Home Blog Page 2

રક્ષાબંધન આવતા જ આ કહાની કરે છે ભાવુક, ભાઈ બન્યા મુખ્યમંત્રી તો બહેને પસંદ કર્યું સામાન્ય જીવન!

0

રક્ષાબંધન આવે એટલે ભાઈની કાંડા પર રાખડી બાંધવાની ખુશી દરેક બહેનના મનમાં જાગે છે. પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સગી બહેન શશી પયાલ માટે આ તહેવાર એક જૂની યાદ પણ લઈને આવે છે. વર્ષોથી તે ભાઈને રાખડી મોકલે છે, પરંતુ પોતાના હાથથી રાખડી બાંધવાનો અવસર તેમને મળ્યો નથી. રિપોર્ટ્સ અનુસાર, યોગીએ સંન્યાસ લીધા બાદ 1994 પછી શશીએ તેમના કાંડા પર રાખડી બાંધી નથી.

યોગી આદિત્યનાથનો જન્મ ઉત્તરાખંડના પૌડી ગઢવાલના પંચુર ગામમાં થયો હતો. સાત ભાઈ-બહેનોમાં શશી પયાલ પણ છે. પરિવારિક જીવનથી દૂર થઈને યોગીએ સંન્યાસનો માર્ગ અપનાવ્યો અને ત્યાર બાદ પરિવાર સાથેની મુલાકાતો ઘણી ઓછી થઈ ગઈ. શશીએ અલગ-અલગ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે દર વર્ષે રક્ષાબંધન પર ભાઈને રાખડી મોકલે છે, પરંતુ પોતાના હાથથી રાખડી ક્યારે બાંધી હતી તે યાદ પણ મુશ્કેલ છે.

શશીના જીવનની બીજી ખાસ વાત એ છે કે ભાઈ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી હોવા છતાં તેમનું જીવન આજે પણ સાદગીભર્યું છે. ઉત્તરાખંડના પૌડી ગઢવાલ વિસ્તારની પાસે તેઓ ચા-નાસ્તા અને પ્રસાદની દુકાન ચલાવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, દુકાનમાં ચા, પકોડા અને અન્ય ખાણીપીણીની વસ્તુઓ સાથે પ્રસાદ પણ મળે છે. પરિવારની આવક માટે આ નાનકડી દુકાન મહત્વનો આધાર છે.

એક સમયે શશીએ કહ્યું હતું કે યોગી મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમના જીવનમાં ખાસ કોઈ બદલાવ આવ્યો નથી. તેઓ પોતાના ભાઈ પાસેથી વ્યક્તિગત લાભની અપેક્ષા રાખતી નથી, પરંતુ પહાડના લોકો માટે સારા કામની આશા વ્યક્ત કરી ચૂકી છે.

યોગી આદિત્યનાથે પણ વર્ષોથી રાખડી ન બાંધવા અંગે પૂછાયેલા સવાલ પર કહ્યું હતું કે આ જીવનનો એક સ્વાભાવિક ભાગ છે અને આવી બાબતોને વ્યક્તિગત સ્મૃતિ તરીકે જ રાખવી જોઈએ. આથી યોગી અને શશીની કહાનીમાં રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ સંન્યાસ બાદ પણ જીવંત રહેલા ભાઈ-બહેનના સંબંધની એક ભાવુક કડી છે.

7000 વર્ષ જૂનું કહેવાતું સુરતનું આ શિવધામ! શ્રાવણના બીજા સોમવારે જાણો આ પ્રાચીન મહાદેવ મંદિરની કથા

શ્રાવણનો બીજો સોમવાર એટલે મહાદેવની ભક્તિનો ખાસ પવિત્ર અવસર અને આ અવસરે સુરતમાં આવેલા એવા પ્રાચીન શિવધામની કથા જાણવી રસપ્રદ છે, જેના નામ સાથે આખા કતારગામ વિસ્તારની ઓળખ જોડાયેલી હોવાની માન્યતા છે. કંતારેશ્વર મહાદેવ મંદિરને સ્થાનિક પરંપરામાં હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે અને તેના શિવલિંગના અનોખા આકારથી લઈને સૂર્યકુંડ સુધી અનેક ધાર્મિક લોકવાયકાઓ આજે પણ અહીં જીવંત છે.

