Home Blog Page 202

આવતીકાલે ગુજરાતમાં તોફાની દરિયો અને કડકડતી ઠંડી, મોસમ વિભાગની ચેતવણી

હવામાન વિભાગે દરિયાકાંઠે માછીમારોને ભારે દબાણના કારણે તોફાની પવનો અને દરિયામાં તોફાની સ્થિતિની ચેતવણી આપવામાં આવી છે. આજથી બીજી ફેબ્રુઆરી, 2026 સુધીના પાંચ દિવસના સમયગાળા માટે જારી કરાયેલી એડવાઈઝરીમાં ચેતવણી આપવામાં આવી છે કે 29 જાન્યુઆરીએ ભારે પવન ફૂંકાશે અને દરિયો તોફાની બનવાની સંભાવના છે, તો માછીમારોએ માછીમારી માટે દરિયો ખેડવો નહીં.

આગાહી મુજબ, જખૌ, માંડવી, મુન્દ્રા, કંડલા, ઓખા, જામનગર, પોરબંદર અને નજીકના બંદરો સહિત, ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 45-55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે. દરિયો ખૂબ જ તોફાની રહેવાની ધારણા છે, અને માછીમારોને આ વિસ્તારોથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે પણ આવી જ ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં વેરાવળ, દીવ, પીપાવાવ, ભાવનગર, દહેજ, મગદલ્લા અને દમણ જેવા દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશાના પવનો સમાન તીવ્રતા સુધી પહોંચી શકે છે, જેના કારણે દરિયાઈ સ્થિતિ અસુરક્ષિત બની શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન ખુલ્લા સમુદ્ર માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

સલાહમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આજે અને કાલે કોમોરિન વિસ્તારના ઘણા ભાગોમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે. માછીમારોને પણ તે પ્રદેશમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ સાથે આવતા 28 કલાકમા સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં તાપમાનનો પારો 3થી 5 ડિગ્રી ગગડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. મહિનાના અંતમાં ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે ત્રણેક દિવસ બાદ ઠંડીથી થોડી રાહત મળશે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત

0

અમદાવાદના ઘી કાંટા વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતી નવતાડની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ મકાન પડતાં 3 લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યાની પુષ્ટી થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

ધારાસભ્ય પણ પહોંચ્યા ઘટનાસ્થળે, મહિલાના મોતની પુષ્ટી
ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું હતું કે અહીં પોળમાં આવેલા મકાનો લગભગ 100 વર્ષ જુના છે. જર્જરિત મકાન પાસે જ ડ્રેનેજનું કામ ચાલતું હતું અને તે સમયે જ મકાન પડ્યું હતું. જેમાં એક શ્રમિક અને અન્ય 2 લોકો દટાયા હતા. જેમાં મળતી માહિતી મુજબ પુષ્પાબેન પંચાલ (ઉ. વ 62) નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.

અમદાવાદની નવતાળની પોળમાં એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. જે સમયે આ મકાન પડ્યું, ત્યારે કોર્પોરેશન દ્વારા ત્યાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું. ડ્રેનેજની કામગીરી દરમિયાન થયેલી ધ્રુજારીને કારણે મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હોવાનું માનવામાં આવે છે.આ દુર્ઘટનામાં એક વૃદ્ધા અને બે મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ દટાયેલા લોકોને બહાર કાઢી રેસ્ક્યુનો પ્રયાસ કર્યો હતો. જોકે વૃદ્ધ મહિલાને બચાવી ન શકાયા.

ગુજરાતમાં બાળકોની લે-વેચ કરતું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું, નવજાત બાળકનો રેસ્ક્યૂ, ચારની ધરપકડ

0

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી પોલીસને એક ગાડીમાંથી નવજાત બાળક રેસ્ક્યૂ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે આ બાળકને હિંમતનગરના મુન્ના પાસેથી ચાર શખસ 3.60 લાખ રૂપિયામાં ખરીદી હૈદરાબાદ મોકલવા જઈ રહ્યા હતા.

