Home Blog Page 300

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-10ને સપોર્ટ આપવાનું આજથી બંધ કર્યુ, હવે તમારા કોમ્પ્યુટરનો શું કરવું?

માઇક્રોસોફ્ટ કંપનીએ તેની જૂની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 સત્તાવાર સપોર્ટ બંધ કરી દીધો છે. આ નિર્ણયથી વિશ્વભરના કરોડો યુઝર્સ અસરગ્રસ્ત થશે, કારણ કે આજે પણ મોટી સંખ્યામાં લોકો આ સિસ્ટમ પર કામ કરે છે. આ વચ્ચે કંપનીની નવી વિન્ડોઝ 11 ચાર વર્ષ પહેલાં લોન્ચ થઈ હોવા છતાં, તે તરફ શિફ્ટ થવું ધીમું રહ્યું છે, જે ટેક્નોલોજી જગતમાં નવી ચર્ચાનો વિષય બન્યો છે.

માઇક્રોસોફ્ટે 14 ઓક્ટોબરથી વિન્ડોઝ 10 માટે તમામ પ્રકારના અપડેટ્સ અને સપોર્ટ બંધ કરી દીધા છે. આ તારીખ પછી કોઈ નવા ફીચર અપડેટ્સ કે સુરક્ષા પેચ મળશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે પણ 40 ટકાથી વધુ પીસી યુઝર્સ વિન્ડોઝ 10 પર જ કામ કરી રહ્યા છે, જ્યારે વિન્ડોઝ 11ના યુઝર્સ ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કંપનીએ આને ધ્યાનમાં રાખીને યુઝર્સને નવી સિસ્ટમ તરફ જવાની સલાહ આપી છે.

જો તમારી પાસે વિન્ડોઝ 10નું લાઇસન્સ્ડ વર્ઝન છે, તો તમે સરળતાથી વિન્ડોઝ 11માં અપગ્રેડ કરી શકો છો. જો કે, જો તમારી સિસ્ટમ પાયરેટેડ વર્ઝન પર ચાલે છે, તો અપગ્રેડની પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે. માઇક્રોસોફ્ટના અધિકારીઓ અનુસાર, આ અપગ્રેડ મફતમાં ઉપલબ્ધ છે અને તે તમારા કમ્પ્યુટરની હાર્ડવેર આવશ્યકતાઓ પર આધારિત છે. આમ કરવાથી યુઝર્સને નવા ફીચર્સ અને સુરક્ષા મળી શકે છે.

સપોર્ટ બંધ થવા છતાં વિન્ડોઝ 10 કામ કરતું રહેશે, પરંતુ તેને હવે કોઈ ટેક્નિકલ સહાય કે અપડેટ્સ મળશે નહીં. આના કારણે કમ્પ્યુટર્સ પર સાઇબર હુમલા અને વાયરસનું જોખમ વધી જશે, કારણ કે નવા સુરક્ષા પેચ વિના સિસ્ટમ વધુ નબળી બનશે. રોજિંદા જીવનમાં કમ્પ્યુટર પર આધારિત લોકો માટે આ એક મોટી ચિંતાનો વિષય છે.

માઇક્રોસોફ્ટે યુઝર્સ માટે એક્સ્ટેન્ડેડ સિક્યોરિટી અપડેટ્સ (ESU) પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે પેઇડ છે અને એક વર્ષ સુધી સુરક્ષા અપડેટ્સ પૂરા પાડશે. આ પ્રોગ્રામ ત્રણ વર્ષ સુધી ચાલુ રહી શકે છે, જે તેમને અપગ્રેડ કરવા માટે વધુ સમય આપે છે. જો કે, આ વિકલ્પ વ્યવસાયિક અને વ્યક્તિગત યુઝર્સ માટે અલગ-અલગ કિંમતો પર ઉપલબ્ધ છે, જે સુરક્ષાને પ્રાથમિકતા આપતા લોકો માટે ઉપયોગી છે.

સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ 21,000 દીકરીઓને આપશે ₹7,500 ની શૈક્ષણિક સહાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘કન્યા કેળવણી’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સુરતના એક યુવા ઉદ્યોગપતિએ અદ્ભુત પહેલ કરી છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના અને હાલ સુરતમાં ટેક્સટાઇલ તેમજ બિલ્ડિંગ વ્યવસાય સાથે જોડાયેલા 33 વર્ષીય પીયૂષ દેસાઈએ જરૂરિયાતમંદ 21,000 દીકરીઓની સ્કૂલ ફી અને શિક્ષણ સામગ્રી પાછળ રૂપિયા 15 કરોડથી વધુ રકમ ખર્ચ કરવાનો સંકલ્પ લીધો છે.

હીરાબાનો ખમકાર કાર્યક્રમ હેઠળ સહાય
આ મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સહાય ‘હીરાબાનો ખમકાર’ યોજના હેઠળ આપવામાં આવી રહી છે. પીયૂષ દેસાઈએ આ આંકડાઓ પાછળનો હેતુ સમજાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂર્ણ થતાં હોવાથી પ્રત્યેક દીકરી દીઠ રૂપિયા 7,500 અને 21મી સદી હોવાથી 21,000 દીકરીઓને આ સહાય આપવાનો સંકલ્પ કરાયો છે. આ યોજના હેઠળ સુરત શહેરની તમામ શાળાઓમાં અભ્યાસ કરતી, ખાસ કરીને જરૂરિયાતમંદ કે માતા-પિતા વિહોણી દીકરીઓની ફી ભરવામાં આવશે.

સરકારી શાળાની દીકરીઓ માટે પણ જોગવાઈ
ખાનગી શાળાઓની ફી ઉપરાંત, જે દીકરીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે, જ્યાં ફી ભરવાની હોતી નથી, ત્યાં પણ તેમને નિરાશ કરવામાં આવશે નહીં. પીયૂષ દેસાઈની ટીમ દ્વારા આવી દીકરીઓને જરૂરિયાત મુજબ સ્ટેશનરી અથવા અન્ય શૈક્ષણિક ચીજ-વસ્તુઓ માટે રૂપિયા 7,500ની આર્થિક મદદ કરવામાં આવશે.

કાર્યક્રમનો શુભારંભ અને લક્ષ્‍યાંક
આ યોજનાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે 251 દીકરીઓને સહાય આપીને કરવામાં આવ્યો હતો. ધનતેરસના શુભ દિવસે વધુ 151 દીકરીઓને સહાય આપવાનું આયોજન છે. પીયૂષ દેસાઈએ જણાવ્યું કે, વર્ષના અંત સુધીમાં 21,000 દીકરીઓને રૂપિયા 15 કરોડથી વધુની સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દીકરી બે કુળને તારે છે અને આવનારી પેઢીને શિક્ષિત તેમજ સંસ્કારી બનાવે છે, તેથી દીકરીનું શિક્ષણ એ સમાજ માટે સૌથી મહત્ત્વનું છે.

સહાય મેળવવાની પ્રક્રિયા
જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓ પીયૂષ દેસાઈની ઓફિસ, 502, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, રિંગ રોડ, સુરત ખાતેથી એક ફોર્મ મેળવી શકે છે. ફોર્મ ભર્યા પછી તેમની ટીમ આવેદન કરનાર દીકરીની જરૂરિયાતની ખરાઈ કરશે અને ત્યારબાદ જરૂરિયાત મુજબ આર્થિક સહાય પૂરી પાડશે. આ રીતે સુરતનો આ યુવાન ઉદ્યોગપતિ હજારો દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું કાર્ય કરી રહ્યો છે.

રાજ્ય મંત્રી મંડળના વિસ્તરણની કરાઇ સત્તાવાર જાહેરાત, આવતીકાલે 11:30 વાગ્યે નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે

રાજ્ય મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. આવતીકાલે સાડા અગિયાર વાગ્યે નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે.

આવતીકાલે સાડા અગિયાર વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરના પદમાનિત મંત્રીઓને રાજ્યપાલ હોદા અને ગોપનિયતાના શપથ, શપથગ્રહણ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે. પક્ષના તમામ ધારાસભ્યોને બે દિવસ સુધી ગાંધીનગરમાં જ રહેવાની ભાજપના વિધાનસભાના દંડકે સૂચના પહોંચાડી દીધી છે.