કતારગામમાં આવેલું કંતારેશ્વર મહાદેવ મંદિર સુરતના પ્રાચીન શિવાલયોમાંનું એક માનવામાં આવે છે. ગુજરાતી વિશ્વકોશમાં પણ કતારગામના પ્રાચીન કંટલેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ મળે છે અને શ્રાવણ માસમાં અહીં મેળો ભરાતો હોવાનું નોંધાયું છે.

કંતારેશ્વર નામ પાછળની કથા

સ્થાનિક લોકમાન્યતા અનુસાર, અહીં અગાઉ મોટું જંગલ અને કાંટાવાળી ઝાડીઓનો વિસ્તાર હતો. ‘કાંતાર’ સાથે જોડાયેલી આ ઓળખમાંથી આગળ જતાં કતારગામ નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે.

મંદિર સાથે જોડાયેલી બીજી પ્રસિદ્ધ કથામાં એક ગાય શિવલિંગ પર દૂધની ધારા વહાવતી હોવાનો ઉલ્લેખ મળે છે. ગાયનો પગ શિવલિંગને અડતાં તેની ખરી જેવો આકાર પડ્યો હોવાની લોકવાયકા છે.

આ ઉપરાંત કપિલ મુનિ, સૂર્યનારાયણ અને ભગવાન શિવ સાથે જોડાયેલી કથાઓ પણ કંતારેશ્વર મહાદેવના મહાત્મ્યનો ભાગ છે. મંદિર પરિસરમાં આવેલું સૂર્યકુંડ પણ આ પૌરાણિક પરંપરાઓ સાથે જોડાય છે.

કંતારેશ્વર મહાદેવ સાથે કપિલ મુનિ અને સૂર્યનારાયણની લોકકથા પણ જોડાયેલી છે. માન્યતા મુજબ પ્રાચીન કાળમાં કાંટાવાળી ઝાડીઓવાળા આ વિસ્તારમાં કપિલ મુનિએ આશ્રમ બનાવી સૂર્યદેવની આરાધના કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થયેલા સૂર્યદેવે અહીં પોતાનું તેજ પ્રગટ કર્યું અને તેમાંથી શિવલિંગ પ્રગટ થયું હોવાની માન્યતા છે.

મંદિર સાથે ભગવાન રામની પણ લોકકથા જોડાયેલી છે. કહેવાય છે કે વનવાસ દરમિયાન રામ અહીં આવ્યા ત્યારે ઋષિઓ માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે રામે ધરતીમાં બાણ મારી જળધારા પ્રગટ કરી હતી. આગળ જઈને આ સ્થળે કુંડ બનાવાયું, જે સૂર્યકુંડ તરીકે ઓળખાય છે. આ કથાઓ ધાર્મિક લોકમાન્યતાઓ પર આધારિત છે.

કંતારેશ્વર મહાદેવ વિશેની કેટલીક સ્થાનિક લોકવાયકાઓમાં મહાભારતકાળ સાથે પણ તેનો સંબંધ દર્શાવવામાં આવે છે. માન્યતા મુજબ વનવાસ દરમિયાન પાંડવો આ વિસ્તારમાં આવ્યા હતા અને અહીં ભગવાન શિવની આરાધના કરી હતી.

આ શ્રાવણના બીજા સોમવારે એટલે કે 24 ઓગસ્ટ 2026, મહાદેવની ભક્તિ સાથે સુરતના આ પ્રાચીન શિવધામની ગાથા પણ શ્રદ્ધાળુઓ માટે ખાસ આકર્ષણ બની રહી છે.

Central Bank of India, Surat Region Organizes All-India Retail Credit Camp

0

Surat, August 21, 2026:

Central Bank of India, Surat Region, organized a grand Retail Credit Camp at Pioneer Viona, Surat, on August 21, 2026, as part of the bank’s All-India Retail Credit Campaign.

