાઓ પર ખરું ઉતરતું નથી.

આગામી 7 દિવસ સુધી આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાત માટે આગામી 7 દિવસ (19થી 25 સપ્ટેમ્બર)ની હવામાન આગાહી જાહેર કરી છે, જેમાં સમગ્ર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. આજે, અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે લોકો અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ વરસાદી પ્રવૃત્તિઓનું મુખ્ય કારણ ઉપરી હવામાન સાયક્લોનિક સર્ક્યુલેશનનું સક્રિય રહેવું છે.

IMDના બુલેટિન અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત (વડોદરા, ભરૂચ, સુરત), મધ્ય ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર, અનંદ) અને સૌરાષ્ટ્ર (જૂનાગઢ, રાજકોટ, ભાવનગર)માં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ શક્ય છે, જેનાથી તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જે ગાજવીજ સાથે સાથે રહેશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, જ્યાં ચોમાસું લગભગ વિદાય લઈ ચૂક્યું છે, ત્યાં શુષ્ક હવામાન રહેવાનું અનુમાન છે. ખાસ કરીને ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા નથી.

આ વર્ષે રાજ્યભરમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો છે, જે ખેતી અને જળસંચય માટે ફાયદાકારક સાબિત થયો છે. જોકે, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ચોમાસું પૂર્ણ થઈ ગયું હોવાથી આ વિસ્તારોમાં ખેતી માટે આશાવાદી સ્થિતિ નથી. દક્ષિણ અને મધ્ય ગુજરાતના ખેડૂતો માટે આ વરસાદ રબી પાક માટે લાભદાયી બની શકે છે.

પેશાબમાં ચેપ હોય ત્યારે આ 5 લક્ષણો દેખાય છે: નિષ્ણાતો પાસેથી જાણો UTI માટેના ઘરેલું ઉપાયો

મૂત્રાશય અથવા પેશાબની વ્યવસ્થાના કોઈપણ ભાગમાં ચેપને પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ (UTI) કહેવામાં આવે છે. પેશાબની વ્યવસ્થામાં કિડની, મૂત્રમાર્ગ, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. પેશાબનો ચેપ સામાન્ય રીતે મૂત્રાશય અને મૂત્રમાર્ગમાં થાય છે. આ ચેપ પુરુષો અને સ્ત્રીઓ બંનેને અસર કરે છે, પરંતુ સ્ત્રીઓ વધુ અસરગ્રસ્ત થાય છે. આ ચેપ પીડા અને ભારે અસ્વસ્થતાનું કારણ બને છે. તો, અહીં પેશાબની નળીઓનો વિસ્તાર ચેપના લક્ષણો અને તેનાથી છુટકારો મેળવવા માટે શું કરી શકાય તે વિશે જાણો.

પેશાબના ચેપના લક્ષણો

  • પેશાબની નળીઓનો વિસ્તાર ચેપના કિસ્સામાં, વારંવાર પેશાબ થાય છે અને ક્યારેક વારંવાર પેશાબ કરવાની જરૂર પડે છે.
  • પેશાબ કરતી વખતે બળતરા થાય છે.
  • પેશાબમાં ફીણ દેખાવા લાગે છે.
  • પેશાબ દુર્ગંધયુક્ત બને છે અને લાલ, ગુલાબી અથવા ઠંડા પીણા જેવો દેખાય છે. આ પેશાબમાં લોહીને કારણે હોઈ શકે છે.
  • સ્ત્રીઓને પેલ્વિક ફ્લોર એટલે કે કમરના નીચેના ભાગમાં દુખાવો થવા લાગે છે અને મૂત્રમાર્ગની આસપાસનો વિસ્તાર પણ દુખવા લાગે છે.

પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ કયા પ્રકારના હોય છે (યુરિન ચેપના પ્રકારો)

  • જો કિડનીને કારણે પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ થાય છે, તો તેનાથી કમરના ખૂણામાં દુખાવો, ખૂબ તાવ, ધ્રુજારી, ઉબકા કે ઉલટી થાય છે.
  • જ્યારે મૂત્રાશયમાં ચેપ હોય છે, ત્યારે પેલ્વિક દબાણ અનુભવાય છે, પેટના નીચેના ભાગમાં અસ્વસ્થતા અનુભવાય છે, પેશાબમાં લોહી દેખાવા લાગે છે અને વારંવાર પેશાબ કરવાની ઇચ્છા થાય છે.
  • મૂત્રમાર્ગમાં ચેપ લાગવાના કિસ્સામાં, પેશાબ કરતી વખતે બળતરા થાય છે અને સફેદ સ્રાવ નીકળે છે.
  • મૂત્રાશયમાં ચેપને કારણે પણ પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ થઈ શકે છે.
  • આ ચેપ સેક્સને કારણે પણ થઈ શકે છે, ખાસ કરીને સ્ત્રીઓ લગ્ન પછી તરત જ પેશાબના ચેપની ફરિયાદ કરે છે.
  • સ્ત્રીઓમાં, મૂત્રમાર્ગ ગુદાની ખૂબ નજીક હોવાથી, ગુદામાંથી બેક્ટેરિયા મૂત્રાશય સુધી પહોંચી શકે છે, જે પેશાબમાં ચેપનું કારણ બની શકે છે.
  • કેટલાક જન્મ નિયંત્રણ ઉપકરણો પણ ચેપનું જોખમ વધારે છે.
  • કિડનીમાં પથરી પણ પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ માટે જોખમી પરિબળ છે. જો પેશાબ મૂત્રાશયમાં રોકાઈ જાય તો કિડનીમાં પથરી પણ પેશાબની નળીઓનો વિસ્તાર ચેપનું કારણ બની શકે છે.