મોટા ભાગના ધારાસભ્યો આજ બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી ચુકવાના છે. જેમને હાલના મંત્રી મંડળમાંથી પડતા મુકવાના છે, તેમના રાજીનામા આજે જ લઈ લેવાના હોવાના કારણે મંત્રી મંડળના તમામ સભ્યો ઊંચાટના જીવ સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે.

હાલના મંત્રીમંડળમાંથી 11 મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી સંભાવના છે. નવા 16 ચહેરાનો મંત્રી મંડળમાં સમાવેશની શક્યતા છે. પડતા મુકાનાર મંત્રીઓના આજે રાજીનામા લેવાશે. શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બે દિવસ ગાંધીનગરમાં જ રહેવા BJP ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે.

કાલે રાજ્ય મંત્રી મંડળનું વિસ્તરણ થશે. 12 વાગ્યાને 39 મિનિટે શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. જે.પી.નડ્ડા, અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ ગાંધીનગરમાં ઉપસ્થિત રહેનાર છે. મુંબઈના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી બપોર બાદ પરત ફરશે અને ત્યારે વિસ્તરણને લગતી ગતિવિધિઓ વેગવંતી થશે તે નિશ્ચિત છે. હાલના મંત્રી મંડળમાંથી 11ને પડતા મુકી નવા 16 સભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરાય તેવી સુત્રોની જાણકારી છે. જોકે, હર્ષ સંઘવી અને પ્રફૂલ પાનસેરિયા સિવાય કોને રિપિટ કરાશે અને કોનું પત્તુ કપાશે તેને લઈ હજુ પણ અટકળો તેજ છે.

ગુજરાતના ગાંધીધામમાં વિસ્ફોટ, મચી અફરાતફરી

ગુજરાતના ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં થયેલા રહસ્યમય વિસ્ફોટે સ્થાનિક રહેવાસીઓમાં ભય અને દહેશત ફેલાવી દીધી છે. ધડાકાની અવાજ એટલી જોરદાર હતી કે લોકો પોતાના ઘરો અને કચેરીઓમાંથી બહાર દોડી આવ્યા. દ્રષ્ટાંત સાક્ષીઓ મુજબ, વિસ્ફોટના ધડાકાથી આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો, જેના કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હજી સુધી વિસ્ફોટના ચોક્કસ કારણનો ખુલાસો થયો નથી. ઘટનાના બાદ સોશિયલ મીડિયા પર વિસ્ફોટ સંબંધિત અનેક સંદેશાઓ અને વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ચિંતા અને ભય વધુ વધી ગયો છે.

વિઝા અને નોકરીના સંકટ વચ્ચે કેનેડાથી ગુજરાતીઓની વાપસીની લહેર

કેનેડા: થોડા મહિના સુધી કેનેડા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે પસંદગીનો દેશ હતો. અમેરિકાની જેમ અહીં પણ નિયમો કડક કરવામાં આવતા ગુજરાતી વિદ્યાર્થીઓ નોકરીના અભાવે સ્વદેશ પરત ફરી રહ્યા છે. ગ્લોબલ કારકિર્દીના સપનાં છોડીને તેઓ હવે સર્વાઇવલ અને આત્મનિર્ભરતાના પાઠ લઈને વતન પરત આવ્યા છે.

2022ના અંતમાં ઈન્ટરનેશનલ બિઝનેસમાં ડિપ્લોમા કરવા માટે અમદાવાદ છોડનાર યુવક એપ્રિલ 2025માં કંટાળીને ઘરે પાછો ફર્યો હતો. તેણે કહ્યું કે, મારા માતા-પિતાએ મારા અભ્યાસ માટે પોતાની જાતને ખેંચી હતી, હવે હું તેમને વધુ પૈસા નહોતો માંગી શકતો. હું માત્ર ટકી રહેવા માટે કામ કરતો હતો, અને આટલા કામ પછી પણ મારી પાસે બતાવવા માટે કંઈ નહોતું. હવે હું તેના પિતાના કપડાંના વ્યવસાયમાં મદદ કરી રહ્યો છું અને માર્કેટિંગમાં તકો શોધી રહ્યો છે. આવા અનેક વિદ્યાર્થીઓ છેલ્લા થોડા મહિનામાં પરત ફર્યા છે.