The programme was chaired by Mr. Nishant Kumar Ranjan, Regional Head, Central Bank of India, Surat Region. Representatives from the Pioneer Viona project, including Mr. Mahendra Ji, along with Branch Managers and bank officials from various branches of Central Bank of India, valued customers and a large number of prospective homebuyers were present at the event.

During the Retail Credit Campaign conducted by the Surat Region over the past month, the bank achieved a significant milestone by sanctioning retail loan proposals worth approximately ₹50 crore. In addition, potential loan leads worth around ₹80–90 crore were generated, reflecting the growing confidence and enthusiasm of customers towards retail credit in the region.

During the camp, bank officials informed customers about attractive home loan interest rates and financing facilities. The bank highlighted the availability of home loans at an attractive interest rate of 7.00%. It was also informed that, in eligible cases, the bank is providing financing of up to 90% of the project cost.

These facilities are providing prospective homebuyers with better and more convenient financial options to purchase their dream homes.

On the occasion, Sanction Letters were also handed over to customers whose loan proposals had been approved.

Speaking on the occasion, Mr. Nishant Kumar Ranjan, Regional Head, Central Bank of India, Surat Region, said that the bank’s objective is to provide customers with simple, transparent and customer-centric loan facilities for their housing and other financial requirements. He added that through initiatives such as Retail Credit Camps, the bank is committed to directly reaching customers, understanding their requirements and providing suitable financial solutions.

The enthusiastic participation of prospective customers, distribution of loan sanction letters and attractive home loan facilities offered by the bank highlighted the strong potential for retail credit in the Surat region.

Central Bank of India, Surat Region, will continue to focus on organizing such customer-centric programmes in the future, keeping the evolving needs of customers in mind.

— Central Bank of India, Surat Region

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, સુરત રિજને યોજ્યો અખિલ ભારતીય રિટેલ ક્રેડિટ કેમ્પ

0

સુરત, 21 ઓગસ્ટ 2026:

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, સુરત રિજને અખિલ ભારતીય સ્તરે ચાલી રહેલા રિટેલ ક્રેડિટ અભિયાન અંતર્ગત 21 ઓગસ્ટ 2026ના રોજ પાયોનિયર વિયોના, સુરત ખાતે ભવ્ય રિટેલ ક્રેડિટ કેમ્પનું આયોજન કર્યું હતું.

કાર્યક્રમની અધ્યક્ષતા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, સુરત રિજના રિજનલ હેડ શ્રી નિશાંત કુમાર રંજને કરી હતી. કાર્યક્રમમાં પાયોનિયર વિયોના પ્રોજેક્ટ તરફથી શ્રી મહેન્દ્રજી સહિત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની વિવિધ શાખાઓના શાખા પ્રબંધકો, બેંક અધિકારીઓ, પ્રતિષ્ઠિત ગ્રાહકો તેમજ મોટી સંખ્યામાં સંભવિત હોમ બાયર્સ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત રિજને છેલ્લા એક મહિનાથી ચલાવેલા રિટેલ ક્રેડિટ અભિયાન દરમિયાન નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. બેંકે આશરે ₹50 કરોડના રિટેલ લોન પ્રસ્તાવોને મંજૂરી આપી છે. આ ઉપરાંત આશરે ₹80થી ₹90 કરોડની સંભવિત લોન લીડ્સ પણ પ્રાપ્ત થઈ છે, જે વિસ્તારમાં રિટેલ ક્રેડિટ પ્રત્યે ગ્રાહકોનો વધતો વિશ્વાસ અને ઉત્સાહ દર્શાવે છે.