પોલીસે હૈદરાબાદના રોશન અગ્રવાલ, યુપીના સુમિત યાદવ, અમદાવાદની વંદના પંચાલ અને કારના ડ્રાઇવર મૌલિક દવેને ઝડપી લીધા છે. મુંન્ના અને હૈદરાબાદના નાગરાજ હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. નવજાત બાળક તાત્કાલિક ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યો છે.

આ પહેલાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે છત્રપતિ સંભાજી નગર અને ધોળકા વિસ્તારમાં બાળકોની તસ્કરી કરતા ગેંગનો પર્દાફાશ કર્યો હતો. 7 મહિનાની બાળકીના અપહરણ બાદ એક મહિલા સહિત 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગેંગ ધોળકા અને મહારાષ્ટ્રમાં બાળકોનું અપહરણ અને વેચાણ કરતી હતી.

અપહરણની વિગત અનુસાર, ધોળકાના ગરીબ મજૂર પરિવારમાં 7 મહિનાની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. માતાપિતાએ તપાસ અને ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસને માહિતી મળી કે આ એક મોટા આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો ભાગ છે. CCTV ફૂટેજ અને લોકોના નિવેદનોના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને રેકેટનો પર્દાફાશ કર્યો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ બાળકીનું અપહરણ કરીને તેને ઔરંગાબાદ લઈ જવામાં આવી હતી. આ કૌભાંડમાં કુલ 4 લોકો સંડોવાયેલા હતા, જેમાં 1 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આ ગેંગની મુખ્ય સૂત્રધાર એક મહિલા નર્સ હોવાનું બહાર આવ્યું છે. તે ધોળકાના એક IVF સેન્ટરમાં કામ કરતી હતી. આ કૌભાંડમાં છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)ની એક નર્સ પણ સામેલ હતી, જેણે બાળકીને ખરીદી હતી.

પોલીસે છત્રપતિ સંભાજીનગરથી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા
પોલીસે તત્કાળ કાર્યવાહી કરી છત્રપતિ સંભાજીનગર પહોંચીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં અને બાળકીને તેમના પંજામાંથી છોડાવી તેના પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું હતું. આ ઘટનાએ IVF સેન્ટરોની કામગીરી અને આવા સેન્ટરોમાં કામ કરતા લોકોની ભૂમિકા પર પણ સવાલો ઉભા કર્યા હતાં.

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓના નામ

  • જયેશ રાઠોડ
  • વિમલ સોલંકી
  • મનીષા સોલંકી (ધોળકાના એક IVF સેન્ટરમાં કામ કરતી નર્સ)
  • જગતાપ

લક્ષ્મી ગ્રુપ પર IT દરોડા યથાવત, મેહુલ ચોક્સી કનેક્શન અને કરોડોની કરચોરીની શંકા

0

સુરતના જાણીતા લક્ષ્મી ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડા બીજા દિવસે પણ યથાવત રહ્યા છે. ગ્રુપના માલિકો વસંત ગજેરા અને ચૂની ગજેરાના નિવાસસ્થાનો અને સંસ્થાઓ પર આઈટી વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ જેવા ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત આ ગ્રુપની 30 જેટલી જગ્યાઓ પર 110 થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.

આ તપાસ પાછળ મુખ્યત્વે મોટી કરચોરીની આશંકા જવાબદાર છે. આઈટી વિભાગને માહિતી મળી હતી કે લક્ષ્મી ગ્રુપમાં ભાગેડુ મેહુલ ચોક્સીનું રોકાણ છે અને ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હતી. મેહુલ ચોક્સીનું નામ મુંબઈમાં દાખલ થયેલા એક કેસની ચાર્જશીટમાં પણ સામે આવ્યું હતું, જેમાં તેના લક્ષ્મી ગ્રુપ સાથેના કનેક્શનની વિગતો મળી હતી. આ કનેક્શન મુદ્દે પણ સઘન તપાસ ચાલી રહી છે.

