Home Blog Page 185

જર્સીમાં જાતીય શોષણ સહિતના આરોપોમાં ભારતીય નાગરિકની ધરપકડ

ન્યુ જર્સીમાં યુએસ ઇમિગ્રેશન અધિકારીઓએ વોડેલા યશસ્વી કોટ્ટાપલ્લી તરીકે ઓળખાતા ભારતીય નાગરિકની 13 વર્ષથી ઓછી ઉંમરના બાળક પર કથિત જાતીય હુમલો, તેમજ દુકાનમાં ચોરી અને જાહેર અવ્યવસ્થાના ગુનાઓ સહિતના અનેક બાકી આરોપોમાં અટકાયત કરી છે.

યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અનુસાર, કોટ્ટાપલ્લી હાલમાં કસ્ટડીમાં છે અને યુએસ ઇમિગ્રેશન કાયદા હેઠળ દેશનિકાલની કાર્યવાહી સુધી તેને અટકાયતમાં રાખવામાં આવશે. અધિકારીઓએ તેને જાતીય હુમલો અને ચોરી સંબંધિત ન્યુ જર્સી રાજ્યમાં સક્રિય આરોપો સાથે ગુનેગાર ગેરકાયદેસર વિદેશી તરીકે વર્ણવ્યો હતો.

ICE એ જણાવ્યું હતું કે ઇમિગ્રેશન અધિકારીઓ દેશનિકાલની કાર્યવાહી ચાલુ રાખશે ત્યાં સુધી તેને કેદમાં રાખવામાં આવશે.

આ અટકાયત એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ભારતીય નાગરિકોના દેશનિકાલમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અહેવાલો દર્શાવે છે કે ફક્ત 2025 માં 3,258 ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જે 2009 પછીનો સૌથી વધુ આંકડો છે.

ફોજદારી કેસમાં કોર્ટ કાર્યવાહી અંગે વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

વૈશ્વિક માંગ ઘટતા સોના-ચાંદીમાં ભારે ઘટાડો, ચાંદી રૂ.10,000 અને સોનું રૂ.3,000 ઘટ્યું

વૈશ્ર્વિક ડીમાન્ડમાં ઘટાડા અને સોના ચાંદીના ભાવ હજુ વધુ ઘટી શકે છે તેવા રિપોર્ટના આધારે ચાંદીમાં આજે ગઈકાલના બંધથી રૂા.10,000 નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સોનામાં પણ ગઈકાલનાં બંધથી રૂા. 3000નો ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે એમસીએકસમાં ચાંદીનો બંધ ભાવ 2,39,891 પર જોવા મળ્યો હતો. જે આજે એક સમયે ઘટીને 2,29,300 સુધી પહોંચતાં રૂા.10,000નો ઘટાડો નોંધાયો હતો. જો કે બપોર બાદ થોડી રીકવરી થઈ હતી અને હાલ ચાંદી 234210 પર જોવા મળી છે. એટલે કે અત્યારે હજુ રૂા.5500 ચાંદી ઘટેલી છે.

બીજી બાજુ સોનામાં પણ નરમાઈ જોવા મળી છે. ગઈકાલે 1,54,760 પર સોનુ બંધ આવ્યું હતું. જ્યારે આજે સોનુ ઘટીને 1,51,244 સુધી પહોંચ્યું હતું. એટલે કે લગભગ રૂા.3500 જેટલો દિવસ દરમ્યાન ઘટાડો નોંધાયો છે. હાલ 152950 પર પહોંચ્યો છે. બપોરના ત્રણ વાગ્યે સોનુ ગઈકાલ કરતાં રૂા.2000નો ઘટાડો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ ઘટીને 4924 ડોલર પર આવી ગયું છે. જ્યારે ચાંદી 74.80 ડોલર પર જોવા મળે છે, રાજકોટમાં સોનાનો ભાવ 156930 પર જોવા મળ્યો છે.