કેનેડાએ તેના નિયમોમાં બદલાવ કર્યો છે. 2023-24માં રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવ્યા પછી, કેનેડાએ સ્ટુડન્ટ્સ માટે નિયમો કડક કર્યા છે. સ્ટડી પરમિટ પર રાષ્ટ્રીય સ્તરની મર્યાદા લાદી હતી. નવા અરજદારો માટે નાણાકીય જરૂરિયાતો વધારી હતી. ઉપરાંત પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટેની પાત્રતા ઘટાડી હતી. આ ફેરફારોને કારણે વિઝા રિન્યુનો દર વિક્રમી સપાટીએ પહોંચ્યો છે અને પીઆર મેળવવું વધુ મુશ્કેલ બન્યું છે.

જેઓ ત્યાં રોકાયા છે, તેમના માટે પણ નોકરીનું દ્રશ્ય નિરાશાજનક છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાના અહેવાલ મુજબ સ્થાનિક ગ્રેજ્યુએટ્સની સરખામણીમાં માત્ર 70 ટકા ભારતીય આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટ્સને બે વર્ષમાં નોકરી મળી હતી. ઘણા લોકો તેમની લાયકાત સાથે સંબંધિત ન હોય તેવી ઓછા પગારની સર્વિસ રોલની નોકરીઓમાં ફસાઈ ગયા છે.

સૂત્રોના કહેવા મુજબ પહેલાં, તમે અભ્યાસ કરી શકો, પાર્ટ-ટાઇમ કામ કરી શકો, પીઆર મેળવી શકો અને કારકિર્દી બનાવી શકો. હવે, ઘણા વિદ્યાર્થીઓ પૂર્ણ-સમયનું કામ કરવા છતાં ભેગું કરી શકતા નથી. ભારતમાંથી વિઝાની સંખ્યામાં પહેલેથી જ 30 ટકાનો ઘટાડો થયો છે, અને જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો આવતા વર્ષે તે 50 ટકા સુધી પહોંચી શકે છે.

ભાજપે ચાર રાજ્યોમાં પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી, ચંપાઈ સોરેનના પુત્રને ટિકિટ

0

ભાજપે ચાર રાજ્યોમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના પુત્ર બાબુલાલ સોરેનને ઝારખંડના ઘાટસિલા (SC) મતવિસ્તાર માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બાબુલાલ સોરેન અગાઉ ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.

જમ્મુ અને કાશ્મીર પેટાચૂંટણીમાં તેમને ટિકિટ મળી
ભાજપે જમ્મુ અને કાશ્મીરના બડગામ (મતવિભાગ 27) થી આગા સૈયદ મોહસીનને ઉમેદવાર બનાવ્યા છે. દેવયાની રાણાને નાગરોટા (મતવિભાગ 77) થી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓ ટૂંક સમયમાં પોતાના ઉમેદવારી પત્રો ભરશે.

જમ્મુ અને કાશ્મીરમાં બે બેઠકો માટે પેટાચૂંટણી
જમ્મુ અને કાશ્મીરમાં બે વિધાનસભા મતવિસ્તાર – બડગામ અને નાગરોટા – ઓક્ટોબર 2024 થી ખાલી છે. ઓમર અબ્દુલ્લાના રાજીનામાને કારણે બડગામમાં પેટાચૂંટણી જરૂરી બની છે, જેમણે ગાંદરબલ મતવિસ્તાર જાળવી રાખવાનું પસંદ કર્યું હતું. નાગરોટામાં પેટાચૂંટણી ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાના મૃત્યુ પછી થઈ રહી છે. રાણાએ 2024 ની J&K વિધાનસભા ચૂંટણીમાં J&K નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર જોગીન્દર સિંહને 30,472 મતોથી હરાવ્યા હતા.