કેમ્પ દરમિયાન બેંક અધિકારીઓએ ગ્રાહકોને ખાસ કરીને હોમ લોનની આકર્ષક વ્યાજદર અને ધિરાણ સુવિધાઓ અંગે માહિતી આપી હતી. બેંક દ્વારા 7.00%ના વ્યાજદરે હોમ લોન ઉપલબ્ધ કરાવવામાં આવતી હોવાની માહિતી આપવામાં આવી હતી. સાથે જ પાત્ર અરજીઓમાં પ્રોજેક્ટ ખર્ચના 90% સુધીનું ધિરાણ બેંક દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું હતું.

આ સુવિધાઓના કારણે સંભવિત હોમ બાયર્સને પોતાના સપનાનું ઘર ખરીદવા માટે વધુ સારા અને સરળ નાણાકીય વિકલ્પો ઉપલબ્ધ થઈ રહ્યા છે.

આ પ્રસંગે બેંક દ્વારા જેમના લોન પ્રસ્તાવ મંજૂર થયા હતા તેવા ગ્રાહકોને લોન મંજૂરી પત્રો (Sanction Letters) પણ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, સુરત રિજના રિજનલ હેડ શ્રી નિશાંત કુમાર રંજને જણાવ્યું હતું કે બેંકનો ઉદ્દેશ ગ્રાહકોને તેમની આવાસ અને અન્ય નાણાકીય જરૂરિયાતો માટે સરળ, પારદર્શક અને ગ્રાહકકેન્દ્રિત લોન સુવિધાઓ પૂરી પાડવાનો છે. તેમણે જણાવ્યું હતું કે રિટેલ ક્રેડિટ કેમ્પ જેવા કાર્યક્રમોના માધ્યમથી બેંક ગ્રાહકો સુધી સીધી પહોંચીને તેમની જરૂરિયાતોને સમજવા અને તેમને યોગ્ય નાણાકીય ઉકેલ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે.

કેમ્પમાં સંભવિત ગ્રાહકોની ઉત્સાહભરી ભાગીદારી, લોન મંજૂરી પત્રોનું વિતરણ તેમજ બેંક દ્વારા આપવામાં આવતી આકર્ષક હોમ લોન સુવિધાઓએ સુરત વિસ્તારમાં રિટેલ ક્રેડિટની મજબૂત સંભાવનાઓને ઉજાગર કરી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, સુરત રિજને આગામી સમયમાં પણ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવા ગ્રાહકકેન્દ્રિત કાર્યક્રમોના આયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

— સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, સુરત રીજન

Gen Z સુધી પહોંચવા ભાજપની નવી ટીમ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આ નેતાઓને મોટી જવાબદારી

0

યુવા મતદારો સુધી પહોંચવાની ભાજપની રણનીતિ હવે વધુ સીધી અને સંગઠિત બનતી જોવા મળી રહી છે. પાર્ટીએ દેશભરના Gen Z એટલે કે નવી પેઢીના યુવાનો સાથે સતત સંવાદ વધારવા માટે ખાસ Outreach Teamની રચના કરી છે. આ ટીમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક જાણીતા નેતાઓને સ્થાન મળ્યું છે.

ભાજપ દ્વારા રચવામાં આવેલી આ ટીમમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ઉપરાંત રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢના મંત્રી ઓ.પી. ચૌધરીને પણ જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, ટીમનો મુખ્ય હેતુ યુવાનોના પ્રશ્નો, વિચારો અને અપેક્ષાઓને સમજવા માટે તેમના સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો છે.

આ Outreach Programme હેઠળ દેશના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને ખાસ કરીને Gen Z સાથે સંવાદ કાર્યક્રમો યોજવાની તૈયારી છે. યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચ વધારવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાર્ટી દ્વારા આ અભિયાન નજીકના સમયમાં શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ નિર્ણય ભાજપની તાજેતરની સંગઠનાત્મક ફેરબદલી બાદ આવ્યો છે. 17 ઓગસ્ટે નીતિન નબીનના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સ્મૃતિ ઈરાની સહિત અનેક નેતાઓને નવી જવાબદારીઓ આપવામાં આવી હતી.