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા

બોલિવૂડ ઉદ્યોગના પ્રખ્યાત લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાન અચાનક બીમાર પડી ગયા છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાના પિતાના સ્વાસ્થ્ય વિશે વધુ અપડેટની રાહ જોવાઈ રહી છે. જોકે, આજે સવારે સલમાન ખાન હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. “બેટલ ઓફ ગલવાન” ના શૂટિંગમાં વ્યસ્ત અભિનેતાને કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. હોસ્પિટલની બહારથી સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તેમના ચાહકો ચિંતિત થઈ ગયા હતા. લોકો અભિનેતાના પિતાના સારા સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.

સલમાનના પિતા સલીમ ખાન 90 વર્ષના છે. ખાન પરિવારે હજુ સુધી તેમના બગડતા સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી જાહેર કરી નથી. ખુદ સલમાન ખાને પણ હોસ્પિટલની બહાર મીડિયા સાથે વાત કરી નથી. તે સ્પષ્ટ નથી કે સલીમ ખાનને કોઈ તકલીફ છે કે તેઓ ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા છે. જોકે, સલમાન સહિત પરિવારના અન્ય સભ્યો હજુ સુધી હોસ્પિટલમાં જોવા મળ્યા નથી.

ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સલમાન ખાન કાળી ટી-શર્ટ પહેરીને હોસ્પિટલ છોડી રહ્યો છે. કડક સુરક્ષા વચ્ચે તેમની કાર રવાના થઈ. જોકે, અભિનેતાના ચહેરા પર તણાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. તેમની સાથે જોવા મળતા ઘણા લોકો બેટલ ઓફ ગલવાન ટી-શર્ટ પહેરેલા હતા. એક નવા વીડિયોમાં, અતુલ અગ્નિહોત્રી પણ લીલાવતી હોસ્પિટલમાં પહોંચતા જોવા મળે છે. એક નિર્માતા અને સલમાનની બહેન, અલવીરા ખાનના પતિ, પણ જાણીતા છે. સલમાન ખાન ક્યારે હોસ્પિટલમાં પહોંચ્યો તે જાણી શકાયું નથી, પરંતુ તેમને ત્યાંથી જતા જોવામાં આવ્યા હતા. હકીકતમાં, 60 વર્ષની ઉંમરે, સલમાન ખાન અપરિણીત રહે છે. તે તેના માતાપિતા સાથે રહે છે અને તેમની સંભાળ રાખે છે.

પાકિસ્તામાં આત્મઘાતી હુમલો, ભારત પર આરોપ

0

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સોમવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 સેનાના જવાનો માર્યા ગયા. આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં એક સેના ચેકપોસ્ટ પર થયો હતો. એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી કાર ચેકપોસ્ટ સાથે અથડાવી દીધી હતી, જેમાં ત્યાં હાજર 11 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

મંગળવારે પાકિસ્તાની સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાજૌર જિલ્લામાં સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓની સંયુક્ત ચેકપોસ્ટ પર 16 ફેબ્રુઆરીએ હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ આ હુમલા માટે તહરીક-એ-તાલિબાન (TTP) ને જવાબદાર ઠેરવી છે. પાકિસ્તાની સેનાએ આરોપ લગાવ્યો છે કે TTP એ ભારતની મદદથી આ હુમલો કર્યો છે.

પાકિસ્તાની સૈન્યએ દાવો કર્યો હતો કે હુમલા બાદ સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો હતો, જેમાં 12 હુમલાખોરો માર્યા ગયા હતા. સૈન્યએ ઉમેર્યું હતું કે વિસ્ફોટથી ચોકીની આસપાસના રહેણાંક મકાનોની બારીઓ તૂટી ગઈ હતી. સૈન્યએ અહેવાલ આપ્યો હતો કે આ ઘટનામાં એક નાગરિકનું મોત થયું હતું અને મહિલાઓ અને બાળકો સહિત સાત અન્ય ઘાયલ થયા હતા.

પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે કે “ભારતીય પ્રોક્સી TTP” ના હુમલાખોરોએ ચોકી પર હુમલો કર્યો અને પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જ્યારે સુરક્ષા કર્મચારીઓએ ગોળીબાર કર્યો, ત્યારે હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલું વાહન દિવાલ સાથે અથડાવ્યું. પાકિસ્તાની સેનાએ 11 સુરક્ષા કર્મચારીઓ અને એક યુવાન છોકરીના મૃત્યુની જાણ કરી છે.

પાકિસ્તાની સૈન્યના નિવેદનમાં તેની નિષ્ફળતાઓ માટે ભારતને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પ્રાયોજિત આતંકવાદીઓને ખતમ કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે અને ભારતીય સેના આઝમ-એ-ઇસ્તેહકમના નેજા હેઠળ સતત આતંકવાદ વિરોધી ઝુંબેશ ચલાવી રહી છે.

આ હુમલો બાજૌર જિલ્લાના વાર મામુન્ડ તહસીલમાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં સ્ટેશન હાઉસ ઓફિસરના મૃત્યુના થોડા દિવસો પછી થયો હતો. છેલ્લા એક વર્ષમાં કેપીમાં આવા હુમલાઓમાં વધારો જોવા મળ્યો છે. પ્રાંતમાં આવા હુમલાઓમાં 2024 માં 1,620 લોકો મૃત્યુ પામ્યા હતા, જે 2025 માં વધીને 2,331 થયા છે.

કેપી અને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સતત હિંસા જોવા મળી છે. બંને પ્રાંતોમાં ઘણા સશસ્ત્ર જૂથો પાકિસ્તાની સરકાર સામે યુદ્ધ કરી રહ્યા છે. આ પ્રાંતોની બહાર, દેશની રાજધાની ઇસ્લામાબાદમાં પણ આ મહિનાની શરૂઆતમાં એક મોટો હુમલો થયો હતો. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક શિયા મસ્જિદ પર થયેલા હુમલામાં છત્રીસ લોકો માર્યા ગયા હતા.

અમેરિકામાં આઈસ હોકીની મેચ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, ત્રણ લોકોના મોત

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની લોહિયાળ ઘટના સામે આવી છે, જેનાથી આખો દેશ સ્તબ્ધ છે. આ વખતે રોડ આઇલેન્ડમાં યોજાયેલી એક યુવા આઇસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ થયું, જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બાદ હુમલાખોરે પણ પોતાની જાતને ગોળી મારી ને આપઘાત કરી લીધો હતો.

પોટકેટ પોલીસ વડા ટીના ગોન્કાલ્વેસે મીડિયાને માહિતી આપી હતી કે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે શૂટરનું મૃત્યુ ખુદને મારેલી ગોળીથી થયું છે. જોકે આ અથડામણમાં પોલીસ તરફથી કોઈ ગોળીબાર થયો નહોતો, તેમ છતાં અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.

જોકે આ અથડામણમાં પોલીસ તરફથી કોઈ ગોળીબાર થયો નહોતો, તેમ છતાં અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ ’ટાર્ગેટેડ’ હુમલામાં બે પુખ્ત વયના લોકોના મોત થયા છે અને ત્રણ ગંભીર ઘાયલ છે, જ્યારે શૂટરે પોતે પણ ગોળી મારી આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કૌટુંબિક વિવાદ હોવાની આશંકા છે. હાલ પોલીસ પ્રોવિડન્સના ’ડેનિસ એમ. લિન્ચ એરેના’ ખાતે સાક્ષીઓના નિવેદનો અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી આ આખી ઘટનાની કડીઓ જોડી શકાય.

વાઇરલ વીડિયોમાં ગોળીબારના અવાજ વચ્ચે ખેલાડીઓ અને પ્રેક્ષકો જીવ બચાવવા ભાગતા દેખાય છે. મેદાનની બહાર હાઈસ્કૂલના ખેલાડીઓ એકબીજાને ભેટીને રડતા હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઘટના બાદ પોલીસે આસપાસના રસ્તાઓ બંધ કરી હેલિકોપ્ટર દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું હતું.