આવકવેરા વિભાગના અધિકારીઓ ગ્રુપ સાથે સંકળાયેલા બ્રોકરો, ભાગીદારો અને અન્ય સંબંધિત વ્યક્તિઓના રહેણાંક સ્થળો, ઓફિસો, ફેક્ટરીઓ, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને ડાયમંડ ફેક્ટરીઓ સહિતના વિવિધ સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. અધિકારીઓ દ્વારા દસ્તાવેજો જપ્ત કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ વસ્તુઓની પણ તપાસ થઈ રહી છે. ઘટના સ્થળે આઈટી વિભાગના અધિકારીઓની અવરજવર સતત જોવા મળી રહી છે.

આઈટી વિભાગની આ તપાસ પૂર્ણ થયા બાદ પ્રવર્તન નિર્દેશાલય (ED) પણ આ મામલે કાર્યવાહી કરી શકે છે, કારણ કે મેહુલ ચોક્સી જેવા ભાગેડુ સાથેના કનેક્શનના મામલામાં મની લોન્ડરિંગનો એંગલ પણ જોડાઈ શકે છે. સુરતમાં ચાલી રહેલી આ કાર્યવાહી ગુજરાતના સૌથી મોટા આઈટી દરોડાઓમાંની એક ગણાય છે.

ડાયમંડ સિટીથી ઝીરો વેસ્ટ સિટી તરફ સુરતની ગૌરવભરી યાત્રા

0

એક સમયે માત્ર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર આજે પર્યાવરણ જાળવણી અને કચરાના નિકાલ માટે સમગ્ર દેશમાં પથદર્શક બની રહ્યું છે. સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે નહીં, પણ ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘અર્બન ડેવલપમેન્ટ વર્ષ’ – શહેરી વિકાસ વર્ષની ઉજવણીના અવસરે સુરત મહાનગરપાલિકાએ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ‘ગ્રીન ગ્રોથ’ને પણ પ્રાથમિકતા આપી છે.

વિકાસની હરણફાળ ભરી રહેલું સુરત શહેર હવે પર્યાવરણની જાળવણીમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. મહાનગરપાલિકાએ આગામી બે વર્ષમાં શહેરમાંથી નીકળતા ઘન બાંધકામ કચરા (C&D Waste)ના 100 ટકા રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે. એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે કે શહેરનો કોઈપણ બાંધકામ કચરો ડમ્પિંગ સાઈટ સુધી પહોંચવાને બદલે સ્થળ પર જ અથવા પ્લાન્ટમાં રિસાયકલ થઈ પુનઃ વપરાશમાં લેવાય.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના બાંધકામ અને ડિમોલિશન કચરાનું વૈજ્ઞાનિક રીતે એકત્રીકરણ કરીને તેને ફરી ઉપયોગમાં લેવા માટે કાર્યરત કરાયેલા કન્સ્ટ્રકશન અને ડિમોલિશન (C&D) વેસ્ટ રિસાયક્લિંગ પ્લાન્ટ હવે સમગ્ર ભારત માટે એક ઉદાહરણરૂપ મોડેલ બન્યો છે. આ પ્રોજેક્ટ શહેરની સાફસફાઈ સાથે પર્યાવરણનું રક્ષણ અને કુદરતી સંસાધનો બચાવવા પણ યોગદાન આપી રહ્યો છે.

બાંધકામના કચરાનું 100 ટકા રિસાયક્લિંગ કરતા સુરતની આ સ્માર્ટ પહેલ માત્ર સફાઈ પૂરતી મર્યાદિત નથી, પણ તે પર્યાવરણના જતનનું મોટું અભિયાન બન્યું છે. આ રિસાયક્લિંગ પ્રક્રિયાના પરિણામે દર વર્ષે અંદાજે 500 ટનથી વધુ CO₂ (કાર્બન ડાયોક્સાઇડ)નું ઉત્સર્જન ઘટાડે છે, જે 2,50,000 કિલો કોલસાની બચત સમાન છે. જેથી કુદરતી સંસાધનો (જેમ કે પથ્થર અને રેતી) ના ખનન પરનું ભારણ ઘટ્યું છે.

