Home Blog Page 1357

અમદાવાદમાં ચાર યુવકોએ પાર્ટી કરવા લૂંટના ઇરાદે એક વ્યક્તિની હત્યા કરી નાંખી

In Ahmedabad, four youths

  • મૃતક રામકુમાર ભૂમિયારને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

શહેર (Ahmedabad)ના કુબેરનગર વિસ્તાર (Kubernagar Area)માં મોજ શોખ અને પાર્ટી કરવા માટે લૂંટ (Loot)ના ઇરાદે એક વ્યક્તિને માર મારીને મોત (Murder)ને ઘાટ ઉતારી દેતાં પોલીસે ચાર આરોપીઓ વિરૂદ્ધ હત્યા (Murder)નો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ત્રીજી ઓગસ્ટના દિવસે રામકુમાર નામનો વ્યક્તિ છારાનગર તરફથી ચાલતા ચાલતા તીર્થરાજ સોસાયટી નજીક પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપીઓ મયુર, સુનિલ ઉર્ફે છોટુ યાદવ, જતીન જાગલાની તથા સાહિલ હરિયાળી પાન પાર્લર ત્રણ રસ્તા પર બેઠા હતા અને તમામ લોકોએ પાર્ટી કરવાનું વિચારેલ પરંતુ તેઓની પાસે મોજશોખ તથા પાર્ટી કરવાના પૂરતા પૈસા ન હોવાથી લૂંટના ઇરાદે મૃતક રામકુમારને પકડી લઈ મયુર સિંધીએ તેના ખિસ્સામાં મુકેલ પાકીટ લઈ લીધેલ. જોકે મૃતકે પ્રતિકાર કરતા આરોપીઓએ મૃતક રામકુમારને ગાળો બોલી ગર્દા પાટુનો માર મારવા લાગેલ.

જુઓ વીડિયો : ભારે વરસાદ બાદ અંડરપાસમાં એક સિટી બસ ડૂબી લોકોએ 20 થી વધુ મુસાફરોને ભારે જહેમત બાદ બચાવ્યા 

આ દરમિયાન સુનિલ ઉર્ફે છોટુ નામના આરોપીએ મૃતકનો મોબાઈલ ફોન પણ ઝુંટવી લીધો હતો. જ્યારે જતીન અને શાહિલ બંને એ હાથ પકડી રાખી મયુર અને સુનિલે તેની પાસે બીજી કોઈ કિંમતી ચીજ વસ્તુ છે કે કેમ તે જોવા લાગ્યા હતા. અને મૃતકે ગળામાં સોનાનું પેન્ડલ પહેર્યું હોવાથી તે લૂંટવા જતા મૃતક આરોપીઓને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તમામ આરોપીઓએ મરણ જનારને પકડી લઈ તેની સાથે જપાઝપી કરવા લાગ્યા હતા.

આ દરમિયાન જોરથી જમીન પર પાડી દેતા મૃતકને કપાળના ભાગે અને હોઠના ભાગે ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓએ મૃતકની સાથે ગાળા ગાળી કરી લાતોનો માર મારી તેની પાસે રહેલ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 900 લૂંટી લીધા હતા.

જોકે મૃતક રામકુમાર ભૂમિયારને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મોટું નિવેદન

0

Khodaldham Chairman Naresh

  • નરેશ પટેલે કહ્યું કે કોઇપણ સમાજના લોકો આ કોર્ષ કરવા આવી શકે છે અને જે યુવાન સક્ષમ હોશિયાર હશે તેની રાજકીય કારર્કિદી ઉભી કરવામાં અમે જરૂર મદદ કરીશું.

લેઉવા પાટીદાર સમાજની (Leuva Patidar society) સંસ્થા ખોડલધામ (Khodaldham) દ્રારા હવે યુવાનોને રાજકારણના પાઠ ભણાવવામાં આવશે. રાજનીતિ કલાસ શરૂ કરતાં પહેલાં એક સેમિનાર યોજાયો હતો. આજે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની (Naresh Patel) ઉપસ્થિતિમાં આ અંગેનો ખાસ સેમિનાર યોજાયો હતો.આ સેમિનારમાં ત્રણેય પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ પટેલે કહ્યું હતું કે રાજનિતીના ક્લાસ (Politics class) શરૂ કરાવાનો મુખ્ય હેતું રાજકારણમાં સારા અને સજ્જન લોકો આવે તે જરૂરી છે અને આ હેતુથી એક વર્ષનો આ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.આ કોર્ષને છ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે.