ગુજરાતના પ્રથમ બજેટનું કદ હતું માત્ર આટલા કરોડ, આ અનોખો રેકોર્ડ વજુભાઈ વાળાના નામે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આરંભ થયો છે. બુધવારે નાણાં પ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. 1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત છૂટું પડ્યું, આ પછી ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે ડૉ. જીવરાજ મહેતા મુખ્ય પ્રધાન પણ હતા અને નાણાં પ્રધાનનો હવાલો પણ સંભાળતા હતા. ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ, 1960ના રોજ રજૂ થયું હતું. 1 મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ મહિનામાં રજૂ થયું હતું. ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું. જે બાદ બજેટના કદમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે, નાણાં પ્રધાન કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે₹ 3,32,465 કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વર્ષે રાજ્યનું બજેટ ₹4,00,000 કરોડને પાર કરી શકે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જો આ અંદાજ સાચો ઠરે તો ગુજરાતના ઈતિહાસમાં આ સૌથી મોટું બજેટ સાબિત થશે. ગત વર્ષની સરખામણીએ આશરે 15 ટકા વધારો નોંધાઈ શકે છે.

નરેન્દ્ર મોદીના નામે રાજ્યના સૌથી વધુ સમય સુધી મુખ્ય પ્રધાન રહેવાનો રેકોર્ડ છે, ત્યારે તેમના શાસનમાં પૂર્વ નાણાં પ્રધાન તરીકે વજુભાઈ વાળાએ સતત 18 વખત રાજ્યનું બજેટ કર્યું હતું. બીજા ક્રમે 9 વખત બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે.

2015-16માં ગુજરાતનું બજેટ 1,37,667 કરોડ હતું જે 2025-26માં 3,70,250 કરોડ પર પહોંચ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં રાજયના બજેટમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. 2016-17માં 1,50, 138 કરોડ, 2017-18માં 1,71,071 કરોડ, 2018-2019માં 1,82,728 કરોડ, 2019-20માં 2,03,147 કરોડ, 2020-21માં 2,14,738 કરોડ, 2023-24માં 3,01,465 કરોડ અને 2024-25માં 3,32,465 કરોડનું હતું. આ વર્ષે બજેટનું કદ 400 કરોડની આસપાસ રહેવાનો અંદાજ છે.

બજેટ વધવાની સાથે દેવું પણ વધ્યું
2020-21માં રાજ્યનું દેવું 2,98,810 કરોડ હતું જે 2025-26માં વધીને 3,99,000 કરોડ પર પહોંચ્યું હતું. 2021-22મં 3,08,302 કરોડ, 2022-23માં 3,39,683 કરોડ, 2023-24માં 3,89,381 કરોડ હતું. 2024-25માં દેવું ઘટીને 3,77,962 કરોડ થયું હતું.

15મી વિધાનસભાની કેટલીક ખાસ વાત
20 ડિસેમ્બર 2022ના રોજ 15મી ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક મળી હત. ત્યારથી હાલ સુધી 1151 દિવસમાં માત્ર 80 દિવસ વિધાનસભા ચાલી છે. આ દરમિયાન કુલ 91 બેઠકનું આયોજન થયું છે, તેમાં એક બેઠકનો સરેરાશ સમય 4 કલાક 10 મિનિટ રહ્યો છે. કેન્દ્ર સરકારના ટાઈમ યુઝ સર્વે મુજબ, એક ધારાસભ્ય વિધાનસભામાં માત્ર 4 કલાક વીતાવે છે. 46 ધારાસભ્ય 15થી 76 દિવસ ગેરહાજર રહ્યા છે. 3805 સવાલ સૂચના મળી હોવા છતાં દાખલ થઈ શક્યા નથી. 200 સવાલ મંત્રીઓની ભલામણ પર રદ કરાયા છે. વિધાનસભાના કુલ સમયમાંથી માત્ર 21% સમય પ્રશ્નોમાં વીત્યો છે.

