Home Blog Page 133

સુરતમાં માછલી પકડવા ગયેલી 11 વર્ષની બાળકી તળાવમાં ડૂબી જતા મોત

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ પાસે તળાવમાં આજે સવારના સમયગાળા દરમિયાન માછલી પકડવા ગયેલી માત્ર 11 વર્ષની માસુમ બાળકી તળાવમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

બનાવની વિગત એવી છે કે વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે રહેતી માત્ર 11 વર્ષની સંજુકુમારી ગોવિંદરા મહારા નામની બાળકી સવારે 11:15 વાગ્યાના અરસામાં ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલ તળાવમાં માછલી પકડવા માટે ગઈ હતી.

આ સમયે અચાનક જ તે તળાવમાં પડી જતા ઊંડા પાણીમાં ગરમ થઈ ગઈ હતી. બનાવને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ વિભાગ ને જાણ કરતા ની સાથે જ ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ પાણીમાં માસુમ બાળકીની શોધખોળ કરી તેને બહાર કાઢી તાત્કાલિક ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બનાવને પગલે પોલીસે તેના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે.

ખડગેના નિવેદન પર ગુજરાતમાં ભાજપનો વિરોધ, માફીની માંગ ઉઠી

0

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાંણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ પર આપેલા નિવેદન પર હાલ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. બે દિવસ પહેલા શરૂ થયેલા આ વિવાદે હાલ વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું છે. કોંગ્રેસના ખડગેના ગુજરાતીઓ પર બફાટને લઈને ગુજરાત ભાજપે હાલ ભારે વિરોધ નોંધાવ્યો છે. ભાજપે સુરત, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિવિધ શહેરોમાં ભારે વિરોધ પ્રદર્શન યોજી ભારે રોષ સાથે કોંગ્રેસ પાસે આ મામલે માગ કરી છે.

વિગતે વાત કરીએ તો, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં ચૂંટણી રેલી દરમિયાન એક નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને અશિક્ષિત ગણાવતા કહ્યું કે, ત્યાંના લોકોને નરેન્દ્ર મોદી સરળતાથી ભ્રમિત કરી શકે છે, પરંતુ કેરળના લોકો વધુ સમજુ અને શિક્ષિત છે, એટલે કોઈ તેને ભ્રમિત કરી શકશે નહીં.’ ત્યારે આ નિવેદનને લઈને ગુજરાતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સાથે જ ચૂંટણીના માહોલ વચ્ચે વિવિધ રાજકીય પાર્ટીઓ પણ આ મામલાને લઈને રાજકીય લાભ ઉઠાવી રહી છે.

ખડગેના આ વિવાદિત નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. આ મામલે સુરતમાં સુરત બીજેપીના કાર્યકરોએ ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે, સુરતના અડાજન વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ મોં પર કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ નોંધાવ્યો છે. ‘ગુજરાતના અપમાન બદલ માફી માગે કોંગ્રેસના બેનર’ સાથે ભાજપ આ મામલે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે.

આ તરફ અમદાવાદમાં પણ ભાજપે મૌન ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે મૌન વિરોધમાં ભાજપના અનેક કાર્યકર્તાઓ જોડાયા છે. સાથે જ થોડી વારમાં ગાંધીનગરમાં પણ ભાજપ વિરોધ પ્રદર્શન કરશે તેવી અહેવાલો હાલ સામે આવી રહ્યા છે. ગાંધીનગર મહાનગર ભાજપ સંગઠન પણ ધરણાં પ્રદર્શન કરશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે ચૂંટણી વચ્ચે આગામી સમયમાં આ મુદ્દો ક્યાં જઈને અટકે એ જોવું રહ્યું!

મની લોન્ડ્રિંગ કેસમાં સુકેશને મળ્યા શરતી જામીન, છતાં જેલમાંથી તાત્કાલિક મુક્તિ નહીં

0

મની લોન્ડ્રિંગના કેસમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખરને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો છે. દિલ્હીની કોર્ટે સુકેશના કેસમાં સુનાવણી કરી હતી. આ દરમિયાન લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા સુકેશને જામીન મળતા એ મુક્ત થયો હતો. ₹200 કરોડની વસુલીના કેસમાં ઠગ સુકેશનું નામ ખુલતા પૂછપરછ કરવામાં આવી હતી. જામીન આપતાની સાથે કોર્ટે કેટલીક શરત મૂકી છે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, સુકેશે 5 લાખ રૂપિયા વ્યક્તિગત બોન્ડ ભરવા અને સમકક્ષ રકમ જામીનની જમા કરાવવા પર મુક્તિનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