સરકારની કોઇ શૈક્ષણિક સંસ્થા કે કોઇ ખાનગી યુનિવર્સિટી આ કોર્ષને માન્યતા આપે તેવા પ્રયત્નો કરાયા છે. નરેશ પટેલે કહ્યું કે કોઇપણ સમાજના લોકો આ કોર્ષ કરવા આવી શકે છે અને જે યુવાન સક્ષમ હોશિયાર હશે તેની રાજકીય કારર્કિદી ઉભી કરવામાં અમે જરૂર મદદ કરીશું. નરેશ પટેલે વધુમાં કહ્યું હતું કે હું ઇચ્છું કે આ અભ્યાસ કરનાર યુવાન પૈકી કોઇ દેશના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી બને.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અંગે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે અમે કોઇ પાર્ટી પાસે ટિકિટની માંગણી કરવાના નથી. મહત્વનું છે કે અગાઉ પાટીદાર સમાજના આગેવાનો માટે ટિકિટની માગ કરવામાં આવી હતી.

ટિકિટ માટે અમારી કોઇ માંગણી નથી : નરેશ પટેલ

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કડવા પાટીદાર સમાજે ૫૦ ટિકીટની માંગ કર્યા બાદ લેઉવા પાટીદાર સમાજને કેટલી ટિકીટની અપેક્ષા છે આ સવાલના જવાબમાં નરેશ પટેલે કહ્યું હતું કે હક્કદાક હોઇ તેને તેનો હક મળવો જોઇએ. હું કોઇ ટિકીટની સંખ્યામાં નથી પડતો પરંતુ હક્ક પ્રમાણે ટિકીટ મળવી જોઇએ.

તેમણે ઉમેર્યું હતું કે, પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારા સમાજના આગેવાનો કોઈ પણ રાજકીય પક્ષો પાસે ટિકિટની માંગને લઈને જવાના નથી.

આ પણ વાંચો :-

 

07 ઓગસ્ટ 2022, આજનું રાશિફળ : આ 7 રાશિના જાતકોના માં ખોડલની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

07 August 2022, Today’s Horoscope : Gujarat Guardian

મેષઃ
પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુનઃ
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળતું જણાય.

કર્કઃ
આજનો દિવસ શુભત્વનો સંદેશ આવ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાપ્રાપ્તિ માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ. આરોગ્ય જળવાય.

સિંહઃ
થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ
મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં ‌વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલિયતથી સફળતા મળે. અધિકારનો દૂરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવાવાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ
માનસિક અશાંતિ રહે. વિચારવાયુંનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારું. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભઃ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઈચ્છુકને સફળતા મળતી જણાય. આત્મ વિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઈ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-

વોટના બદલે સેક્સ ! ચૂંટણી હારેલા કોંગ્રેસના મહિલા નેતાનો વિચિત્ર આરોપ, કહ્યું- મતદારોને સેક્સની લાલચ અપાઈ

0

Sex instead of votes

  • ચૂંટણી હારેલા કોંગ્રેસના મહિલા નેતાએ આરોપ લગાવ્યો કે તેમને હરાવવા માટે દારૂ, પૈસા તેમજ નવા સામાજિક દૂષણ જાતીય વ્યભિચારનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો.