રેસ્ટોરન્ટમાં સડેલું કે અસુરક્ષિત ખાવાનું પીરસ્યું તો શું થશે? FSSAIના નિયમો અને સજાની સંપૂર્ણ માહિતી

હાલમાં થયેલી ઘટનાઓ એ સવાલ ઊભો કર્યો છે કે રેસ્ટોરન્ટમાં અસુરક્ષિત ખાવાનું પીરસો તો કાયદો કેટલો કડક છે? રેસ્ટોરન્ટમાં પૈસા ચૂકવીને લીધેલું ભોજન જો સડેલું, દૂષિત કે આરોગ્ય માટે જોખમી નીકળે તો વાત માત્ર ખરાબ અનુભવ પૂરતી રહેતી નથી. ખોરાકની સ્થિતિ અને તેના પરિણામોના આધારે રેસ્ટોરન્ટ સંચાલક સામે Food Safety and Standards Act, 2006 હેઠળ દંડથી લઈને જેલ અને વળતર સુધીની કાર્યવાહી થઈ શકે છે.

કાયદા મુજબ નિર્ધારિત ગુણવત્તા ધોરણો પૂર્ણ ન કરતું Sub-standard Food હોય તો Section 51 હેઠળ ₹5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે અસ્વચ્છ અથવા અસ્વાસ્થ્યપ્રદ રીતે ખોરાક બનાવવો કે પ્રોસેસ કરવો Section 56 હેઠળ આવે છે, જેમાં ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

સૌથી ગંભીર સ્થિતિ Unsafe Foodની છે. Section 59 મુજબ ઈજા ન થાય તો 3 મહિના સુધીની જેલ અને ₹3 લાખ સુધીનો દંડ, સામાન્ય ઈજામાં 1 વર્ષ સુધીની જેલ અને ₹3 લાખ સુધીનો દંડ, ગંભીર ઈજામાં 6 વર્ષ સુધીની જેલ અને ₹5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછા 7 વર્ષની જેલથી આજીવન કેદ અને ઓછામાં ઓછો ₹10 લાખનો દંડ થઈ શકે છે.

આ ઉપરાંત Section 65 હેઠળ મૃત્યુ થાય તો ઓછામાં ઓછું ₹5 લાખ વળતર, ગંભીર ઈજામાં ₹3 લાખ સુધી અને અન્ય ઈજામાં ₹1 લાખ સુધી વળતરનો આદેશ થઈ શકે છે.

ગ્રાહક ખરાબ ખોરાકની ફરિયાદ FSSAI Food Safety Connect મારફતે કરી શકે છે. ફરિયાદ સાથે બિલ, ફોટો અથવા અન્ય પુરાવા જોડવાની સુવિધા છે અને ફરિયાદની સ્થિતિ ઓનલાઇન ટ્રેક પણ કરી શકાય છે.