શું રહેશે શરતો?
ટુ લીવ્સ સિંબલ કૌભાંડ અંતર્ગત મની લોન્ડ્રિંગ કેસમાં એમની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર મુક્ત થયા બાદ પણ એમની મુશ્કેલી ઓછી થઈ નથી. અન્ય કેસ હજું ન ઉકેલાતા તે બહાર આવી શકે એમ નથી. એમની પર આશરે 31 જેટલા કેસ ફાઈલ થયેલા છે એમાંથી 26 કેસમાંથી એમને જામીન મળી ગયા છે.ટુ લીવ્સ કૌભાંડ સૌથી વધારે ચર્ચામાં રહ્યું હતું એમાં એમનું નામ ખૂલ્યું હતું. કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, જામીન પર મુક્ત થયા બાદ તે કેટલાક પુરાવા, સાક્ષી કે બીજા કોઈ સોર્સનો સંપર્ક નહીં કરી શકે. તપાસ અધિકારીને ચોક્કસ સરનામું અને મોબાઈલ નંબર આપવો પડશે. પાસપોર્ટ જમા કરાવવો પડશે.

જેક્લીન સાથેના પત્રને લઈ ચર્ચામાં
મંજૂરી વગર તે કોઈ રીતે દેશ છોડીને ભાગી શકશે નહીં, જોકે અન્ય કેસ ચાલું હોવાને કારણે તે સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકશે નહીં. હજુ થોડો સમય જેલવાસ ભોગવવો પડશે. સુકેશ સામે 2017નો કેસ AIADMK નેતા TTV દિનાકરણ માટે મધ્યસ્થી તરીકે કામ કરવાના અને વી.કે. શશિકલા જૂથ માટે પાર્ટીના ‘બે પાંદડા’ વાળા ચૂંટણી ચિહ્નને સુરક્ષિત કરવા માટે ચૂંટણી પંચના અધિકારીને લાંચ આપવાના આરોપો સાથે સંબંધિત હતો. એક્ટ્રેસ જેક્લીન ફર્નાડીઝને જ્યારે એમના જન્મદિવસ પર પત્ર લખ્યો એ સમયે એ સૌથી વધારે ચર્ચામાં રહ્યો હતો. એટલું જ નહીં તાજેતરમાં ઈસ્ટરના તહેવારની પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

ગલ્ફ તણાવની અસર: ભારતીય ઊર્જા બજારમાં કરાર ભંગના કેસ વધવાની ભીતિ

0

વર્ષ 2026માં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે ગલ્ફ દેશોમાં તેલ અને ગેસની નિકાસ પર ‘ફોર્સ મેજ્યોર’ (અનિવાર્ય સંજોગોમાં કરારમાંથી મુક્તિ) ની જાહેરાત કરવામાં આવી છે. આ કાનૂની ધ્રુજારીની અસર હવે ભારતીય કોર્ટરૂૂમમાં પણ દેખાવા લાગી છે. નિષ્ણાતોના મતે, આગામી મહિનાઓમાં ભારતીય અદાલતોમાં કરાર ભંગના કેસોમાં ‘એક્ટ્સ ઓફ ગોડ’ (કુદરતી આફત) કરતા ‘એક્ટ્સ ઓફ સ્ટેટ’ (સરકારી હસ્તક્ષેપ) ના બચાવ વધુ જોવા મળશે.

શું છે ‘ફોર્સ મેજ્યોર’ અને ડેટા શું કહે છે?
જ્યારે કોઈ એવી ઘટના બને જે પક્ષકારોના નિયંત્રણની બહાર હોય અને તેના કારણે કરારનું પાલન અશક્ય બને, ત્યારે તેને ‘ફોર્સ મેજ્યોર’ કહેવામાં આવે છે. બોમ્બે અને દિલ્હી હાઈકોર્ટ તેમજ NCLT ના 305 કેસના વિશ્ર્લેષણમાં જાણવા મળ્યું છે કે, 2020ના કોવિડ સમયગાળા બાદ આવા કેસમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. 2022માં આ દર 10,000 કેસ દીઠ 53 સુધી પહોંચી ગયો હતો.

