Home Blog Page 109

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ₹993નો તગડો વધારો, કિંમત ₹3000 પાર પહોંચી

0

મે મહિનાની મોંઘેરી શરૂઆત થઈ છે. સરકારી ઓઈલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. જોકે ઓઈલ કંપનીઓએ આમ આદમીને રાહત આપી હતી અને ઘરેલું (14.2 કિલો) ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.

દેશની સરકારી ઓઈલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈંધણની કિંમતમાં વધારો થતાં આ નિર્ણય લીધો હતો. જોકે એટીએફના દરમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આ નિર્ણય એરલાઈન્સ અને ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય મૂલ્ય અસ્થિરતાથી બચાવવાના હેતુથી લેવામાં આવ્યો હતો. ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો નથી.

ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન (IOC)એ જણાવ્યું કે, લોકોને અસર કરતાં મુખ્ય ઈંધણની કિંમતમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એટીએફની કિંમત દર મહિનાની પ્રથમ તારીખે ઈનપુટ કોસ્ટના આધારે નક્કી કરવામાં આવે છે. જોકે ઘરેલું એરલાઈન્સના એટીએફ દરમાં કોઈ બદલાવ થયો નથી.

IOCએ જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો તે ગ્રાહકો માટે યથાવત રહી છે, જેઓ કુલ વપરાશનો લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે. તેવી જ રીતે, આશરે 33 કરોડ ગ્રાહકો માટે ઘરેલું એલપીજી (14.2 કિગ્રા સિલિન્ડર) ના ભાવમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વિતરિત કરવામાં આવતા કેરોસીનના ભાવમાં પણ કોઈ વધારો થયો નથી.

કુલ મળીને, પેટ્રોલિયમ ઉત્પાદનોનો લગભગ 80 ટકા હિસ્સો એવો છે કે જેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, જેનાથી મોટાભાગના ગ્રાહકો માટે સ્થિરતા સુનિશ્ચિત થઈ છે. ઓઈલ કંપનીઓએ જણાવ્યું હતું કે ભાવ સુધારો માત્ર પસંદગીના ઔદ્યોગિક ક્ષેત્રો પૂરતો મર્યાદિત છે, જેઓ વપરાશમાં પ્રમાણમાં નાનો હિસ્સો ધરાવે છે અને વૈશ્વિક બેન્ચમાર્કના આધારે નિયમિત માસિક ફેરફારોને આધીન છે.

નોંધનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મુઝનો માર્ગ બંધ છે, જ્યાંથી ભારત મોટા પાયે ગેસ અને તેલ મંગાવતું હતું. રસ્તો બંધ થવાને કારણે ગેસ અને તેલના પુરવઠામાં ઘટાડો થયો છે, જેના કારણે ભારત અન્ય ઘણી જગ્યાઓ પરથી તેલ અને ગેસની આયાત વધારી રહ્યું છે. આવી સ્થિતિમાં, ખર્ચમાં પણ વધારો થયો છે અને પુરવઠા પર પણ દબાણ વધ્યું છે. આ કારણોસર ગેસના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

હાવડામાં ચૂંટણી તણાવ: EVM ખરાબ થતાં હોબાળો, નડિયામાં BJP એજન્ટ પર હુમલો

0

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થવાનું હતું, પરંતુ સવારે 5.30 વાગ્યાથી જ લોકો બૂથો પર પહોંચવા લાગ્યા હતા. મોટાભાગના બૂથો પર મહિલાઓની લાંબી લાઈન લાગી છે.

હાવડાના બાલીમાં EVMમાં ગડબડીની વાતને લઈને હોબાળો થયો. CRPF જવાનોએ બે લોકોને અટકાયતમાં લીધા. નાદિયાના છપરામાં BJP એજન્ટે TMC કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો. જ્યારે પાનીહાટીથી BJP ઉમેદવાર રત્ના દેબનાથે EVMમાં ખરાબીની વાત કહી.

બીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી કડક મુકાબલો ભવાનીપુર બેઠક પર થવાનો છે. આ CM મમતા બેનર્જીની પરંપરાગત બેઠક છે. મમતા વિરુદ્ધ ભાજપ નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. સુવેન્દુ 2021માં મમતાને નંદીગ્રામથી હરાવી ચૂક્યા છે.

રાજરહાટ-ગોપાલપુર વિધાનસભા મતવિસ્તારના પંચનંતલા, ઘોષપારા, કેસ્ટોપુરમાં અને ચંદીબેરિયા નવજાગરણ ક્લબમાં EVM માં ગડબડીના સમાચાર મળ્યા. હવે સમસ્યાઓ ઠીક થઈ ગઈ છે અને બંને બૂથ પર મતદાન ફરી શરૂ થઈ ગયું છે.

મમતાએ કહ્યું- ભાજપ બહારથી ઓબ્ઝર્વર અને અધિકારીઓને લાવીને આતંક ફેલાવી રહી છે

મુખ્યમંત્રી અને ભવાનીપુરથી TMC ઉમેદવાર મમતા બેનર્જીએ કોલકાતામાં કહ્યું- બહારથી ઘણા બધા ઓબ્ઝર્વર આવ્યા છે. BJP જે કંઈ કહે છે, તેઓ તે જ કરી રહ્યા છે. જરા આસપાસ જુઓ, અમારા બધા પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે. શું ચૂંટણી આવી રીતે જ થાય છે? મતદારો મત આપશે, પોલીસ કે સુરક્ષા દળો નહીં. તાજેતરમાં કેટલાક નવા લોકોને લાવવામાં આવ્યા છે અને તેઓ જે ઈચ્છે તે કરી રહ્યા છે. તેઓ આતંક ફેલાવી રહ્યા છે.

અમદાવાદમાં પોલીસે કાર્યકરને લાફો મારતા ભાજપ વિફર્યોઃ મારામારીના દૃશ્યો સર્જાયા

અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી દરમિયાન આજે એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ ખાતે ભારે હોબાળો અને ઉત્તેજનાભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. મતગણતરી કેન્દ્ર પર સુરક્ષામાં તૈનાત પોલીસ અધિકારી અને ભાજપના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થતા વાતાવરણ ગરમાયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ ખાતે જ્યારે વોર્ડના પરિણામો જાહેર થઈ રહ્યા હતા, ત્યારે પ્રવેશ દ્વાર પાસે વ્યવસ્થા જાળવવા બાબતે પોલીસ અને ભાજપના કેટલાક કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ વિવાદ દરમિયાન એક પોલીસ અધિકારીએ ઉશ્કેરાઈને ભાજપના કાર્યકર્તાને લાફો મારી દેતા મામલો બિચક્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના વિરોધમાં ભાજપના અન્ય કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને શાંતિપૂર્ણ રીતે હાજર રહેલા કાર્યકરો પર હાથ ઉપાડી રહી છે.

ઘટનાને પગલે મતગણતરી કેન્દ્રની બહાર અફરાતફરી મચી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાર્યકરોને શાંત પાડવા અને મામલો થાળે પાડવા માટે મધ્યસ્થી કરી હતી. આ ઘટનાને કારણે થોડા સમય માટે મતગણતરી કેન્દ્ર પર કામગીરી પ્રભાવિત થઈ હતી, પરંતુ વધારાનો પોલીસ કાફલો ઉતારીને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાલમાં આ મામલે લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત મનપામાં ભાજપનો ભવ્ય વિજય: AAP 27થી ઘટીને 4 પર, કોંગ્રેસે માત્ર 1 બેઠકથી આબરું બચાવી

0

ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 15માંથી 12 મનપા પર ભાજપનો ભગવો લહેરાયો છે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભા અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ હારનો સામનો કરવો પડ્યો છે.

સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. આગામી પાંચ વર્ષ માટે પણ સુરતીઓએ ભાજપને સત્તા સોંપી છે. મનપાની 120 બેઠકમાંથી ભાજપે 115 બેઠક કબજે કરી છે. જ્યારે 2021માં સુરતમાં 27 બેઠક જીતનાર આપ 4 બેઠક પર જ સમેટાઈ ગઈ છે. તો 2021માં 0 પર રહેલી કોંગ્રેસ આ વખતે નામ માત્રની એક બેઠક જીતી છે.