રાણા સમાજ મહિલા ફોરમની અનોખી પહેલ, ‘ઉડાન-2026’માં વિવિધ વસ્તુઓનું પ્રદર્શન-વેચાણ

સુરત રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા સમાજની બહેનોને આત્મનિર્ભર બનાવવા અને તેમને રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી સતત સાતમા વર્ષે ‘ઉડાન-2026’ એક્ઝિબિશન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના રૂસ્તમપુરા સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે 21, 22 અને 23 ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ ત્રણ દિવસીય એક્ઝિબિશનનું શુક્રવારે શ્રી સિદ્ધિ વિનાયક જેમ્સ એન્ડ જ્વેલર્સ, મુંબઈના માલિક શ્રી રાજેશભાઈ ઝવેરી અને શ્રીમતી મીનાક્ષીબેન રાજેશભાઈ ઝવેરીના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન પ્રસંગે શ્રી અખિલ ભારત રાણા સમાજના પ્રમુખ શ્રી દીપકભાઈ કાશીરામભાઈ રાણા, મહામંત્રી શ્રી નવીનભાઈ ચપડિયા, શ્રી સુધાકરભાઈ માસ્તર, શ્રી નવીનભાઈ જરીવાલા, શ્રી બીપીનભાઈ જરીવાલા, ડો. કિશાન એન્જિનિયર, શ્રી હિતેન્દ્રભાઈ એમ. રાણા, શ્રીમતી રેશ્માબેન લાપસીવાલા, SMC સાંસ્કૃતિક સમિતિના ચેરમેન શ્રી રાજેશભાઈ એન. રાણા, કોર્પોરેટર શ્રી સંદિપભાઈ ચલકવાલા, કોર્પોરેટર શ્રીમતી અનિતાબેન રાણા, શ્રી નરેશભાઈ એમ. રાણા, શ્રીમતી લત્તાબેન વી. રાણા, ઉદ્યોગપતિ શ્રી વિજયભાઈ એ. જરીવાલા, એડવોકેટ શ્રી વિજયભાઈ જરીવાલા, શ્રી અનયભાઈ જરીવાલા, શ્રીમતી નીતિલાબેન આર. ચપડિયા, ધૃતિ આકાશ જરીવાલા, સુરત રાણા સમાજ મહિલા ફોરમના પ્રમુખ શ્રીમતી ચંપાકલીબેન જરીવાલા સહિત રાણા સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ એક્ઝિબિશનમાં રાણા સમાજની બહેનો દ્વારા કુલ 47 જેટલા સ્ટોલનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફૂડ સ્ટોલ ઉપરાંત સાડી, સેલા, હેન્ડમેડ જ્વેલરી, સિલ્વર અને ગોલ્ડન જ્વેલરી, વિવિધ ફેબ્રિક તથા પેન્ટના કપડાં, બીડ વર્ક પર્સ, રાધા-કૃષ્ણના વાઘા અને રમકડાં, ક્રોશેટ આઇટમ્સ, પ્રેસ-ઓન નેઇલ્સ, હેન્ડમેડ રાખડીઓ, વેસ્ટર્ન આઉટફિટ્સ સહિત વિવિધ પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.

સમાજની બહેનોને પોતાની પ્રતિભા અને વ્યવસાયિક કુશળતા રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળે તેમજ તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશનના પ્રથમ દિવસે જ સુરત શહેરના અનેક લોકોએ મુલાકાત લઈ વિવિધ વસ્તુઓની ખરીદી સાથે વિવિધ વાનગીઓની પણ મજા માણી હતી.

સુરત શહેરની જનતાને આ ત્રણ દિવસીય ‘ઉડાન-2026’ એક્ઝિબિશનની અવશ્ય મુલાકાત લઈ સમાજની બહેનોના આત્મનિર્ભરતાના પ્રયાસને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.

Video: ‘દર્દીને ઇમરજન્સીમાં દાખલ કરો’ કહેતાં મહિલા ડૉક્ટરને લાફો? રાજકોટ સિવિલમાં હોબાળો

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીનો જીવ બચાવવા માટેની સારવાર અંગેનો વિવાદ એટલો વણસ્યો કે વાત કથિત મારામારી સુધી પહોંચી ગઈ હતી. ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતી 26 વર્ષીય મહિલા રેસિડેન્ટ ડૉક્ટરે સિનિયર તબીબ પર ગાળો આપવા, થપ્પડ મારવા અને ધમકી આપવાનો આરોપ લગાવતા હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાના પગલે જુનિયર ડૉક્ટરો વિરોધમાં હડતાળ પર ઉતર્યા હતા.

ફરિયાદ મુજબ, 20 ઓગસ્ટની સાંજે આશરે 7:30થી 7:45 દરમિયાન એક વૃદ્ધ મહિલા દર્દીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. દર્દીને વેન્ટિલેટર સપોર્ટની જરૂર હોવાનું જણાવતાં રેસિડેન્ટ ડૉક્ટર કૃષા સિંગાલાએ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવાની રજૂઆત કરી હતી. આરોપ છે કે સિનિયર મેડિકલ ઓફિસર ડૉ. અશ્વિન રામાણીએ દર્દીને જનરલ વોર્ડમાં ખસેડવાનું કહ્યું હતું. આ મુદ્દે ફરી ચર્ચા થતાં બંને વચ્ચે બોલાચાલી થઈ અને રામાણીએ કથિત રીતે ગાળો આપી થપ્પડ મારી હતી. ઘટના સીસીટીવીમાં કેદ થયાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

પ્રદ્યુમ્નનગર પોલીસે ડૉ. રામાણી સામે BNSની કલમ 115(2), 352 અને 351(2) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસને નોન-કોગ્નિઝેબલ ગણાવી ડૉ. રામાણીને મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન મળ્યા હોવાનું અહેવાલો માં જાણવા મળી રહ્યું છે.