તેમને ઝારખંડ, ઓડિશા અને તેલંગાણામાં ટિકિટ આપવામાં આવી હતી.
દરમિયાન, ઝારખંડમાં, બાબુલાલ સોરેન ઘાટસિલા (SC) મતવિસ્તાર (45) માંથી પેટાચૂંટણી લડી રહ્યા છે. બાબુલાલ સોરેન ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના પુત્ર છે. ઓડિશામાં, જય ધોળકિયા નુઆપાડા (મતવિસ્તાર 71) માંથી પેટાચૂંટણી લડી રહ્યા છે. તેલંગાણામાં, લંકલા દીપક રેડ્ડી જ્યુબિલી હિલ્સ (મતવિસ્તાર 61) માંથી પેટાચૂંટણી લડી રહ્યા છે.

ઝારખંડમાં ઘાટશિલા બેઠક માટે પેટાચૂંટણી
ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના નેતા રામદાસ સોરેનના અવસાનથી ઝારખંડમાં ઘાટસિલા વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી 11 નવેમ્બરે યોજાઈ રહી છે. તેઓ હેમંત સોરેન સરકારમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા મંત્રી હતા. 2024 ની ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં, સોરેને ભાજપના ઉમેદવાર બાબુ લાલ સોરેનને 22,446 મતોથી હરાવ્યા હતા. ઘાટસિલા અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે અને 2009 અને 2019 માં રામદાસ સોરેન દ્વારા પણ તેમનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.

૧૧ નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે
જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન ૧૧ નવેમ્બરે યોજાશે. મતગણતરી ૧૪ નવેમ્બરે થશે.

ગુજરાત ભાજપમાં નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, જાણો ક્યારે છે શપથગ્રહણની શક્યતા

બિહાર વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને સોમવારે મોડી રાત સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ (જગદીશ વિશ્વકર્મા) અને મહામંત્રી રત્નાકરની આ બેઠકમાં નવા મંત્રીમંડળની રચના અને ગુજરાત પ્રદેશ માળખાને નવો ઓપ આપવા અંગે ચર્ચા થઈ હતી.

નવા મંત્રીમંડળના શપથગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું
આ બેઠક બાદ ગુજરાતના નવા મંત્રીમંડળના શપથગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે ગમે તે ઘડીએ પાટનગર ગાંધીનગરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, જેના પગલે કોની વિદાય થશે અને કોની મંત્રીપદે એન્ટ્રી થશે તે અંગે રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

દસેક વર્તમાન મંત્રીઓની હકાલપટ્ટી થવાના સંકેતો
સૂત્રોના મતે, વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને રત્નાકરે દિલ્હીમાં રોકાણ કર્યું હતું. આના કારણે મુખ્યમંત્રીનો કૃષિ મહોત્સવનો કાર્યક્રમ પણ રદ કરાયો હતો. ચર્ચા મુજબ, નવા મંત્રીમંડળમાં અંદાજે 20 થી 22 સભ્યો હશે. જેમાંથી પાંચેક મંત્રીઓ યથાવત રહેશે, પરંતુ તેમના ખાતા બદલાઈ શકે છે. જોકે, દસેક વર્તમાન મંત્રીઓની હકાલપટ્ટી થવાના સંકેતો મળી રહ્યા છે.

હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને કેબિનેટનો દરજ્જો મળી શકે
વર્તમાન ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને કેબિનેટનો દરજ્જો મળી શકે છે. યુવા અને અનુભવી ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંન્ને અમદાવાદના હોવાથી નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું રાજકીય કદ વધે તેવી શક્યતા છે, જ્યારે સુરત-દક્ષિણ ગુજરાતનો દબદબો ઘટી શકે છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના પાંચેક ધારાસભ્યને સ્થાન મળે તો નવાઈ નહીં. ઉત્તર ગુજરાતમાંથી પણ બે-ત્રણ નેતાઓને મંત્રીપદની લોટરી લાગી શકે છે. ઝોનવાઇઝ ઉપરાંત સામાજિક-જ્ઞાતિ આધારે મંત્રીઓની પસંદગી કરવામાં આવશે. મંત્રીમંડળમાં લેઉઆ-કડવા પાટીદારને પ્રાધાન્ય મળશે. સાથે સાથે ઓબીસી, કોળી અને આદિવાસી નેતાઓનું પણ મહત્ત્વ જળવાશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કડવા-લેઉવા, ક્ષત્રિય-કોળી, દક્ષિણ ગુજરાતમાં આદિવાસી, ઉત્તર ગુજરાતમાં ઓબીસી અને મધ્ય ગુજરાતમાં સવર્ણને તક આપવાની ગણતરી છે.