નવસારી મનપાની પ્રથમ ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. 52માંથી 50 બેઠક પર ભાજપે કબજો કર્યો છે. કોંગ્રેસે માત્ર 2 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.

સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય: 100થી વધુ સીટ સાથે દબદબો

સ્થાનિક સ્વરાજ્યની અંદાજે 10 હજાર સીટોની મતગણતરી દરમિયાન સુરત મહાનગરપાલિકાના પરિણામોએ રાજકીય દૃશ્યમાં મોટો ફેરફાર લાવ્યો છે. સુરતના ઇતિહાસમાં પહેલીવાર ભાજપે મહાનગરપાલિકામાં 100થી વધુ સીટો જીતીને ભવ્ય વિજય નોંધાવ્યો છે, જે પાર્ટી માટે ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે.

30 વોર્ડમાંથી અત્યાર સુધી 27 વોર્ડના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. તેમાં ભાજપે 103 સીટો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ 4 સીટો અને કોંગ્રેસે માત્ર 1 સીટ પર જીત મેળવી છે. બાકીના 3 વોર્ડમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે, જેના આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે કુલ 115 સીટ સુધી ભાજપ પહોંચે તેવી શક્યતા છે.

વિગતવાર પરિણામો મુજબ, મોટાભાગના વોર્ડોમાં ભાજપે દબદબો જાળવી રાખ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 1થી 7, 9થી 11, 13થી 16, 18થી 19 તેમજ 21થી 28 અને 30માં ભાજપે જીત મેળવી છે. વોર્ડ નંબર 12માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર જીત્યા છે, જ્યારે વોર્ડ નંબર 17માં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે.

આ પરિણામો દર્શાવે છે કે સુરત શહેરમાં ભાજપનો પ્રભાવ સતત મજબૂત બની રહ્યો છે, જ્યારે વિરોધ પક્ષો માટે આ ચૂંટણી પડકારરૂપ સાબિત થઈ છે.

સુરત મહાનગરપાલિકાના આપના ઉમેદવાર પાયલ સાકરીયાની હાર

સુરતવાસીઓ જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ ખરેખર આજે આવી ગયો છે. ગત 26 એપ્રિલના રોજ મતદાન બાદ આજે 28 એપ્રિલના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠકો પર કુલ સરેરાશ 59.21% મતદાન નોંધાયું હતું. ત્યારે આજે સુરતમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મતગણતરીમાં 2000થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટણી એજન્ટો જોડાયા છે. મજુરા વિસ્તારમાં આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજની બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોણ-કોણ બાજી મારશે? સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ સાથે સંબંધિત લેટેસ્ટ અપડેટ માટે ન્યૂઝ18 ગુજરાતી સાથે જોડાયેલા રહો. પળેપળની વિગતો અમે આપના સુધી પહોંચાડતા રહીશું.

આપના ઉમેદવાર પાયલ સાકરીયાની હાર
સુરત મહાનગરપાલિકાના આપના ઉમેદવાર અને વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની હાર થઈ છે. સુરત મનપાના વોર્ડ નંબર 16માં ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે, સુરત મહાનગરપલિકાના વોર્ડ નંબર 16માં ભાજપની સંપૂર્ણ પેનલે જીત મેળવીને આમ આદમી પાર્ટી પાસેથી સીટો છીનવી લીધી છે. જે બાદ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, અમે મહેનતમાં કચાસ રહી જતા હાર્યા છીએ. આગામી પાંચ વર્ષ મહેનત કરીશું અને ફરીથી ટીમમાં જીતીને આવીશું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ટોચના નેતાઓ ખાનપુર કાર્યાલયે ઉજવશે વિજયોત્સવ

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં સત્તાધારી ભાજપને લગભગ દરેક સ્તરે વિજય મળી રહ્યો છે ત્યારે આ જીતની ઉજવણી અમદાવાદમાં પક્ષના કાર્યાલય ખાનપુર ખાતે થશે.

અહેવાલ અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત ટોચના હોદ્દેદારો સાંજે અમદાવાદ ખાનપુર કાર્યાલય પહોંચશે. સાંજે 5.30થી 6.00 વાગ્યે આ ટોચના નેતાઓ પહોંચશે અને ત્યાં ભાજપના વિજેતા ઉમેદવારો ઉપરાંત પક્ષના કાર્યકરોની સાથે વિજય ઉત્સવમાં સામેલ થશે.

દરમિયાન, સમગ્ર રાજ્યમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ સતત આવી રહ્યા છે. બપોરે બે વાગ્યા સુધીમાં સત્તાધારી ભાજપે તમામ 15 મહાનગરપાલિકા, 84માંથી 46 નગરપાલિકા ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મોટાભાગની બેઠકો ઉપર વિજય મેળવી લીધો છે.

ડભોઈ પાલિકામાં ભાજપે 8 વર્ષ બાદ સત્તા ગુમાવી, કોંગ્રેસનો ભવ્ય વિજય

વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 8 વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટીએ સત્તા ગુમાવી છે. ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢ ગણાતા ડભોઈમાંકોંગ્રેસે જોરદાર વાપસી કરીને ભાજપના સુપડા સાફ કરી નાખ્યા છે. આ પરાજય માત્ર નગરપાલિકાની હાર નથી, પરંતુ સ્થાનિક સ્તરે ભાજપના સંગઠન અને ધારાસભ્યના વર્ચસ્વ સામે પણ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.

ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મુજબ, ડભોઈ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસે બહુમતીનો આંકડો વટાવીને 21 બેઠકો પર શાનદાર વિજય મેળવ્યો છે. બીજી તરફ સત્તાધારી ભાજપ માત્ર 15 બેઠકો પર સમેટાઈ ગયું છે. 8 વર્ષના લાંબા અંતરાલ બાદ ડભોઈ નગરપાલિકા પર ફરી એકવાર ’પંજો’ મજબૂત થયો છે અને કેસરીયો ફિક્કો પડ્યો છે.

ડભોઈના વોર્ડ નંબર 2માં ભાજપના માજી પ્રમુખ બિરેન શાહની હાર થઈ છે, જે ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જોકે, આ જ વોર્ડમાં કોંગ્રેસ માટે પણ માઠા સમાચાર રહ્યા છે, કારણ કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુભાષ ભોજવાણીએ પણ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.

ડિજિટલ અરેસ્ટ પર લગામ માટે કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન: સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો રીપોર્ટ

0

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ડિજીટલ અરેસ્ટની ઘટનાઓ સતત બની રહી છે. અલગ અલગ માધ્યમો મારફતે સરકારના જાગૃતિ અભિયાનો છતાં લોકો ઠગોની જાળમાં ફસાઈ રહ્યા છે. એવામાં સરકાર આવી ઘટનાઓ રોકવા સરકાર મલ્ટી-એજન્સી સ્ટ્રેટેજી તૈયાર કરી છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ડિજિટલ એરેસ્ટ રોકવા માટે મલ્ટી-એજન્સી સ્ટ્રેટેજી રજૂ કરી છે. નવી સ્ટ્રેટેજી મુજબ તમામ એન્જસીઓ સાથે મળીને કામ કરશે. નવી સ્ટ્રેટેજી મુજબ બાયોમેટ્રિક સિમ વેરિફિકેશનથી માંડીને શંકાસ્પદ બેંક ખાતાઓ પર કામચલાઉ ડેબિટ હોલ્ડ સુધીના પગલાં સૂચવવામાં આવ્યા છે.

વિબીધ હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા બાદ સરકારે અહેવાલ રજુ કર્યો છે. સરકારે કોર્ટને વિનંતી કરી છે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY), અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) સહિત મુખ્ય અધિકારીઓને સલામતીના પગલાંના એકસમાન અને સમયબદ્ધ અમલીકરણની ખાતરી કરવા માટે નિર્દેશો આપે.

કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા ભારતના એટર્ની જનરલે ભલામણો રજુ કરી હતી. સાયબર છેતરપિંડીમાં સિમ કાર્ડના દુરુપયોગને રોકવા માટે ટેલિકોમ નિયંત્રણોને કડક બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે ભલામણ કરી છે સિમ મેળવા રાષ્ટ્રીય સ્તરે ટેલિકોમ્યુનિકેશન્સ (યુઝર આઇડેન્ટિફિકેશન) નિયમો અને બાયોમેટ્રિક આઇડેન્ટિટી વેરિફિકેશન સિસ્ટમનું કડક અમલીકરણ કરાવવામાં આવે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર આ માળખાનું કડક પાલન કરવા અને તેમના અમલીકરણમાં સહકાર આપવા સુચન કરવામાં આવ્યું છે.

આ રિપોર્ટમાં DoTના 31 ઓગસ્ટ, 2023ના પરિપત્ર અનુસાર, સિમ એક્ટિવેશન માટે પોઈન્ટ ઓફ સેલ (PoS) વેન્ડર્સ માટે મજબૂત ચકાસણી પદ્ધતિઓ લાગુ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. ડિજિટલ ધરપકડ કૌભાંડો સહિત અન્ય સાયબર ક્રાઈમની ઘટના માટે ઉપયોગમાં લેવામાં આવતા શંકાસ્પદ સિમ કાર્ડને ઝડપી બ્લોક કરવાની ભલામણ કરવામાં આવી છે.

ટેલિકોમ ઓપરેટરો અને તેમના PoS એજન્ટોને સબસ્ક્રાઇબર એક્ટિવેશન વિગતો અને PoSનો રીઅલ-ટાઇમ ડેટા શેર કરીને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપવા માટે કહેવામાં આવ્યું છે.

રિપોર્ટમાં સ્કાયપ જેવા વિડીયો કોલિંગ પ્લેટફોર્મ પર પ્રોટેક્ટીવ સર્વિસ તપાસ કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે, અને આવા પ્લેટફોર્મ પર કૌભાંડોમાં ઉપયોગમાં લેવાતા ડિવાઇસ ID ને ઓળખવા અને બ્લોક કરવા માટે મિકેનિઝમ્સ લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે.

WhatsApp ને ડિલીટ કરવામાં આવેલા એકાઉન્ટ્સનો ડેટા ઓછામાં ઓછા 180 દિવસ માટે સાચવવા અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે સહયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સરકારે RBI ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ સાયબર ફ્રોડમાં સંડોવાયેલા શંકાસ્પદ ખાતાઓ પર કામચલાઉ ડેબિટ હોલ્ડનું સુચન કરવામાં આવ્યું છે.

સુરતમાં મતગણતરી સેન્ટરની અંદર છુટા હાથની મારામારી

સુરતના મતગણતરી કેન્દ્રમાં વોર્ડ નં. 18ને લઈ તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તથા કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી છતાં સ્થિતિ થોડીવાર માટે બેકાબૂ બની હતી. લિંબાયત-પર્વત કુંભારિયા વિસ્તારના વોર્ડ નં. 18માં ભાજપે જીત નોંધાવી છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહે ભાજપ કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ ભાજપના વિજેતા ઉમેદવાર દિનેશ રાજપુરોહિત પર પણ હુમલાના આક્ષેપો થયા છે, જેના કારણે સમગ્ર ઘટના વધુ ચર્ચામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાની મતગણતરીમાં ભાજપે જબરદસ્ત આગેકૂચ દર્શાવી છે. અત્યાર સુધી જાહેર થયેલા 44 બેઠકોના પરિણામોમાંથી ભાજપે 43 બેઠકો પર વિજય મેળવી દબદબો સ્થાપ્યો છે. એક ટર્મના વિરામ બાદ કોંગ્રેસે વાપસી નોંધાવી છે, જેમાં વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ જીત મેળવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી હજુ સુધી પોતાનું ખાતું ખોલવામાં સફળ થઈ નથી, જેના કારણે ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.