જો તમે એવું વિચારતા હોવ કે ફોર્સ મેજ્યોરનું બહાનું કાઢીને તમે કરારમાંથી બચી જશો, તો સાવધાન! અદાલતો 70% કિસ્સામાં આ દલીલ સાથે અસંમત થાય છે. વિશ્ર્લેષણ દર્શાવે છે કે માત્ર 23 થી 29 ટકા કેસમાં જ પક્ષકારોને સફળતા મળે છે. અદાલતો માને છે કે જો કોઈ ઘટના કરારના પાલનને ‘અશક્ય’ ન બનાવતી હોય પણ માત્ર ‘મુશ્કેલ’ બનાવતી હોય, તો તેને બહાના તરીકે ગણી શકાય નહીં.

નિષ્ણાતો ચેતવણી આપે છે કે માત્ર સામાન્ય ‘ફોર્સ મેજ્યોર’ કલમ પર આધાર રાખવો હવે પૂરતો નથી. વ્યવસાયોએ હવે ભૂરાજકીય જોખમો અને નિયમનકારી ફેરફારોને સીધા જ તેમના કરારની શરતોમાં સામેલ કરવા પડશે. 2026ની ગલ્ફ કટોકટી જેવી ઘટનાઓ સાબિત કરે છે કે તમારા બિઝનેસને રોકનારી શક્તિ કદાચ આકાશમાંથી આવતું તોફાન નહીં, પણ કોઈ નિયમનકારની કલમનો ફટકો હોઈ શકે છે.

આમ, બદલાતા સમયમાં ‘વ્યવસાય કરવાની સરળતા’ માટે માત્ર નિયમો હળવા હોવા પૂરતા નથી, પરંતુ નીતિઓનું અનુમાન લગાવી શકાય તેવું કાનૂની વાતાવરણ હોવું પણ એટલું જ અનિવાર્ય છે.

ગુજરાતમાં પુરવઠો પૂરતો: ગેસ-પેટ્રોલની અછત નહીં, કાળાબજાર સામે 2451 દરોડા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગુજરાતના લોકોને ગભરાવાની કોઈ જરૂૂર નથી. ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પેદાશો અને જીવનજરૂૂરિયાતની ચીજવસ્તુઓ પર સતત નજર રાખી રહી છે. સોશિયલ મીડિયા પર અને બજારોમાં એવી અફવાઓ ઉડી રહી છે કે પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરની અછત ઉભી થશે. પરંતુ, સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોઈ જ વસ્તુની અછત નથી અને તમામ પુરવઠો સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. લોકોએ ગભરાઈને ફટાફટ પેટ્રોલ પંપ કે ગેસ એજન્સી પર લાઈનો લગાવવાની કોઈ જ જરૂૂર નથી.

અમદાવાદ ખાતે યોજાયેલા એક ખાસ પ્રેસ બ્રિફિંગમાં આપવામાં આવી હતી. જેમાં IOC ના નોડલ અધિકારી સંજીબ બેહરા, રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધી અને કૃષિ વિભાગના એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

IOC ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજીબ બેહરાએ સ્પષ્ટ કર્યું કે, રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (LPG) નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ ખૂટી પડવાની (ડ્રાય આઉટ) સ્થિતિ નથી. ગુજરાતમાં અત્યારે 6688 પેટ્રોલ પંપ, 16 સ્ટોરેજ ડેપો, 11 LPG બોટલિંગ પ્લાન્ટ અને 1042 ગેસ એજન્સીઓ કાર્યરત છે.

રાજ્યમાં 2,43,088 ગેસ સિલિન્ડરની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી છે. માર્ચના અંતમાં અફવાઓને કારણે લોકો ગભરાઈને પેટ્રોલ પુરાવવા લાગ્યા હતા, જેના કારણે વેચાણમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે. રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, ગેસની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં રાંધવા અને અજવાળા માટે કેરોસીનનું વિતરણ પણ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની સૂચના મુજબ, ગુજરાત માટે 1452 કિલો લિટર (KL) કેરોસીનની ખાસ ફાળવણી કરવામાં આવી છે. દરેક જિલ્લાને 36 ઊંક કેરોસીન આપવામાં આવ્યું છે, જેનો ભાવ ₹61.40 થી ₹66.14 પ્રતિ લિટર રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પરિવારોને 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર કેરોસીન અપાશે. દરેક તાલુકાના એક પેટ્રોલ પંપ પરથી આ વિતરણ થશે, જેના માટે એક ખાસ ઓનલાઈન પોર્ટલ પણ શરૂૂ કરવામાં આવ્યું છે.

