Home Blog Page 232

વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ

0

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે (જેઠાભાઈ આહીર) પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું, જેને અધ્યક્ષે તાત્કાલિક સ્વીકાર કરી લીધો છે. આ રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને સોંપવામાં આવ્યું હતું.

જેઠાભાઈ ભરવાડે રાજીનામાનું કારણ અન્ય હોદ્દાઓ અને કાર્યોની વ્યસ્તતા ગણાવ્યું છે. તેઓ ઘણી સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને પંચમહાલ ડેરીના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવે છે. આ ઉપરાંત, તેઓ શહેરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને ભાજપના વરિષ્ઠ નેતા તરીકે પાર્ટીના કાર્યોમાં પણ સક્રિય છે.

જેઠાભાઈ ભરવાડ કોણ છે ?
જેઠાભાઈ ભરવાડ ભાજપના વરિષ્ઠ નેતા છે અને શહેરા બેઠક પરથી અનેક વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ 2022માં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. તેમની સહકારી ક્ષેત્રમાં મજબૂત પકડ છે અને તેઓ અનેક સંસ્થાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે.જેઠાભાઈ ભરવાડના રાજીનામાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

મધ્ય પ્રદેશમાં 28 વર્ષીય મહિલાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો, ચારેય નવજાતનું મોત

0

એક અત્યંત દુર્લભ તબીબી ઘટનામાં મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના જુન્નરદેવ ગામની 28 વર્ષીય મહિલાએ તાજેતરમાં એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. જો કે પ્રસવના તુરંત બાદ ચારેય નવજાતના મોત થતા સાત લાખ પ્રસવમાંથી એકમાં બનતી આ અતિશય અસામાન્ય બાબતનો દુઃખદ અંત આવ્યો હતો. આ કેસ જોડિયા બાળકોના જન્મ સાથે સંકળાયેલી પ્રસવ સાથે સંકળાયેલા જોખમો પ્રત્યે લોકોનું તેમજ મેડિકલ નિષ્ણાંતોનું ધ્યાન ખેંચ્યું છે, ખાસ કરીને મર્યાદિત સ્રોત અને સંસાધનો હોય તેવા વિસ્તારમાં બાળકો તેમજ માતાના જીવ બચાવવાનું કાર્ય મુશ્કેલ હોય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જુન્નરદેવના રોરાઢેકનીમલ ગામની ગુન્નોબાઈ નામની 28 વર્ષીય મહિલાએ સમય પહેલા એક સ્થાનિક આરોગ્ય સેવા ખાતે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. અકાળે જન્મમાંથી ઉદ્ભવતી ગૂંચવણોને કારણે નવજાત બાળકોને તુરંત વધુ મેડિકલ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમાંથી બે બાળકોનું રસ્તામાં જ મોત થયું હતું જ્યારે બાકીના બે હોસ્પિટલમાં દાખલ થયાના ટૂંક સમયમાં જ અવસાન પામ્યા. હોસ્પિટલના સ્રોતોએ પુષ્ટી કરી કે નવજાત બાળકોના ફેફસા ગંભીર રીતે અવિકસીત હતા, જે એકસાથે વધુ બાળકોના જન્મ થવાની બાબતમાં સામાન્ય પણ ગંભીર સમસ્યા હોય છે.

જિલ્લા હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે નવજાત બાળકોનું વજન અત્યંત ઓછું હતું અને ગંભીર રીતે અવિકસીત હતા. હોસ્પિટલ સુધી પહોંચનાર એક બાળકીનું વજન 600 ગ્રામ હતું જ્યારે બાળકનું વજન માત્ર 350 ગ્રામ હતું. તેમના ફેફસા પણ અવિકસીત હોવાથી સ્વતંત્ર રીતે શ્વાસ લેવાનું અશક્ય હતું. રસ્તામાં જ અવસાન પામેલા બે અન્ય બાળકોના વજન પણ આશરે 600 ગ્રામ જેટલા હતા.