ચૂંટણી (election) જીતવા માટે રાજકીય પક્ષો દ્વારા અવનવા ગતકડા કરવામાં આવે છે. મતદારોને વિકાસના વચન તો અપાય છે જ સાથે મતદાનના થોડા સમય પહેલા દારૂ અને રોકડ પણ આપવામાં આવતી હોવાનો આક્ષેપ થાય છે. ત્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી જીતવા વિચિત્ર લાલચ અપાઈ હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ચૂંટણી જીતવા માટે દારૂ, પૈસા, ગિફ્ટ બાદ હવે ફ્રી સેકસ (free sex) ઓફર થતું હોવાનો મામલો સામે આવ્યો છે. રાયસેન (Raisen) જિલ્લાના મહિલા કોંગ્રેસના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને વોર્ડ નંબર-1 દીવાનગંજના ઉમેદવાર પ્રીતિ ઠાકુરે સપના લવારિયા પર આ આરોપો લગાવ્યા છે.

એક અહેવાલ મુજબ પ્રીતિ ઠાકુરે આરોપ લગાવ્યો કે, ચૂંટણીના ત્રણ દિવસ પહેલા અન્ય ઉમેદવાર સપના લવારિયાએ વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલી મહિલાઓ સાથે મળીને ગામમાં મતદારોને સેક્સની લાલચ અપાઈ હતી. ત્યારબાદ આ વ્યવસાયમાં સંકળાયેલી સ્ત્રીઓને દરેક પંચાયતમાં સ્થળે સ્થળે પહોંચાડીને યુવાનોને મફતમાં (Free of cost) સેક્સ પીરસવામાં આવ્યું હતું અને આ પ્રલોભન આપીને તેમના પક્ષમાં જોડવામાં આવ્યા હતા. જેમાં ભાજપના અનેક મોટા નેતાઓ અને કાર્યકરો સામેલ હતા.

ઠાકુરે તેમની જ પાર્ટીના ત્રણ પ્રાદેશિક પદાધિકારીઓ અને તેમની સાથે સંકળાયેલા કાર્યકરો પર પણ ચૂંટણી હારવા માટે ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે બ્રિજેશ ખંડેલવાલ, ફઝલ અલી અને ડો. ગૌતમે તેમને હરાવવાનું કામ કર્યું હતું. ઠાકુરે કહ્યું કે જી સી ગૌતમ દતિયાના છે.

જેઓ સાંચીથી વિધાનસભાની ટિકિટની આશા રાખે છે. તેમણે વિચાર્યું કે આવું કરવાથી ટિકિટ માટે દાવો મજબૂત થશે. અહીં આવીને તેમણે જિલ્લા પંચાયત જેવી ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોને હરાવવાનો પ્રયાસ કર્યો હતો.

ચૂંટણી હાર્યા બાદ તેમણે ઘણા અન્ય ઉમેદવારો પર ગંભીર બાબતોના ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને હરાવવા માટે દારૂ, પૈસા તેમજ નવા સામાજિક દૂષણ જાતીય વ્યભિચારનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે એમ કહ્યું કે, તેમણે આ બાબતે રાષ્ટ્રીય મહિલા આયોગ, ભારતીય ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય કોંગ્રેસ પાર્ટીને ફરિયાદ કરી છે.

આ પણ વાંચો :-

 

મોંઘવારીથી મળશે છૂટકારો, આજે જ લાવો આ ચૂલો, ગેસની જરૂર નહી પડે

0

You will get rid of inflation

  • આ સ્ટવ હાઇબ્રિડ મોડ પર પણ કામ કરે છે. એટલે કે આ સ્ટવમાં સૌર ઉર્જા સિવાય વીજળીના અન્ય સ્ત્રોતોનો પણ ઉપયોગ કરી શકાય છે. સૂર્ય નૂતનની ઇન્સ્યુલેશન ડિઝાઇન એવી છે. જે સૂર્યપ્રકાશના કિરણોત્સર્ગ અને ગરમીના નુકસાનને ઘટાડે છે. સૂર્યા નૂતન ત્રણ અલગ-અલગ મોડલમાં ઉપલબ્ધ છે.

હાલ મોંઘવારીએ (inflation) માઝા મુકી છે. એક બાદ એક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે જેના કારણે પ્રજા ત્રસ્ત બની છે. ગ્લોબલ માર્કેટમાં ક્રુડ ઓઈલ (Crude oil) અને ગેંસની કિંમતો (Gas prices) ઓલટાઈમ હાઈ બનેલી છે. જેના કારણે ઘરેલુ બજારમાં પેટ્રોલ-ડીઝલની (Petrol-Diesel) સાથે રસોઈ ગેસ સિલેન્ડરના ભાવ સતત વધી રહ્યા છે. ગયા મહિને જ રસોઈ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો.