સરકાર કોઈને પણ આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા દેવા માંગતી નથી. કાળાબજારી રોકવા માટે રાજ્યભરમાં 2451 દરોડા પાડવામાં આવ્યા છે અને 24 ગેસ વિતરકોને નોટિસ ફટકારવામાં આવી છે. સરકારે અપીલ કરી છે કે માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો, અફવાઓથી દૂર રહો. કોઈ પણ ફરિયાદ હોય તો સરકારના હેલ્પલાઈન નંબર 1800 233 0222 પર સંપર્ક કરો.

ઈરાનના અલ્બોર્ઝમાં બૉમ્બ ધમાકામાં 18નાં મોત

પશ્ચિમ એશિયામાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ હવે પાંચમા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે અને સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. કોઈપણ પક્ષ ઝુકવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો કરાર નહીં થાય તો મોટા પાયે હુમલાઓ કરવામાં આવશે. બીજી તરફ, ઈરાને પણ સ્પષ્ટ કહ્યું છે કે હુમલા બંધ ન થાય ત્યાં સુધી કોઈ સમાધાન શક્ય નથી.

મંગળવારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના ખોરરામાબાદ એરપોર્ટ સહિત અનેક મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં અલ્બોર્ઝ પ્રાંતમાં 18 લોકોના મોત થયા હતા, જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે. ઈરાની રેડ ક્રેસેન્ટના જણાવ્યા મુજબ, 17 રહેણાંક વિસ્તારો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેને તેમણે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

આક્રમણોના જવાબમાં ઈરાને પણ ઈઝરાયલ પર અનેક મિસાઈલો છોડીને પ્રતિકાર કર્યો છે. ઈઝરાયલી મીડિયા અનુસાર, આ હુમલાઓથી મધ્ય ઈઝરાયલમાં નુકસાન થયું હતું, જોકે ઈઝરાયલે ઘણી મિસાઈલોને અટકાવવાનો દાવો કર્યો છે. કેટલાક વિસ્તારોમાં ક્લસ્ટર મ્યુનિશનથી પણ નુકસાન થયાનું કહેવાય છે.

ઈરાનના લશ્કરી સૂત્રો મુજબ દેશભરના મિસાઈલ લોન્ચર સંપૂર્ણ રીતે સક્રિય છે અને દરરોજ મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. તેહરાનમાં પણ વિસ્ફોટોના અવાજો સંભળાયા છે અને આકાશમાં લડાકુ વિમાનોની અવરજવર વધી છે. આ બધું અમેરિકાના વધતા દબાણ અને ટ્રમ્પની કડક ચેતવણી સાથે જોડાયેલું માનવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન ઈઝરાયલે દાવો કર્યો છે કે તેણે દક્ષિણપશ્ચિમ ઈરાનના શિરાઝ ખાતે આવેલી પેટ્રોકેમિકલ સુવિધા પર હવાઈ હુમલો કર્યો છે. આ સુવિધા ઇરાની સશસ્ત્ર દળો માટે વિસ્ફોટકો અને બેલિસ્ટિક મિસાઇલ માટે જરૂરી રસાયણો બનાવતી હતી.

પાકિસ્તાન બોર્ડર પરથી ડ્રગ્સ ઘુસાડવાનો રેકેટ બેનકાબ: 2 આરોપી ઝડપાયા

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ગુજરાત અને રાજસ્થાન ATSએ સંયુક્ત કાર્યવાહીમાં 2 આરોપીને ઝડપ્યા છે.રાજસ્થાનની બોર્ડર પાસેથી ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.રાજસ્થાન લવાયેલ 5 કિલો મેથામ્ફેટામાઈનનો જથ્થો જપ્ત કરાયો છે.બંને રાજ્યની તપાસ એજન્સીએ આરોપીની પૂછપરછ હાથ ધરી છે.પાકિસ્તાનની બોર્ડરથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

રાજસ્થાનની બાડમેર બોર્ડર પરથી 2 આરોપીઓ 5 કિલો ડ્રગ્સ સાથે આવી રહ્યા હતા. આ બંન્ને આરોપી વધુ ખુલાસા કરે તેવી શક્યતા છે.આ પહેલા પણ કેટલી વખત ડ્રગ્સ ભારતમાં ઘુસાડ્યું છે. તેના વિશે પણ પુછપરછ કરવામાં આવશે.

SOG મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
તો બીજી બાજુ રાજકોટ શહેર SOG મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે1.21 લાખના ડ્રગ્સ સહિત 2.21 લાખ નો મુદામાલ કબ્જે કર્યો છે. 6 એપ્રિલના રોજ સાણંદમાં રેડ દરમિયાન રૂપિયા 2.14 લાખ કિંમતનુ 21. 48 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતુ.પોલીસે ચારે આરોપીપાસેથી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ સહિત 2.50 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.ગુજરાત અને રાજસ્થાન ATS આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હવાઈ મુસાફરી મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જ વધાર્યો, અનેક રૂટ પર ભાડામાં વધારો

0

ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા 100 ટકાના ઉછાળા બાદ એર ઈન્ડિયાએ 8 એપ્રિલથી ભાડામાં વધારો કર્યો છે. હવે એરલાઈન અંતરના આધારે રૂ. 299થી રૂ. 899 સુધીનો સરચાર્જ આપવો પડશે. અગાઉ માર્ચમાં કંપનીએ રૂ. 399નો ફ્લેટ રેટ રાખ્યો હતો, પરંતુ હવે તેને ‘ડિસ્ટન્સ બેઝ્ડ ગ્રીડ’ માં ફેરવી દેવામાં આવ્યો છે.

શા માટે વધ્યા ભાવ?
ક્રૂડ ઓઈલમાં ભડકો
: ફેબ્રુઆરીના અંતમાં જેટ ફ્યુઅલનો ભાવ 99.40 ડોલર હતો, જે 27 માર્ચ સુધીમાં વધીને 195.19 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.

રિફાઈનરી માર્જિન : ઈંધણને રિફાઈન કરવાનો ખર્ચ માત્ર ત્રણ અઠવાડિયામાં ત્રણ ગણો વધી ગયો છે, જે એરલાઈન્સ માટે મોટો પડકાર છે.

અંતર (કિમીમાં)નવો સરચાર્જ (રૂપિયામાં)
0થી 500 કિમી299
501થી 1000 કિમી399
1001થી 1500 કિમી549
1501થી 2000 કિમી749
2000 કિમીથી વધુ890

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે સરચાર્જ (ડોલરમાં)

SAARC દેશો (બાંગ્લાદેશ સિવાય): 24 ડોલર
સિંગાપોર: 60 ડોલર
ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયા: 100 ડોલર
યુરોપ: 205 ડોલર
નોર્થ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા: 280 ડોલર

શ્રીનગર પોલીસનો મોટો પ્રહાર: લશ્કર નેટવર્કનો ભંડાફોડ, પાકિસ્તાની સહિત 5 ઝડપાયા

0

શ્રીનગર પોલીસે એક મોટી કાર્યવાહીમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીર પોલીસે એક સુનિયોજિત કામગીરીના ભાગ રૂપે રાજસ્થાન અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં 19 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, પોલીસે મોડ્યુલ સાથે સંબંધિત અસંખ્ય ગુનાહિત અને મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કર્યા હતા. ધરપકડ કરાયેલા શંકાસ્પદોની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે, અને કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

11 વર્ષની ભારતીય મૂળની બોધના બ્રિટનની નંબર-1 ચેસ ખેલાડી બની

0

ભારતીય મૂળની 11 વર્ષની બોધના શિવાનંદન બ્રિટનની નંબર વન મહિલા ચેસ ખેલાડી બની છે. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રેટિંગ-લિસ્ટમાં એ 2366 રેટિંગ-પોઇન્ટ ધરાવે છે. તેણે 4 વખતની બ્રિટિશ મહિલા ચેમ્પિયન પચીસ વર્ષની લેન યાઓને પાછળ છોડીને બ્રિટનની ટોચની મહિલા ચેસ ખેલાડીનું સ્થાન મેળવ્યું છે.

બોધના શિવાનંદને પ્રથમ વખત વિશ્વની ટોચની 100 મહિલા ચેસ રેન્કિંગ્સમાં પણ પ્રવેશ કર્યો છે અને હાલમાં તે 72મા ક્રમે છે. તેનાં માતા-પિતા 2007માં તમિલનાડુથી ઇંગ્લેન્ડ શિફ્ટ થયાં હતાં. ગયા વર્ષે તે 10 વર્ષ પાંચ મહિના ત્રણ દિવસની ઉંમરે ચેસ ગ્રેન્ડમાસ્ટરને હરાવનાર સૌથી યંગેસ્ટ ગર્લ બની હતી.