ડોક્ટરોએ જણાવ્યું કે જુન્નરદેવ વિસ્તારમાં જન્મ સમયે બાળકોના ઓછા વજન સામાન્ય બાબત છે અને નવજાત બાળકોના જન્મસમયના વજન આશરે બે કિલો હોય છે. આ ચાર બાળકોના જન્મની બાબતમાં માતાનું શરીર ચાર ગર્ભના વિકાસને પૂરતો ટેકો ન આપી શક્યું, જેના પરિણામે તેમના મહત્વના અવયવો અવિકસીત રહ્યા.

ડોક્ટરોએ વધુ માહિતી આપી કે ચાર બાળકોનો જન્મ થતો હોય તેવી પ્રસૂતિમાં વધુ જોખમ રહેલું હોય છે અને તેમાં પ્રસવ પછી સતત નિરીક્ષણ, વિશેષ પ્રસુતિ સંભાળ અને આધુનિક શ્વસન સપોર્ટની જરૂર હોય છે. આવા કેસોમાં સામાન્ય રીતે ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) સહિતનીરિપ્રોડક્ટીવ ટેકનોલોજીની મદદ લેવામાં આવતી હોય છે. જો કે અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રસૂતિ અચાનક હોવાથી પડકારજનક બની હતી જે મેડિકલ ક્ષેત્રમાં વધુ દુર્લભ અને પડકારજનક હોય છે. અકાળે થતી પ્રસૂતિ આવી ગર્ભાવસ્થામાં લગભગ અનિવાર્ય હોય છે જેના કારણે નવજાતના બચવાની તકો મર્યાદિત બને છે.

સુરતમાં માતાએ પુત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી, માસૂમનું મોત

0

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં એક અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પાંચ વર્ષના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે ઝંપ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગની ઊંચાઈને કારણે બાળકને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અલથાણ પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું કે, આજે સવારે અંદાજે 10:30 વાગ્યે ભટાર ચોકી વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસમાં આશરે 30 વર્ષની મહિલાએ પોતાના બાળક સાથે 14મા માળેથી ઝંપ લગાવ્યો હોવાની માહિતી મળી હતી. આ ઘટનામાં બાળકનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે મહિલાની હાલત ક્રિટિકલ છે અને તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા આ આવાસની રહેવાસી નથી. આવાસમાં રહેતા લોકોએ પણ મહિલાને ઓળખી ન હોવાનું જણાવ્યું છે. બાળકની ઉંમર આશરે પાંચ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મહિલા કોણ છે, ક્યાંથી આવી અને આ બનાવ પાછળ શું કારણ હોઈ શકે તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ તો પ્રાથમિક રીતે આ બનાવ આત્મહત્યાનો પ્રયાસ હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સાધનોના આધારે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ક્રિસમસ પર પીએમ મોદી દિલ્હીના સૌથી જૂના ચર્ચમાં પ્રાર્થનામાં જોડાયા

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નાતાલના અવસરે દિલ્હીના કેથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં પ્રાર્થના સેવામાં પણ ભાગ લીધો હતો. આ કેથેડ્રલ માત્ર સૌથી જૂના ચર્ચોમાંનું એક નથી પણ દિલ્હીનું સૌથી મોટું ચર્ચ પણ છે. પ્રધાનમંત્રીએ અહીં પ્રાર્થના સેવામાં પણ ભાગ લીધો હતો અને લોકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન પીએમ મોદીની સાથે ચર્ચમાં ઘણા અન્ય લોકો પણ હાજર હતા.

સોશિયલ મીડિયા પર ચર્ચની તસવીરો પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું, “દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં નાતાલની સવારની પ્રાર્થનામાં હાજરી આપી. આ પ્રાર્થના પ્રેમ, શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. મને આશા છે કે નાતાલની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને ભાઈચારો લાવશે.”