તમે પણ સતત વધતા ભાવથી પરેશાન હશો તો સરકારી કંપની ઈન્ડિયન ઓઈલે એક અલગ જ સમાધાન શોધી કાઢ્યું છે. જે તમને ખુબ જ કામ આવશે. કંપનીએ બજારમાં પોતાનો સોલાર સ્ટવ લોન્ચ કર્યો છે. જેને ઘરે લાવીને તમે ગેસની વધતી કિંમતોથી છૂટકારો મેળવી શકો છો.

આ રીતે થયું ‘સૂર્ય નૂતન‘નું ડેવલપમેન્ટ :

ઇન્ડિયન ઓઇલે સૌર ઉર્જાથી ચાલતા આ સ્ટવને ‘સૂર્ય નૂતન‘ નામ આપ્યું છે. ઈન્ડિયન ઓઈલનું કહેવું છે કે તેમણે પ્રધાનમંત્રીના પડકારથી પ્રેરાઈને સૂર્ય નૂતન વિકસાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર, 2017ના રોજ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના અધિકારીઓને પોતાના સંબોધનમાં રસોડાના ઉકેલના વિકાસને પડકાર ફેંક્યો હતો, જે ઉપયોગમાં સરળ હોય અને પરંપરાગત ચૂલાને બદલી શકે. પ્રધાનમંત્રીની આ વાતથી પ્રેરિત થઈને સોલર કૂક ટોપ ‘સૂર્યા નૂતન‘ વિકસાવવામાં આવ્યું છે.

સૂર્ય નૂતન‘ રાત્રે પણ કરી શકાશે ઉપયોગ :

સૂર્ય નૂતન સોલર કૂક ટોપમાં ઘણી સુવિધાઓ છે. તેને એક જ જગ્યાએ સ્થાયી કરી શકાય છે. તે રિચાર્જેબલ અને ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમ છે. તે ઇન્ડિયન ઓઇલના સંશોધન અને વિકાસ કેન્દ્ર, ફરીદાબાદ દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓઇલે તેની પેટન્ટ પણ કરાવી છે. તેનું એક યુનિટ તડકામાં રહે છે અને તે ચાર્જ કરતી વખતે ઓનલાઈન કૂકિંગ મોડ ઓફર કરે છે.

જુઓ સંપૂર્ણ વીડિયો. : ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોએ દરિયામાં માછીમારોને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું અને તેમની સાથે ‘આઝાદી કા અમિત મહોત્સવ’ની ઉજવણી કરી .

આ સિવાય ચાર્જ થયા પછી પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે ‘સૂર્ય નૂતન’ સૌર ઊર્જાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરે છે અને સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પણ તેના પર ખોરાક બનાવી શકાય છે.

સિંગલ ચાર્જ પર 3 વખત બનાશી શકાશે ભોજન :

આ સ્ટવ હાઇબ્રિડ મોડ પર પણ કામ કરે છે. એટલે કે આ સ્ટવમાં સૌર ઉર્જા સિવાય વીજળીના અન્ય સ્ત્રોતોનો પણ ઉપયોગ કરી શકાય છે. સૂર્ય નૂતનની ઇન્સ્યુલેશન ડિઝાઇન એવી છે, જે સૂર્યપ્રકાશના કિરણોત્સર્ગ અને ગરમીના નુકસાનને ઘટાડે છે. સૂર્યા નૂતન ત્રણ અલગ-અલગ મોડલમાં ઉપલબ્ધ છે. સૂર્ય નૂતનનું પ્રીમિયમ મોડલ સિંગલ ચાર્જ પર ચાર જણના પરિવાર માટે ત્રણ સમયનું ભોજન બનાવી શકે છે.

કેટલી છે આ સોલાર સ્ટવની કિંમત ?