સ્વચ્છ સર્વેક્ષણ-2025માં સમગ્ર ભારતમાં સૌથી વધુ ગુણ મેળવી સુરતે દેશમા ફરી એકવાર સ્વચ્છતામાં આગવી ઓળખ ઉભી કરી છે. સુપર સ્વચ્છ લીગમાં સુરત સતત અગ્રેસર રહ્યું છે, ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ દૃઢ પ્રયાસો થઈ રહ્યા છે. સુરત મનપા, રાજ્ય અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ કચરાને વૈજ્ઞાનિક રીતે રિસાઈકલ અને વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે. શહેરમાં બાંધકામ અને ડિમોલીશન વેસ્ટના ઘન કચરામાંથી બેસ્ટ પ્રોડક્ટસનું ઉત્પાદન કરવા માટે કન્સ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.

સુરતના કોસાડ ખાતે 300 મેટ્રિક ટન પ્રતિ દિવસ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ જનભાગીદારી (PPP) મોડલ હેઠળ કાર્યરત છે, જેમાં દરરોજ અંદાજિત 80 મેટ્રિક ટન ડિમોલીશન વેસ્ટ રિસાયકલ થાય છે. આમ C&D વેસ્ટથી પેવર બ્લોક્સ, વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શન વેસ્ટ મટીરિયલ્સમાંથી ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો બનાવવામાં આવે છે.

ક્લિન સિટી સુરતમાં ડેમોલિશન વેસ્ટ હવે વેસ્ટ નહીં, પણ વેલ્થ બની રહ્યો છે. સુરત મનપા દ્વારા ક્લિન કન્સ્ટ્રક્શન ગાઈડલાઈન અમલી બનાવી છે. ઈ-ગવર્નન્સના માધ્યમથી નાગરિકો ઘરબેઠાં જ કન્સ્ટ્રક્શન વેસ્ટ ઉપાડવા માટે નોંધણી કરાવી શકે છે. સુરત મનપાએ એક પ્રેરણાદાયી નિર્ણય લેતા પ્લાન્ટમાં નિકળતી રિસાયકલ સામગ્રીને સરકારી ટેન્ડરોમાં પણ 20 ટકા સુધી રિસાયકલ સામગ્રીનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. આ નીતિથી રિસાયકલ થયેલી ચીજવસ્તુઓના માર્કેટને વેગ મળશે અને ‘સર્ક્યુલર ઇકોનોમી’ મજબૂત બનશે.

સુરત મનપા દ્વારા અમલી ક્લિન કન્સ્ટ્રક્શન ગાઇડલાઇન શહેરના હવા પ્રદૂષણને ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. સ્માર્ટ મોનિટરિંગને કારણે નાગરિકોની ફરિયાદોમાં ઘટાડો થયો છે. બાંધકામ સ્થળોએ પતરા, શેડ્સ, ધૂળ નિયંત્રણ માટે સ્પ્રિન્કલર્સ અને ગ્રીન નેટનો ફરજિયાત ઉપયોગ આ બધું મળીને સુરતને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સુવાસિત બનાવે છે.

કોસાડ સ્થિત પ્લાન્ટ વર્ષ 2018થી કાર્યરત થયો ત્યારથી સુરત મહાનગરપાલિકા દ્વારા કલેક્શન સિસ્ટમ મજબૂત બનાવતા ક્રમશ: બાંધકામ અને ડિમોલીશનના ઘનકચરાનું કલેક્શન વધ્યું છે, જેમાં વર્ષ 2018-19માં 65,746 મેટ્રિક ટન વેસ્ટ કલેક્શન થયું હતું. વર્ષ 2019-20માં 37457 મેટ્રિક ટન, વર્ષ 2020-21માં 10614 મેટ્રિક ટન, વર્ષ 2021-22માં 23315 મેટ્રિક ટન, વર્ષ 2022-23 માં 41451 મેટ્રિક ટન, 2023-24 માં 49381 મેટ્રિક ટન અને 2024-25 માં 58106 મેટ્રિક ટન બાંધકામ-ડિમોલીશન વેસ્ટ કલેક્શન કરીને ડમ્પિંગ સાઈટ પર જવાને બદલે રિસાયક્લિંગ કરવામાં આવે છે.