કેથેડ્રલ ચર્ચ તેના સુંદર સ્થાપત્ય માટે જાણીતું છે. દર વર્ષે નાતાલ માટે ખાસ સજાવટ કરવામાં આવે છે. દિલ્હીભરના લોકો ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરવા અને નાતાલની ઉજવણી કરવા માટે આ ચર્ચની મુલાકાત લે છે. પીએમ મોદીએ આ પહેલા પણ ચર્ચની મુલાકાત લીધી છે.

પીએમ મોદીએ એક વિડિઓ શેર કર્યો
બીજી પોસ્ટમાં, પીએમ મોદીએ ચર્ચની તેમની મુલાકાતનો વિડિઓ શેર કર્યો. તેમણે લખ્યું, “ક્રિસમસ નવી આશા, પ્રેમ અને દયા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતા લાવે.” ધ કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની સેવાની કેટલીક ઝલક અહીં છે.

કર્ણાટકમાં સ્લીપર બસમાં ભીષણ આગ: ટ્રક સાથે ટક્કર બાદ 10 મુસાફરો જીવતા ભૂંજાયા

0

કર્ણાટકના ચિત્રદુર્ગમાં બુધવારે મોડી રાત્રે સ્લીપર બસમાં ટક્કર થયા બાદ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 10થી વધુ લોકો જીવતા ભૂંજાયા છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ આંકડો 12 અને 17 પણ બતાવવામાં આવી રહ્યો છે.

આ અકસ્માત NH-48 પર હિરિયૂર તાલુકા પાસે થયો હતો. બસ બેંગલુરુથી ગોકર્ણ જઈ રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે રાત્રે 2:30 વાગ્યે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ડિવાઈડર તોડીને બીજી બાજુ જઈ રહેલી ખાનગી કંપની ‘સીબર્ડ ટ્રાન્સપોર્ટ’ની બસને ટક્કર મારી હતી. બસમાં તરત જ આગ લાગી ગઈ હતી. તે સમયે મુસાફરો સૂઈ રહ્યા હતા, જેના કારણે તેમને બચવાની કોઈ તક મળી શકી નહોતી.

અરવલ્લી પર્વતમાળા મુદ્દે દેશને ગુમરાહ કરવાનો પ્રયાસ: કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર આક્ષેપ

0

દેશમાં અરવલ્લી પર્વતમાળા મુદ્દે રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને રાજધાની દિલ્હીમાં પ્રદર્શનો ચાલુ છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી છે. તેમજ ફરી એકવાર અરવલ્લી મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમજ પ્રશ્ન કર્યો કે પર્વતમાળાની વ્યાખ્યામાં આટલા ખામીયુક્ત ફેરફારને આગળ વધારવા સરકાર શા માટે આગ્રહ કરી રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ લગાવ્યો કે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ મુદ્દા પર દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કરાયેલા એક સમાચાર અહેવાલને ટાંકીને કહ્યું, હવે એ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી અરવલ્લી મુદ્દા પર સંપૂર્ણ સત્ય નથી કહી રહ્યા અને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.તેમણે કહ્યું કે, અરવલ્લીની વ્યાખ્યામાં મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ફેરફારોનો ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા, સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સેન્ટ્રલ પ્રિવિલેજ કમિટી અને સુપ્રીમ કોર્ટના એમિકસ ક્યુરી દ્વારા સ્પષ્ટ અને સખત વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમ છતાં કેન્દ્ર સરકાર આ વ્યાખ્યાને અનુસરવા પર અડગ છે. કોંગ્રેસનો આરોપ છે કે નિષ્ણાત સંગઠનોના વાંધાઓને અવગણના કરતું આ પગલું પર્યાવરણ માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.

આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ પણ આ મુદ્દે મોદી સરકારની આલોચના કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ખનન માફિયાઓને સંરક્ષણ આપી રહી છે. સુરજેવાલાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપની મિલીભગતને કારણે દક્ષિણ હરિયાણાના અનેક જિલ્લાઓમાં આ ગેરકાયદે ખાણકામનો વ્યવસાય માફિયાઓ માટે મોટા નફાનો સ્ત્રોત બની ગયો છે. તેમણે કહ્યું કે અરવલ્લી પર્વતમાળા, જે આપણા પર્યાવરણ અને પ્રાણવાયુ માટે પર્યાય છે. તેનું રક્ષણ કરવાને બદલે ભાજપ ખનન માફિયાઓને રક્ષણ આપીને ગેરકાયદે સંપત્તિનો પર્વત બનાવવામાં વ્યસ્ત છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પર્યાવરણ મંત્રાલયની ભલામણોને સ્વીકારીને અરવલ્લી ટેકરીઓ માટે એક નવી વ્યાખ્યા સ્વીકારી છે. જેમાં ફક્ત 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ સંરક્ષિત ગણવામાં આવશે. આ નિર્ણયથી અરવલ્લી ટેકરીઓમાંથી લગભગ 90 ટકાને સંરક્ષણમાંથી બાકાત રાખી શકાય છે. જેનાથી મોટા પાયે ખનનની શક્યતા વધી શકે છે.

સાબુ બજારમાં ‘સંતુર’નો દબદબો: લાઇફબોયને પછાડી બની નંબર-૧ બ્રાન્ડ, રૂ.2850 કરોડનું વેચાણ

0

વિપ્રો કન્ઝ્યુમર કેર એન્ડ લાઇટિંગ એ દાવો કર્યો છે કે તેની ફલેગશિપ સાબુ બ્રાન્ડ સંતૂર હવે હિન્દુસ્તાન યુનિલિવરના લાઇફબોયને પાછળ છોડીને ભારતની સૌથી મોટી સાબુ બ્રાન્ડ બની ગઈ છે.

કંપનીનો દાવો છે કે સંતૂત્રે 2025 માં રૂ.2,850 કરોડની આવક કરી હતી. જે લાઇફબોયને પાછળ છોડી દીધી હતી. જ્યારે લક્સ ત્રીજા સ્થાને છે. જો કે, કંપનીઓને તેમની બ્રાન્ડ્સ માટે વ્યક્તિગત આવક જાહેર કરવાની જરૂર નથી. તેથી આ આંકડા ચકાસવા મુશ્કેલ છે.

વિપ્રો કન્ઝ્યુમર કેર કહે છે કે તેણે અનેકસ્ત્રોતોમાંથી માહિતી એકત્રિત કરી છે અને તેના લીડ્સ પર વિશ્વાસ છે. WCCL ના CEO વિનીત અગ્રવાલે કહ્યું, અમારી અને લાઇફબોય વચ્ચે નોંધપાત્ર અંતર છે. જાન્યુઆરીથી નવેમ્બર સુધીના AC નીલ્સનના ડેટા અનુસાર, સંતૂરનો બજાર હિસ્સો 8.7% હતો. જ્યારે લાઇફબોયનો 12.2% અને લક્સનો 12.2% હતો.

પરંતુ અગ્રવાલે આ આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું. ગ્રામીણ વિસ્તારોમાં સંતૂર ખૂબ જ મજબૂત છે. જ્યારે AC નીલ્સન પેનલ ગ્રામીણ બજારોને સચોટ રીતે પ્રતિબિંબિત કરતું નથી. આંધ્રપ્રદેશ. તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સંતૂરનું વેચાણ વધુ છે. એવું લાગે છે કે AC નીલ્સન પેનલ આ રાજ્યોને પૂરતું વજન આપતું નથી.

દરમિયાન, હિન્દુસ્તાન યુનિલિવરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે અમારી બ્રાન્ડ્સની સ્પર્ધાત્મકતાનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ ડેટાસ્ત્રોતો જોઈએ છીએ. આમાં પ્રકાશિત કંપની પરિણામો અને નીલ્સન અને કાંતારના ડેટાનો સમાવેશ થાય છે.