આ સ્ટોવના બેઝ મોડલની કિંમત લગભગ 12,000 રૂપિયા છે અને ટોપ મોડલની કિંમત લગભગ 23,000 રૂપિયા છે. જોકે, ઈન્ડિયન ઓઈલનું કહેવું છે કે આગામી સમયમાં તેની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે. સૂર્ય નૂતન એક મોડ્યુલર સિસ્ટમ છે અને તેને જરૂરિયાત મુજબ વિવિધ કદમાં ડિઝાઇન કરી શકાય છે.

આ પણ વાંચો :-

બોલો જુબાં કેસરી : સુરતમાં ‘કલાકારો’ બે ટેમ્પો ભરી લાખોની વિમલ ગુટખા ચોરી ગયા

Bolo Juban Kesari: In Surat

  • સુરતનાં ગોડાઉનમાં વિમલ ગુટખાની ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરો ગોડાઉનમાં મુકેલ બોરીઓને ઉઠાવી બહાર મૂકેલ વાહનમાં ભરવા લાગ્યા હતા.

સુરત (Surat) જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની (Theft and Robbery) ઘટનામાં વધારો થયો છે. તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ જિલ્લાના બારડોલી, કડોદરા અને ચલથાણ વિસ્તારમાં રોજે રોજ ચોરીની ઘટના બની રહી છે ત્યારે કડોદરામાં (Kadodara) વધુ એક લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

કડોદરા ચાર રસ્તા નજીક નિતિનકુમાર ગમનલાલ મોદીની જય અંબે ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે. આ દુકાનની નજીક જ તેનું ગોડાઉન આવેલું છે. શુક્રવારે આશરે 4 વાગ્યાની આસપાસ આ ગોડાઉનની બહાર વોચમેન દલ બહાદુર સિંઘ ફરજ બજાવતો હતો.

ત્યારે એક ગાડી આવીને ઊભી રહેતા વોચમેને તેને અહીં ગાડી કેમ ઊભી રાખી તેમ પૂછતાં તસ્કરોએ વોચમેનને બંધક બનાવી તેને માર મારી કોથળામાં ભરીને કારમાં લઈ ગયા હતા અને ઊંભેળ ગામની સીમમાં ધક્કો મારી ફેંકી દીધો હતો. ત્યારબાદ ગોડાઉનમાં પ્રવેશી 42 બોરી અને 25 છૂટક પેકેટ વિમલ ગુટખાની લૂંટ કરી બે ટેમ્પોમાં ભરીને નાસી છૂટ્યા હતા.

જુઓ સંપૂર્ણ વીડિયો. : ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોએ દરિયામાં માછીમારોને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું અને તેમની સાથે ‘આઝાદી કા અમિત મહોત્સવ’ની ઉજવણી કરી .

જય અંબે ટ્રેડર્સના માલિકે સવારે આવીને જોતાં ગોડાઉનમાંથી 10.46 લાખના વિમલ ગુટખાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી CCTV ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ભાર્ગવ પંડ્યા (નાયબ પોલીસ અધિક્ષક)એ જણાવ્યું કે, ગોડાઉનમાં વિમલ ગુટખાની ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરો ગોડાઉનમાં મુકેલ બોરીઓને ઉઠાવી બહાર મુકેલ વાહનમાં ભરવા લાગ્યા હતા. 42 બોરીઓ પૈકી 5થી 6 બોરીઓ તસ્કરો ગોડાઉનની બહાર લઈ ગયા બાદ એક તસ્કરની નજર ગોડાઉનમાં લાગેલ CCTV કેમેરા પર પડી હતી. તે તસ્કર બહારથી લાકડી લાવી કેમેરાને ઉંચો કર્યા બાદ ચોરીની ઘટનાને બિન્દાસપણે અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો :-

સોનિયા ગાંધીનું રાજીનામું ? રાજસ્થાનનાં આ વ્યક્તિ બની શકે છે નવા કોંગ્રેસ પ્રમુખ : રિપોર્ટ

0

Sonia Gandhi Resigns

  •  સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે.