આ પ્લાન્ટમાં ઇંટ, કોન્ક્રીટ, લોખંડના ટુકડા વગેરે એકત્રિત કરીને સાયન્ટીફીક પ્રોસેસિંગ થકી ફરી ઉપયોગી બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં Crushed Aggregates, રિસાયકલ કરેલી રેતી, પેવર બ્લૉક અને કોંક્રીટ ઇંટો જેવી ગુણવત્તાવાળી સામગ્રી તૈયાર કરવામાં આવે છે.

રાજકીય સમ્માન સાથે અજિત પવારનો પાર્થિવ દેહ પંચતત્વોમાં વિલીન, પુત્રોએ આપી મુખાગ્નિ

0

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. બારામતીમાં અજિત પવારના રાજકિય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આજે બારામતીમાં અજિત પવારને રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપાઈ હતી. અજિત પવારના પુત્રો જય અને પાર્થ પવારે પિતાને મુખાગ્નિ આપી હતી. અજિત પવારને અંતિમ વિદાય આપવા માટે અમિત શાહ, નીતિન ગડકરી સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. બીજી તરફ હજારોની સંખ્યામાં સમર્થકોની જનમેદની ઉમટી પડી હતી.

અજિત પવારના આકસ્મિક અવસાનથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુધી બધાએ શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે તેમની યાદમાં એક સ્મારક બનાવવાની પણ જાહેરાત કરી છે. આ દુર્ઘટનાથી સંબંધિત તમામ નવીનતમ સમાચાર માટે જનસત્તાના લાઇવ બ્લોગ સાથે જોડાયેલા રહો.

Budget 2026: સિનિયર સિટિઝન્સ માટે મોટી ભેટ? ટ્રેન ટિકિટમાં ફરી મળી શકે છે છૂટ!

0

બજેટ 2026 નજીક આવતા સિનિયર સિટિઝન્સ માટે ખુશખબરીની આશા વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય રેલવેની જૂની અને લોકપ્રિય સુવિધા સિનિયર સિટિઝન કન્સેશન ફરીથી શરૂ થઈ શકે છે. આ સુવિધા માર્ચ 2020માં કોરોના મહામારી દરમિયાન અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી. હવે બજેટ પહેલા નાણાં મંત્રાલય અને રેલવે મંત્રાલય વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.

જો સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં આવે, તો 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ફરીથી ટ્રેન ટિકિટમાં છૂટનો લાભ મળી શકે છે.

વરિષ્ઠ નાગરિક રાહત: ઇતિહાસ અને મહત્વ
ભારતીય રેલ્વે દાયકાઓથી વરિષ્ઠ નાગરિકોને ભાડામાં ડિસ્કાઉન્ટ આપી રહી છે. પુરુષ મુસાફરોને 40% સુધી અને મહિલા મુસાફરોને 50% સુધીની છૂટ આપવામાં આવી હતી. આ લાભ લગભગ તમામ વર્ગોમાં લાગુ પડતો હતો, જેમાં સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી અને ફર્સ્ટ એસીનો સમાવેશ થાય છે. ટિકિટ બુક કરાવવા માટે ફક્ત ઉંમર દાખલ કરવી જરૂરી હતી, કોઈપણ કાર્ડ અથવા અલગ પ્રક્રિયા વિના. આ લાભ IRCTC ઓનલાઈન પ્લેટફોર્મ અને રેલ્વે કાઉન્ટર બંને પર ઉપલબ્ધ હતો.