ઘટના બાદ જુનિયર ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા હતા. હોસ્પિટલ પ્રશાસને બેઠક યોજી કાર્યવાહીનો વિશ્વાસ આપ્યો હતો. બાદમાં આરોગ્ય વિભાગે ડૉ. રામાણીની બદલીનો આદેશ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

23 કે 24 ઓગસ્ટ ક્યારે છે પુત્રદા એકાદશીનું વ્રત? શા માટે રાખવામાં આવે છે? જાણો શાસ્ત્રોમાં શું કહેવાયું છે

આ વર્ષે એકાદશી તિથિ બે તારીખને સ્પર્શતી હોવાથી લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. પંચાંગ મુજબ શ્રાવણ સુદ એકાદશી 23 ઓગસ્ટ 2026, રવિવારે છે. જોકે વૈષ્ણવ પરંપરામાં 24 ઓગસ્ટ, સોમવારે પણ આ એકાદશીનું પાલન કરવામાં આવે છે. ગુજરાતના ગુજરાતી પંચાંગમાં પણ 23 ઓગસ્ટે પુત્રદા એકાદશી અને 24 ઓગસ્ટે વૈષ્ણવ પુત્રદા એકાદશી દર્શાવવામાં આવી છે.

એકાદશી તિથિ ક્યારે શરૂ અને પૂર્ણ થશે?

પંચાંગ ગણતરી મુજબ એકાદશી તિથિ 23 ઓગસ્ટે સવારે 2:00 વાગ્યે શરૂ થશે અને 24 ઓગસ્ટે સવારે 4:18 વાગ્યે પૂર્ણ થશે. સામાન્ય ગૃહસ્થ પરંપરા મુજબ 23 ઓગસ્ટે વ્રત રાખવામાં આવે છે. વૈષ્ણવ પરંપરામાં 24 ઓગસ્ટે વ્રત પાલન જોવા મળે છે.

પુત્રદા એકાદશીનું મહત્વ શું છે?

પુત્રદા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને વર્ષમાં બે વખત આવે છે—પોષ મહિનામાં અને શ્રાવણ મહિનામાં. ‘પુત્રદા’નો પરંપરાગત અર્થ પુત્રપ્રાપ્તિ સાથે જોડાય છે. પદ્મ પુરાણની કથામાં રાજા સુકેતુમાન સંતાન ન હોવાથી દુઃખી હતા અને તેમણે આ વ્રતનું પાલન કર્યું હોવાનું વર્ણન મળે છે.

વ્રતમાં શું કરવામાં આવે છે?

ભક્તો સ્નાન બાદ ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે. તુલસી, ફૂલ અને ફળ અર્પણ કરી વિષ્ણુ સ્મરણ, મંત્રજાપ અને કથા શ્રવણ કરવાની પરંપરા છે. સંતાનસુખની કામના રાખતા દંપતી પણ આ વ્રત કરે છે. ઉપવાસની રીત વ્યક્તિની પરંપરા અને ક્ષમતા પ્રમાણે રાખી શકાય છે.

શું મળે છે ફળ?

ધાર્મિક માન્યતા મુજબ પુત્રદા એકાદશીનું વ્રત સંતાનસુખ, પરિવારની સુખ-શાંતિ અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે શુભ માનવામાં આવે છે. પાપક્ષય અને આધ્યાત્મિક કલ્યાણ સાથે જોડાયેલી માન્યતાઓ પણ પ્રચલિત છે. જોકે આ ફળો ધાર્મિક માન્યતાઓ છે.