કોંગ્રેસના કાર્યકારી (Congress functionaries) અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ દ્વારા આ જાણકારી સામે આવી રહી છે કે સોનિયા ગાંધીએ (Sonia Gandhi) અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત (Ashok Gehlot) રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે.

વર્ષ 2019માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી લેતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ ફરીથી સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સતત કોંગ્રેસની અંદર જ રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી રહી હતી પરંતુ રાહુલે જવાબદારી લેવાથી સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

રાહુલ ગાંધી હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. સંગઠન ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં નવા અધ્યક્ષની પસંદગી કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે પરંતુ રાહુલે અત્યાર સુધી સ્પષ્ટ જવાબ નથી આપ્યો. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અધીર રંજન ચૌધરીના સવાલ પર રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ સંભાળવાની સંભાવના પર વિચાર કરવા કહ્યું હતું.

જુઓ સંપૂર્ણ વીડિયો. : ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોએ દરિયામાં માછીમારોને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું અને તેમની સાથે ‘આઝાદી કા અમિત મહોત્સવ’ની ઉજવણી કરી .

એટલા માટે જ પાર્ટી અશોક ગહેલોતના નામ પર પણ વિચાર કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાર્ટી મામલે તેમની સક્રિયતા વધી છે. જો કે અશોક ગહેલોત રાજસ્થાનનું CM પદ છોડવા નથી માગતા. પરંતુ પાર્ટીમાં મંથન ચાલું છે અને રાહુલ ગાંધીને મનાવવાની પ્રયત્ન કરવામાં આવશે. પરંતુ જો રાહુલ ગાંધી ઈનકાર કરી દે તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને અધ્યક્ષ બનાવવાની સંભાવના પર મંથન થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ મહિને 20 ઓગષ્ટના રોજ કોંગ્રેસ સંગઠનમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ રહી છે. આ સંબંધે કોંગ્રેસની ચૂંટણી સમિતિના વડા મધુસૂદન મિસ્ત્રી બુધવારે દિલ્હી આવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના મીડિયા વિભાગ દ્વારા આ મામલે સવાલ પૂછવા પર કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

જ્યારે રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડ્યું ત્યારે તેમણે પાર્ટી માટે ગાંધી પરિવારના ના હોય એવા અધ્યક્ષની નિમણૂક માટે સમર્થન આપ્યું હતું. ત્યારબાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિકનું નામ અધ્યક્ષ પદ માટે સામે આવ્યું હતું. પરંતુ બાકી ઘણા નેતાઓએ સોનિયા ગાંધીને વિનંતી કરીને તેમને વચગાળાના અધ્યક્ષ બનવા માટે રાજી કર્યા હતા.

સોનિયા ગાંધીએ રાજીનામું આપ્યા હોવાનાં સમાચાર મોડી રાત્રે સોશિયલ મીડિયામાં ફરતાં થયાં હતાં. જેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી..

આ પણ વાંચો :-

પસંદગીકારો એશિયા કપને લઈને ચિંતિત નથી, ટીમ ઈન્ડિયાને મળ્યો 31 વર્ષનો ખતરનાક ઓપનર

0

Selectors not worried about Asia Cup

  • ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે એક ખતરનાક ઓપનર મળ્યો છે, જે રોહિત શર્માની જેમ બરાબર બેટિંગ કરી શકે છે.

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે પાંચ ટી-20 મેચોની શ્રેણી રમી રહી છે. ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર એક મજબૂત ઓપનર બેટ્સમેન મળ્યો છે. આ ખેલાડીએ કે એલ રાહુલની (KL Rahul) ગેરહાજરીમાં શાનદાર રમત દેખાડી અને બધાના દિલ જીતી લીધા. આ ખેલાડી એકલા જ પોતાના દમ પર ભારતને એશિયા કપનો ખિતાબ અપાવી શકે છે.

આ ખેલાડીએ અદ્ભુત પ્રદર્શન કર્યું :

સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન શાનદાર રમત બતાવી હતી. તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં 75 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર ઇનિંગ્સની શરૂઆત ધીમેથી કરે છે. પરંતુ એકવાર તે ક્રીઝ પર પહોંચે છે. તે પછી આક્રમક રીતે બેટિંગ કરો.