કોવિડ-૧૯ લોકડાઉન અને નાણાકીય દબાણ
માર્ચ 2020 માં, કોવિડ-19 રોગચાળાએ ટ્રેન સેવાઓ બંધ કરી દીધી, જેના કારણે મુસાફરોના ટ્રાફિકમાં ઐતિહાસિક ઘટાડો થયો. રેલ્વેને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ સમયગાળા દરમિયાન, વરિષ્ઠ નાગરિક રાહત અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી. તે સમયે, એવી દલીલ કરવામાં આવી હતી કે રેલ્વે પહેલાથી જ સબસિડી પર કામ કરે છે, અને વરિષ્ઠ નાગરિક રાહતનો વાર્ષિક ખર્ચ ₹1,600-2,000 કરોડ થાય છે. રોગચાળા પછી, જોકે ટ્રેનો સંપૂર્ણ ક્ષમતાથી દોડવા લાગી અને ભાડામાં વધારો થયો, આ સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવી ન હતી.

બજેટ 2026 માં શું અપેક્ષાઓ છે?
સૂત્રો કહે છે કે બજેટ પહેલાની બેઠકમાં આ છૂટછાટ ફરીથી શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, અને સરકાર આ સુવિધા ફરીથી શરૂ કરવા માટે તૈયાર હોય તેવું લાગે છે. જો આ દરખાસ્ત મંજૂર થઈ જાય, તો વરિષ્ઠ નાગરિકો ફરી એકવાર રેલ મુસાફરીમાં નોંધપાત્ર રાહતનો અનુભવ કરશે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આ જાહેરાત થવાની અપેક્ષા છે, જેનાથી વૃદ્ધ મુસાફરોને તેમના મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર રાહત મળશે.

વરિષ્ઠ નાગરિકો માટે રાહતનું મહત્વ
આ સુવિધા વૃદ્ધોને માત્ર નાણાકીય સહાય પૂરી પાડે છે, પરંતુ તેમને સલામત અને અનુકૂળ રેલ મુસાફરી જાળવવામાં પણ મદદ કરે છે. આ સુવિધા ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા વૃદ્ધો માટે ફાયદાકારક છે.

ઇતિહાસ રચાયો: ચાંદી પ્રથમવાર ₹4 લાખ પાર, સોનાના ભાવમાં ₹15,943નો રેકોર્ડ ઉછાળો

0

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ઐતિહાસિક રૅકોર્ડ સર્જાયો છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતાં પ્રથમવાર ₹4,00,000ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે.

ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો
MCX પર ચાંદીનો વાયદો ₹3,99,000ના ભાવે ખૂલ્યો હતો અને જોતજોતામાં ₹4,07,456ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. અગાઉના ₹3,85,366ના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં આજે કુલ ₹16634(+4.32%)નો જંગી ઉછાળો નોંધાયો છે.

સોનાની ચમક વધી
બીજી તરફ, સોનાના ભાવમાં પણ રોકાણકારોને સ્તબ્ધ કરી દે તેવી તેજી જોવા મળી છે. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,82,467ના ભાવે ખૂલ્યું હતું. કારોબાર દરમિયાન સોનું ₹1,93,096ના ઓલ-ટાઇમ હાઇ લેવલ પર પહોંચ્યું હતું, જે અગાઉના ₹1,77,153ના બંધ ભાવ સામે કુલ ₹15,943 (+8.95%)નો વધારો દર્શાવે છે. હાલમાં સોનું ₹1,93,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

ઉછાળા પાછળના મુખ્ય કારણો
બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. વિશ્વમાં યુદ્ધના ભણકારા અને ડૉલરની વધતી જતી વેલ્યુને કારણે પણ સોના ચાંદી તરફ લોકો આકર્ષાઈ રહ્યા છે. લોકો ખાસ કરીને સેફ એસેટ્સ તરીકે સોના-ચાંદીને જોઈ રહ્યા છે.

બારામતીમાં આજે અજિત પવારનો અંતિમ સંસ્કાર, દિગ્ગજ નેતાઓ હાજર, સમર્થકોની ભારે ભીડ

0

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર આજે બારામતીમાં કરવામાં આવશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે. અજિત પવારની અંતિમ યાત્રા શરુ થઈ છે.