પેશાબ ચેપ ઘરેલું ઉપચાર

યોગ ગુરુ ડૉ. હંસાજી યોગેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પેશાબના ચેપથી છુટકારો મેળવી શકાય છે.

  • હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે. પૂરતા પ્રમાણમાં પ્રવાહી શરીરને પેશાબ દ્વારા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. ક્રેનબેરીનો રસ, લીંબુ પાણી, નાળિયેર પાણી અને છાશ, અન્ય વસ્તુઓની સાથે પીવો.
  • જો તમને UTI હોય તો મસાલેદાર ખોરાક ટાળો. ઘરે બનાવેલ દહીં ખાઓ.
  • વિટામિન સીથી ભરપૂર ફળો ખાઈ શકાય છે.
  • તમારા શરીરને ચેપ સામે લડવા માટે તમારે સંપૂર્ણ આરામ કરવાની જરૂર છે.
  • મહત્તમ સ્વચ્છતા જાળવો. તમારા મૂત્રમાર્ગને યોગ્ય રીતે સાફ કરો. શક્ય તેટલું ઓછું જાહેર શૌચાલયનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો, અને જો તમે કરો છો, તો બેસીને પેશાબ કરો અથવા ટોઇલેટ સીટને સંપૂર્ણપણે સાફ કરો.
  • પેશાબ રોકી રાખવાનું ટાળો. આ ચેપને વધુ ખરાબ કરી શકે છે.
  • પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ ઘટાડવા માટે કેટલાક યોગ આસન અસરકારક છે. ભદ્રાસન, અશ્વિની મુદ્રા અને સેતુબંધાસનનો અભ્યાસ કરો.

બિહારના મુખ્યમંત્રીએ બેરોજગારોને દર મહિને 1,000 રૂપિયા આપવાની જાહેરાત કરી

0

વર્ષના અંત સુધીમાં બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. રાજકીય પક્ષોએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર સતત જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશ પહેલાથી જ શિક્ષકો, રસોઈયા, BLO સહિત અનેક વિભાગોમાં તૈનાત કર્મચારીઓના પગારમાં વધારો કરીને સરકારી વર્ગને આકર્ષી ચૂક્યા છે. આ વખતે મુખ્યમંત્રીએ બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરી છે. તેમણે બેરોજગાર યુવાનો માટે એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે બેરોજગાર યુવાનો અને છોકરીઓને દર મહિને 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. દરેક યુવાન વધુમાં વધુ 2 વર્ષ સુધી આ લાભ મેળવી શકશે. ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારનું આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

બેરોજગારીનું પ્રમાણ કેટલું હશે?
મુખ્યમંત્રીએ X પર લખીને માહિતી આપી હતી કે સ્વ-સહાય ભથ્થું યોજનાનો લાભ, જે પહેલાથી જ ઇન્ટર પાસ છોકરાઓ અને છોકરીઓને આપવામાં આવી રહ્યો છે, તે આર્ટસ, સાયન્સ અને કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા બેરોજગાર છોકરાઓ અને છોકરીઓને પણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20 થી 25 વર્ષની વયના સ્નાતક છોકરાઓ અને છોકરીઓ કે જેઓ ક્યાંય અભ્યાસ કરી રહ્યા નથી. નોકરી કે રોજગાર માટે પણ પ્રયાસ કરી રહ્યા છે. તેમની પાસે કોઈ સ્વરોજગાર નથી અથવા તેઓ સરકારી, ખાનગી કે બિન-સરકારી નોકરીમાં કાર્યરત નથી. તેમને મહત્તમ 2 વર્ષ માટે દર મહિને રૂ. 1000 ના દરે મુખ્યમંત્રી નિશ્ચય સ્વ-સહાય ભથ્થું ચૂકવવામાં આવશે.

તમને ભથ્થું કેમ મળશે?
નીતિશ કુમારની જાહેરાતને ચૂંટણીલક્ષી યુક્તિ હોવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ નીતિશે તેને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું સાધન માન્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે તેમને આશા છે કે યુવાનો અને મહિલાઓ આ સહાય ભથ્થાનો ઉપયોગ જરૂરી તાલીમ મેળવવા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કરશે, જેનાથી તેમનું ભવિષ્ય સુરક્ષિત થશે.