જુઓ સંપૂર્ણ વીડિયો. : ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોએ દરિયામાં માછીમારોને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું અને તેમની સાથે ‘આઝાદી કા અમિત મહોત્સવ’ની ઉજવણી કરી .

ટૂંકી કારકિર્દીમાં દિલ જીતી લીધું :

સૂર્યકુમાર યાદવે વર્ષ 2021માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ વિનિંગ ઈનિંગ્સ રમી. સૂર્યકુમાર યાદવે 22 T20I માં 648 રન બનાવ્યા છે, જેમાં એક આકર્ષક સદીનો સમાવેશ થાય છે. જે જ્યારે સૂર્યકુમાર યાદવ તેના ફોર્મમાં હોય છે, ત્યારે તે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી શકે છે.

IPLમાં શાનદાર બેટિંગ :

સૂર્યકુમાર યાદવે IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. જેનું નેતૃત્વ રોહિત શર્મા કરે છે. સૂર્યકુમાર છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઈન્ડિયા માટે એક ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે અને તેણે પોતાની બેટિંગથી સાબિત કર્યું છે કે તે કોઈપણ બેટિંગ ઓર્ડર પર બેટિંગ કરી શકે છે.

આ પણ વાંચો :-

 

2008 પછી પહેલીવાર હીરાના ભાવમાં આટલો મોટો ઘટાડો, ડાયમંડ સિટી સુરતના આ ઉદ્યોગકારોની વધી મુસીબત

This is the first time since 2008

  • સુરતના ડાયમંડ ઉદ્યોગકારોને મોટો ફટકો, રેપાપોર્ટે ફિનિશ્ડ ડાયમંડના ભાવમાં કર્યો ઘટાડો.

શ્રાવણમાસની (Shravanamas) શરૂઆત એટલે તહેવારોની શરૂઆત. ત્યારે તહેવાર ટાણે જ સુરતના હીરા ઉદ્યોગકારોએ (Diamond industrialists) નુકસાનીનો સામને કરવો પડશે. કારણ કે રેપાપોર્ટ દ્વારા તૈયાર હીરાના ભાવમાં ઘટાડો કરાયો છે. જે લોકોએ સ્ટોક કર્યો હશે તેવા ઉદ્યોગકારોને નુકસાનીનો સામનો કરવો પડશે.

રેપાપોર્ટે 3થી7 ટકા સુધીનો તૈયાર હીરાના ભાવમાં ઘટાડો કર્યો છે. વર્ષ 2008 બાદ સૌ પ્રથમ વાર તૈયાર હીરાના ભાવમાં ઘટાડો નોંધાયો. તૈયાર હીરાના ભાવમાં ઘટાડો થતા વેપારીઓએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. હીરાની માંગમાં વધારો થવાને કારણે આંતરાષ્ટ્રીય માર્કેટમાં રફના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો હતો.

જુઓ સંપૂર્ણ વીડિયો. : ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોએ દરિયામાં માછીમારોને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું અને તેમની સાથે ‘આઝાદી કા અમિત મહોત્સવ’ની ઉજવણી કરી .

પ્રોડક્શન ઓછું થતા રોજગારી પર થશે અસર :

સુરત ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણીએ જણાવ્યું હતું કે  ‘હીરા વેપારીઓની હોલ્ડિંગ કેપેસિટી હોય તે માલનો સ્ટોક કરે. જેમની મજબૂરી હોય તેવા હીરા વેપારીઓ નુકસાન કરીને વેચે. અથવા તો પ્રોડક્શન પર કાપ પણ આવી શકે.’ એટલે કે જેઓએ નફો કરવાના આશયથી હીરાનો સ્ટોક કરી રાખ્યો હતો તેઓએ નુકસાની વેઠવાનો વારો આવશે. જેની અસર રત્નકલાકારો પર પણ જોવા મળશે. કારણ કે વેપારી સ્ટોક પૂરતો હોવાથી નવું પ્રોડક્શન કરશે નહીં અને પ્રોડક્શન બંધ રહેતા રત્નકલાકારોની રોજગારી પર અસર થઇ શકે છે.