નવા મંત્રીમંડળમાં બે મહિલા ધારાસભ્યને તક મળી શકે છે
નવા મંત્રીમંડળમાં બે મહિલા ધારાસભ્યને તક મળી શકે છે. જેમાં રિવાબા જાડેજા, દર્શના દેશમુખ અને સંગીતા પાટીલના નામ ચર્ચામાં છે. આ ઉપરાંત, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બે પક્ષપલટુ નેતા અર્જૂન મોઢવાડિયા અને અલ્પેશ ઠાકોરનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. હાઇકમાન્ડે ઘણાં નવા અને યુવા ચહેરાઓને તક આપવાનું મન બનાવ્યું છે. પાટીદારોને સાચવવાની ગણતરી સાથે જયેશ રાદડિયાને પુન: મંત્રીપદ મળી શકે છે, જ્યારે જીતુ વાઘાણીની પણ મંત્રીમંડળમાં રિ-એન્ટ્રીની અટકળો છે. મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા થાય તો નવા મંત્રીઓ તહેવારો પહેલા જ નવી ભૂમિકામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકાદ-બે દિવસમાં રાજ્યપાલ ભવનમાં કેબિનેટનું વિસ્તરણ અને શપથગ્રહણ યોજાય તેવી પ્રબળ સંભાવના છે.

સુરતમાં ગો.ષષ્ઠેશરાયજી પૂરુષોત્તમરાયજીના પ્રાગટ્ય ઉત્સવની ભક્તિમય ભવ્ય ઉજવણી

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વૃંદ દ્વારા સુરત ખાતે ગો.શ્રીઅનુરાગરાયજીના આત્મજ શ્રીષષ્ઠેશરાયજી શ્રીપુરૂષોત્તમરાયજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ભક્તિભાવ અને ઉમંગભેર ઢાઢી લીલા, રાસકર્તિન સંગે બધાઈ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય ‘બધાઈ ઉત્સવ’માં વૈષ્ણવોએ ભક્તિગીતો અને સહજ નૃત્ય દ્વારા રાસોત્સવ ભવ્ય મનોરથનો આનંદ લીધો સાથે આપશ્રીના આશીર્વચન ગ્રહણ કર્યા હતા.

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી

0

સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં તહેવાર દરમિયાન ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને મંજૂરી આપી, જે ચોક્કસ શરતોને આધીન છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે દિવાળી અને તેના આગલા દિવસે ફક્ત થોડા કલાકો માટે જ ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરી શકાય છે.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય પર્યાવરણની સુરક્ષા અને વસ્તીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં લેવામાં આવ્યો છે. ફટાકડાંના કારણે લોકોને ગંભીર નુકસાન થઈ રહ્યુ હોવાના અહેવાલોના પગલે સુપ્રીમ કોર્ટે તહેવારોના અધિકારમાં સંતુલન જાળવી રાખ્યું છે. અર્જુન ગોપાલની અરજી, ચીફ જસ્ટિસ બીઆર ગવઈની કોર્ટમાં ન્યાય મિત્ર દ્વારા ઉઠાવવામાં આવેલી ગંભીર ચિંતાઓ અને ફટાકડાંની તસ્કરીના મામલાને ધ્યાનમાં રાખતાં આ આદેશ આપ્યો છે.

ગત વર્ષે સંપૂર્ણ પ્રતિબંધ હતો
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં ગ્રીન ફટાકડાંની ગુણવત્તામાં સુધારો થયો છે. 2024માં જીએનસીટીડીએ ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો. પરંતુ હવે દિલ્હી અને કેન્દ્ર સરકારે પ્રતિબંધ હળવા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેના પગલે NEERI પ્રમાણિત ગ્રીન ફટાકડાંના વેચાણ અને ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ ફટાકડાં પર QR કોડ અનિવાર્ય રહેશે અને અન્ય ફટાકડાંનો ઉપયોગ માટે મંજૂરી નથી. નિયમોના ઉલ્લંઘન કરનારાઓ પર આકરી કાર્યવાહી હાથ ધરાશે.