નિષ્કર્ષ: 2026માં સામાન્ય રીતે પુત્રદા એકાદશીનું વ્રત 23 ઓગસ્ટે રહેશે, જ્યારે વૈષ્ણવ પરંપરામાં 24 ઓગસ્ટનું પાલન જોવા મળે છે. તમારા સ્થાનિક પંચાંગ અથવા સંપ્રદાયની પરંપરા પ્રમાણે અંતિમ નિર્ણય લેવો યોગ્ય રહેશે.

લાંચ માંગનારાઓની ફરિયાદો માટે બની હતી આ સાઇટ, 48 કલાકમાં જ થયું એવું કે કરવી પડી બંધ

લાંચ માંગનારા અધિકારીઓ સામે લોકોનો અવાજ એકઠો કરવા બનાવાયેલી એક વેબસાઇટે લોન્ચ થયા બાદ માત્ર 48 કલાકમાં જ ધમાકેદાર પ્રતિસાદ મેળવ્યો હતો. Bribes.fyi નામના આ પ્લેટફોર્મ પર 50 લાખથી વધુ રિક્વેસ્ટ આવી અને આશરે 2 લાખ નવા યુઝર્સ જોડાયા હતા. જોકે, આટલી ઝડપથી લોકપ્રિય બનેલી વેબસાઇટ થોડા જ સમયમાં અચાનક ઓફલાઇન થઈ ગઈ હતી.

દિલ્હીના 20 વર્ષીય B.Tech વિદ્યાર્થી આર્યન નિષાદે આ પ્લેટફોર્મ સાઇડ પ્રોજેક્ટ તરીકે બનાવ્યું હતું. અહીં લોકો સરકારી કચેરીમાં કથિત રીતે માંગવામાં આવેલી લાંચ અંગે અનામી રીતે માહિતી નોંધાવી શકતા હતા. વેબસાઇટ પર પોલીસ, RTO, રેવન્યુ, જમીન રેકોર્ડ અને પાસપોર્ટ વિભાગ જેવી સેવાઓ અંગે ફરિયાદો નોંધાઈ હતી.

17 ઓગસ્ટ સુધી પ્લેટફોર્મ પર 250થી વધુ શહેરોમાં 600થી વધુ રિપોર્ટ્સ નોંધાયા હોવાનું અહેવાલોમાં જણાવામાં આવી રહ્યું જેમાં આશરે 37 ટકા નોંધોમાં યુઝર્સે જણાવ્યું હતું કે તેમણે લાંચ આપવાનો ઇનકાર કર્યો છતાં તેમનું કામ થઈ ગયું હતું. જોકે, આ આંકડા યુઝર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી હતી અને સત્તાવાર રીતે ચકાસાયેલા કેસ નહોતા.

વધતા ટ્રાફિક, સ્પામ, ડુપ્લિકેટ એન્ટ્રીઓ, ડેટા સુરક્ષા અને દુરુપયોગની શક્યતાઓને કારણે ટીમે વેબસાઇટ પોતાની મરજીથી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે સ્વીકાર્યું કે આટલી મોટી સંખ્યામાં મળતી માહિતી સુરક્ષિત રીતે સંભાળવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નહોતું.

આ મામલે કાનૂની સવાલો પણ ઊભા થયા હતા. Prevention of Corruption Actની કલમ 8 હેઠળ જાહેર સેવકને અયોગ્ય લાભ આપવો અથવા આપવાનું વચન આપવું ગુનો છે. કાયદામાં મજબૂરીથી લાંચ આપનાર વ્યક્તિએ સાત દિવસમાં સંબંધિત સત્તાધિકારીને જાણ કરે તો અપવાદની જોગવાઈ છે. કાયદા નિષ્ણાતોના મતે જાહેર વેબસાઇટ પર પોતાની લાંચની કબૂલાત કરવી વ્યક્તિ માટે અલગ કાનૂની જોખમ ઊભું કરી શકે છે.