પ્રધાનોને હાજરીમાં છૂટછાટ

પંદરમી વિધાનસભામાં એક પણ દિવસ એવો નથી, જ્યારે 182 ધારાસભ્યો એકસાથે વિધાનસભામાં હાજર રહ્યા હોય. સૌથી વધુ હાજરી વખતે 154 અને સૌથી ઓછી વખતે 105 ધારાસભ્ય હાજર રહ્યા હતા. પ્રધાનો, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, દંડક સહિત 24 ધારાસભ્યને હાજરી પત્રકમાં સહી કરવાની હોતી નથી. કારણ કે તેમને પગાર-ભથ્થા વિશેષ કાયદા હેઠળ મળે છે. જ્યારે સામાન્ય ધારાસભ્યને દૈનિક ભથ્થા મેળવવા સહી કરવી પડે છે.

દેશમાં કામકાજના હિસાબે ગુજરાત વિધાનસભા 12મા ક્રમે
દેશની વિધાનસભાઓમાં વાર્ષિક કામકાજના 28 દિવસ સાથે ગુજરાત 12મા ક્રમે છે. કેરળ 51 દિવસ સાથે પ્રથમ છે. ઓડિશા વિધાનસભા વર્ષમાં 45, કર્ણાટક-૫.બંગાળ 40, મહારાષ્ટ્ર-તમિલનાડુ 35 દિવસ ચાલે છે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અચાનક તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

0

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન મોહાલીની જે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ છે, તેને બપોરે 1.11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા ઈમેલમાં મુખ્યમંત્રી માન વિશે લખવામાં આવ્યું છે કે ભાઈ દિલાવર સિંહના વારસદારોએ તેમને પોલોનિયમથી સંક્રમિત કર્યા છે. જો તેઓ બચી જશે તો બેઅંત જેવી હાલત કરશે. ફોર્ટિસ હોસ્પિટલમાંથી મુખ્યમંત્રી ભગવંત માનનો મૃતદેહ જ બહાર આવશે. પંજાબના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહને ચંદીગઢ સચિવાલયમાં માનવ બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી જ્યારે સંગરૂરના કાર્યક્રમમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. પ્રાથમિક સારવાર બાદૃ તેમને તાત્કાલિક એરલિટ કરીને મોહાલી લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતાની સાથે જ નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તેમનું મેડિકલ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હતું, જોકે હવે તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ રાહત અનુભવી રહૃાા છે.

પોલોનિયમ એક દુર્લભ રેડિયોએક્ટિવ પદાર્થ છે, જે અત્યંત ઝેરી હોય છે. ધમકી મળ્યા બાદ પંજાબ પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. હોસ્પિટલને ચારેય બાજુથી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ઘેરી લીધી છે.

અહીં 5 બોમ્બ સ્કોવર્ડ સક્રિય કરવામાં આવ્યા છે. મોહાલીના SP દિલપ્રીત સિંહે જણાવ્યું કે હજુ સુધી મુખ્યમંત્રીને બીજી હોસ્પિટલમાં ખસેડવાની કોઈ વાત નથી. મુખ્યમંત્રી સિક્યોરિટી સાથે પોલીસ ટીમો એલર્ટ પર છે.

વડોદરા, વલસાડ, ગાંધીનગર અને અમદાવાદની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સમાચાર મળતા જ પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. કોર્ટમાંથી વકીલોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કોર્ટ સંકુલ બહાર વકીલોના ટોળેટોળા જામ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.

વલસાડ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઇડી ઉપર અજાણ્યા શખ્સે વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે. આ ધમકી મળતા તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કોર્ટ પ્રિમસીસ ખાલી કરાવવામાં આવી છે. વલસાડ કોર્ટમાં વકીલો અને અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સવોડની ટીમની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત ગાંધીનગર સેશન્સ કોર્ટને તથા અમદાવાદની જૂની હાઇકોર્ટને પણ ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો છે.