આ સમય સુધી ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવશે
કોર્ટે ચુકાદો આપ્યો હતો કે લીલા ફટાકડા ફક્ત 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી જ વેચી શકાશે. દિવાળીના આગલા દિવસે અને દિવાળીના દિવસે, ફટાકડા ફક્ત સવારે 6 થી 7 વાગ્યા અને રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ વેચવાની મંજૂરી રહેશે. આ ફટાકડા ફક્ત જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક દ્વારા સંયુક્ત રીતે નક્કી કરાયેલા સ્થળોએ જ વેચવામાં આવશે. આ સ્થળો વિશેની માહિતીનો વ્યાપકપણે પ્રચાર કરવામાં આવશે જેથી લોકોને ખબર પડે કે લીલા ફટાકડા ક્યાંથી ખરીદવા.

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે ભારે અથડામણ: બંને તરફથી ભયાનક ગોળીબારી

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર શાસન કરતા તાલિબાન વચ્ચે યુદ્ધ ચાલુ છે. મંગળવારે રાત્રે પાકિસ્તાની સૈનિકો અને તાલિબાન લડવૈયાઓ વચ્ચે ફરી એકવાર ભીષણ અથડામણ થઈ. કુર્રમ જિલ્લામાં દૂરના ઉત્તરપશ્ચિમ સરહદી વિસ્તારોમાં આ અથડામણ થઈ. “કુર્રમમાં અફઘાન તાલિબાન અને ફિત્ના અલ ખાવરીજે ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. પાકિસ્તાની સેનાએ સંપૂર્ણ તાકાત સાથે યોગ્ય જવાબ આપ્યો છે.”

અફઘાન ટેન્કો અને લશ્કરી ચોકીઓને નુકસાન થયું હતું
પાકિસ્તાની ટીવી રિપોર્ટ અને બે સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની દળોએ વળતો જવાબ આપ્યો, જેમાં અફઘાન ટેન્કો અને લશ્કરી ચોકીઓને નુકસાન થયું. અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતના નાયબ પોલીસ પ્રવક્તા તાહિર અહરરે અથડામણની પુષ્ટિ કરી પરંતુ વધુ વિગતો આપી નહીં. આ અઠવાડિયે ગોળીબારની ઘણી આપ-લે થઈ છે.

પહેલા પણ ગોળીબાર થયો હતો
ગયા અઠવાડિયાની શરૂઆતમાં, શનિવાર અને રવિવારે, બંને પક્ષો વચ્ચે અનેક સરહદી વિસ્તારોમાં ગોળીબાર થયો હતો, જેમાં બંને પક્ષોના ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. ત્યારથી પાકિસ્તાનની સેના હાઈ એલર્ટ પર છે. સાઉદી અરેબિયા અને કતારની અપીલ બાદ રવિવારે અથડામણો બંધ થઈ ગઈ હોવા છતાં, લડાઈ ફરી શરૂ થઈ છે. પરિસ્થિતિને કારણે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની બધી સરહદો બંધ છે.

પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાન વાયુસેના દ્વારા હવાઈ હુમલા બાદ પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ, એવા સમયે જ્યારે તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે છે.

ડ્યુરન્ડ લાઇન પર વિવાદ છે
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ, જેને ડ્યુરન્ડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે, તે 2,500 કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવે છે. આ સરહદ 1893 માં બ્રિટિશ ભારત (તે સમયે પાકિસ્તાન) અને અફઘાનિસ્તાન વચ્ચે બનાવવામાં આવી હતી. સરહદને લઈને વિવાદ છે. ડ્યુરન્ડ લાઇન અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંનેમાં રહેતા પશ્તુન જાતિઓને વિભાજીત કરે છે. અફઘાનિસ્તાન તેને કાયદેસર સરહદ તરીકે માન્યતા આપતું નથી. અફઘાનિસ્તાન દાવો કરે છે કે ડ્યુરન્ડ કરાર બ્રિટિશ દબાણ હેઠળ થયો હતો. અફઘાનિસ્તાન પણ તેને વસાહતી શાસનનો અવશેષ માને છે.