“મુંબઈનો મેયર મરાઠી જ બનશે”: BMC ચૂંટણી માટે ઠાકરે બંધુઓનું ગઠબંધન

0

મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો અને ઐતિહાસિક ઘટનાક્રમ જોવા મળ્યો છે. પંચાયત ચૂંટણીમાં હાર બાદ, શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીઓ માટે ગઠબંધનની જાહેરાત કરી છે. લાંબા સમયથી અલગ અલગ રસ્તે ચાલી રહેલા ઠાકરે બંધુઓનું સાથે આવવું એ મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી ઘટના છે.

ઉદ્ધવ ઠાકરેએ મનસે વડા રાજ ઠાકરે સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું, “અમે સાથે રહેવા માટે જોડે આવ્યા છીએ,” જે લોકો ભાજપની અંદર ચાલી રહેલી ઘટનાઓને સહન નથી કરી શકતા તેઓ પણ શિવસેના (UBT)-મનસે ગઠબંધનમાં જોડાઈ શકે છે.

રાજ ઠાકરેએ કહ્યું, “મહારાષ્ટ્ર કોઈપણ ઝઘડા કરતાં મોટું છે. અમે ઘોષણા કરીએ છીએ કે અમારું ગઠબંધન બની ગયું છે, મુંબઈના મેયર મરાઠી હશે અને અમારા હશે.”

કાર્યક્રમને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે કહ્યું કે મહારાષ્ટ્રના રાજકારણમાં નેતૃત્વનો અધિકાર હંમેશા ઠાકરે પરિવાર પાસે જ રહ્યો છે અને આગળ પણ રહેશે. તેમણે કહ્યું, “મહારાષ્ટ્રનું નેતૃત્વ ઠાકરે પરિવારનું છે. ફક્ત ઠાકરે જ મહારાષ્ટ્રનું નેતૃત્વ કરી શકે છે.” ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનને સભામાં હાજર સમર્થકોએ જોરદાર તાળીઓ અને સૂત્રોચ્ચાર સાથે વધાવી લીધું હતુ.

આ ગઠબંધનની જાહેરાત બાદ, શિવસેના (UBT) ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે તેને ઐતિહાસિક દિવસ ગણાવ્યો. કાર્યક્રમમાં ઉમટેલી ભીડ અને લોકોના ઉત્સાહનો હવાલો આપતા તેમણે કહ્યું કે જનતા આ એકતાનું દિલથી સ્વાગત કરી રહી છે. સંજય રાઉતે કહ્યું, “ઉપસ્થિત લોકોની સંખ્યા અને ઉત્સાહને જોતાં, એવું કહી શકાય કે આજનો દિવસ ઐતિહાસિક છે. આ ફક્ત સ્ટેજ શેર કરવા વિશે નથી, પરંતુ જાહેર વિશ્વાસનું પ્રતીક છે,”

પૃથ્વીના ‘CT સ્કેન’માં સૌરાષ્ટ્ર-કચ્છની ફોલ્ટ લાઈનો ખુલાસી, ભૂકંપ પાછળનું કારણ સામે આવ્યું

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ફોલ્ટલાઈન સક્રિય થઈ હોય તેમ ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપના 2026માં 25 વર્ષ થશે. આ પહેલા એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં 2008 થી 2024 વચ્ચે નોંધાયેલા 1300થી વધુ આંચકાઓનું વિશ્લેષણ કરાયું હતું.

આ માટે પડ કાયમી અને 20 કામચલાઉ સિસ્મિક સ્ટેશનોના ડેટાનો ઉપયોગ કરીને ગુજરાતના ભૂગર્ભનું સ્કેનિંગ કરાયું હતું. જેમાં સામે આવેલી વિગત પ્રમાણે, રાજ્યની નીચે અનેક ફોલ્ટ લાઈનો અને પળથ્વીના પડમાં થયેલા ફેરફારો એકબીજા સાથે સંપર્કમાં આવતા રહે છે. જે ધ્રુજારી અને ભૂકંપનું કારણ બને છે. તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાનો અહેવાલ જણાવે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કચ્છમાં સૌથી આ^ યંજનક પરિણામ જોવા મળ્યું હતું. ભૂસ્તરશાષણીય રીતે ‘કચ્છ રિફટ બેસિન’ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ગુજરાતના બાકીના ભાગો કરતા પળથ્વીના પડમાં હલચલનું સ્તર ઘણું વધારે છે. મહત્વની વાત એ છે કે, આ હલચલ કચ્છ મેઈનલેન્ડ ફોલ્ટ, સાઉથ વાગડ ફોલ્ટ, અલ્લાહ બંધ ફોલ્ટ અને ગેડી ફોલ્ટ જેવી મુખ્ય સક્રિય ફોલ્ટ લાઈનો સાથે સીધી રીતે જોડાયેલી છે. જે ૨૫ વર્ષ પહેલા આવેલા મોટા ભૂકંપ માટે જવાબદાર ફોલ્ટ સિસ્ટમ છે.