હીરા વેપારીઓએ વિરોધ કરવો જોઇએ : દિનેશ નાવડિયા

તો આ તરફ  જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતના હીરા વેપારીઓ મહેનત કરીને હીરાનું મેન્યુફેક્ચરિંગ કરે અને અન્ય કંપની તેના ભાવ નક્કી કરે તે અયોગ્ય બાબત છે. હીરાવેપારીઓએ એક થઈ તેનો વિરોધ કરવો જોઈએ. મહત્વનું છે કે રેપાપોર્ટ પ્રાઇસ લિસ્ટએ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક છે જેનો ઉપયોગ ડીલરો દ્વારા તમામ મુખ્ય બજારોમાં હીરાની કિંમતો સ્થાપિત કરવા માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ઘરમાં ડખા, બહેને કોંગ્રેસમાંથી ટિકિટ માંગી, તો પત્નીનું વલણ ભાજપ તરફી

0

At home of cricketer Ravindra Jadeja

  • ગુજરાતના યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવે છે. પરંતુ જામનગરમાં તેમના પરિવારમાં રાજકીય ધમાલ મચી છે. રવિન્દ્ર જાડેજાનો પરિવાર રાજકીય મામલે સક્રિય થવા માંગે છે, પરંતુ તે પહેલા જ પરિવારમાં ધમાસાણ જોવા મળ્યું છે.

ગુજરાતના યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Young cricketer Ravindra Jadeja) ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવે છે. પરંતુ જામનગરમાં તેમના પરિવારમાં રાજકીય ધમાલ મચી છે. રવિન્દ્ર જાડેજાનો (Ravindra Jadeja) પરિવાર રાજકીય મામલે સક્રિય થવા માંગે છે, પરંતુ તે પહેલા જ પરિવારમાં ધમાસાણ જોવા મળ્યું છે. પરિવારના બે સદસ્ય રાજકીય મામલે આમને સામને જોવા મળ્યાં છે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ (Nainaba) જામનગર બેઠક પર કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ, તેમના પત્ની રીવાબા જાડેજા (Rivaba Jadeja) ભાજપ પડખે છે.

બહેન નયનાબાએ વિધાનસભાની ચૂંટણી માટે જામનગરની બેઠક માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓ નયનાબા જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરને રાજીનામું આપી દીધું છે. હાલ સંકેત એવા છે કે તેઓ જામનગરની બેઠક પરથી ચૂંટણી લડશે. આ માટે તેમણે દાવેદારી પણ નોંધાવી છે. વિધાનસભાની તૈયારીઓ માટે તેમણે રાજીનામું આપ્યુ હોવાનું તેઓ જણાવે છે.

તેમનું કહેવુ છે કે, વિધાનસભા ચૂંટણી લડવી હોય તો બધી જવાબદારીઓમાં પહોંચી વળવું શક્ય નથી, તેથી મેં રાજીનામુ આપ્યુ છે. મેં પત્રમાં પણ આ જ કારણ લખ્યું છે. તો બીજી તરફ રીવાબાનું કહેવું છે કે,  ભાજપ ચૂંટણી વખતે મારી પર ભરોસો કરશે તો હું તૈયાર છું.

જુઓ સંપૂર્ણ વીડિયો. : ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોએ દરિયામાં માછીમારોને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું અને તેમની સાથે ‘આઝાદી કા અમિત મહોત્સવ’ની ઉજવણી કરી .

ત્યારે પત્ની અને બહેન, રવિન્દ્ર જાડેજા માટે આ યક્ષ પ્રશ્ન બની રહેશે. ચૂંટણીમાં કોના પડખે રહેવું અને કોના માટે પ્રચાર કરવો તે તો સમય આવતા જ બતાવશે. પણ હાલ રવિન્દ્ર જાડેજાના પારિવારિક મુદ્દાને કારણે જામનગરનું રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો :-