આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કેન્દ્રના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરાયો છે. જાન્યુ-જૂન-2026ના છ માસના ગાળા માટે હવે 60% મોંઘવારી ભથ્થુ મળશે.
એક તરફ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરી છે જેનો અમલ 1 જાન્યુ. 2026થી જ થનાર છે પણ પંચનો અહેવાલ આવે અને તેના પર આખરી નિર્ણય લેવાય ત્યાં સુધી સાતમા પગારપંચની જે જોગવાઈઓ છે તે લાગુ રહેશે. જે મુજબ વર્ષમાં બે વખત કેન્દ્રના કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થામાં ફેરફાર થાય છે.
જે હવે બેઝીક પગારના 58% મળતુ હતું તે વધીને 60% થઈ જશે. આગામી માસના પગારમાં તેની અસર અપાશે અને ત્રણ માસનું એરિયર્સ પણ ચુકવાય તેવી ધારણા છે. આજે મળેલી કેન્દ્રીય કેબીનેટે રૂા.13000 કરોડના મેરીટાઈમ સોવેર્જીયન ફંડને પણ મંજુરી આપી છે.
જેનો ઉપયોગ યુદ્ધ સહિતની કટોકટીના સમયમાં ભારતીય વ્યાપારી જહાજોને વધતા વિમા પ્રિમીયમમાં રાહત કરવામાં ખર્ચ કરાશે. જયારે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનામાં રૂા.3000 કરોડનું વધારાનું ભંડોળ આપવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કાશ્મીર ઘાટીના અનેક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે આશરે 8:24 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના બદખ્શાન ક્ષેત્રના ઝાયબક પાસે જમીનથી 190 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.
રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના સમાચાર મળ્યા નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આંચકા અનુભવાયા બાદ લોકો લાંબા સમય સુધી ઘરની બહાર ઉભા રહ્યા હતા અને સ્થિતિ સામાન્ય જણાયા બાદ જ ફરી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધન કરશે. આ સંબોધનમાં તેઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરશે તેવી સંભાવના છે, જેમાં મહિલાઓના આરક્ષણ જેવા મહત્વના વિષયનો પણ સમાવેશ થઈ શકે છે. સમગ્ર દેશની નજર આ સંબોધન પર કેન્દ્રિત છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરમાં રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન એક હાઈવોલ્ટેજ વિવાદ સામે આવ્યો છે, જેને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બનાવી દીધો છે.
માહિતી મુજબ, મદનપુરા વિસ્તારમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શેરી મીટિંગ યોજાઈ હતી, જેમાં ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા હતા.આ દરમિયાન અચાનક ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ત્યાં પહોંચ્યો અને મહિલા ઉમેદવારને પ્રશ્ન કર્યો કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેઓ ક્યાં હતા. આ સવાલને પગલે મીટિંગમાં તંગદિલી સર્જાઈ અને બંને પક્ષ વચ્ચે શાબ્દિક અથડામણ શરૂ થઈ ગઈ.
પરિસ્થિતિ ત્યારે વધુ ગરમાઈ ગઈ જ્યારે ભાજપના કાર્યકર્તાએ ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનું શરૂ કર્યું. અન્ય કાર્યકર્તાઓ પણ તેમાં જોડાતા સમગ્ર વાતાવરણ ઉગ્ર બન્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. ભાજપે કોંગ્રેસ પર ચૂંટણી સમયે જ સક્રિય થવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે કોંગ્રેસે ભાજપ પર પ્રચારમાં ખલેલ પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે.
લિંબાયત ઉપરાંત વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં પણ રાજકીય સ્પર્ધા તેજ બની રહી છે. આ ઘટનાને પગલે પોલીસ અને ચૂંટણી તંત્ર સતર્ક બન્યું છે. સ્થાનિક સ્તરે લોકોમાં પણ મતભેદ જોવા મળી રહ્યા છે-કેટલાક લોકો ભાજપના કાર્યકર્તાના સવાલને યોગ્ય ગણાવે છે, જ્યારે કેટલાક લોકો પ્રચારમાં વિક્ષેપને અયોગ્ય માને છે.
આ સમગ્ર ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી માત્ર મુદ્દાઓની લડાઈ નથી રહી, પરંતુ ભાવનાત્મક અને રાજકીય ધ્રુવીકરણ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ મતદાન પર કેવી અસર કરે છે.
હવામાન વિભાગે દેશમાં અસહ્ય ગરમી અને લૂની ચેતવણી આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના દિવસોને બાદ કરતાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ તીવ્ર ગરમી પડી રહી છે. મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં એકાએક તાપમાન વધી જતાં એલર્ટ આપવામાં આવ્યું છે. વિદર્ભનું અકોલા શહેર 44 ડિગ્રી તાપમાન સાથે વિશ્વના સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું હતું. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સપ્તાહે ફરી વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી હતી.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતના પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા 7 દિવસની કરવામાં આવેલી આગાહી મુજબ, આજે રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ કમોસમી વરસાદનું જોર સામાન્ય હશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 7 દિવસની આગાહી કરવામાં આવી છે તેમાં રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ કમોસમી વરસાદનું જોર સામાન્ય હશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
21 તારીખે તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે, જેમાં થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટીની સામાન્ય શક્યતાઓ જોવાઈ રહી છે. 22 તારીખે એટલે કે મંગળવારે ભરૂચ અને સુરતની સાથે અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19થી 21 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. વરસાદની સાથે રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કે 25થી 29 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવા અને 29 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 11થી 20 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળનું પ્રમાણ વધશે. કાચા મકાનોના પતરા ઊડી જાય તેવો પવન ફૂંકાવવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.
ભારતીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 30 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉપરાંત વીજળીના કડાકા ભડાકા પણ થશે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરામાં આગમી 5 દિવસ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ અને કેટલીક જગ્યાએ કરાનું એલર્ટ છે. હરિયાણા, પંજાબ, બિહાર, ઝારખંડ, ઓડિશામાં પણ હવામાન વિભાગે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 17 થી 21 એપ્રિલ વચ્ચે લૂ નું એલર્ટ અપાયું છે. હાલ અહીં અનેક વિસ્તારોમાં તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચુક્યું છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને બફારો લોકોને પરેશાન કરી શકે છે. રાતના સમયે પણ ગરમીથી રાહતની શક્યતા ઓછી છે.
પશ્ચિમ રાજસ્થાનમાં ભીષણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. હવામાન વિભાગે લૂ નું એલર્ટ જાહેર કર્યું છે. જેસલમેર, બીકાનેર અને આસપાસના વિસ્તારમાં તાપમાન સામાન્યથી વધારે છે. આજે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે આંધીનું એલર્ટ છે. હિમાચલ પ્રદેશમાં 18 અને 19 એપ્રિલના રોજ ગાજવીજ સાતે હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં કરા પડી શકે છે.
ખેડામાં લવજેહાદની જાળમાં ફસાવી સગીરા પર 3 વર્ષ સુધી નવ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, આ આખી ઘટના પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે પરવેઝ પઠાણનું નામ સામે આવ્યું છે, જેણે આશરે બે વર્ષ પૂર્વે સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીએ કપટપૂર્વક સગીરા સાથેના અંગત પળોના વીડિયો અને તસવીરો રેકોર્ડ કરી લીધા હતા. આ વાંધાજનક સામગ્રીને જ હથિયાર બનાવીને તેણે સગીરાને માનસિક અને શારીરિક રીતે લાચાર કરી દીધી હતી.
સામૂહિક દુષ્કર્મ અને ધમકીઓનો આતંક
પરવેઝે માત્ર પોતે જ સગીરાનું શોષણ નહોતું કર્યું, પરંતુ તેણે આ વીડિયો પોતાના મિત્રોને પણ બતાવ્યા હતા. ત્યારબાદ, અન્ય 8 નરાધમોએ પણ આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું. આ શખ્સો સગીરાને એવી ધમકી આપતા હતા કે જો તે મચક નહીં આપે, તો તેના વીડિયો સોશિયલ મીડિયા પર સાર્વજનિક કરી દેવામાં આવશે અને તેના પરિવારને જીવતા મારી નાખવામાં આવશે.
સમાજમાં બદનામી અને પરિવાર પર તોળાઈ રહેલા જોખમને કારણે સગીરા સતત ભયના ઓથાર હેઠળ રહી હતી. વર્ષ 2023 થી શરૂ થયેલો આ અત્યાચારનો સિલસિલો વર્ષ 2025 ના રમઝાન માસ સુધી અવિરત ચાલતો રહ્યો હતો. સગીરાએ આ ત્રણ વર્ષો દરમિયાન જે યાતના ભોગવી છે, તેણે સમગ્ર રાજ્યમાં ભારે રોષ અને અરેરાટી ફેલાવી દીધી છે. પોલીસ હાલ આ મામલે કડક તપાસ કરી રહી છે જેથી બાકી રહેલા આરોપીને પણ ઝડપી પાડી શકાય.મૌન તોડ્યું અને ન્યાય માટેની લડત શરૂ થઈલાંબા સમય સુધી નરક જેવી યાતનાઓ અને સતત બ્લેકમેલિંગ સહન કર્યા બાદ, આખરે સગીરાએ હિંમત એકઠી કરી પોતાની આપવીતી પરિવાર સમક્ષ રજૂ કરી હતી. દીકરી પર થયેલા આ ભયાનક અત્યાચારની જાણ થતાં જ પરિવારે હિન્દુ સંગઠનોની મદદ લીધી હતી. તેમના સક્રિય સહયોગથી ખેડા ટાઉન પોલીસ મથકે નરાધમો વિરુદ્ધ વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેનાથી આ આખા પાશવી કાંડનો પર્દાફાશ થયો છે.
પોલીસની કડક કાર્યવાહી: 8 નરાધમો જેલના સળિયા પાછળ
ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ખેડા પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી પરવેઝ પઠાણ સહિત માહિર, ફૈઝાન, તૌફીક અને સાહીલ જેવા 9 શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઓપરેશન હાથ ધરીને પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે એક ફરાર શખ્સને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
સુનિયોજિત ષડયંત્ર અને ન્યાયિક પ્રક્રિયા
પોલીસના પ્રાથમિક નિવેદન અનુસાર, આ સમગ્ર કૃત્ય એક સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે, જેમાં સગીરાને લાચાર બનાવી તેનું શોષણ કરવામાં આવ્યું હતું. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવીને જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે આ કેસમાં એવી મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે જેથી તમામ નરાધમોને કડકમાં કડક અને દાખલારૂપ સજા મળે.
અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં બાયડ હેલિપેડ ખાતે અચાનક યાંત્રિક ખામી સર્જાતા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. પાયલોટની સતર્કતાને કારણે ઉડાન પહેલાં જ ખામી પકડાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી વિગતો મુજબ, મુખ્યમંત્રી સાઠંબામાં ચૂંટણી સભા પૂર્ણ કરીને બાયડ હેલિપેડ પરથી પોતાના આગામી નિર્ધારિત પ્રવાસ માટે રવાના થવાના હતા. જોકે, હેલિકોપ્ટર ટેક-ઓફ્ફ કરે તે પૂર્વે જ પાયલોટને તેમાં કોઈ ગંભીર ટેકનિકલ ક્ષતિ હોવાનું જણાયું હતું. સુરક્ષાના પ્રોટોકોલને પ્રાધાન્ય આપી પાયલોટે તુરંત જ ઉડાન ભરવાનો ઇનકાર કરી દીધો હતો અને હેલિકોપ્ટરને ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી. તે પછી મુખ્યમંત્રીનો કાફલો સાઠંબાથી સડક માર્ગે સાબરકાંઠા જવા રવાના થયો હતો.
હેલિકોપ્ટરમાં સર્જાયેલી આ ખામીને ગંભીરતાથી લઈને જિલ્લા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એન્જિનિયરોની ટીમ દ્વારા હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી જાણી શકાય કે આ ખામી કયા કારણોસર સર્જાઈ હતી.
ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટની સમસ્યા વચ્ચે ભારત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપૂર્વના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ભારતને ચેતવણી આપી હતી. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને ચોક્કસ સમય આપ્યો હતો, તેની અવધી હવે પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં પણ ભારત રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પણ ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ નહીં કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ભારત હવે અમેરિકાની ધમકીઓ પર એટલું ધ્યાન આપી રહ્યું નથી. અમેરિકાએ આ પહેલા પણ રશિયા પાસેથી તેલની ખરીદી કરવા પર ભારત પર 25 ટકા વધારે ટેરિફ લગાવ્યો હતો. તે વખતે પણ ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીને સંપૂર્ણ રીતે બંધ તો નહોતી જ કરી, પરંતુ હા થોડી ઓછી કરી હોવાનું જાણવા ળ્યું હતું. અમેરિકા ધમકી આપે છે, પરંતુ ભારત પોતાના દેશમાં ઊર્જાશક્તિનું ખપતને પૂર્ણ કરવા માટે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અમેરિકા શું કરે છે અથવા શું કહે છે, તેના પર ભારત વધારે ધ્યાન આપતું નથી. કારણ કે, મહત્વપૂર્ણ બાબત એ છે કે, પેટ્રોલ- ડીઝલ અને ગેસની અછત ના સર્જાય તેના પર ધ્યાન આપવામાં આવે!
ભારતે અમેરિકાને કેવી સલાહ આપી? સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભારતે અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, રશિયા પાસેથી તેલની ખરીદી 140 કરોડ લોકોની ભલાઈ માટે કરવામાં આવી રહી છે. વૈશ્વિક બજાર અને સ્થિતિઓને ધ્યાને રાખતા રશિયા પાસેથી તેલની ખરીદી કરવામાં આવે છે અને આવતી પણ રહેશે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ પણ ટેરિફ મામલે ટ્રમ્પને ફટકાર લગાવી ચૂકી છે, એટલે અમેરિકાની ધમકીઓ પર ભારત પણ ખાસ ધ્યાન આપતું નથી. રશિયા સાથે આ વેપાર ચાલુ રહેશે, અમેરિકાને કોઈ સમસ્યા હોય તો તેને જાતે તેનો ઉકેલ શોધી લે તેવી સલાહ પણ આપવામાં આવી છે.
રશિયા પાસેથી ભારતે કેટલું તેલ ખરીદ્યું? આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો, 2025માં ભારતે રશિયા પાસેથી દરરોજ સરેરાશ 26 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદી કરી હતી. જોકે, ફેબ્રુઆરી 2025માં, ક્રૂડ ઓઇલ ખરીદી ઘટીને ૧૦ લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ હતી. માર્ચમાં, આ વોલ્યુમ વધારીને 15 લાખ બેરલ પ્રતિદિન કરવામાં આવ્યું હતું. વર્તમાનની વાત કરવામાં આવે તો, એપ્રિલમાં પ્રતિદિન 20 લાખ બેરલના દરે ખરીદી કરવામાં આવી રહી છે. જેનો અર્થ એ થયો કે ભારત તેના ક્રૂડ ઓઇલનો 38 ટકા હિસ્સો રશિયા પાસેથી ખરીદી રહ્યું છે.
તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી ખીણમાં ખાબકતા 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કેરળની એક શાળાના શિક્ષકો, અન્ય સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો મળીને કુલ 16 લોકો વેકેશન મનાવવા તમિલનાડુના પ્રવાસે આવ્યા હતા. તેઓ પ્રસિદ્ધ અતિરાપલ્લી વોટરફોલ જોઈને વાલપરાઈ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચાલકે વાન પરથી કાબૂ ગુમાવતા વાન સીધી ઉંડી ખીણમાં ખાબકી હતી.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ખીણમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. કેરળ પોલીસ આ મામલે તમિલનાડુ પોલીસના સતત સંપર્કમાં છે. દુર્ઘટનાના સમાચાર મળતા જ શાળાના વાલીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં શાળાએ ઉમટી પડ્યા હતા, સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી છે અને અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
પરિવારનું એકનું એક સંતાન અને નાનીવયની ચીલબુલી જેવી બંસરીને નૃત્યાંગનાની વેશભુષામાં જોઈને લોકો દંગ થઈ ગયા; બંસરી તેની વાસ્તવિક ઉંમર કરતાં મોટી-શાંત અને ઠરેલ લાગતી હતી; બંસરીએ રજુ કરેલા એક એક નૃત્યમાં ભાવ, તાલ અને લયનો અદ્ભુત સુમેળ તરી આવતો હતો
પ્રસંગોપાત કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન મોદીએ ગાંધીનગર િસ્થત પોતાની માિલકીના ચાર પ્લોટ સંગીત અકાદમી માટે ફાળવી આપ્યા હોવાની વાત કરીને વડાપ્રધાન મોદીના ભારતીય સંગીત પરંપરા પ્રત્યેના પ્રેમને ઉજાગર કર્યો હતો
સુરતીઓના હૃદયમાં પણ સંગીત વહે છે એ વાત બંસરીએ ફરી પુરવાર કરી બંસરીના આરંગેત્રમના સાક્ષી બનવા લગભગ બે હજાર જેટલા લોકો ઉમટી પડ્યાં હતા
સુરતના તત્કાલિન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પણ સુરતીઓને સંગીત પ્રત્યેનો ગજબનો નશો કરાવ્યો હતો; અસ્થાનાએ સુરતીઓને શનિ-રવિની રજામાં સ્ટ્રીટ પ્લે અને સાંજના સંગીતના સથવારે પારિવારીક તાંતણે બાંધી દીધા હતા
લગભગ પાંચ હજાર વર્ષ પુરાણી ભારતીય નૃત્યકલા પૈકી ‘આરંગેત્રમ’ નૃત્યને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન શિવ, કૃષ્ણ અને રામને સાંકળી લેતી આ નૃત્યકલા અત્યંત કઠિન તપશ્ચર્યા છે. ભારતના દિક્ષણના રાજ્યમાં પ્રચલિત કલા ‘આરંગેત્રમ’માં નિપુણ થવું એ એક શિક્ષણની સર્વોત્તમ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા બરાબર છે. લગભગ સાત વર્ષની સતત તપશ્ચર્યાને અંતે ‘આરંગેત્રમ’માં નિપુણતા હાંસલ કરી શકાય છે.
દિક્ષણ ભારતમાં અત્યંત પ્રચલિત આરંગેત્રમ પાછલા દાયકાઓથી દેશભરના રાજ્યોમાં પ્રતિષ્ઠાનું સ્થાન લઇ ચૂકી છે. ઘર, પરિવારની દીકરી, પુત્રવધુ ‘આરંગેત્રમ’માં નિપુણ હોય તો પરિવાર માટે ગૌરવ ગણાય છે. એવું કહેવાય છે કે હિંદુ પરંપરામાં ‘આરંગેત્રમ’ પણ એક સંસ્કાર છે.
એક વાત ચોક્કસ છે. નૃત્યના અનેક પ્રકાર છે પરંતુ ‘આરંગેત્રમ’માં વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલી ઊઠવા સાથે સુખદ ચારિત્ર્યનું નિર્માણ થાય છે. ‘આરંગેત્રમ’માં નિપુણ થયેલી વ્યક્તિના વાણી, વહેવાર અને સમર્પણભાવ નિખરી ઊઠે છે અને એટલે જ સુખી, સંપન્ન અને સંસ્કારી પરિવારોમાં દીકરીઓને ‘આરંગેત્રમ’ તરફ વાળવાના આગ્રહમાં વધારો થઇ રહ્યો છે. જાણે સમય પાછો ફરી રહ્યો છે. પશ્ચિમના સંગીતથી ઉબકાઈ ગયેલા, થાકી ગયેલા લોકોને હવે ભારતીય સંગીત પરંપરામાં સુખ અને શાંતિની અનૂભુતિ થઇ રહી છે. કારણ ભારતીય સંગીત પરંપરા દેવોને ઇશ્વરને સમર્પિત છે. આખી દુનિયામાં ભારતીય સંગીત પરંપરામાં મનને શાંતિ મળે છે, એ કદાચ દુનિયાના કોઇ સંગીતમાં નહીં હોય કારણ ભારતીય સંગીત ઇશ્વરના આત્માનો અવાજ છે. ભારતીય વાદ્યોની ઉદ્વેગ થઇ ગયેલા મનને શાંત કરે છે અને હારી ગયેલા મનને ફરી બેઠું પણ કરે છે. ભારતીય સંસ્કૃતિ, પર્યાવરણમાં ઠાંસીઠાંસીને ભરેલી તાકાતની અનુભૂિત કરાવે છે.
ઘણા લોકો ‘આરંગેત્રમ’ને ‘દાસીપ્રથા’ સાથે સરખાવે છે. પરંતુ આ નરી ગેરમાન્યતા છે. નૃત્યાંગના જ્યારે નૃત્યમાં નિપૂણ થઇને પ્રથમ વખત તેના ગુરૂજનો, પરિવારજનો અને સ્નેહીજનો સમક્ષ પોતે મેળવેલી કલા રજુ કરે છે એ પૂર્વે તેની કલાને ઇશ્વરને સમર્પિત કરે છે અને એટલે જ ભૂતકાળમાં પ્રથમ નૃત્ય સમારોહ ઇશ્વરના દરબારમાં એટલે મંદિર પરિસરમાં યોજવામાં આવતો હતો. સમય જતા વ્યવસ્થામાં બદલાવ થયો. એરકન્ડીશન્ડ થિયેટર અને હોલની સુવિધાઓ ઊભી થવાથી ‘આરંગેત્રમ’ નૃત્યના દિક્ષાંત સમારોહ જાહેર મંચ ઉપરથી રજુ કરવાની આખી પરંપરા ઊભી થઇ ગઇ અને પરિવારના સંતાનનું ‘આરંગેત્રમ’ એક પ્રતિષ્ઠાનો પ્રસંગ બની ગયો. દેશના મોટાભાગના ‘મેટ્રોસિટી’માં આવા પ્રસંગો પ્રતિષ્ઠાનું સ્થાન લઇ ચૂક્યા છે.
ભારતીય ધર્મ પરંપરામાં અધ્યાત્મ અને ઇશ્વરની પ્રાિપ્ત સાથે આરોગ્યને પણ વણી લેવામાં આવ્યું છે. યોગા, સાધના, મૌન સહિતની પ્રક્રિયામાં પ્રભુભક્તિ સાથે શરીરના આરોગ્યને પણ સતત વણી લેવામાં આવ્યા છે. આજે ‘યોગ’ એ આધુનિક શબ્દ બની જવા સાથે પોતે ‘યોગા’ કરી રહ્યો હોવાનું કહીને વ્યક્તિ ગૌરવ અનુભવે છે. પરંતુ આ યોગક્રિયા બીજું કઇ જ નહીં. ભારતીય ધાર્મિક પરંપરા સાથે વણાયેલી એક પ્રક્રિયા છે. આ ભારતીય પરંપરામાં છુપાયેલી શક્તિમાં આજે સમગ્ર વિશ્વને સુખનો અનુભવ થઇ રહ્યો છે.ખેર, સુરતમાં એક સુસંસ્કૃત ડૉકટર પરિવાર ડૉ.પારૂલ અને ડૉ. મેહુલ ભાવસારની દીકરી કુમારી બંસરીએ સખત અને સતત પરિશ્રમના અંતે ‘આરંગેત્રમ’માં નિપુણતા હાંસલ કરીને થોડા દિવસ પહેલા ડૉ.ભાવસાર પરિવારના લોકો, મિત્ર, શુભેચ્છકો અને ગુરૂજનોની હાજરીમાં અદ્ભૂત નૃત્ય કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વિવિધ નૃત્ય અને મુદ્રા સાથે ભાવ પ્રગટ કરીને લોકોના દિલોદિમાગમાં છવાઇ ગઇ હતી. બંસરીનો મૂળભૂત સ્વભાવ ‘અલ્લડ’ કહી શકાય. કારણ ડૉકટર દંપતિનું એકનું એક સંતાન એટલે કે લાડકોડમાં ઉછરેલી બંસરી અલ્લડ હોય એ માની શકાય પરંતુ બંસરીએ જ્યારે આરંગેત્રમ નૃત્ય રજુ કર્યું ત્યારે ભાગ્યે જ કોઇ કહી શકે કે આ ડૉકટર ભાવસાર દંપતિની ચુલબુલી દીકરી બંસરી હશે. જે લોકો બંસરીને નજીકથી ઓળખતા હતા એવા લોકો પણ બંસરીનું નૃત્યાંગનાનું રૂપ જોઇને અભિભૂત થઇ ગયા હતા. નૃત્યાંગનાની વેશભૂષામાં બંસરી તેની વાસ્તવિક ઉંમર કરતા અનેક ગણી મોટી, શાંત અને ઠરેલ લાગતી હતી. નૃત્યના પ્રકાર ભલભલા નિષ્ણાંતો પણ સમજી શકે નહીં એવા નૃત્યો ઇશ્વરીય ભાવ સાથે બંસરીએ રજુ કર્યા હતા. વળી ક્યાંય પણ ખચકાટ કે ભૂલ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે બંસરી છવાઇ ગઇ હતી.ભરતનાટયમ્ નૃત્ય શૈલીના ગુજરાતના સુવિખ્યાત નૃત્યકાર મૃણાલિની સારાભાઇએ અારંગેત્રમને ‘આરાધના’ નો પર્યાય શબ્દ આપ્યો હતો. કુ.બંસરીએ નટરાજવંદના, ગુરૂવંદના, સભાવંદના, અને મંગલાચરણ પછી અલારિપ્પુ, જતિસ્વરમ, શબ્દમ, વર્ણનમ, પદમ, તિલ્લાના શ્લોકમ, મંગલમ, જેવા સંગીત અને તાલમય, ભાવમય નૃત્ય રજુ કરીને કઠોર સંગીત સાધનાનો પરિચય કરાવ્યો હતો.
શાસ્ત્રીય સંગીતની ઉચ્ચત્તમ શૈલીમાં બંસરીએ ‘નવરસ’નું અદ્ભૂત નૃત્ય રજુ કરીને સંગીત ગુરૂ શ્રીમતી રાિધકા ઉમરજી સહિત સંગીતવૃંદને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ‘આરંગેત્રમ’માં વિવિધ ભાવ સાથે રજુ કરવામાં આવતા નૃત્યને આખરી કસોટી ગણવામાં આવે છે અને આ કસોટી ‘બંસરી’એ પાર પાડી દીધી હતી.
સુરતના સરસાણા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટીનમ હોલમાં યોજવામાં આવેલા બંસરીના દિક્ષાંત સમારોહમાં સુરતના પ્રથમ હરોળના નાગરિકો, ડૉકટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા અગ્રણીઓ સહિત લગભગ બે હજાર લોકોએ હાજરી આપી હતી.કેન્દ્રીય જળશક્તિી મંત્રી સી.આર.પાટીલે બંસરીની નૃત્ય સાધનાની સરાહના કરવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંગીત પ્રત્યેના લગાવની એક ઉદાહરણરૂપ ઘટના રજુ કરી હતી. સી.આર. પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની માલિકીના ગાંધીનગરમાં જમીનના ચાર પ્લોટ હતા આ પ્લોટ તેમણે સંગીત સાધનાના કેન્દ્ર માટે અર્પણ કરી દીધા હતા. કદાચ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ જમીનના પ્લોટ ઉપર સંગીત અકાદમીની ૧૬ માળની બિલ્ડીંગ સાકાર થઇ ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં અહિંયા સંગીતજ્ઞની ડિગ્રી એનાયત કરવામાં આવતી હશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પ્રાસંગિક જાહેરાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હૃદય-મનમાં ધરબાયેલા સંગીત પ્રેમને સી.આર. પાટીલે ઉજાગર કર્યો હતો.
પચરંગી પ્રજાથી ઉભરાતા સુરતમાં વેપાર, ઉદ્યોગની સાથે ભારતીય કલા અને સંગીત પ્રત્યેનો પ્રેમ સમાંતર વહી રહ્યો છે. અહિંયા રોજબરોજ ક્યાંકને ક્યાંક ભારતીય પરંપરાગત સંગીતના કાર્યક્રમ સાથે ‘આરંગેત્રમ’ જેવા દિક્ષાંત સમારોહ યોજાતા રહે છે. સુરતના તત્કાલિન પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ સુરતમાં કાયદો, વ્યવસ્થાની જાળવણી સાથે સંગીતનો ગજબનો નશો કરાવ્યો હતો. શનિ અને રવિવાર સુરતમાં કલ્ચર કાર્યક્રમોની હારમાળા રહેતી હતી. રવિવારની વહેલી સવારે સ્ટ્રીટ પ્લે અને સાંજના સંગીતના કાર્યક્રમો આ સુરતની આદત બની ગઇ હતી. આવા કાર્યક્રમોને કારણે સુરતના લોકોમાં એક પારિવારિક ભાવના પેદા થઇ હતી. પો.કમિ.રાકેશ અસ્થાના સુરત છોડી ગયા પરંતુ તેમણે ઊભી કરેલી પરંપરાને કારણે આજે પણ પરિવારના તાંતણે બંધાઇ ગયેલા લોકોના થોડા થોડા સમયે ‘જલસા’ થતા રહે છે. ખરેખર સમજાય તો માનવીય જીવનનું આ જ તો સત્ય છે.
ડૉ.પારૂલ અને ડૉ.મેહુલ ભાવસારની દીકરી બંસરીના દિક્ષાંત સમારોહની ઘટનાએ સુરતીઓના સંગીત, નૃત્ય પ્રત્યેના પ્રેમને ફરી ઉજાગર કર્યો હતો. ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, લંકાિવજય હનુમાન આશ્રમના ગાદીપતિ સીતારામ દાસબાપુ, ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન નિખિલ મદ્રાસી, સિવિલ હોસ્પિ.ના ડૉ. કેતન નાયક, ડૉ.મહેન્દ્ર ચૌહાણ, ડૉ.પ્રશાંત નાયક, વનિતા વિશ્રામના કુલપતિ ડૉ.દક્ષેશ ઠાકર નર્મદ યુનિ.ના કુલપતિ કિશોરસિંહ ચાવડા, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપદાદા ‘ગુજરાત ગાર્ડિયન’ના તંત્રી મનોજ મિસ્ત્રી, ડૉ. તુષાર ધડુક, નર્સિંગ એસો.ના પ્રમુખ ઇકબાલ કડીવાળા, ધબકારના તંત્રી નરેશ વરીયા સહિત અનેક નામી અનામી લોકોની હાજરી વચ્ચે કુ.બંસરીનો ‘દિક્ષાંત’ સમારોહ ઉજવાયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, ડૉ.મેહુલ ભાવસાર લોકોની સેવાની ભાવના સાથે અમરોલી, કોસાડ, સાયણ િવસ્તારમાં ‘બંસરી’ નામથી હોિસ્પ. ચલાવે છે. જ્યારે ડૉ.પારૂલ વડગામા સુરત સિવિલ હોિસ્પ.ના ચેસ્ટ અને ટીબી િવભાગનાં એચઓડી તરીકે ફરજ બજાવે છે.