રિપોર્ટ મુજબ, આ પ્રદેશમાં રિક્ટર સ્કેલ પર 9 કે તેથી વધુની તીવ્રતાના ઓછામાં ઓછા ચાર ભૂકંપ નોંધાયા હતા. ૧૮૧૯માં અલ્લાહ બંધમાં 7.8ની તીવ્રતાનો અને 2001માં કચ્છમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નર્મદા રિફટ બેસિનમાં થતી હલચલ સ્થાનિક ફોલ્ટ સ્ટ્રક્ચર્સને અનુસરે છે. જોકે, ઉત્તર ગુજરાત અને ખંભાત રિફટ બેસિનમાં, હલચલની દિશા ભારતીય પ્લેટની યુરેશિયન પ્લેટ તરફની એકંદર ગતિ સાથે વધુ સુસંગત છે.

સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યના અમુક ભાગોમાં ભૂકંપ શા માટે વારંવાર આવે છે તેનાથી આ તારણોમાં સમજવામાં મદદ મળી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે, તેનું કારણ મર્યાદિત વિસ્તારમાં અનેક ફોલ્ટ લાઈનોની પરસ્પર પ્રતિક્રિયા છે. જે પળથ્વીના પડમાં જટિલ અને સ્ટ્રેસ પેદા કરે છે. હાલની પ્રક્રિયાઓમાં ફેરફાર સૂચવવો એ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય નહોતો. પરંતુ તે પળથ્વીના પડમાં થતી હલચલ અને સ્ટ્રેસની તપાસ કરવા માટે એક વૈજ્ઞાનિક માળખું પૂરું પાડે છે.

એસીબી ટ્રેપ: સુરતમાં સર્કલ ઓફિસર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા

0

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ઉધના મામલતદાર કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ યોજી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ઉધના-1ના સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી (ઉમર 38 વર્ષ) ને રૂ.10,000ની લાંચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યા છે. આરોપી વર્ગ-3ના અધિકારી છે અને મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.

આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી મુજબ, તેના અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકોના નામોની કાચી નોંધ પ્રમાણિત કરાવવા અરજી કરવામાં આવી હતી. આ કાયદેસર કામગીરી કરવાના બદલે આરોપી અધિકારીએ રૂ.10,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે એસીબી દ્વારા સુયોજિત રીતે ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું. નક્કી યોજના મુજબ જ્યારે ફરિયાદી સર્કલ ઓફિસરને મળ્યા ત્યારે આરોપીએ ફરીથી રૂ.10,000ની લાંચની માંગણી કરી અને રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને સ્થળ પર રંગેહાથ ઝડપી લીધો. તલાશી દરમિયાન સંપૂર્ણ લાંચની રકમ જપ્ત કરવામાં આવી.

આ ટ્રેપની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબીના નેતૃત્વ હેઠળ સુરત ગ્રામ્ય એસીબીની ટીમે કરી હતી. સમગ્ર ઓપરેશનની દેખરેખ સહાયક નિયામક આર.આર. ચૌધરી (એસીબી સુરત એકમ) દ્વારા કરવામાં આવી હતી, જ્યારે વડોદરા રેન્જના ઉપ નિયામક આઈપીએસ બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.