સરકારી વકીલ પ્રકાશ ઠક્કરએ જણાવ્યું હતું કે, આજે અને ગઈકાલે જે રીતે અવારનવાર ઈમેઈલ આવી રહ્યા છે. કાલે 25 શાળાઓને અને આજે કોર્ટને જે ધમકી મળી છે. તે ખૂબ જ ગંભીર ઘટના છે. આ બાબતની ઉચ્ચ સ્તરે અને ખૂબ જ કડક રીતે તપાસ થવી જોઈએ. સરકાર અને વહીવટી તંત્ર આ બાબતે સંપૂર્ણ રીતે સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી સહિતના તમામ પદાધિકારીઓ ખૂબ જ સક્રિય છે અને આ બાબતમાં અંગત રસ લઈને કામ કરી રહ્યા છે. અત્યારે આપણી પાસે આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરીને આ ગુનેગારોને વહેલી તકે શોધી કાઢવા જોઈએ.

આજે કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેઈલ મળ્યો હતો. પોલીસ આ બાબતે અત્યારે ઊંડાણપૂર્વક અને સારી રીતે તપાસ કરી રહી છે. નાગરિકોની સુરક્ષા માટે તંત્ર સતર્ક છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું મુંબઈમાં આગમન, પીએમ મોદી સાથે કરશે બેઠક

0

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે.રાષ્ટ્રપતિનું સ્વાગત મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમનું સ્વાગત કર્યું હતું. ભારતના વડા પ્રધાન મોદી પણ મુંબઈ પહોંચી રહ્યા છે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત અને દ્વિપક્ષીય વાટાઘાટ કરશે.

ભારત અને ફ્રાન્સ તેમના સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સંબંધોને વધુ અપગ્રેડકરવાનો પ્રયાસ કરશે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું દ્વિપક્ષીય બેઠક માટે આયોજન કરશે. ભારતની તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન, મેક્રોન ગુરુવારે દિલ્હીમાં અઈં સમિટમાં પણ ભાગ લેશે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સંરક્ષણ, વેપાર, કૌશલ્ય, આરોગ્ય અને પુરવઠા શૃંખલા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય બેઠક પછી લગભગ એક ડઝન કરારો અથવા એમઓયુ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુંબઈમાં, નેતાઓ સંયુક્ત રીતે ભારત-ફ્રાન્સ નવીનતા વર્ષનું ઉદ્ઘાટન કરશે જે 2026 સુધી બંને દેશોમાં ઉજવવામાં આવશે. ભારત-ફ્રાન્સ નવીનતા અને સાંસ્કૃતિક સ્મૃતિ વર્ષ મંગળવારે સાંજે ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજાશે.

ભારત સરકારે ગયા અઠવાડિયે ફ્રાન્સ પાસેથી સરકાર-થી-સરકાર માળખા હેઠળ 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ભારત અને ફ્રાન્સ મંગળવારે બેંગલુરુમાં છઠ્ઠો વાર્ષિક સંરક્ષણ સંવાદ પણ યોજશે જેમાં તેમના સંરક્ષણ સહયોગ કરારને વધુ 10 વર્ષ માટે નવીકરણ કરવાની અપેક્ષા છે. 2024 માં સંમત થયેલા મહત્વાકાંક્ષી સંરક્ષણ ઔદ્યોગિક રોડમેપને અનુરૂૂપ, વાયુ અને દરિયાઈ સંપત્તિઓને સંડોવતા વધુ સહકાર પર પણ ચર્ચાઓ કેન્દ્રિત થવાની સંભાવના છે.

રાજપાલ યાદવને જામીન માટે કોર્ટમાં ₹1.5 કરોડ જમા કરાવવા પડશે

0

પ્રખ્યાત અભિનેતા રાજપાલ યાદવ વર્ષો જૂના ચેક બાઉન્સ કેસમાં ફસાયેલા છે. તેમના પર ₹9 કરોડનું દેવું છે. કોર્ટ રાજપાલની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. હવે તેમાં એક મુશ્કેલી આવી છે. દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવના વકીલને વચગાળાના જામીન માટે ₹1.5 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ સબમિટ કરવા માટે બપોરે 3 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.