અજિત પવારના આકસ્મિક અવસાનથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુધી બધાએ શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે તેમની યાદમાં એક સ્મારક બનાવવાની પણ જાહેરાત કરી છે. આ દુર્ઘટનાથી સંબંધિત તમામ નવીનતમ સમાચાર માટે જનસત્તાના લાઇવ બ્લોગ સાથે જોડાયેલા રહો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરી અંતિમ સંસ્કાર પહેલા અજિત પવારને શ્રદ્ધાંજલિ આપી. પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબળ પણ હાજર હતા. અમિત શાહે પાર્થ પવાર સાથે પણ વાત કરી.

અજિત પવારના આકસ્મિક અવસાનથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુધી બધાએ શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે તેમની યાદમાં એક સ્મારક બનાવવાની પણ જાહેરાત કરી છે. આ દુર્ઘટનાથી સંબંધિત તમામ નવીનતમ સમાચાર માટે જનસત્તાના લાઇવ બ્લોગ સાથે જોડાયેલા રહો.

કોલંબિયામાં વિમાન દુર્ઘટના: લેન્ડિંગ પહેલા જ પ્લેન ક્રેશ, સાંસદ સહિત 15 લોકોના મોત

0

હજુ તો મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ અજીત પવારના પ્લેન ક્રેશની ઘટનાને 24 કલાક પુરા થાય તે પહેલા તો વધુ એક પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે. જેમાં પણ એક રાજકીય નેતાની મોત થયાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી છે કે લેન્ડિંગ પહેલાં જ એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

આ ઘટના કોલંબિયામાં બની છે, જ્યાં એક મોટુ વિમાન ક્રેશ થયો છે, જેમાં કોલંબિયાના એક સાંસદ સહિત 15 લોકોના મોત થયા છે. સેટેના એરલાઇન્સનું ટ્વીન-પ્રોપેલર વિમાન વેનેઝુએલાની સરહદ નજીકના પર્વતીય વિસ્તારમાં કુકુટાથી ઓકાના જઈ રહ્યું હતું.

રાજધાની બોગોટાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોલંબિયાના એક સાંસદ સહિત 15 લોકોને લઈ જતું એક ટ્વીન-પ્રોપેલર વિમાન બુધવારે વેનેઝુએલાની સરહદ નજીકના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા.

કોલંબિયાના સરહદી શહેર કુકુટાથી વિમાને ઉડાન ભરી હતી અને બપોરે (1700 GMT) નજીકના ઓકાનામાં લેન્ડિંગ પહેલાં જ એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. 13 મુસાફરો અને બે ક્રૂ સભ્યો ધરાવતી આ ફ્લાઇટ 23 મિનિટની મુસાફરી હતી અને તેનું સંચાલન કોલંબિયાની સરકારી એરલાઇન, સેટેના દ્વારા કરવામાં આવ્યું હતું.

તમામના મોત- ઉડ્ડયન મંત્રી
એવિએશન સત્તામંડળના એક અધિકારીએ AFP ને જણાવ્યું, “કોઈ બચ્યું નથી.” તેમણે ઉમેર્યું કે દુર્ઘટનાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. સરકારે આ વિસ્તાર શોધવા માટે હવાઈ દળ મોકલ્યું છે.

અકસ્માત સ્થળ એન્ડીઝની પૂર્વ શ્રેણીમાં એક ખડકાળ, ગીચ જંગલવાળો વિસ્તાર છે, જ્યાં હવામાન ઝડપથી વધઘટ થાય છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગો કોલંબિયાના સૌથી મોટા ગેરિલા જૂથ, નેશનલ લિબરેશન આર્મી દ્વારા નિયંત્રિત છે, જે તેના સ્પેનિશ નામ, ELN દ્વારા વધુ જાણીતું છે.

મૃતકોમાં સંસદ સભ્ય
સ્થાનિક સમાચાર મેગેઝિન સેમાના સાથે વાત કરતા, ઉત્તરી સેન્ટેન્ડર રાજ્યના ગવર્નર વિલિયમ વિલામિઝારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળી આવ્યા છે. કોલંબિયાના સંસદ સભ્ય અને એક વિધાનસભા ઉમેદવાર વિમાનમાં સવાર હતા.