કોર્ટે કહ્યું કે જો આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવે તો તેને મુક્ત કરવામાં આવશે. જો નહીં તો કેસની સુનાવણી કાલે સવારે 17 ફેબ્રુઆરીએ થશે. રાજપાલ યાદવે 19 ફેબ્રુઆરીએ પોતાની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે જામીન માટે અરજી કરી છે.

રાજપાલને કોર્ટે આપ્યો હતો ઠપકો
દિલ્હી હાઈકોર્ટની છેલ્લી સુનાવણી દરમિયાન રાજપાલને ઠપકો આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અભિનેતાએ આટલા બધા એક્સટેન્શન છતાં લોન ચૂકવી નથી. કોર્ટે રાજપાલના વકીલ દ્વારા આપવામાં આવેલી બધી દલીલોને પાયાવિહોણી ગણાવી હતી. રાજપાલે તેની સજા રદ કરવાની માંગ કરી હતી. આ માંગના જવાબમાં કોર્ટે કહ્યું કે જ્યારે તેણે લોન લીધી હોવાનું સ્વીકાર્યું હતું, તો પછી માફી કેવી રીતે થઈ શકે? તેને પૈસા ચૂકવવા માટે 25-30 તકો આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તે ચૂકવી શક્યો નહીં. તે હવે સજા પર રોક લગાવવાની માંગ કેમ કરી રહ્યો છે?

કોર્ટે રાજપાલને ઠપકો આપતા કહ્યું કે તે કોર્ટના આદેશને કારણે નહીં પરંતુ તેના પોતાના કાર્યોને કારણે જેલમાં છે. રાજપાલના વકીલના જણાવ્યા મુજબ લોનની રકમના 3 કરોડ રૂપિયાથી વધુ રકમ ચુકવી દેવામાં આવી છે. અરજદારે 2.10 કરોડ રૂપિયા જમા કરવા પડશે.

રાજપાલ યાદવ વિવાદમાં કેવી રીતે ફસાઈ ગયા?
2012 માં આવેલી ફિલ્મ અતા પતા લાપતા રાજપાલની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હતી. તેને બનાવવા માટે રાજપાલે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. જોકે ફિલ્મ નિષ્ફળ ગઈ, જેના કારણે રાજપાલને નોંધપાત્ર નુકસાન થયું હતું. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે રિફંડની માંગણી કરી, જે રાજપાલ ચૂકવી શક્યો નહીં. આ મામલો કોર્ટમાં પહોંચ્યો અને 2018 માં મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે કાનૂની કાર્યવાહી કરી હતી. રાજપાલ અને તેની પત્ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. વ્યાજ સહિત 5 કરોડ રૂપિયાની આ રકમ 9 કરોડ રૂપિયા થઈ ગઈ. આ કેસમાં અભિનેતાને બે વાર જેલની સજા થઈ ચૂકી છે. ઘણા સમય પછી જ્યારે તે પૈસા ચૂકવી શક્યો નહીં, ત્યારે તેને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી.

રાજપાલ યાદવને મળી સેલિબ્રિટીઝ તરફથી મદદ
આ દુઃખના સમયમાં સમગ્ર ઉદ્યોગ રાજપાલ યાદવની સાથે ઉભો છે. સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, ડેવિડ ધવન, સોનુ સૂદ, તેજ પ્રતાપ યાદવ, રાવ ઈન્દરજીત સિંહ, ગુરુ રંધાવા, ગુરમીત ચૌધરી, કેઆરકે અને મીકા સિંહે મદદનો હાથ લંબાવ્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ લોકોને રાજપાલને મદદ કરવા માટે આગળ આવવા અપીલ કરી છે. રાજપાલની પત્નીએ સેલિબ્રિટીઝ દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.